પતિએ પત્નીનાં જન્મદિવસ નિમિત્તે 400થી વધુ વૃક્ષોનું વિતરણ કર્યું

પતિએ પત્નીનાં જન્મદિવસ નિમિત્તે 400 થી વધુ વૃક્ષો વિતરણ કર્યા, રાજકોટથી મોકલ્યા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના રાજચરાડી ગામના યુવાનોને બગીચો બનાવવા વૃક્ષો અર્પણ કર્યા પત્નીના જન્મદિવસને યાદગાર બનાવવા પ્રકૃત્તિ પ્રેમી પતિનો અનોખો પ્રયાસ ગુજરાત: ધ્રાંગધ્રાના રાજચરાડી ગામના પ્રકૃત્તિ પ્રેમી યુવાનો દ્રારા ગામની તળાવની પાળ પર આવેલ લલુપીર દાદાની દરગાહ નજીક સુંદર બગીચો બનાવવાની પહેલ કરી છે. ત્યારે રાજકોટના રહેવાસી હિંમતભાઈ સવજીભાઈએ તેમના પત્નીના જન્મદિવસની ઉજવણી સ્વરૂપે રાજચરાડી ગામના યુવાનોને 400થી વધુ વૃક્ષો આપી પ્રકૃત્તિ પ્રેમીની નૈતિક જવાબદારી અદા કરી છે. ધ્રાંગધ્રાના રાજચરાડી ગામના હિતેશભાઈ ચાવડા, સંજયભાઈ ચાવડા (ઉર્ફે હપો) તથા અન્ય પ્રકૃત્તિ…

બનાસડેરી સાથે જોડાઈને ગામડાની આ મહિલાઓએ કરી એક કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી!, જાણો કઈ રીતે

બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં જિલ્લાના લોકોને પશુપાલન વ્યવસાય સાથે જોડવાનો પ્રયાસ દૂધ વેચીને કરોડપતિ બની આ મહિલાઓ, બનાસડેરીએ જાહેર કરી ટોપ-10 સફળ મહિલાઓની યાદી ગુુુજરાત: ઔદ્યોગિક ક્ષેત્રે પહેલાંથી જ સાવ પછાત અને અનેક અભાવો વચ્ચે ગુજરાતના એક ખૂણામાં વસેલ બનાસકાંઠાના પશુપાલકોએ દુધના વ્યવસાયમાં કરેલ ઝડપી પ્રગતિએ ભારત દેશ અને વિશ્વને વિચારમુગ્ધ કરી દૂધ ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર બન્યો છે. જિલ્લાની અભણ મહિલાઓ સાથે ડિગ્રી ધરાવતી મહિલાઓ પણ પશુપાલન ક્ષેત્રે પ્રગતિ કરી લાખોની કમાણી કરતી થઇ છે. ત્યાના પશુપાલકોનું જીવનધોરણ તેજીને…

હળવદમાં આવેલ કૃષ્ણનગર રામદેવપીર મંદિર ખાતે અષાઢી બીજના દિવસે ઉકળતા દૂધની ધરાઈ ડેગ..

અષાઢી બીજના દિવસે પૂરી અને અમદાવાદમાં નગરના નાથ જગન્નાથજીની રથયાત્રા નિકળે છે તો એજ દિવસે કચ્છીઓનું નવું વર્ષ પણ શરૂ થતું હોય છે. ગુજરાત: મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ રામદેવપીર મંદિર ઘણું પ્રખ્યાત છે. લોકવાયકાઓ મુજબ રામદેવપીરના અનેક પરચાઓની કથાઓ પ્રચલિત છે. શૂન્યમાંથી સર્જન કરતા હળવદના રામદેવપીર યુવક મંડળ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ઉકળતા દુધની 251 કિલોની ડેગ પ્રસાદી કરવામાં આવે છે. આશરે 30 વર્ષ પહેલાં 50 મિત્રો સાથે મળીને રામદેવપીર યુવક મંડળ બનાવવામાં આવ્યું, ત્યારબાદ 1999માં કૃષ્ણનગરમાં રામદેવપીર મંદિરની સ્થાપના કરવામાં આવી. આજે હજારોની સંખ્યામાં રામદેવપીર મંદિરના દર્શનાર્થીઓ દર્શનનો…

અમીરગઢ ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટીંગ યોજાઈ

કોંગ્રેસ પાક. સમર્થક છે : બીજેપી પ્રભારી ગુજરાત: આજરોજ ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટીંગ યોજાઈ હતી જેમાં ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય એવા કુમુદબેન જોષી, અમીરગઢ ભાજપના પ્રભારીશ્રી ભરતભાઈ પરમાર, જયેશભાઈ દવે, ભાજપ પ્રમુખશ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ, મહામંત્રી કૈલાશભાઈ દરજી ચેતનસિંહ રાજપૂત ઈકબાલગઢ માર્કેટયાર્ડ ના ચેરમેન શ્રી મોતીભાઈ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન મોઢ, પૂર્વ પ્રમુખ શ્રી સંજયભાઈ જૈન, તેમજ પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, શક્તિકેન્દ્ર પ્રમુખશ્રીઓ, તમામ મોર્ચા ના હોદેદારો, સરપંચશ્રીઓ તેમજ પાર્ટીના કારોબારી સભ્યશ્રીઓ, સક્રિય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અને પાર્ટીના આગામી કાર્યક્રમની રૂપરેખા આપી હતી,…

કલોલથી મુંદ્રા માલ ભરીને જતાં ટ્રકમાંથી રૂ. 96,939 કિંમતનો માલ ગાયબ

ડ્રાઈવર માલવણથી ધ્રાંગધ્રા-હળવદ હાઈવેથી જતાં રસ્તામાં સોલડી ટોલનાકા પાસેની કિટલીએ ચા પીવા રોકાયેલો સોલડી ટોલનાકાના સી.સી.ટી.વી કેમેરા ચકાસતાં ટ્રક પરની તાળપત્રી કાપેલી અને માલ ચોરી થયો હોવાનું જણાયેલું ગુજરાત: અંજારના શેઠનો ડ્રાઈવર કલોલથી ટ્રકમાં માલ ભરીને મુંદ્રા ખાતે ટ્રક ખાલી કરવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન હાઈવે પરના રસ્તામાં માલવણ ટોલનાકા બાદ ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પરના સોલડી ટોલનાકા વચ્ચે ચોરી થયાનું સી.સી.ટી.વી. તપાસમાં જણાયું હતું. ટ્રકમાં ભરેલાં માલ પર બાંધેલી તાળપત્રી કાપીને તેમાંથી રૂ. 96,939 કિંમતનો માલ કોઈ અજાણ્યા શખ્સે ચાલુ ગાડીમાંથી ચોરી કર્યાંની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં…

અમીરગઢમાં નવો નાખવામાં આવે વીજ વાયર એક કલાકમાં તૂટી પડ્યો

ગુજરાત: અમીરગઢ દેનાબેન્ક આગળ વીજ વાયર તૂટી પડયો હતો જોકે મોટી જાનહાની ટળી હતી. લોકોના જણાવ્યા અનુસાર વહેલી સવારે નવિન વીજ વાયર નાખવામાં આવ્યો હતો અને બપોરે જ વીજ કર્મીઓ નવિન વાયર નાખીને ગયા હતા ત્યાબાદ એક કલાક માંજ ફરી વાયર તૂટી પડ્યો હતો જોકે સદ્ નસીબે મોટી જાનહાની ટળી હતી. અમીરગઢ દેના બેન્ક નજીક આવેલ વિજપોલ અને ત્યાંથી અંદાજિત સો મીટર દૂર આવેલ ડીપી થી નવીન વીજ વાયર સવારે જ નાખવામાં આવ્યો હતો અને આખો દિવસ વીજ કર્મીઓ વાયર નાંખીને બપોરે જ ગયા હતા એવું ત્યાંની સ્થાનિકોએ જણાવ્યું હતું…

પરેશ રાવલ, ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ અમદાવાદ જેવા સુંદર શહેરથી તૂફાનના વર્ચ્યુઅલ પ્રવાસનો પ્રારંભ કર્યો!

મનોરંજન: એમેઝોન પ્રાઇમ વીડિયોપર તૂફાનના વર્લ્ડ પ્રિમીયર પહેલા તૂફાને સ્થાનિક મીડિયા સાથે ખાસ મુલાકાત કરી. એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા એક્સેલ એન્ટરટેઇનમેન્ટ અને ROMP પિક્ચર્સના સહયોગથી રજૂ કરાયુ છે. તૂફાનનું નિર્માણ રિતેષ સિધવાણી, ફરહાન અખ્તર અને રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા કરવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તરની સાથે મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, સુપ્રિયા પાઠક શાહ અને હુસૈન દલાલ આગવી ભૂમિકામાં છે અને તેનું દિગ્દર્શન રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા કરવામાં આવ્યુ છે એમેઝોન પ્રાઇમ વીડિયો પર તૂફાનના લોન્ચ પહેલા તૂફાન ટીમ – પરેશ રાવલ, ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ…

‘જો ન્યાય નહીં મળે તો છેક દિલ્હી જઈશ’, સાયકલ મારફતે ન્યાય મેળવવા નીકળેલા ખેડૂતની વેદના

ગીર સોમનાથના વાવડી ગામના ખેડૂતની જમીનનું બારોબાર વેંચાણ થયેલું, 20 વર્ષ થયાં છતાં ન્યાયનો છાંટો પણ નહીં! જો ન્યાય નહીં મળે તો સીધા દિલ્હી જશે સાયકલથી ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને આ બાબતે જાણ કરેલી ગુજરાત: ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના 66 વર્ષીય ખેડૂતની જમીન 20 વર્ષ પહેલાં અમુક શખ્સો મળીને નકલી(ડુપ્લિકેટ) સહી દ્વારા ખોટા દસ્તાવેજો તૈયાર કરીને અંબુજા સિમેન્ટ કંપનીને બારોબાર વેંચી દીધી હતી. જે બાબતે ખેડૂત દ્વારા અનેક વખત પોલીસમાં ધક્કા કર્યા બાદ પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ એક મહિનામાં જ આરોપીને આગોતરા જામીન મળી ગયેલાં.…

લખતર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનું ઈંટથી માથું ફોડી નાખતાં પતિ-પત્ની સામે નોંધાઈ ફરિયાદ

પોલીસ ફરજમાં રૂકાવટ કરનાર લખતરના રહેવાસી પતિ-પત્ની સામે નોંધી FIR ‘આજે તો તને જાનથી મારી નાખવો છે’ તેમ કહી આરોપીએ હેડ કોન્સ્ટેબલનું ગળું જાલ્યું આરોપીએ હેડ કોન્સ્ટેબલને માથાના ભાગે ઈંટ મારતાં બે ટાંકા આવ્યાં ગુજરાત: લખતર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને ફરજ દરમિયાન લખતરના રહેવાસી પતિ-પત્ની દ્વારા પોલીસ સ્ટેશનમાં આવીને હેડ કોન્સ્ટેબના કામમાં રૂકાવટ કરી અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. અપશબ્દો બોલવાની ના પાડતા, ‘આજે તો તને જાનથી મારી નાખવો છે’ તેમ કહી પતિ-પત્નીએ હેડ કોન્સ્ટેબલને માથાના ભાગે ઈંટ મારી માથું ફોડી નાખ્યું હતું. પોલીસે બંને પતિ-પત્ની સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ…

ધ્રાંગધ્રાના થળા ગામના 200 થી વધુ વ્યક્તિ ‘આપ’ સાથે જોડાયા

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ થળા ગામમાં ‘આપ’ની મિટિંગ યોજાઈ મિટિંગમાં ‘આપ’ ના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ, અમદાવાદ જિલ્લા અને શહેરી સંગઠન મંત્રી તથા સામાજિક કાર્યકરોએ હાજરી આપી ગુજરાત: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલા થળા ગામના 200 થી વધુ વ્યક્તિઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા. મિટિંગમાં ‘આપ’ ના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ, અમદાવાદ જિલ્લા સંગઠન મંત્રી, અમદાવાદ શહેરી સંગઠન મંત્રી તથા સામાજિક કાર્યકરોએ મહત્વપૂર્ણ હાજરી આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ થળા ગામમાં ‘આપ’ની મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ પરસોત્તમભાઈ મકવાણા, અમદાવાદ જિલ્લા સંગઠન મંત્રી અશોકભાઈ પટેલ, અમદાવાદ શહેરી સંગઠન…