‘દિલ્લી પોલીસે સીએમ કેજરીવાલને કર્યા નજરકેદ’, AAPનો ગૃહ મંત્રાલય પર આરોપ

CM અરવિંદ કેજરીવાલને કરવામાં આવ્યા છે નજરકેદ આ આરોપ લાગવ્યો છે આમ આદમી પાર્ટીનાં નેતાઓએ CM કેજરીવાલે ખેડૂતોને આપ્યું હતું સમર્થન નેશનલ: ખેડુતોનાં આંદોલન અને ભારત બંધને ધ્યાનમાં રાખીને દિલ્લી પોલીસે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને નજરકેદ કરી દીધા છે. આ આરોપ આમ આદમી પાર્ટી (AAP)એ લગાવ્યો છે. AAPનું કહેવું છે કે સીએમ અરવિંદ કેજરીવાલ સિંધુ બોર્ડરથી પરત ફર્યા હતા ત્યારથી તેના માટે નજરકેદ જેવી પરિસ્થિતિઓ બનાવવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલની તમામ બેઠક રદ કરવામાં આવી છે. AAPનો આરોપ છે કે, ગૃહ મંત્રાલયનાં આદેશથી પોલીસે દિલ્લી મહાનગર પાલિકાનાં ત્રણ મેયરને…

ભારત બંધ એલાનનાં પગલે દેશભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

ખેડૂત સંગઠનો દ્વારા અપાયું ભારત બંધનું એલાન પ્રકાશ જાવડેકરે બંધને સમર્થન આપવા બદલ વિપક્ષોની કડક શબ્દોમાં ટીકા કરી નેશનલ: ખેડૂત સંગઠનો દ્વારા આજે અપાયેલા ભારત બંધ આહવાનને પગલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીની સરહદે નવા ફાર્મ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંઘોએ આજે સવારે 11 થી સાંજનાં 3 દરમિયાન દેશવ્યાપી હડતાલની હાકલ કરી છે. જો કે બંધના એલાનને મિશ્ર પ્રતિભાવ મળ્યો છે. માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે કૃષિધારાઓ અંગે ખેડૂતોમાં ગેરસમજ ફેલાવવા માટે તથા આજના ભારત બંધને સમર્થન આપવા બદલ વિપક્ષોની કડક…

બ્રિટિશ અભિનેત્રી સલમા આગાની પુત્રી ઝારા ખાનને ઇન્સ્ટાગ્રામ પર મળી બળાત્કારની ધમકીઓ

સલમા આગાની પુત્રીને મળી બળાત્કારની ધમકીઓ પોલીસ ફરિયાદ દાખલ થતાં આરોપીનું નામ આવ્યું સામે આરોપી એક રાજકીય પાર્ટી માટે છે કાર્યરત મનોરંજન: પાકિસ્તાનમાં જન્મેલી બ્રિટિશ અભિનેત્રી સલમા આગાની પુત્રી ઝારા ખાને ઇન્સ્ટાગ્રામ પર મળેલ બળાત્કારની ધમકીઓ અંગે મુંબઇનાં ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બોલીવુડ હંગામાનાં એક અહેવાલ મુજબ, ઝારાની ફરિયાદની તપાસ કરતી વખતે પોલીસને ખબર પડી કે ધમકીઓ આપનાર હૈદરાબાદની 23 વર્ષીય MBAની વિદ્યાર્થીની છે. ઓશીવારા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટરએ જણાવ્યું કે ફરિયાદ બાદ સાયબર સેલને માહિતી આપવામાં આવી હતી જેમાં સ્થાનિક IP એડ્રેસ બહાર આવ્યું હતું. પોલીસે જણાવ્યું…

દિવ્ય ભાસ્કરનાં પત્રકારો સામે રાજકોટનાં હેડકોન્સ્ટેબલે કરી FIR, કોણ સાચુ પત્રકારો કે પોલીસ?

દિવ્ય ભાસ્કરનાં ૪ પત્રકારો સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન, કાલાવડ રોડ, રાજકોટ શહેર ખાતે FIR નોંધવામાં આવી છે અને FIR કરનાર છે ત્યાંનાં જ હેડ પોલીસ કોન્સ્ટેબલ. હવે વાતમાં તો એવું શું બન્યું કે પત્રકાર સામે ત્યાંનાં જ પોલીસકર્મીને FIR કરવી પડી! કેમકે ઘણી વાર સત્યને બહાર લાવવા પોલીસ અને પત્રકાર ભેગા મળીને, મિત્રતા ભાવ રાખીને સત્યતાને બહાર લાવે છે.દિવ્ય ભાસ્કરનાં તંત્રી દેવેન્દ્ર ભટનાગર કહે છે કે.. ” અમે ‘ગુનો’ કર્યો છે, સાડી સત્તરવાર ‘ગુનો’ કર્યો છે. જેમના માથા પર કોરોનાના પાંચ દર્દીઓના મોતનું કલંક છે એવા હોસ્પિટલનાં માલેતુજાર સંચાલકો…

પેટ્રોલ-ડીઝલનાં ભાવોમાં સતત વધારો

પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં આજે 25થી લઈને 33 પૈસા સુધીનો વધારો છેલ્લા 6 દિવસથી સતત વધી રહ્યાં છે ભાવ મુંબઈમાં પેટ્રોલનાં ભાવ આસમાને નેશનલ: સરકારી ઓઇલ કંપનીઓએ વધુ એક વખત આજે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કર્યો છે. આજે સોમવારે સવારે 6 વાગ્યે ડીઝલનાં ભાવમાં દેશભરમાં 25 પૈસાથી માંડીને 31 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પેટ્રોલનાં ભાવોમાં પણ આજે સવારે પ્રતિ લિટર 30 પૈસાથી લઇને 33 પૈસાનો નોંધપાત્ર પ્રમાણમાં મોટો કહી શકાય તેવો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આજે સોમવારે થયેલા આ ભાવ વધારા પછી મુંબઇમાં ડીઝલનો ભાવ…

મળો રિયલ લાઈફ મોગલીને જે પોતાનાં જીવનનાં મોટાભાગનો સમય જંગલમાં વિતાવે છે

આફ્રિકાના જંગલમાં મળ્યો રિયલ મોગલી અન્ય લોકો દ્વારા તેને કરવામાં આવતો હેરાન પરેશાન 21વર્ષીય યુવક જંગલમાં રહીને ઘાસ ખાવા બન્યો મજબુર ઇન્ટરનેશનલ: જંગલ બુક – મોગલીની વાર્તા તો આપણે બધાએ સાંભળી છે. પણ શું તમે ખરેખર આવું કોઈ સત્યઘટના ક્યાંય જોઈ કે સાંભળી છે? તો ચાલો આજે આપણે લઇ જઈએ આફ્રિકાના જંગલમાં જ્યાં જોવા મળ્યો રિયલ લાઈફ મોગલી.. આફ્રિકાના જંગલમાં રહેતો અને દરરોજ લગભગ 30 કિલોમીટર ચાલતો એક માણસ, ‘અલગ’ હોવાના કારણે તેને તેના ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને ભીડની સહાય મળી હતી. રવાન્ડાના ઝાંઝિમાન એલી, ઘણીવાર ‘રીઅલ-લાઇફ…

તમે ક્યારેય સાંભળ્યુ છે કે પ્લેનનું રોડ પર થયું એક્સિડેંટ? તો જોઈ લો હાઇવે પર પ્લેન અને કારનું થયું એક્સિડેંટ

દુર્ઘટના ટાળવા જતા સર્જાઈ બીજી જ દુર્ઘટના પ્લેન અથડાયો SUV કાર સાથે પ્લેન ક્રેશનો આ વિડીયો થયો વાયરલ ઇન્ટરનેશનલ: યુ.એસ.ના મિનીપોલિસ શહેરમાં એક સિંગલ એન્જિન વિમાને ઇમર્જન્સી લેન્ડિંગ કર્યું હતું અને ત્યારબાદ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રમાણમાં શેર કરવામાં આવ્યો છે. સીબીએસ(CBS)ના એક સ્થાનિક અહેવાલ મુજબ બેલાન્કા વાઇકિંગ વિમાન હાઇવે પર ઉતર્યું હતું અને ત્યારબાદ તે SUV સાથે અથડાયું હતું. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હોવાનું અહેવાલમાં જણાવાયું છે. SUVમાં એકલા જઈ રહેલા બ્રિટ્ટેની યૂરીકે જણાવ્યું હતું કે તેણે વિમાનને ક્ષણભર પહેલા જ તૂટી…

મહારાષ્ટ્રનાં શિક્ષકે 1 મિલિયન ડોલરનું ઇનામ જીત્યું

મહારાષ્ટ્રનાં શિક્ષકે ઉત્કૃષ્ટ શિક્ષણ કાર્ય માટે મેળવ્યું 1 મિલિયન ડોલરનું ઈનામ ઈનામ મળતાની સાથે અડધી રકમ શેર કરી દીધી વાર્ષિક વૈશ્વિક શિક્ષક પુરસ્કાર-2020નાં વિજેતા તરીકે જાહેર કરાયા મનોરંજન: ભારતનાં એક પ્રાથમિક શાળાનાં શિક્ષકને બાળ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટેનાં પ્રયત્નો અને દેશમાં પાઠયપુસ્તક ક્રાંતિમાં મોટા પાયે પ્રયત્નો કરવા બદલ વાર્ષિક વૈશ્વિક શિક્ષક પુરસ્કાર-2020નાં વિજેતા તરીકે જાહેર કરવામાં આવયા છે. દેશમાં ક્વિક એક્શન (QR) કોડ. અંતિમ રાઉન્ડમાં પહોંચેલા દસ સ્પર્ધકોમાં મહારાષ્ટ્રનાં સોલાપુર જિલ્લાના પરદેવદી ગામનો રણજીતસિંહ ડીસાલે વિજેતા તરીકે ઉભરી આવ્યા છે. વારકે ફાઉન્ડેશન દ્વારા અસાધારણ શિક્ષકોને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કાર…

ગુજરાત યુનિવર્સિટીનાં સંસ્કૃતવિભાગમાં મુસ્લિમ વિદ્યાર્થિનીએ રચ્યો ઈતિહાસ

salma qureshi gujarat

મુસ્લિમ વિદ્યાર્થિની કુરેશી સલમાએ સંસ્કૃતમાં Ph.D. કરીને સંસ્કૃતનું ગૌરવ વધાર્યું યુનિવર્સિટીનાં સંસ્કૃત-વિભાગમાંથી વિદ્યાર્થિનીએ ‘पुराणेषु निरूपिता शिक्षापद्धतिः एकम् अध्ययनम्’ આ વિષય ઉપર કર્યું Ph.D. ગુજરાત: તાજેતરમાં જ તારીખ 01 ડિસેમ્બર 2020નાં રોજ ગુજરાત યુનિવર્સિટીએ કુરેશી સલમાબેન કેશુભાઈને ગુજરાત યુનિવર્સિટીએ સંસ્કૃત વિષયમાં Ph.D.ની પદવી એનાયત કરી છે. યુનિવર્સિટીનાં સંસ્કૃત-વિભાગમાંથી વિદ્યાર્થિની કુરેશી સલમાબેન કેશુભાઈએ ‘पुराणेषु निरूपिता शिक्षापद्धतिः एकम् अध्ययनम्’ આ વિષય ઉપર સંસ્કૃત વિભાગનાં અધ્યાપક ડૉ. અતુલભાઈ ઉનાગરનાં માર્ગદર્શનમાં Ph.D. સંપન્ન કર્યું. એક બાજુ દિવસેને દિવસે ભાષાઓની જનની અને સૌથી પ્રાચીન ભારતીય ભાષા સંસ્કૃતનું મહત્વ ઘટતું જાય છે ત્યારે બીજી તરફ સંસ્કૃતનું મહત્વ…

“અમે અમારું ભોજન અમારી સાથે લાવ્યા છીએ”, ખેડુતોએ મીટિંગમાં સરકારી લંચ જમવા માટે કર્યો ઇનકાર

કૃષિ બિલનાં કારણે ખેડૂતો કરી રહ્યાં આંદોલન છેલ્લા 7 દિવસથી આ આંદોલને જોર પકડ્યું છે આજે ખેડૂત અને કેન્દ્ર સરકારનાં મંત્રીમંડળની બેઠક હતી નેશનલ: કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ બિલનો વિરોધ ખેડૂતો કરી રહ્યાં છે. ત્યારે આજે સરકાર દ્વારાં વાટાઘાટો કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાતચિત માટે સરકારે ખેડૂતોને વિજ્ઞાન ભવનમાં આમંત્રિત કર્યા હતા. જ્યાં ખેડૂતો એ પોતનાં મુદ્દા સામે મૂક્યા હતા. આ બાબતે સરકારે અને ખેડૂતોએ ઘણી વાતો કરી હતી. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલ્વે મંત્રી પિયુષ ગોયલ પણ હાજર છે. નરેન્દ્ર તોમારે બેઠક…