ઈકબાલગઢમાં તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકાર…

અમીરગઢ તાલુકાનાં ઈકબાલગઢ ગામે આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનની નજીક રાત્રીનાં સમયે તસ્કરોએ ચોરીનાં શ્રી ગણેશ કર્યા. જાણવા મળતી માહિતી મુજબ ઈકબાલગઢ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનની નજીક એક રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. શિયાળાની શરુઆતમાં તસ્કરો હાથ ફેરાનાં શ્રી ગણેશ કરતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો રહેણાંક મકાનમાંથી તસ્કરો બે સિલાઇ મશીન લઇ ગયાનું જાણવા મળેલ છે. જેની અદાજીત કિંમત 15000 હજાર ગણાય છે. જયારે પંચવટી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી બાઇકની ઉઠાંતરી કરવામાં આવી હતી. જયારે શુભમ સોસાયટીમાં આવેલ એક રહેણાંક મકાનમાં તસ્કરો ઘુસ્યા હતા. પરંતુ મકાન માલિક જાગી જતા તસ્કરો…

કોંગ્રેસનાં મુંજાલનો અરુણ અસ્ત, ભરુચથી દિલ્હીનાં સલાહકાર સુધીની સફર

ચારે’ય બાજુ હરાવવાની જંગ – પટેલ એકલા આ વાત 2017ની ચૂંટણીની છે. અહેમદ પટેલને હરાવવા ચારે’ય બાજુ રાજકારણનું ગણિત રમાતું રહ્યું અને આ વખત ભાજપ પણ એના ગણિતમાં રમતું રહ્યુ. 176 વિધાયકોનાં મત, ભાજપમાંથી ઉભા રહેલ ત્રણ દાવેદાર અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂત અને કોંગ્રેસનાં ઉમેદવાર અહેમદ પટેલને મળવાનાં હતા. 46-46 મત અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ મેળવી લીધા. આ બાદ ભાજપનાં ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને 38 મત મળ્યા અને અહેમદ પટેલને 44 મત મળ્યા. જીતવા માટે મહત્તમ 45 મતની આવશ્યકતા અને એવે વખતે કોંગ્રેસનાં બે મતદાર એક-રાઘવજી…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે આઠ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી સમીક્ષા કરી

નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવાર સુવિધા અંગે આઠ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયોકોન્ફરન્સ યોજી સમીક્ષા કરી. PM નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ તેમજ રાજ્યો દ્વારા સંક્રમણ નિયંત્રણ અને સારવાર સુવિધા અંગે માર્ગદર્શન આપવા 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. CM વિજય રૂપાણીએ આ બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોના સંક્રમણ કેસોમાં થયેલા વધારા સામે રાજ્ય સરકારની આરોગ્ય સુવિધા અને સારવાર વ્યવસ્થાની વિસ્તૃત જાણકારી આપી હતી. CM વિજય…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પહેલી ડિસેમ્બરથી યોજનાર પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી

BA, B.com, B.sc સહિત 23 થી વધુ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ : કોરોના અસર વિદ્યાર્થીઓએ પરીક્ષા લગતી તમામ જાણકારી મેળવવા યુનિવર્સિટીની વેબસાઈટ ચકાસતા રહેવું હિતાવહ  ગુજરાત: ગુજરાતમાં વધતા જતા કોરોના વાઇરસના કહેરના કારણે બે દિવસના કરફ્યુ બાદ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરોમાં રાત્રી કરફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે. આ દરમિયાન સમગ્ર શૈક્ષણિક કાર્યો ઓનલાઇન કરવામાં આવ્યા છે અને અનેક વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાની યોજના પણ કરવામાં આવી છે. તેવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પહેલી ડિસેમ્બરથી શરૂ થનાર કોલેજ કક્ષાની બી.એ., બી.કોમ, બી.બી.એ., બી.એસ.સી. વગેરે સેમેસ્ટર 5 ની કુલ 23થી વધુ પરીક્ષાઓ…

26 ગુજરાત બટાલિયન NCC દ્વારા યોજાયો “બ્લડ ડોનેશન કેમ્પ”

26 ગુજરાત બટાલિયલ

NCC ડે મનાવ્યાં બાદ બટાલિયન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો ઉપસ્થિત NCC કેડેટ અને આર્મી PI સ્ટાફે કરાવ્યું બ્લડ ડોનેટ ગુજરાત: સુરેન્દ્રનગર એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના NCC હેડક્વાર્ટરની “26 ગુજરાત બટાલિયન, એન. એન. સી.”દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈ કાલે NCC ડે મનાવ્યાં બાદ આજ રોજ સવારે 26 ગુજરાત બટાલિયન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પમાં NCC કેડેટ અને આર્મી PI સ્ટાફના જવાનો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવેલું. ગઈ કાલે NCC ડે હોય તેની ઉજવણીના ભાગરૂપે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં…

ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક યોજશે

ગુજરાતમાં કોરોનનું સંક્રમણ વધ્યું છે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતમાં પરિસ્થિતિના પરીક્ષણ માટે આવી છે ટીમ આજે મુખ્યમંત્રી સાથે બેઠક કરશે ગુજરાત: ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી અને સારવાર તેમજ આરોગ્ય લક્ષી પગલાંઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો આજે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી સાથે ગાંધીનગર માં મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજશે. આ કેન્દ્રીય ટીમ CM ડેશ બોર્ડ દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવતા મોનીટરીંગ તેમજ સારવાર ફોલોઅપ વગેરેથી માહિતગાર થવા માટે CM ડેશ બોર્ડ ની કામગીરીની સમીક્ષા પણ કરશે.

SC/ST વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સુવિધા, જાણો શું છે ફ્રી શીપ કાર્ડ!

ફ્રી શીપ કાર્ડ એટલે શું ? ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જન જાતિ(ST) સમુદાયના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે ભારત સરકાર પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ સ્વનિર્ભર સંસ્થાઓમાં (પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં) પ્રવેશ મેળવવાની ઈચ્છા ધરાવતા હોય અને જેમને પ્રવેશ મળેલ છે તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ “ફ્રી શીપ કાર્ડના” માધ્યમથી જે તે સ્વનિર્ભર સંસ્થાઓમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે. આમ તેમા વિદ્યાર્થીઓએ પોતાના જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગમાં ફ્રી શીપ કાર્ડ માટે અરજી કરવાની રહેશે. ત્યારબાદ તે…

GPSCની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ…

GPSCની પરીક્ષાઓ મોકૂફ આગામી તારીખો મેસેજ અને ઈમેલ દ્વારા જાણ કરાશે ગુજરાત: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે સાથે સાથે અમદાવાદમાં રાત્રિ કરફ્યુ અને ત્યાર બાદ 2 દિવસનું કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે 23 તારીખથી શરૂ થતી શાળા કોલેજોનો નિર્ણય પણ પાછો બદલવામાં આવ્યો છે. હાલમાં GPSC દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તરીખ 22, 24, 26, 28 અને 29ના રોજ મેડિકલ ટીચર ભરતી પ્રક્રિયાની પરીક્ષાઓ લેવાની હતી. આ પરીક્ષાઓ હાલ પૂરતી રદ કરવામાં આવી છે અને હવે આવનારી તારીખો વિશે પરિક્ષાર્થીઓને SMS અને email દ્વારા જણા કરવામાં આવશે.…

નહેરુબ્રિજ પર કારની અડફેટે આવતા સાઇકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં રોડ એક્સિડેંટનાં બે બનાવ નહેરુબ્રિજ પર કારની અડફેટે સાઇકલ ભાણાનું બાઇક સ્લીપ થવાથી મોત નિપજતા મામાએ યોગ્ય પોલીસ તાપસની કરી માંગ અમદાવાદ: નહેરુબ્રિજ પરથી સાયકલ લઈને પસાર થતા સાયકલ ચાલકને એક અજાણ્યા કાર ચાલકે પોતાની કાર બેદરકારી અને પુરઝડપે ચલાવી આવી ટક્કર મારતા સાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બી. ટ્રાફિક પોલીસે અજાણ્યા કાર ચાલક સામે એમ. વી. એક્ટ અંતર્ગત ગુનો નોંથી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હાસોલનાં કડીયાકામ કરતા મામાએ પોતાના ભાણાનું બાઇક સ્લીપ થવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોય તેની યોગ્ય પોલીસ તપાસની માંગની…

ગુજરાતમાં લોકડાઉનની વાતો અંગે શું નિવેદન આપ્યું CM રૂપાણીએ!

અમદાવાદમાં બે દિવસનું કરફ્યુ લાગુ કરાયું તો ગુજરાતમાં લાગશે લોકડાઉની અફવા ફરવાલાગી “ગુજરાતમાં લોકડાઉનનો કોઈ પ્લાન નથી” CM વિજય રૂપાણી ગુજરાત: કોરોનાનાં કેસોમાં વધરો જોવા મળતા અમદાવામાં પહેલા રાત્રિ કરફ્યુ અને તે જાહેરતનાં થોડા જ કલાકમાં શુક્રવાર સાંજે 9 વાગ્યાથી સોમવાર સવાર 6 વાગ્યા સુધીનું સંપૂર્ણ કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું. આ કરફ્યુની જાહેરાતથી લોકોમાં ભય ઊભો થયો હતો. આ વાતોની વચ્ચે અફવાઓ શરૂ થઈ હતી કે ગુજરાતમાં ફરી લોકડાઉન આવશે જેથી લોકો પેનિક થયા હતા અને પેનિક શોપિંગ (ભયમાં આવી અને જરૂર કરતાં વધુ ખરીદી) કરી રહ્યા હતા. ત્યારે…