અમદાવાદમાં 20મી નવેમ્બર રાત્રિના 9 થી સોમવાર સવારનાં 6 વાગ્યા સુધી કફર્યુ લાગુ

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં કરફ્યુ જાહેર રાત્રિ કરફ્યુની જાહેરતનાં થોડા સમય બાદ બે દિવસનાં કરફ્યુની કરી જાહેરાત ગુજરાત: અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નર ડોકટર રાજીવ કુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે, અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અમદાવાદ શહેરમાં આવતીકાલ 20મી નવેમ્બરથી દરરોજ રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારનાં 6 વાગ્યા સુધી કરફ્યુ લાગુ કરવામાંઆવ્યું છે. રાજીવ ગુપ્તાએ વધુમાં જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં સરકારી હોસ્પિટલોમાં કુલ 900વધુ પથારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં 400 થી વધુ પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હજુ પણ 2 હજાર 637 પથારીઓ ખાલી…

બિહારનાં શિક્ષણ પ્રધાન મેવાલાલ ચૌધરીએ શપથ લીધાનાં ત્રણ દિવસમાં રાજીનામું આપ્યું

બિહારમાં શિક્ષણ મંત્રીએ આપ્યું રાજીનામું શપથ લીધાનાં 3 દિવસમાં આપ્યું રાજીનામું નેશનલ: બિહાર નીતિશ કુમારની સરકારમાંથી એક મંત્રીનું મંત્રીપદ પરથી રાજીનામું. મંત્રી મંડળની રચના બાદ અનેક લોકો સરકારની ટીકા કરી રહ્યા હતા. કારણ હતું કે નીતિશની સરકારનાં મંત્રી મંડળમાં શિક્ષણ પ્રધાન પોતના પર લાગેલા ભ્રષ્ટાચારનાં આરોપોનો સામનો કરી રહ્યાં હતા. માટે શપથ લીધાના ત્રણ જ દિવસમાં નેતાએ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. બિહારમાં નીતિશ કુમારનાં શપથ ગ્રહણ કર્યા બાદ મંગળવારે કરી ખાતાઓની વહેંચણી જાણો કોને મળ્યું ક્યું ખાતું શપથ ગ્રહણ બાદ તરત જ નીતિશ કુમાર પ્રધાનમંડળ પસંદગીના કારણે ટીકાઓથી…

“આને કહેવાય કિસ્મત” KBCમાં 1 કરોડ જીતનાર IPS મહિલા એ કર્યું ટ્વીટ

KBCમાં 1 કરોડ જીત્યા બાદ એક નાની મેગીમાં બે મસાલા IPS મોહિતાનું ટ્વીટ થઈ રહ્યું છે વાઇરલ મનોરંજન: કૌન બનેગા કરોડપતિ 12 (KBC 12)માં IPS અધિકારી મોહિતા શર્મા ગર્ગ 1 કરોડ જીત્યા. આ સાથે KBCને આ સિઝનમાં બીજા કરોડપતિ મળ્યાં. જમ્મુ-કાશ્મીરમાં તૈનાત આઈપીએસ અધિકારી મોહિતા શર્મા મોટી રકમ જીત્યા પછી ચોક્કસપણે ખૂબ ખુશ છે. કરોડપતિ બન્યા પછી તેણે 10 રૂપિયાની મેગી ખરીદી હતી. તેમાંથી બે મસાલા પેકેટ નીકળ્યાં હતા. તે તેને જોઇને વધુ ખુશ થયાં. દરેકને આશા હોય છે કે જીવનમાં “કુછ એકસ્ટ્રા મિલે ”  પરંતુ આ સ્વપ્ન મોહિતા શર્માનું…

અમારી રસી 95 ટકા અસરકારક છે, ટૂંક સમયમાં અમે મંજૂરી માટે અરજી કરીશું – Pfizer

રસીની રેસમાં બે ફાર્મા કંપનીઓ Pfizer પોતાની રસીને 95% અસરકારક કહે છે Modrena માને છે કે, તેની રસી 94.5% અસરકારક ઇન્ટરનેશનલ: ફાર્માસ્યુટિકલ મેજર કંપની Pfizerએ બુધવારે કહ્યું હતું કે અંતિમ વિશ્લેષણમાં COVID-19 રસી 95% અસરકારક હોવાનું જણાયું છે અને કંપનીનું કહેવું છે કે તે એક દિવસમાં જરૂરી મંજૂરી માટે અરજી કરશે. અંતિમ વિશ્લેષણનાં થોડા દિવસો પહેલાં ફાર્માસ્યુટિકલ ડ્રગ કંપની Pfizerએ જણાવ્યું હતું કે તેની રસીના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, તે COVID -19 ને રોકવામાં 90 ટકા સુધી અસરકારક હોઈ શકે છે. આ સૂચવે છે કે રસીઓને લગતી કંપનીની ટ્રાયલ…

સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પીટલમાં લાગી આગ… ગુજરાતમાં ફરી એક હોસ્પીટલમાં આગ!

સુરત: શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી, જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દર્દીઓ અને ડોક્ટરોમાં નાસભાગ મચી ગઈ હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ત્રણ ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હોસ્પિટલમાં રહેલા દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ લાગી હોવાની જાણ થતાં નજીકમાં પોઈન્ટ પર ફરજ બજાવતા ટીઆરબી જવાન પણ દોડી આવ્યા હતા. આગની જાણ થતાં ફાયર કાફલો પણ પહોંચી ગયો હતો. પ્રથમ ફાયર વિભાગે દર્દીઓનું રેસ્કયૂ હાથ ધર્યું હતું, જેમાં ટીઆરબી જવાન, રાહદારીઓ, નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની મદદથી ફાયરના જવાનોએ દર્દીઓને બહાર…

ગુજરાતમાં એક જ દિવસમાં વડોદરા અને સુરેન્દ્રનગમાં અકસ્માત જેમાં 14 લોકો એ જીવ ગુમાવ્યાં..

રાજયમાં એક જ દિવસમાં 2 મોટા અકસ્માત વડોદરા અને સુરેન્દ્રનગરમાં બની ઘટના 14લોકોએ જીવ ગુમાવ્યા ગુજરાત: સામાન્ય રીતે લોકોનાં કાનમાં એક્સિડેંટ શબ્દ શંભળતા જ ચોંકી જાય છે. એમાં પણ રોડ અકસ્માત (એક્સિડેંટ) આપણાં દેશમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. વાત કરીએ આજનાં દિવસની તો આજનાં જ દિવસમાં ગુજરતમાં વડોદરા અને સુરેન્દ્રનગરમાં ભયંકર રોડ એક્સિડેંટ થયા છે જેમાં 14 જેટલા લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે. વડોદરા એક્સિડેંટ: આજે વહેલી સવારે વડોદરાનાં વાઘોડિયા નજીક એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પો અને ડમ્પર આથડયાં હતા, 10 લોકોના દૂ:ખદ મોત થયા છે.…

ધર્મેન્દ્રએ શેર કર્યા તેનાં ફાર્મ હાઉસનાં વિડિયો, પ્રાકૃતિક નજરો જોઈને થઈ જશો મંત્રમુગ્ધ

બોલિવુડનાં સુપરસ્ટાર ધરમપાજીની સોશિયલ મીડિયા પોસ્ટ થઈ રહી છે વાઇરલ ધરમજી એ ફાર્મ હાઉસનો વિડિયો કર્યો છે પોસ્ટ બોલીવુડ: બોલિવૂડના જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાય છે. ધર્મેન્દ્ર આ દિવસોમાં ફાર્મહાઉસમાં પોતાનો ખાસ સમય પસાર કરી રહ્યો છે અને ત્યાં હોવા છતાં, તે ચાહકોમાં જોડાવાનું ભૂલતો નથી. તાજેતરમાં, તેણે એક વિડિઓ શેર કરી છે, જેમાં પ્રકૃતિનો સુંદર દૃશ્ય જોવા યોગ્ય છે. વીડિયોમાં ધર્મેન્દ્રનાં ફાર્મ હાઉસમાં પ્રકૃતિની સુંદર છાયા જોવા જેવી છે. જ્યાં ફાર્મહાઉસમાં સૂર્યપ્રકાશ ફેલાતો…

બિહારમાં નીતિશ કુમારનાં શપથ ગ્રહણ કર્યા બાદ મંગળવારે કરી ખાતાઓની વહેંચણી જાણો કોને મળ્યું ક્યું ખાતું

સોમવારે શપથવિધી બાદ મંગળવારે કરાઇ ખાતાની વહેંચણી નાયબ મુખ્ય પ્રધાન રેણુ દેવીને મહિલા વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી તારકિશોર પ્રસાદને શુશીલ મોદી વાળા દરેક ખાતા સોંપાયા બિહાર: બિહારમાં JDU પ્રમુખ નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ NDAની સરકાર બનાવવામાં આવી છે. નીતીશ કુમાર અને બે ઉપમુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ અને રેનુ દેવી સહીત અન્ય મંત્રીઓએ સોમવારે પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. શપથ ગ્રહણ બાદ મંગળવારે વિભાગો વહેંચવામાં આવ્યા હતા. ત્યારે જાણો ક્યાંને ક્યું ખાતું મળ્યું. કોને કયો વિભાગ મળ્યો તે જુઓ: નેતા વિભાગ મુખ્યમંત્રી નીતિશ કુમાર ગૃહ મંત્રાલય, સામાન્ય પ્રશાસન, કેબિનેટ, વિજિલેન્સ,…

આઇઆરસીટીસીએ ઓછા મુસાફરોને કારણે તેજસ એક્સપ્રેસ ટ્રેન રદ કરી

IRCTCએ તેજસ એક્સપ્રેસને બતાવી લાલ જંડી ઓછા મુસાફરોના કારણે લેવાયો નિર્ણય નેશનલ: IRCTC દ્વારા સંચાલિત દેશની પ્રથમ પ્રાઈવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ લખનઉ-નવી દિલ્લી અને મુંબઈ-અમદાવાદ એમ બે રૂટ ઉપર ચાલે છે. મહામારી પહેલા આ ટ્રેન અંદાજે 50થી80 ટકા મુસાફરો સાથે ચાલતી હતી જેમાં કુલ 736 સીટ છે પરંતુ હાલની પરિસ્થિતી પ્રમાણે માત્ર 25થી40 ટકા જ મુસાફરો આવે છે. મિંટનાં એક રિપોર્ટ પ્રમને IRCTC દ્વારા બોલવામાં આવ્યું છે કે ” કોવિડ-19 મહામારીનાં કારણે ખૂબ ઓછા મુસાફરો આવી રહ્યાં છે જેથી IRCTC એ બન્ને ટ્રેનને રદ કરવાનો નિર્ણય કર્યો છે” મહામારીની શરૂઆત…

નીતિશ કુમારે સાતમી વખત લીધા મુખ્યમંત્રી પદ માટેના શપથ, સાથે બે નાયબ મુખ્યમંત્રીએ પણ શપથ લીધા

નીતિશ કુમાર ફરી બન્યાં બિહારના મુખ્યમંત્રી ભાજપના બે નેતા બન્યાં નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી બન્યાં નાયબ મુખ્યમંત્રી બિહાર: શ્રી નીતિશ કુમારે  આજે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ ફાગુ ચૌહાણે રાજભવનમાં નીતિશ કુમારને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતાં. ભાજપના નેતા તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીને નાયબ મુખ્યમંત્રીના શપથ લેવડાવ્યાં. નીતિશ કુમારને ગઈ કાલે પટનામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં NDAના સર્વસંમતિથી નેતા ચૂંટી કાઢવામાં આવ્યાં હતાં. NDA એ તાજેતરમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકો જીતીને બહુમતી મેળવી છે.