દ્વારકા-જામનગર હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત 4 લોકોનું દુ:ખદ મોત

dwarka accident

દ્વારકા-જામનગર હાઇવે નજીક ધ્રેવાડ ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત ગુજરાત: ઘટનાની મળતી માહિતી અનુસાર જામનગર દ્વારકા હાઇવે ઉપર આજે ધ્રેવાડ ગામ નજીક એક મોટર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહેલા ત્રણ પુરૂષ અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. આ ઘટનાની જાણ ધ્રેવાડ ગામનાં લોકોને થતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. ગ્રામજનો દ્વારા આ ઘટનાની પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.અને હાઇવે પરથી ટ્રાફિક દૂર કરવાની કાર્યવાહી…

ગુજરાતમાં કોરોનાનો RT-PCR ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં 800 રૂપિયામાં થશે

ખાનગી લેબોરેટરીમાં લેબ પર જઈને કરવવામાં આવતા RT-PCR ટેસ્ટની કિમત 800રૂપિયા કોઈ અન્ય સ્થળે કે ઘરે બોલાવી કરવવામાં આવતા ટેસ્ટનો ભાવ 1100 રૂપિયા આ જાહેરાત રાજ્યનાં નાયબ મુખ્યમંત્રીએ કરી છે ગુજરાત: ગુજરાતમાં કોરોનાનો RT-PCR ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં હવે 800 રૂપિયામાં થઈ શકશે, જ્યારે દર્દી જ્યાં હોય તે સ્થળ ઉપરથી સૅમ્પલ લઈ રૂપિયા 1100માં ટેસ્ટ કરી આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આ જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈ આમ આદમીની આર્થિક હિતમાં આ નિર્ણય રૂપાણી સરકારે લીધો છે. ઘટાડેલા ભાવનો અમલ આજથી જ…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આવતીકાલે 71 કરોડનાં ખર્ચે તૈયાર થયેલા બે ફ્લાય ઓવરનું ઇ-લોકાર્પણ કરશે

Amit Shah

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં નિર્માણ પામેલા 71 કરોડ રૂપિયાનાં બે ફ્લાય ઓવરનું આવતીકાલે ઇ-લોકાર્પણ કરશે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ આ અવસરે ઉપસ્થિત રહેશે ગુજરાત: નેશનલ હાઇવે 147 પર સરખેજ-ગાંધીનગર-ચિલોડાનાં કુલ 44 કિલોમીટરનાં માર્ગને 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરિત કરવાનાં તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારનાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. તદાનુસાર 28 મીટરનો સિંઘુભવન ચાર રસ્તા ફ્લાય ઓવર 25 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે તેમજ સાણંદ જંકસન…

ગુજરાતથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસને ગંગાસાગર નજીક નડ્યો અકસ્માત

15 લોકોને નાની મોટી ઈજાઓ થઈ 108ની મદદથી સારવાર અર્થે પાલનપુર ખસેડાયા ઘટનાની જાણ થતાં L & Tનાં સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને તજવીજ હાથ ધરી હતી ગુજરાત: શનિવારની મોડી રાત્રે ગુજરાતથી રાજસ્થાન તરફ જતી લકઝરી બસને નડ્યો અકસ્માત બસમાં સવાર 15 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. સદનસીબે મોટીજાનહાનિ ટળી હતી. મળતી માહિતી અનુસાર શનિવારની મોડી રાત્રે ગુજરાતથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી ટ્રાવેલ્સબસનો ગંગાસાગર નજીક રોડ પર અચાનક ગાય આવી જતા ગાયને બચવવા જતા બસ પલ્ટી મારી ગઈ હતી. પલ્ટી મારતા બસમાં બેઠેલા 15 જેટલા પેસેન્જરોને નાંની-મોટી ઈજાઓ થઈ હતી.…

કોવિડ હોસ્પીટલમાં આગની દુર્ધટનાની તપાસ ગુજરાત હાઈકોર્ટનાં નિવૃત ન્યાયમૂર્તિને સોંપવાનો નિર્ણય

ગુજરાત: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પીટલમાં આગની દુર્ધટનાની ન્યાયિક તપાસ ગુજરાત હાઈકોર્ટનાં નિવૃત ન્યાયમૂર્તિ કે.એ. પુંજને સોંપવાનો નિર્ણય કર્યો છે. Read This: રાજકોટની ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલનાં ICUમાં લાગી આગ- 33 દર્દીઓ હતા દાખલ આ અગાઉ તાજેતરમાં અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં લાગેલી આગની ધટનાની તપાસ પણ જસ્ટીસ પુંજને સોંપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પીટલમાં આગ લાગતા પાંચ દર્દીઓના મોત નિપજ્યા હતાં.  

રાજચરાડી નદી પરનો પુલ ધોવાતા ગ્રામજનોનાં બાઈકનાં “ચેઇન-ચક્કર” ફેલ

ત્રણ મહિનામાં 50 જેટલાં બાઈકનાં ચેઇન-ચક્કર ફેલ પુલનું સમારકામ ન થયું હોવાથી ગ્રામજનોએ નદીમાંથી પસાર થવું પડે છે ગુજરાત: ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામની ચન્દ્રભાગા નદી પર આવેલ પુલ ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. જેના કારણે ગ્રામજનો અને ખેતરમાં રહેતા ખેતમજૂરોને ખુબજ હાલાકી ભોગવવી પડી હતી. જેની રાજચરાડી ગામનાં સરપંચ શ્રીએ 24 ઓગસ્ટનાં રોજ ધ્રાંગધ્રા મામલતદાર કચેરીને લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ મામલતદાર શ્રીને રજૂઆત કર્યાનાં ત્રણ મહિના થયા હોવા છતાં કોઈપણ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આ દરમિયાન ગ્રામજનોને પોતાના ખેતરે જવા માટે નદીની વચ્ચે થઈને…

પ્રેમ પહોંચ્યો પોલીસ સ્ટેશન સુધી, બે બાળકોની માતાને મળી બદનામ કરવાની ધમકી

અંગતપળો માણતાં ફોટો સોશિયલ મીડિયા પર નાંખવાની મળી ધમકી ફરિયાદીનાં બાળકોને મોકલ્યા ઇન્ટિમેટ ફોટો મહિલાએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી ગુજરાત: આંબાવાડીમાં રહેતી 43 વર્ષીય મહિલાએ ગુરુવારે સિટી પોલીસની સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે વટવાનાં રહેવાસી અને તેના પૂર્વ પ્રેમી મિતેશ પરમારે તેણીની પુત્રી અને પુત્રને તેમનાં અંગત ફોટો મોકલ્યા હતા. ફરિયાદીએ જણાવ્યું છે કે તેનો પતિ તેને 15 વર્ષ પહેલા છોડી ગયો હતો અને તે જીવનનું ગાડું ચલાવવા માટે કેટરિંગ એજન્સીમાં કામ કરે છે. ફરિયાદ અનુસાર, મહિલા દોઢ વર્ષ પહેલા તે એજન્સીમાં મિતેશને મળી હતી. સાયબર સેલનાં એક અધિકારીએ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ, પુણે અને હૈદરાબાદની મુલાકાત લઈને કોવિડની રસીના વિકાસ તથા ઉત્પાદનની પ્રક્રિયા નિહાળશે

નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ સહિત ત્રણ શહેરોની મુલાકાત લઈને કોવિડની રસીના વિકાસ તથા ઉત્પાદનની પ્રક્રિયા નિહાળશે. તેઓ અમદાવાદમાં ઝાયડ્સ બાયોટેક પાર્ક, પુણેમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ તથા હૈદરાબાદમાં ભારત બાયોટેક એકમોની આજે મુલાકાત લેશે. PM મોદી આ મુલાકાત વખતે સંબંધિત એકમો ખાતેના વૈજ્ઞાનિકો સાથે ચર્ચા-વિચારણા કરશે. પ્રધાનમંત્રી આજે સવારે અમદાવાદ નજીક ચાંગોદરમાં આવેલા ઝાયડ્સ બાયોટેક પાર્કની મુલાકાત લઈને કોવિડની રસીના વિકાસ પ્રક્રિયાની માહિતી મેળવશે. ઝાયડસ કેડીલા આવતા અઠવા઼ડિયે તેની કોવિડ માટેની રસીના બીજા તબક્કાનાં પરિક્ષણોનાં પરિણામો સુપરત કરશે. અને ડિસેમ્બરમાં ત્રીજા તબક્કામાં પરિક્ષણો હાથ ધરશે. જો અપેક્ષીત પરિણામો મળ્યા તો…

છ અક્ષરનું નામ – રમેશ પારેખ, જન્મદિવસ નિમિત્તે શબ્દાંજલી

Ramesh Parekh

ગુજરાતી ભાષામાં ‘છ અક્ષરનું નામ’ ખૂબ જ જાણીતું છે, એ છે રમેશ પારેખ. આધુનિક ગુજરાતી સાહિત્યમાં રમેશ પારેખ જેટલી લોકપ્રિયતા ભાગ્યેજ કોઈને મળી હશે. ગદ્યમાં પાત્રો યાદગાર બની જતા હોય છે પરંતુ પદ્યમાં પાત્રની આસપાસ નું ભાવનાત્મક વાતાવરણ ઉભુ કરીને પાત્રને અમર બનાવી દેનાર લયના રાજવી કવિ શ્રી રમેશ પારેખ એમની કૃતિઓમાંના આલા ખાચર જેવા પાત્રોને આજેય ભાવકો યાદ કરે છે, એમનું કાલ્પનિક પાત્ર ‘સોનલ’તો જિજ્ઞાસા જગાડે એટલું લોકપ્રિય થયેલું .સોનલને સંબોધીને લખાયેલ તેમની કવિતાઓ અને ગીતોમાં આ પાત્ર અમર થઈ ગયું તો મીરાંને તેમણે અલગ પરિપ્રેક્ષમાં રજૂ કર્યાં છે.…

રાજકોટની ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલનાં ICUમાં લાગી આગ- ૩૩ દર્દીઓ હતા દાખલ

કોવીડ હોસ્પિટલમાં લાગી આગ ગુજરાતની પાંચમી કોવીડ હોસ્પિટલમાં લાગી આગ રાત્રે ૧ વાગ્યાની આસપાસ લાગી આગ ગુજરાત: રાજકોટનાં આનંદ બંગલા ચોક વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલ મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં ત્રણ લોકો ૩:૩૦ની આસપાસ મૃત્યુ પામ્યા હતા. અત્યારે કુલ ૫ જણનાં મૃત્યુ થયા છે એવું હોસ્પિટલનાં તંત્રનું કહેવું છે. આગ લાગેલ આ હોસ્પિટલ પર ફરજ પર હાજર પોલીસનાં જણાવ્યા મુજબ નજીકની ગોકુલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલ દર્દીઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.સાથે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામનાર લોકોની ઉમર ૬૦-૭૦ આસપાસ હતી. હોસ્પિટલમાં…