અક્ષય કુમારે સારા અલી ખાન સાથે ફિલ્મ ‘અતરંગી રે’ની શૂટિંગ શરૂ કરી

આ વર્ષનાં ઓક્ટોબર મહિનામાં ફિલ્મનાં અન્ય 2 મુખ્ય કલાકાર એકટ્રેસ ‘સારા’ અને એક્ટર ‘ધનુષ’ સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે આાનંદ એલ.રાય’ની ફિલ્મ ‘અતરંગી રે’ મદુરાઇ, દિલ્હી અને મુંબઇમાં શૂટ કરવામાં આવશે હિમાંશુ શર્મા’ દ્વારા લખાયેલ ‘અતરંગી રે’ 2021માં આવવાની છે મનોરંજન: બોલિવૂડ સુપરસ્ટાર ‘અક્ષય કુમાર’એ તેમની આગામી ફિલ્મ ‘અતરંગી રે’ નું શૂટિંગ ‘સારા અલી ખાન’ સાથે શરૂ કરી દીધું છે. આ વર્ષનાં ઓક્ટોબર મહિનામાં ફિલ્મના અન્ય 2 મુખ્ય કલાકાર ‘સારા’ અને ‘ધનુષ’ સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. હવે ‘અક્ષય કુમાર’ પણ ફિલ્મની શૂટિંગમાં જોડાઈ ગયા છે.…

એમડીએચ(MDH) મસાલાનાં માલિક ‘ધરમપાલ ગુલાટી’નું ગુરુવારે સવારે 97 વર્ષની વયે નિધન

આજે સવારે 5:30 વાગ્યે તેમને છેલ્લા શ્વાસ લીધા ગુલાટીએ વર્ષ 1959માં સત્તાવાર રીતે MDH(Mahashian Di Hatti Private Limited) કંપનીની સ્થાપના કરી હતી ધરમપાલ ગુલાટીએ તેમની કમાણીનો લગભગ 90 ટકા ભાગ દાનમાં આપ્યો હતો નેશનલ: રિપોર્ટસ અનુસાર, તે છેલ્લા ત્રણ અઠવાડિયાથી દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગુરુવારે સવારે અટેક આવ્યો અને આજે સવારે 5:30 વાગ્યે તેમને છેલ્લા શ્વાસ લીધા. ‘દલાજી’ અને ‘મહાશાયજી’ તરીકે ઓળખાતા, ધરમપાલ ગુલાટીનો જન્મ 1923 માં પાકિસ્તાનનાં સિયાલકોટમાં થયો હતો. ધરમપાલ ગુલાટી ભણવાનું છોડી, તેમના પિતાનાં મસાલાના વ્યવસાયમાં જોડાયા. 1947માં ભારત અને પાકિસ્તાન ભાગલા પછી, ધરમપાલ ગુલાટી…

ઓસ્કર એવોર્ડમાં ‘લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ’ કેટેગરીમાં શોર્ટફિલ્મ ‘શેમલેસ(Shameless)’ ને દાવેદાર બનાવવામાં આવી

આ શોર્ટ ફિલ્મમાં ‘સયાની ગુપ્તા’, ‘ઋષભ કપૂર’ અને ‘હુસેન દલાલ’ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા ફિલ્મ ‘કીથ ગોમ્સ’ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે આ ફિલ્મની સ્ટોરી એક રોમાંચક કૉમેડી પર આધારિત છે મનોરંજન: આવતા વર્ષે યોજાનાર ’93માં ઓસ્કર એવોર્ડ સમારોહ’માં ભારતની મલયાલમ ભાષામાં બનેલી ફિલ્મ ‘જલ્લીકટ્ટુ’ની ઓસ્કર એવોર્ડમાં એન્ટ્રી બાદ ભારતની એક અન્ય ફિલ્મ પણ ઓસ્કર એવોર્ડની રેસમાં દાવેદાર બની ચુકી છે. ‘લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ’ કેટેગરીમાં ભારતીય શોર્ટફિલ્મ ‘શેમલેસ’ ને એન્ટ્રી આપવામાં આવી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ અને ડાયરેક્ટર: આ શોર્ટ ફિલ્મમાં ‘સયાની ગુપ્તા’, ‘ઋષભ કપૂર’ અને ‘હુસેન દલાલ’ જેવા…

અનુષ્કા શર્માએ પ્રૅગનન્સિ દરમિયાન પતિ વિરાટ કોહલીની મદદથી કર્યું શીર્ષાસન

ANushka and Virat

ગર્ભવતી હોવા છતાં અનુષ્કા શર્મા યોગ કરી રહી છે “યોગ એ મારા જીવનનો સૌથી મોટો ભાગ છે” -અનુષ્કા શર્મા પોસ્ટ સોશિયલ મીડિયામાં થઈ રહી છે વાઇરલ મનોરંજન: ફેમસ કપલ ‘વિરાટ & અનુષ્કા’એ આ વર્ષનાં ઑગસ્ટ મહિનામાં તેઓ માતા-પિતા બનવાના છે, તેની જાણ પોતાના ચાહકોને કરી હતી. અનુષ્કા આ માટે હમણાં ખૂબ ચર્ચામાં છે. અનુષ્કા શર્મા ઘણીવાર પોતાના બેબી બમ્પને ફલાન્ટ કરતી જોવા મળે છે અને આ કપલ હંમેશા પોતાના અવનવા ફોટો તેમજ સેલ્ફી સોશિઅલ મીડિયા અકાઉન્ટસ પર પોસ્ટ કરીને પોતાના ચાહકોનું દિલ જીતે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ…

‘વરૂણ ધવન’ અને ‘રણવીર સિંહ’ સાથેની ફિલ્મોમાં ઓછો સ્ક્રીન ટાઇમ મળવા પર સારા અલી ખાન: “આવી તુલના કરવા માટેની તમારી સ્થિતિ(ઔકાત) નથી હોતી.”

‘સારા અલી ખાન’ નિર્માતા ‘ડેવિડ ધવન’ની કૉમેડી ફિલ્મ ‘Coolie No 1’ માં ‘વરુણ ધવન’ સાથે દર્શકોને જોવા મળશે “હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારા સહ-કલાકારો સાથે ‘સ્પર્ધા’ કરવા માટે નથી.”: સારા અલી ખાન “તમે ફક્ત આભારી છો કે, રોહિત શેટ્ટી, ડેવિડ સર, રણવીર અને વરૂણ જેવા લોકો તમારી સાથે કામ કરી રહ્યા છે.”: સારા અલી ખાન મનોરંજન: અભિનેતા ‘સૈફ અલી ખાન’ અને ‘અમૃતા સિંહ’ની પુત્રી ‘સારા અલી ખાન’ એ 2018માં ‘અભિષેક કપૂર’ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવેલી ફિલ્મ ‘કેદારનાથ’ થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તરત જ ‘રોહિત શેટ્ટી’ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી…

ટેલિવિઝન અભિનેત્રીએ કાસ્ટીંગ ડાયરેક્ટર ‘આયુષ તિવારી’ પર મુક્યો બળાત્કારનો આરોપ

પોલીસ દ્વારા આયુષ તિવારી વિરુદ્ધ આઈ.પી.સી. ધારા 376નાં આધારે કેસ નોંધવામાં આવ્યો છે આયુષ તિવારીએ લગ્ન કરવાનું વચન આપીને તેની ઉપર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો અભિનેત્રીએ એમ પણ કહ્યું છે કે, આરોપી તેને માર મારતો હતો મનોરંજન: ટીવી અને વેબસીરીઝની એક અભિનેત્રીએ બોલિવૂડનાં એક કાસ્ટીંગ ડાયરેક્ટર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ મુંબઈનાં વર્સોવા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં કાસ્ટિંગ ડાયરેક્ટર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી અને ન તો હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી છેલ્લા કેટલાક દિવસોથી…

“રાજુ શ્રીવાસ્તવએ ડ્રગ્સ કેસમાં ભારતી વિરુદ્ધ બોલીને બધા સાથે સબંધો ખરાબ કરી લીધા છે”: કૃષ્ણા અભિષેક

પ્રખ્યાત કૉમેડીયન ‘ભારતી સિંહ’ અને તેમના પતિ ‘હર્ષ લીંબાચીયા’નાં ઘરે 21, નવેમ્બરનાં રોજ NCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં આ બધું કરવાની જરૂર શું છે? એવું નથી કે ડ્રગ્સ લેવાથી તમે સારા કોમેડિયન બનશો અથવા તે તમને ઉર્જા આપશે. હું ખુબ ઉદાસ છું.”: રાજુ શ્રીવાસ્તવ કૃષ્ણા અભિષેક’ મિત્ર ‘ભારતી સિંહ’નાં સપોર્ટમાં ઊભા રહ્યાં છે મનોરંજન: પ્રખ્યાત કૉમેડીયન ‘ભારતી સિંહ’ અને તેમના પતિ ‘હર્ષ લીંબાચીયા’નાં ઘરે 21, નવેમ્બરનાં રોજ NCB(Narcotics control Bureau) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં અને આ તપાસમાં NCBને તેમના ઘરમાંથી 86.5 ગ્રામ ‘માદક દ્રવ્ય’ પણ મળી આવ્યું હતું.…

ફિલ્મ ‘તમાશા’નાં પાંચ વર્ષ: એકટ્રેસ ‘દીપિકા પાદુકોણ’ એ ‘રણબીર કપૂર’ સાથે શૂટિંગ દરમિયાનનાં ફોટો શેર કર્યા

Ranbir Deepika Tamasha

ફિલ્મ ‘તમાશા’નાં 5 વર્ષ પૂરા થતાં ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાનાં અને રણબીરનાં પિક્ચર્સ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યા દીપિકા અને રણબીરની જોડી ઓનસ્ક્રીન સુપરહિટ રહી છે દીપિકાએ આ પોસ્ટ માટે #5YEARSOFTAMASHA, #5YEARSOFTARA અને #RANBIRKAPOOR જેવા હેશટૅગ્સનો ઉપયોગ કર્યો છે. મનોરંજન: આજકાલ બોલિવૂડમાં બનેલી ફિલ્મોનાં એક-બે કે તેથી વધુ વર્ષ પૂર્ણ થતા, તેની ઉજવણીનાં ભાગરૂપે કલાકારો દ્વારા તે ફિલ્મનાં ફોટો કૅપ્શન સાથે પોતાનાં સોશિઅલ મીડિયા અકાઉન્ટસ પર મુકવાનો ટ્રેન્ડ બની ગયો છે. તેમજ ફિલ્મ ‘તમાશા’નાં 5 વર્ષ પૂરા થતાં ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પાદુકોણએ તે ફિલ્મનાં શૂટિંગ દરમિયાનનાં સહ-અભિનેતા…

“પુત્ર આદિત્યનાં રિસેપ્શનમાં હાજર રહેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચનને પણ નિમંત્રણ મોકલ્યું છે”: સિંગર ઉદિત નારાયણ

Aditya Naryan and his family

સિંગર અને ટીવી હોસ્ટ ‘આદિત્ય નારાયણ’ ગર્લફ્રેન્ડ ‘શ્વેતા અગ્રવાલ’ સાથે 1 ડિસેમ્બરએ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. 50 થી વધુ લોકો લગ્નમાં ભાગ લેશે નહીં. 1 ડિસેમ્બર 2020નાં રોજ મંદિરમાં લગ્ન થશે અને ત્યારબાદ 2 ડિસેમ્બરએ રિસેપ્શન રાખવામાં આવ્યું છે. મનોરંજન: આ વર્ષે ઓક્ટોબરમાં આદિત્યએ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથેના પ્રેમસંબંધોને જાહેર કર્યા હતા. આ પછી બંનેએ તેઓનાં લગ્નનાં નિર્ણય અંગે પણ માહિતી આપી હતી. બંનેની મુલાકાત 2010 માં તેમની પહેલી ફિલ્મ ‘શાપિત’ દરમિયાન થઈ હતી. સિંગર અને ટીવી હોસ્ટ ‘આદિત્ય નારાયણ’ ગર્લફ્રેન્ડ ‘શ્વેતા અગ્રવાલ’ સાથે લગ્નનાં બંધનમાં બંધાવા જઇ…

ટેલિવિઝન એક્ટર ‘શહીર શેખ’એ રચનાત્મક નિર્માતા ‘રુચિકા કપૂર’સાથે કોર્ટ મેરેજ કર્યા

મહાભારતમાં ‘અર્જુન’નાં પાત્ર દ્વારા સૌનું દિલ જીતનાર શહીર શેખએ પોતાનું દિલ હંમેશા માટે ગર્લફ્રેન્ડ રુચિકાનાં નામ કર્યું વિશ્વમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીનાં કારણે તેમણે કોર્ટ મેરેજ કરવાનું પસંદ કર્યું ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ દ્વારા બંને સેલિબ્રિટીએ પોતાનાં લગ્નની જાણ તેમનાં ચાહકોને કરી હતી મનોરંજન: મહાભારતમાં ‘અર્જુન’નું પાત્ર ભજવનાર તેમજ ‘નવ્યા’, ‘કુછ રંગ પ્યાર કે’ અને ‘યે રિશ્તે હે પ્યાર કે’ જેવી ટીવી સિરિયલમાં પોતાની ભૂમિકા ભજવનાર, પ્રખ્યાત ટીવી એક્ટર ‘શહીર શેખ’ એ તેમની ગર્લ ફ્રેન્ડ ‘રુચિકા કપૂર’ સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે. વિશ્વમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીનાં કારણે…