જૂનાગઢમાં AAP નેતા મહેશ સવાણી અને ઈસુદાન ગઢવી પર હુમલો, ગાડીઓનાં કાચ તોડ્યાં

ગુજરાત: AAPનાં નેતા મહેશ સવાણી અને ઈસુદાન ગઢવી પર કેટલાંક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. જૂનાગઢનાં લેરિયા ગામમાં આ હુમલો કરવામાં આવ્યો છે. હુમલા દરમિયાન તેમની ગાડીઓનાં કાચ પણ તોડી નાખવામાં આવ્યાં છે. આ હુમલામાં આમ આદમી પાર્ટીનાં નેતાઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની વિગત એવી છે કે, જૂનાગઢનાં વિસાવદરમાં AAPનાં નેતાઓ પર પથ્થમારો કરવામાં આવ્યો હતો. પાર્ટીની સભા યોજાય તે પહેલાં જ આ હુમલો કરવામાં આવ્યો હતો. આપનાં નેતા મહેશ સવાણી અને ઈસુદાન ગઢવી પર હુમલાની સાથે તેમની કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. આ હુમલામાં બે લોકોને…

મુખ્યમંત્રીએ કરુણા દાખવી : ગુજરાતના 36 શહેરોમાં વધારાના નિયંત્રણો

અગાઉ જે 8 મહાનગરો સહિત ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુ હતો તે ઉપરાંત હવે વધુ 7 શહેરો ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો તા. 6 મે-2021 થી તા.12 મે-2021 સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે  અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે ખાનગી…

સૌરાષ્ટ્ર માટે સુવિધા, જામનગરમાં 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું ઈ-લોકાર્પણ

400 બેડની ક્ષમતા બાદ વધુ 600 બેડ ક્ષમતા-ઓક્સિજન સપ્લાય વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરાશે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાના લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર ખાતે રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું આજે ઈ-લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર વધુ વિકરાળ સાબિત થઈ રહી છે તેવા સંજોગોમાં રાજ્ય સરકાર સંક્રમણને રોકવા માટેના તમામ પગલાંઓ લઈ રહી છે. રાજ્ય સરકારે છેલ્લા દોઢ મહિનામાં બેડની સંખ્યામાં વધારો કરીને 41,000 થી 1 લાખ બેડ તેમજ 18000 થી…

17 હજાર ગામોમાં કોરોનામુક્તિની સંકલ્પના, આજથી ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’અભિયાનનો પ્રારંભ

  NCC-NSS- નહેરૂ યુવા કેન્દ્ર-રેડ ક્રોસ જેવા સંગઠનોના સેવાકર્મીઓને-ધર્મસંસ્થાના કાર્યકરોને ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ અભિયાનમાં જનજાગૃતિ કેળવવા જોડી શકાય – રાજ્યપાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતીમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સી.એમ. ડેશબોર્ડ માધ્યમથી રાજ્યના ગામોના સરપંચો, જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખો, પદાધિકારીઓ, અગ્રણીઓ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રીઓ, અધિકારીઓ સાથે મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાનના પ્રારંભ અવસરે ઇ-સંવાદ સાધીને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યના દરેક ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાયે આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવા અને તેમાં શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા…

અમારા ધારાસભ્યોને પણ કામ આપો: હાર્દિક પટેલ

ગુજરાત: રાજ્યમાં ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં રોજ રેકોર્ડબ્રેક વધારો જોવા મળી રહ્યો છે. એવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 90999 02255 શરૂ કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત ચાવડાએ ઈન્જેક્શનોનું કોંગ્રેસ દ્વારા મફત વિતરણ કરવાની તથા સરકાર દ્વારા શ્વેતપત્ર જાહેર કરવામાં આવી એવી માગણી કરાઈ હતી. ત્યારે આજે કોંગ્રેસનેતા હાર્દિક પટેલે પણ સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રીને કોરોના મહામારીમાં કોંગ્રેસને પણ મદદ કરવા દેવાની વિનંતી કરી છે. હાર્દિક પટેલે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું…

દેશમાં કોરોનાની સ્થિતિ અંગે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

શુક્રવારે દેશમાં કોરોના વાયરસના 2,17,353 નવા કેસ નોંધાયા બાદ અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,42,91,917 થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોવિડ -19 રોગચાળો સામેલ કરવાની વ્યૂહરચના માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વિટ કર્યું, ‘કેન્દ્ર સરકારની કોવિડ વ્યૂહરચના – પ્રથમ પગલું – લોકડાઉન કરો. બીજું પગલું – ઘંટડી વગાડો. ત્રીજું પગલું – ભગવાનના ગુણ ગાઓ. બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકોને અપીલ કરી, ‘પ્રિય દેશવાસીઓ, આ આપણા બધા માટે ખૂબ જ મુશ્કેલીનો સમય છે. આપણા બધાના પરિવારના સભ્યો, આપણા પ્રિયજનો અને…

ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચાર માટે આજે સભાઓ ગજવશે અને 6 જગ્યાએ રોડ – શો કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રવિવારે પશ્ચિમ બંગાળના ચૂંટણી રાજ્યમાં છ જાહેર કાર્યક્રમોને સંબોધન કરશે. આ છ જાહેર કાર્યક્રમોમાંથી તે રાજ્યમાં ત્રણ રોડ શોને સંબોધન કરશે. સૌ પ્રથમ, શાહ બપોરે 12:20 વાગ્યે શાંતિપુરમાં એક રોડ શો કરશે. કાર્યક્રમની સમાપ્તિ પછી, તેઓ બપોરે 1:30 કલાકે રાણાઘાટ દક્ષિણ ખાતે એક રોડ શો કરશે અને ત્યારબાદ શાહ બસિરહટ દક્ષિણમાં બપોરે 3:40 કલાકે જાહેર સભાને સંબોધન કરશે. ચોથા કાર્યક્રમ પાનહરિ ખાતે બપોરે 04:25 કલાકે એક રોડ શો હશે. કેન્દ્રીય ગૃહમંત્રીના અંતિમ બે જાહેર કાર્યક્રમો ટાઉનહોલમાં બેઠકોના રૂપમાં હશે. સાંજે 5:30 કલાકે કમર્તી ખાતે ટાઉનહોલમાં…

મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ!

વડોદરામાં શનિવારે રાત્રે જાહેર સભા દરમિયાન બ્લડ પ્રેસર લો થઈ જતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા. મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ECG,બ્લ્ડ ટેસ્ટ સહિતનાં રિપોર્ટ કરાયા હતા. જે નોર્મલ હતા. કોરોનાનો RTPCR  રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે આજે સવારે પોઝિટિવ આવ્યો છે. CM Vijay Rupani જાહેર સભાને સંબોધતા અચાનક ઢળી પડ્યા | Live Video હાલમાં તેઓને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. તેઓની પરિસ્થિતિ હાલ સ્થિર છે. યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

नज़रें मिलाके, खुद से पूछो – क्यूं? સોનાક્ષી સિંહા

અનેક વિદેશી હસ્તીઓએ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપ્યું હતું. તે જ સમયે ફક્ત મુખ્ય પ્રવાહની કેટલીક ભારતીય હસ્તીઓ હતી જેઓ ખેડૂતોને ટેકો આપવા આગળ આવ્યા હતા. સોનાક્ષી સિંહા તેમાંથી એક છે, સતત તેનાં સોશિયલ મીડિયા પર ખેડૂતોને ટેકો આપતી પોસ્ટ કરે છે. તાજેતરમાં જ તેમણે ફરી એકવાર પોતાનો અવાજ ખેડૂતોને આપ્યો હતો. એક કવિતા દ્વારા. જેનું નામ ‘કયું’ છે. પોસ્ટનાં કેપ્શનમાં લખ્યું કે, नज़रें मिलाके, खुद से पूछो – क्यूं? एक ट्रिब्यूट उन हाथों को जो हमें खिलाते हैं. वरद भटनागर की लिखी हुई एक खूबसूरत कविता.…

AAP 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી લડશે

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે જાહેરાત કરી છે. AAP 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી લડશે. કેજરીવાલે કહ્યું છે કે, ઉત્તર પ્રદેશની જનતા ત્યાંની પાર્ટીઓથી હવે કંટાળી ગઈ છે અને હવે તેમને કોઈ અન્ય વિકલ્પની જરૂર છે. કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં અમને જનતાએ ત્રણ વખત મુખ્યમંત્રી બનાવ્યા. પંજાબમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી છે. ઉત્તર પ્રદેશનાં લોકો દિલ્હીમાં મોટી સંખ્યામાં રહે છે. તે લોકો અમારી પાસે આવીને આગ્રહ કરે છે કે, ઉત્તર પ્રદેશમાં પણ આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવી જોઈએ. ઉત્તર પ્રદેશનાં લોકોને એજ્યુકેશન અને હેલ્થ માટે દિલ્હી સુધી કેમ…