રાજચરાડી ગામે આર્થિક રીતે પછાતને 100 ચો. વારના પ્લોટ અને સાંથણીની જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત કરાઈ

અનુ. જાતિ, દેવીપૂજક અને અતિ પછાત વર્ગના લોકોને પ્લોટ અને સાંથણીની જમીન મળે તેવી રજૂઆત સુરેન્દ્રનગરના યુવા વકીલ હિતેશ ચાવડાએ જિલ્લા કલેક્ટર અને ડી.ડી.ઓ. ને આવેદનપત્ર આપી કરી રજૂઆત 30 દિવસમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચિમકી ગુજરાત: સુરેન્દ્રનગરના યુવા વકીલ હિતેશ ચાવડા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે અનુ. જાતિ, દેવીપૂજક અને અતિ પછાત વર્ગના લોકોને મફત 100 ચો. વારના પ્લોટ અને સાંથણીની ખેતીની જમીન ફાળવવામાં આવે તેવી રજૂઆત સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ધ્રાંગધ્રાના રાજચરાડી ગામે આર્થિક રીતે…

એક વર્ષથી ખરાબ રસ્તાની કરવામાં આવતી રજૂઆતને પગલે તંત્રએ માત્ર ખાડા જ પૂર્યા…!

રાજસીતાપુરથી ભારદ ગામ સુધીમાં ખાડા પુરાયા જ્યારે રાજચરાડી, સરવાળ ગામ તરફના રસ્તાની હાલત યથાવત “ફક્ત ખાડા જ પુરવામાં આવશે, પાકો રસ્તો બનાવામાં નહીં આવે??” સ્થાનિકોનો મોટો સવાલ ગુજરાત: રોડ રસ્તાની ખરાબ હાલતને કારણે ઘણી વખત અકસ્માત થવાનો ભય રહે છે. આમ ખરાબ રસ્તા બાબતે અનેક વખત રજૂઆત કર્યા બાદ જ તંત્રને એ ધ્યાને આવતું હોય છે. ત્યારે ધ્રાંગધ્રાના રાજસીતાપુરથી સરવાળ, માલવણ ગામડા તરફ જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવા અંગે તંત્રમાં એક વર્ષથી સ્થાનિકો રજૂઆત કરતાં હતાં. જ્યારે તંત્ર દ્વારા ગત મંગળવારે રાજસીતાપુરથી ભારદ સુધીમાં ખાડા પુરવામાં આવ્યાં છે અને…

સુરેન્દ્રનગર-ફતેપુર રૂટની બસ વહેલી તકે શરૂ કરવાં ડેપો મેનેજરને કરાઈ રજૂઆત

રૂટમાં સમાવેશ ગામડાઓના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ પરેશાન જલ્દીથી બસ શરૂ થાય તેવી માંગ સાથે રાજચરાડી ગામના સરપંચે લેખિતમાં કરી રજૂઆત ગુજરાત: સુરેન્દ્રનગરથી ફતેપુર રૂટની એસ. ટી. બંધ હોવાનાં કારણે સુરેન્દ્રનગર ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રાજચરાડી ગામના સરપંચ દ્વારા સુરેન્દ્રનગર ડેપો મેનેજરને વહેલી તકે બસ શરૂ કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરી હતી. સુરેન્દ્રનગરથી ફતેપુર વાયા ભારદ, રાજચરાડી, મેથાણ રૂટની એસ.ટી. બસ છેલ્લા કેટલાય સમયથી બંધ છે. જેના કારણસર રૂટમાં સમાવેશ થતાં ગામડાઓના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓને ખૂબ જ હાલાકી ભોગવી પડી રહી છે. શાળા અને કોલેજમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય…

ચરખાથી અપરિચિત લોકને ચરખાનો પરિચય કરાવશે ‘સ્વ-અધ્યયન’ પ્રોજેકટ

ગુજરાત: ગાંધી જયંતિની ઉજવણીનાં ભાગરૂપે તથા ગાંધીજીનાં રેંટિયાની ખરી શક્તિ લોકો સુધી પહોંચાડવા માટે 3જી ઓક્ટોબર, 2021નાં રોજ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ, એક્ટ ફાઉન્ડેશન તથા સુકૃત પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે ‘સ્વ-અધ્યયન’ નામનાં એક અનોખા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. ગાંધીજીનાં સમૂહ પ્રાર્થના અને સમૂહ કાંતણનાં વિચારને ચરિતાર્થ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા સમૂહમાં ચરખો કાંતીને તેના થકી સ્વ-અધ્યયન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થકી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, કાર્યક્રમમાં આવેલા મહેમાનોને વિદ્યાર્થીઓ દ્વારા ખાસ ચરખા કાંતણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જેમાં ગુજરાત વિદ્યાપીઠનાં વિદ્યાર્થીઓએ એક્ટ ફાઉન્ડેશન અને સુકૃત પરિવાર ચેરિટેબલ…

અમીરગઢ તાલુકાનાં તલાટીકમ મંત્રીઓનો ધરણા કાર્યક્રમ યોજાયો

અમીરગઢ તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા કર્યા માંગણીઓ નહીં સંતોષાયતો જિલ્લા કક્ષાએ અને ગાંધીનગર સુધી જવાની તૈયારી ગુજરાત: હાલમાં ગુજરાત રાજ્ય તલાટીકમ મંત્રી મહામંડળનાં આદેશ મુજબ જુદી જુદી જગ્યાએથી તલાટીકમ મંત્રી દ્વારા તેમની પડતર માંગણીઓ ન સ્વીકારતા ગુજરાત સરકાર વિરોધમાં ધારણા કરવામાં આવી રહ્યાં છે. આજરોજ અમીરગઢ તાલુકા પંચાયત ખાતે અમીરગઢ તલાટીકમ મંત્રીઓ દ્વારા તલાટીકમ મંત્રી મહામંડળનાં આદેશ મુજબ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમીરગઢ તાલુકાનાં તમામ તલાટીઓ મહાસીએલ મૂકીને તેમની પડતર માંગણીઓ રાજય સરકાર દ્રારા ન સ્વીકારવામાં આવતા ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો. તો જાણો શું છે પડતર માંગણીઓ: તમામ…

ઉપલેટાની કટલેરી બજારમાં થયો ભેદી બ્લાસ્ટ

ઉપલેટની કટલેરી બજારનાં ગોડાઉનમાં થયો બ્લાસ્ટ બ્લાસ્ટમાં પિતા-પુત્રએ ગુમાવ્યો જીવ ગુજરાત: રાજકોટનાં ઉપલેટાના કટલેરી બજારમાં એક ગોડાઉનમાં ભેદી બ્લાસ્ટ થતાં પિતા-પુત્રનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. આ ઘટનાના કારણે આસપાસનાં લોકોમાં ભયા ફેલાયો હતો અને ઘટના સ્થળે પોલીસને બોલાવી હતી. બ્લાસ્ટ ક્યાં કારણોસર થયો તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાનાં ઉપલેટા શહેરની કટલેરી બજારમાં બ્લાસ્ટ થતાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ઉપલેટા કટલેરી બજારમાં ભંગારની દુકાનમાં કામ કરતા બે વ્યક્તિઓના મોત થયા છે. રહીશ રજાક કાણા (ઉ.વ. ૨૭), રજાક અજિત કાણા (ઉ.વ. ૬૦)નું…

અમીરગઢ આરાસુરી હોટેલ નજીક અકસ્માત

અમીરગઢ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો ઝારી NH 27 પર વરસાદી ખાડા પુરવા અને ઝાડ કટીંગનું કામ ચાલુ હોવાથી વાહન ચાલકોને વાહન ધીમે હંકારવાના બોર્ડ માર્યા હોવા છતાં લાપરવાહી ગુજરાત: પાલનપુર થી આબુરોડ વચ્ચેના રોડ પર હાલ વરસાદી ખાડા પુરવા, રોડનું સમારકામ અને ઝાડ કટિંગનું કામ ચાલુ છે જેથી થોડાં થોડાં અંતરે સ્પીડ બ્રેકર મુકેલા છે અને નોટિસ બોર્ડ પણ માર્યા છે ત્યારે પુર ઝડપે આવતા વાહનો જલ્દી નીકળવાની લાલચે સ્પીડને વધુ વધારે છે અને કટ મારીને નીકળી જઈ સમય બચાવવા જતા એ થોડાં સમયની ઉતાવળમાં પોતાની ઝીંદગીની પણ પરવાહ કરતા…

અમીરગઢમાં પ્રવેશદ્વાર જ કિચડથી સજ્જ

અમીરગઢમાં બનાવેલ રેલવે અંડરપાસની પેહલા ભરાયેલા પાણી અને કીચડથી રાહ દારીઓ પરેશાન મરુડ માટીથી દ્વિચક્રીય વાહનો સ્લીપ થવાનો અને પડવાનો ભય ગુજરાત: અમીરગઢમાં બનાવેલ રેલવે અંડરબ્રિજ ના એન્ટર થવાના રસ્તા આગળ જ વરસાદીથી થયેલ કીચડમાં બાઈક ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. અંડર બિજમાં પ્રવેશવાના રસ્તા પર રોડ અથવા હાલ પૂરતી કોઈ ઠોસ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અમીરગઢમાં બનાવેલ અંદર બ્રિજમાં એન્ટર થવાનો રસ્તો કાચો અને ચીકની માટી વાળો હોવાથી વરસાદના પાણીથી કીચડ છવાઈ જતા બાઈકો સ્લીપ થઇ જાય છે અને બાઈક ચાલકો પોતાના જોખમ અને મજબૂરી…

ગુજરાતી ગાયકનું ગીત ગાઈને બાળક બન્યો સોશિયલ મેડિય સ્ટાર

સહદેવ દીર્ડોની શાળાના શિક્ષકે 2019 માં તેમનો આ વીડિયો રેકોર્ડ કર્યો હતો. હવે આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. રેપર બાદશાહે આ ગીતનું રિમિક્સ વર્ઝન પણ શેર કર્યું છે. આ દિવસોમાં સહદેવ કુમાર નામનું એક બાળક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ બાળકે ‘બચપન કા પ્યાર’ ગીત ગાયું, જે લોકોને ખૂબ પસંદ આવ્યું. મોટા સ્ટાર્સ તે બાળકના અવાજ ગીતને મ્યુઝિકલ ટચ આપીને તેના પર રીલ્સ બનાવી રહ્યા છે. બાળકનો વીડિયો એટલો વાયરલ થયો કે છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બધેલએ બાળકને તે ગીત તેમની સામે ગવરાવ્યું. પરંતુ…

દેવભૂમિ દ્વારકા બન્યો ગુજરાતનો પ્રથમ COTPA Complaint જિલ્લો

ગુજરાત: દેવભૂમિ દ્વારકામાં વડોદરાના ફેઈથ ફાઉન્ડેશન દ્વારા સર્વે હાથ ધરવામાં આવેલો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા તમકુ નિયંત્રણ સેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા દ્વારા તમાકુ નિયંત્રણ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લામાં COTPA એક્ટ 2003નું અમલીકરણ વર્ષ 2015થી કરવામાં આવેલ છે. આ પ્રોગ્રામ અંતર્ગત થયેલી કામગીરી અંગેનો આ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે જિલ્લા વહીવટી તંત્ર અને ફેઈથ ફાઉન્ડેશન વડોદરાના સહભાગથી કરવામાં આવ્યો હતો જે સર્વેના અંતે દેવભૂમિ દ્વારકાને રાજ્યનું પહેલો COTPA Complaint જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. સર્વે કામગીરી ફેઈથ ફાઉન્ડેશનનાં ફિલ્ડ ઓફિસર અક્ષય અગ્નિહોત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલો હતો આ સર્વેના…