ચક્રવાત ‘નીવાર’નાં કારણે સોનાનો થયો વરસાદ,50 લોકોની લાગી લોટરી

આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લામાં ચક્રવાત નિવારનાં કારણે કેટલાક લોકોની કિસ્મત બદલાઈ ચક્રવાતી વરસાદમાં વરસ્યું સોનું અંદાજે 50 જેટલા લોકોને આ સોનું મળ્યું તમે ઘણી વખત સાંભળ્યુ હશે કે, કોઈ જગ્યા પર જીવ-જંતુઓનો વરસાદ થયો કોઈ જગ્યાઓ પર વરસદમાં માછલી કે દેડકા વરસ્યાં. પણ તમે ક્યરેય સાંભળ્યુ છે કે સોનાનો વરસાદ થયો? નેશનલ: સામાન્ય રીતે વાવાઝોડાનો વરસાદ વિનાશ લઈને આવતા હોય છે. શુક્રવારે સવારે આંધ્ર પ્રદેશનાં ઉપ્પડા ગામનાં લોકો ઉંઘમાંથી ઉઠેલા અને ત્યાંજ લોકોને દરિયા કિનારે નાનકડા મોતી જેટલા સોનાના ટુકડા મળી આવ્યા હતા. સ્થાનિક માછીમારો પૈકીનાં કેટલાકને આ પ્રકારનાં નાના…

પંજાબ-હરિયાણામાં કૃષિ આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે જાણો શું છે આ ખેડૂતોની માંગણીઓ!

નેશનલ: દેશમાં હાલમાં જ ત્રણ નવા કૃષિ કાનૂનને લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે આ બાબતે પંજાબ-હરિયાણાનાં ખેડૂત સતત આંદોલન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર ઉપર દબાણ લાવવા ખેડૂત સંગઠનોએ ગુરુવારે દિલ્હી કૂચની જાહેરાત કરી હતી. તે જ સમયે ખેડૂત સંગઠનો વીજ બિલ 2020 પણ પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. અંબાલામાં બુધવારે ખેડુતોએ ભારે પોલીસ બંદોબસ્તને ઠેંગો બતાવી દિલ્હી તરફ પ્રયાણ કર્યું હતું. પોલીસે આ સમયગાળા દરમિયાન વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો. પરંતુ ખેડૂતોને રોકી શક્યા નહીં. ખેડુતોએ દિલ્હી તરફ પ્રયાણ કર્યું. ખેડૂતોના ‘દિલ્હી ચલો’ આંદોલનને ધ્યાનમાં રાખીને હરિયાણા…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ, પુણે અને હૈદરાબાદની મુલાકાત લઈને કોવિડની રસીના વિકાસ તથા ઉત્પાદનની પ્રક્રિયા નિહાળશે

નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ સહિત ત્રણ શહેરોની મુલાકાત લઈને કોવિડની રસીના વિકાસ તથા ઉત્પાદનની પ્રક્રિયા નિહાળશે. તેઓ અમદાવાદમાં ઝાયડ્સ બાયોટેક પાર્ક, પુણેમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ તથા હૈદરાબાદમાં ભારત બાયોટેક એકમોની આજે મુલાકાત લેશે. PM મોદી આ મુલાકાત વખતે સંબંધિત એકમો ખાતેના વૈજ્ઞાનિકો સાથે ચર્ચા-વિચારણા કરશે. પ્રધાનમંત્રી આજે સવારે અમદાવાદ નજીક ચાંગોદરમાં આવેલા ઝાયડ્સ બાયોટેક પાર્કની મુલાકાત લઈને કોવિડની રસીના વિકાસ પ્રક્રિયાની માહિતી મેળવશે. ઝાયડસ કેડીલા આવતા અઠવા઼ડિયે તેની કોવિડ માટેની રસીના બીજા તબક્કાનાં પરિક્ષણોનાં પરિણામો સુપરત કરશે. અને ડિસેમ્બરમાં ત્રીજા તબક્કામાં પરિક્ષણો હાથ ધરશે. જો અપેક્ષીત પરિણામો મળ્યા તો…

નરેન્દ્ર મોદીનાં યોગાસન વાળો વિડિયો ફોરવર્ડ કરતાં પહેલા આ વાંચી લો….

BKS Iyanger

શું તમારા વોટ્સએપમાં એક વિડિયો આવ્યો છે જેમાં નરેન્દ્ર મોદી યોગા કરી રહ્યાં છે અને લખ્યું છે કે, મોદી સાહેબનો આ વિડિયો ખૂબ રેર છે, જુવો યુવાન નરેન્દ્ર મોદી યોગા કરી રહ્યાં છે. આ વિડિયો દેશનાં ઘણાં જાણીતા લોકોએ પણ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમથી એક છે ગજેન્દ્ર ચૌહાણ જે એક જાણીતા કલાકાર છે અને તે દેશની ખૂબ જાણીતી સંસ્થા FTII પુણેનાં ચેયરમેનપણ રહી ચૂક્યા છે. તો જાણી લો શું છે હકીકત અને આ કોનો વિડિયો છે! આ વિડિયો યોગગુરુ બીકેએસ અય્યંગારનો છે. બીકેએસ અય્યંગાર ભારતનાં ખૂબ પ્રસિધ્ધ…

ભારતનાં બંધારણની અમુક એવી વાતો જેનાથી તમે અજાણ છો!

બંધારણ, આ શબ્દ સાંભળતા જ આપણી સામે એક દળદાર પુસ્તકનું ચિત્ર આવી જાય. કોર્ટ અને એનાથી સહેજ આગળ વધીએ તો બાબા સાહેબ આંબેડકરનો ચહેરો યાદ આવી જાય. આજે 26 નવેમ્બર એટલે કે આજથી લગભગ 71 વર્ષ પહેલા ભારતનું સંવિધાન એ સંવિધાન સભામાંથી પસાર કરવામાં આવ્યું. આ એ ક્રાંતિકારી પરિવર્તન હતું, જેમાં રાજા અને પ્રજાને એક જ સમાન દોરામાં પરોવીને માળા બનાવવામાં આવી અને એક સમાન કાયદો એક સમાન રક્ષણની નીતિ દાખલ થઈ. આપણે બધા ભારતનાં બંધારણ વિશે અમુક વસ્તુઓ તો જાણીએ જ છીએ કે વિશ્વનું સૌથી લાબું લેખિત સ્વરૂપનું બંધારણ…

કોંગ્રેસનાં મુંજાલનો અરુણ અસ્ત, ભરુચથી દિલ્હીનાં સલાહકાર સુધીની સફર

ચારે’ય બાજુ હરાવવાની જંગ – પટેલ એકલા આ વાત 2017ની ચૂંટણીની છે. અહેમદ પટેલને હરાવવા ચારે’ય બાજુ રાજકારણનું ગણિત રમાતું રહ્યું અને આ વખત ભાજપ પણ એના ગણિતમાં રમતું રહ્યુ. 176 વિધાયકોનાં મત, ભાજપમાંથી ઉભા રહેલ ત્રણ દાવેદાર અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂત અને કોંગ્રેસનાં ઉમેદવાર અહેમદ પટેલને મળવાનાં હતા. 46-46 મત અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ મેળવી લીધા. આ બાદ ભાજપનાં ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને 38 મત મળ્યા અને અહેમદ પટેલને 44 મત મળ્યા. જીતવા માટે મહત્તમ 45 મતની આવશ્યકતા અને એવે વખતે કોંગ્રેસનાં બે મતદાર એક-રાઘવજી…

“લાલુ પ્રસાદ યાદવ અમારા MLAને ફોન કરી સરકાર તોડવા પ્રયત્નો કરે છે” – સુશીલ મોદી

બિહાર:સુશીલ કુમાર મોદી, બિહાર BJPનાં મોટા નેતા અને બિહારનાં પૂર્વ ડેપ્યુટી CM. સુશીલે RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પર ગંભીર આરોપ લગાવ્યો છે. સુશીલ મોદીએ દાવો કર્યો છે કે, લાલુ NDAનાં MLAને ફોન કરી તેઓને ફોડવાની કોશિશ કરી રહ્યા છે. લાલુ અમારા MLAને મંત્રી પદનું પ્રલોભન આપી અને RJD તરફ જોડાઈ જવાની ઓફર કરે છે. આ બાબતે સુશીલ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, “લાલુ યાદવ રાંચીનાં NDA ધારાસભ્યોને ટેલિફોન કરી મંત્રી પદ આપવાનું વચન આપી રહ્યા છે. મેં જ્યારે તે જ નંબર પર ફોન કર્યો ત્યારે લાલુએ સીધો ફોન…

ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે સરકારે વધુ 43 મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો

વધુ 43 ચાઇનાની એપ્સ બેન કરાઈ  AppAlibaba Workbench, AliExpress પણ બેન કરવામાં આવી છે જૂનના અંતમાં ટિકટોક, હેલો સહિતની 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો નેશનલ: ભારત સરકારે 43 વધુ મોબાઇલ એપ્લિકેશન્સ (ચાઇના એપ્સ બેન ઇન ઇન્ડિયા) પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે આ એપ્સને આઈટી એક્ટની કલમ 69 A હેઠળ બ્લોક કરી દીધી છે, જેનો અર્થ એ કે ભારતમાં વપરાશકર્તાઓ હવે આ એપ્લિકેશનોનો ઉપયોગ કરી શકશે નહીં. આ અગાઉ જૂન, જુલાઈ અને સપ્ટેમ્બરમાં પણ ભારતે ચાઇનીઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે હવે જે 43 એપ્લિકેશનો પર પ્રતિબંધ…

મિઝોરમ સરકારે ક્રિસમસ અને ન્યુ યરનાં ફટાકડા ફોડવા પર મુક્યો પ્રતિબંધ

કોરોનાએ ક્રિસમસને કરી ફિક્કી કોરોનાએ ક્રિસમસ પણ બગાડી મિઝોરમ સરકારે ફટાકડા ફોડવા પર મુક્યો પ્રતિબંધ નેશનલ: મિઝોરમ સરકારે હવા દુષિત થતા અટકાવવા અને પ્રદૂષણને રોકવા માટે ક્રિસમસ અને નવા વર્ષ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય કોવિડ -19 દર્દીઓ અને અન્ય લોકોને વાયુ પ્રદૂષણથી થતી શ્વસન સમસ્યાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. મંગળવારે આ માહિતી એક અધિકારીએ આપી. તેમણે કહ્યું કે ગૃહમંત્રી લાછામલિયાનાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠક દરમિયાન આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે ફટાકડા ઉપરાંત અવકાશી ફાનસ અને બંદૂકો…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે આઠ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી સમીક્ષા કરી

નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવાર સુવિધા અંગે આઠ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયોકોન્ફરન્સ યોજી સમીક્ષા કરી. PM નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ તેમજ રાજ્યો દ્વારા સંક્રમણ નિયંત્રણ અને સારવાર સુવિધા અંગે માર્ગદર્શન આપવા 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. CM વિજય રૂપાણીએ આ બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોના સંક્રમણ કેસોમાં થયેલા વધારા સામે રાજ્ય સરકારની આરોગ્ય સુવિધા અને સારવાર વ્યવસ્થાની વિસ્તૃત જાણકારી આપી હતી. CM વિજય…