રજનીકાંત 31 ડિસેમ્બરે પોતાના નવા રાજકીય પક્ષની જાહેરાત કરશે

સુપરસ્ટાર રાજનીકાંતે આ જાહેર કર્યું છે કે તેઓ 31 ડિસેમ્બરનાં રોજ પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરશે. વર્ષોથી આ પ્રકારનાં અટકળો ચાલી રહ્યાં હતા કે રજનીકાંત રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે. આખરે આ અટકળોનો અંત આવ્યો છે. રાજનીકાંતે તેમની પાર્ટીનાં વરિષ્ઠ પદાધિકારીઓ સાથે મુલાકાત બાદ આ જાહેરાત કરી છે કે, તેઓ 31 ડિસેમ્બરનાં રોજ પોતાની નવી પાર્ટીની જાહેરાત કરશે અને ત્યાર બાદ જાન્યુઆરીનાં માહિનામાં ચૂંટણીલક્ષી રાજકારણ માટેની યોજનાની જાહેરાત કરશે. ગયા મહિને સુપર સ્ટાર રાજનીકાંતે સંકેતો આપ્યા હતા કે તેઓ ટૂંક સમયમાં ચૂંટણીલક્ષી રાજકરણમાં આવી શકે છે. તેમણે તેમ પણ…

એમડીએચ(MDH) મસાલાનાં માલિક ‘ધરમપાલ ગુલાટી’નું ગુરુવારે સવારે 97 વર્ષની વયે નિધન

આજે સવારે 5:30 વાગ્યે તેમને છેલ્લા શ્વાસ લીધા ગુલાટીએ વર્ષ 1959માં સત્તાવાર રીતે MDH(Mahashian Di Hatti Private Limited) કંપનીની સ્થાપના કરી હતી ધરમપાલ ગુલાટીએ તેમની કમાણીનો લગભગ 90 ટકા ભાગ દાનમાં આપ્યો હતો નેશનલ: રિપોર્ટસ અનુસાર, તે છેલ્લા ત્રણ અઠવાડિયાથી દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગુરુવારે સવારે અટેક આવ્યો અને આજે સવારે 5:30 વાગ્યે તેમને છેલ્લા શ્વાસ લીધા. ‘દલાજી’ અને ‘મહાશાયજી’ તરીકે ઓળખાતા, ધરમપાલ ગુલાટીનો જન્મ 1923 માં પાકિસ્તાનનાં સિયાલકોટમાં થયો હતો. ધરમપાલ ગુલાટી ભણવાનું છોડી, તેમના પિતાનાં મસાલાના વ્યવસાયમાં જોડાયા. 1947માં ભારત અને પાકિસ્તાન ભાગલા પછી, ધરમપાલ ગુલાટી…

અનુષ્કા શર્માએ પ્રૅગનન્સિ દરમિયાન પતિ વિરાટ કોહલીની મદદથી કર્યું શીર્ષાસન

ANushka and Virat

ગર્ભવતી હોવા છતાં અનુષ્કા શર્મા યોગ કરી રહી છે “યોગ એ મારા જીવનનો સૌથી મોટો ભાગ છે” -અનુષ્કા શર્મા પોસ્ટ સોશિયલ મીડિયામાં થઈ રહી છે વાઇરલ મનોરંજન: ફેમસ કપલ ‘વિરાટ & અનુષ્કા’એ આ વર્ષનાં ઑગસ્ટ મહિનામાં તેઓ માતા-પિતા બનવાના છે, તેની જાણ પોતાના ચાહકોને કરી હતી. અનુષ્કા આ માટે હમણાં ખૂબ ચર્ચામાં છે. અનુષ્કા શર્મા ઘણીવાર પોતાના બેબી બમ્પને ફલાન્ટ કરતી જોવા મળે છે અને આ કપલ હંમેશા પોતાના અવનવા ફોટો તેમજ સેલ્ફી સોશિઅલ મીડિયા અકાઉન્ટસ પર પોસ્ટ કરીને પોતાના ચાહકોનું દિલ જીતે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ…

રાજચરાડી નદી પરનો પુલ ધોવાતા ગ્રામજનોનાં બાઈકનાં “ચેઇન-ચક્કર” ફેલ

ત્રણ મહિનામાં 50 જેટલાં બાઈકનાં ચેઇન-ચક્કર ફેલ પુલનું સમારકામ ન થયું હોવાથી ગ્રામજનોએ નદીમાંથી પસાર થવું પડે છે ગુજરાત: ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામની ચન્દ્રભાગા નદી પર આવેલ પુલ ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. જેના કારણે ગ્રામજનો અને ખેતરમાં રહેતા ખેતમજૂરોને ખુબજ હાલાકી ભોગવવી પડી હતી. જેની રાજચરાડી ગામનાં સરપંચ શ્રીએ 24 ઓગસ્ટનાં રોજ ધ્રાંગધ્રા મામલતદાર કચેરીને લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ મામલતદાર શ્રીને રજૂઆત કર્યાનાં ત્રણ મહિના થયા હોવા છતાં કોઈપણ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આ દરમિયાન ગ્રામજનોને પોતાના ખેતરે જવા માટે નદીની વચ્ચે થઈને…

ચક્રવાત ‘નીવાર’નાં કારણે સોનાનો થયો વરસાદ,50 લોકોની લાગી લોટરી

આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લામાં ચક્રવાત નિવારનાં કારણે કેટલાક લોકોની કિસ્મત બદલાઈ ચક્રવાતી વરસાદમાં વરસ્યું સોનું અંદાજે 50 જેટલા લોકોને આ સોનું મળ્યું તમે ઘણી વખત સાંભળ્યુ હશે કે, કોઈ જગ્યા પર જીવ-જંતુઓનો વરસાદ થયો કોઈ જગ્યાઓ પર વરસદમાં માછલી કે દેડકા વરસ્યાં. પણ તમે ક્યરેય સાંભળ્યુ છે કે સોનાનો વરસાદ થયો? નેશનલ: સામાન્ય રીતે વાવાઝોડાનો વરસાદ વિનાશ લઈને આવતા હોય છે. શુક્રવારે સવારે આંધ્ર પ્રદેશનાં ઉપ્પડા ગામનાં લોકો ઉંઘમાંથી ઉઠેલા અને ત્યાંજ લોકોને દરિયા કિનારે નાનકડા મોતી જેટલા સોનાના ટુકડા મળી આવ્યા હતા. સ્થાનિક માછીમારો પૈકીનાં કેટલાકને આ પ્રકારનાં નાના…

પંજાબ-હરિયાણામાં કૃષિ આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે જાણો શું છે આ ખેડૂતોની માંગણીઓ!

નેશનલ: દેશમાં હાલમાં જ ત્રણ નવા કૃષિ કાનૂનને લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે આ બાબતે પંજાબ-હરિયાણાનાં ખેડૂત સતત આંદોલન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર ઉપર દબાણ લાવવા ખેડૂત સંગઠનોએ ગુરુવારે દિલ્હી કૂચની જાહેરાત કરી હતી. તે જ સમયે ખેડૂત સંગઠનો વીજ બિલ 2020 પણ પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. અંબાલામાં બુધવારે ખેડુતોએ ભારે પોલીસ બંદોબસ્તને ઠેંગો બતાવી દિલ્હી તરફ પ્રયાણ કર્યું હતું. પોલીસે આ સમયગાળા દરમિયાન વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો. પરંતુ ખેડૂતોને રોકી શક્યા નહીં. ખેડુતોએ દિલ્હી તરફ પ્રયાણ કર્યું. ખેડૂતોના ‘દિલ્હી ચલો’ આંદોલનને ધ્યાનમાં રાખીને હરિયાણા…

નરેન્દ્ર મોદીનાં યોગાસન વાળો વિડિયો ફોરવર્ડ કરતાં પહેલા આ વાંચી લો….

BKS Iyanger

શું તમારા વોટ્સએપમાં એક વિડિયો આવ્યો છે જેમાં નરેન્દ્ર મોદી યોગા કરી રહ્યાં છે અને લખ્યું છે કે, મોદી સાહેબનો આ વિડિયો ખૂબ રેર છે, જુવો યુવાન નરેન્દ્ર મોદી યોગા કરી રહ્યાં છે. આ વિડિયો દેશનાં ઘણાં જાણીતા લોકોએ પણ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમથી એક છે ગજેન્દ્ર ચૌહાણ જે એક જાણીતા કલાકાર છે અને તે દેશની ખૂબ જાણીતી સંસ્થા FTII પુણેનાં ચેયરમેનપણ રહી ચૂક્યા છે. તો જાણી લો શું છે હકીકત અને આ કોનો વિડિયો છે! આ વિડિયો યોગગુરુ બીકેએસ અય્યંગારનો છે. બીકેએસ અય્યંગાર ભારતનાં ખૂબ પ્રસિધ્ધ…

ભારતનાં બંધારણની અમુક એવી વાતો જેનાથી તમે અજાણ છો!

બંધારણ, આ શબ્દ સાંભળતા જ આપણી સામે એક દળદાર પુસ્તકનું ચિત્ર આવી જાય. કોર્ટ અને એનાથી સહેજ આગળ વધીએ તો બાબા સાહેબ આંબેડકરનો ચહેરો યાદ આવી જાય. આજે 26 નવેમ્બર એટલે કે આજથી લગભગ 71 વર્ષ પહેલા ભારતનું સંવિધાન એ સંવિધાન સભામાંથી પસાર કરવામાં આવ્યું. આ એ ક્રાંતિકારી પરિવર્તન હતું, જેમાં રાજા અને પ્રજાને એક જ સમાન દોરામાં પરોવીને માળા બનાવવામાં આવી અને એક સમાન કાયદો એક સમાન રક્ષણની નીતિ દાખલ થઈ. આપણે બધા ભારતનાં બંધારણ વિશે અમુક વસ્તુઓ તો જાણીએ જ છીએ કે વિશ્વનું સૌથી લાબું લેખિત સ્વરૂપનું બંધારણ…

કોંગ્રેસનાં મુંજાલનો અરુણ અસ્ત, ભરુચથી દિલ્હીનાં સલાહકાર સુધીની સફર

ચારે’ય બાજુ હરાવવાની જંગ – પટેલ એકલા આ વાત 2017ની ચૂંટણીની છે. અહેમદ પટેલને હરાવવા ચારે’ય બાજુ રાજકારણનું ગણિત રમાતું રહ્યું અને આ વખત ભાજપ પણ એના ગણિતમાં રમતું રહ્યુ. 176 વિધાયકોનાં મત, ભાજપમાંથી ઉભા રહેલ ત્રણ દાવેદાર અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂત અને કોંગ્રેસનાં ઉમેદવાર અહેમદ પટેલને મળવાનાં હતા. 46-46 મત અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ મેળવી લીધા. આ બાદ ભાજપનાં ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને 38 મત મળ્યા અને અહેમદ પટેલને 44 મત મળ્યા. જીતવા માટે મહત્તમ 45 મતની આવશ્યકતા અને એવે વખતે કોંગ્રેસનાં બે મતદાર એક-રાઘવજી…

એવું તો શું કર્યું સ્કોટલેન્ડે કે તે બધા માટે ચર્ચાનો વિષય બની ગયો..?

સ્કોટલેન્ડમાં તમામ ઉંમરની સ્ત્રીઓને નિ:શુલ્ક સેનિટરી ઉત્પાદનો આપવામાં આવશે મંગળવારે સર્વાનુમતે કાયદો પસાર કર્યો હતો સરકાર પીરિયડ પ્રોડક્ટ્સ (ફ્રી પ્રોવિઝન) (સ્કોટલેન્ડ) એક્ટ હેઠળ રાષ્ટ્રીય અભિયાન શરૂ કરશે તમામ સ્થાનિક વહીવટીયતંત્ર પર કાયદાકીય જવાબદારી રહેશે કે તે સ્ત્રીઓ માટે ટેમ્પોન અને પેડ સહિતની વસ્તુઓ નિ:શુલ્ક અને સ્વચ્છ ઉત્પાદન પ્રદાન કરે. ચાર વર્ષથી આ કાયદા માટે અભિયાન ચાલી રહ્યું હતું, મંગળવારે થયો કાયદો પસાર આ પગલા બાદ સ્કોટલેન્ડનાં તમામ સમુદાય કેન્દ્રો, યુથ ક્લબ અને ફાર્મસી સહિત જાહેર સ્થળોએ સેનિટરી પેડ્સ અને ટેમ્પોન મફતમાં ઉપલબ્ધ થશે. મળતી માહિતી મુજબ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં…