ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર સ્વિફ્ટ કાર અને મીની એસ.ટી. બસ વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત

સ્વિફ્ટ કારમાં બેઠેલા ચારમાંથી ત્રણ વ્યક્તિનાં મોત, અન્ય એક વ્યક્તિને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પરની ઉમિયા ભવાની હોટલ આગળ સર્જાયો અકસ્માત ગુજરાત: ગઈકાલે ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ધ્રાંગધ્રા બાયપાસ પરની ઉમિયા ભવાની હોટલ આગળ સ્વિફ્ટ કાર અને મીની એસ. ટી. બસ વચ્ચે ગંભીર અકસ્માત થયેલો. તેમાં સ્વિફ્ટ કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર મોકલવામાં આવ્યા છે. ધ્રાંગધ્રા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગત રવિવારે સાંજના આસરે…

ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, 50 લાખનો મુદ્દામલ જપ્ત

હરિયાણાનાં બ્રાન્ડની 570 પેટી સહીત 50 લાખ નો મુદ્દામાલ જપ્ત રિકો પોલિસે વાહન ચેકીંગ દરમિયાન દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પડ્યું ગુજરાત: રાજ્યની બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ તાલુકાને અડીને આવેલ રાજસ્થાન બોર્ડર જે આંતરરાજ્યોને જોડતી બોર્ડર છે. આંતરરાજયની આ ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર અવાર નવાર કેફી-પીણાં અને નશીલી ચીજવસ્તુઓ માટે મોખરે સ્થાન ધરાવે છે. આ અતિ સંવેદનશીલ ગણાતી આંતરરાજ્ય બોર્ડર પર નશીલી વસ્તુઓની અવરજવર રોકવા માટે બુટલેગરોનાં ઇરદાને નાકામ કરવા માટે આંતરરાજય ની બોર્ડર પર પોલિસ દ્રારા આવતા જતા વાહનોને સતત ચેકીંગ કરવામાં આવે છે. ત્યારે આજરોજ રાજસ્થાન રિકો પોલિસે…

FHWનો પગાર ૧૮,૯૭૬ અને MPHWનો પગાર ૧૮,૦૪૩? કલેક્ટરને અપાયું આવેદનપત્ર : ગોધરા

ગુજરાત: તારીખ ૧૨ જાન્યુઆરીનાં રોજ ગોધરા કલેકટર કચેરી ખાતે આરોગ્યકર્મીઓએ પગારમાં થતા કાપને અનુલક્ષીને કલેક્ટરને આવેદનપત્રમાં જણાવાયું હતું કે.. “આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિગ તરીકે ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર (FHW) તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ને સરકાર દ્રારા અપાતો પગાર જે-તે એજન્સીને પુરતો ચુકવવામાં આવતો હોય છે પરંતુ તે પગાર કોન્ટ્રાક કંપની દ્વારા પગાર કાપીને આપવામાં આવે છે.” FHWનો માસીક પગાર રૂ.૧૮,૯૭૬ એજન્સીને મળે છે અને એમને રૂ.૧૦,૦૦૦ અપાય છે.તેમજ MPHW ને રૂ.૧૮,૦૪૩ એજન્સીને મળે તેમાંથી રૂ. ૮,૭૮૮ રૂપીયા અપાય છે. આમ એક FHWનાં કર્મચારી પાછળ રૂ. ૮,૯૪૫ અને MPHWનો રૂ.…

નિશા ગોંડલિયા ફાયરિંગ કેસમાં ગુજરાત ATS દ્વારા ચોંકાવનારો ખુલાસો

જામખંભાળીયામાં નિશા ગોંડલિયા ઉપર થયેલા ફાયરિંગ મામલે મોટો ખુલાસો સામે આવ્યો નિશા ગોંડલિયાએ જાતે જ ફાયરિંગ કરાવી હોવાનું સામે આવ્યું છે ગુજરાત: નિશા ગોંડલિયા ફાયરિંગ કેસ મામલે ATSએ મોટી કાર્યવાહી કરી છે અને બે આરોપીની સંડોવણી હતી તેમની ધરપકડ કરવામાં આવી છે. ATSની તપાસમાં મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે કે, નિશાએ જ કાવતરું ઘડીને જયેશ પટેલ અને યક્ષાપલ જાડેજાને ફસાવવા માટે પોતાના પર જ ફાયરિંગ કરાવ્યું હતું. ફાયરિંગનો આક્ષેપ જયેશ પટેલ પર લગાવ્યો હતો. વર્ષ 2019માં એક કેસમાં નિશાને સાક્ષી માટે હટી જવા માટે જયેશ પટેલ દબાણ કરી રહયો છે…

તમે તમારા બાળકને શાળાએ મોકલવા માંગો છો? તો ભરી દો આ ફોર્મ

વિદ્યાર્થીઓનાં શાળામાં ‘પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય’ માટે શાળાએ માંગી વાલીની મંજૂરી કોવિડ-19ની કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરેલી SOP ગાઈડલાઈન્સનું પાલન કરવું જરૂરી જે વિદ્યાર્થીઓનાં વાલી સંમત નથી તેવાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવશે. ગુજરાત: ગઈ કાલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા ધોરણ 10 અને 12 ની શાળાઓ 11 જાન્યુઆરીથી ખોલવા અંગેની જાહેરાત થયેલી. તેમાં કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવાની તૈયારીઓ દાખવી છે. ત્યારે રાજ્યની તમામ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓનાં ‘શાળામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય’ માટે વિદ્યાર્થીઓને મોકલવા અંગે વાલી પાસેથી સંમતિ લેવામાં આવી રહી છે. કોવિડ-19 હાલની…

ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાનાં પુતળાનું દહન, ‘એડમિશન પ્રક્રિયામાં વિલંબ કેમ?’ – NSUI

એડમિશન પ્રક્રિયા હજુંય ચાલું જ છે. એડમિશન પ્રક્રિયામાં હજું વિલંબ કેમ! આર્ટસ, કોમર્સનાં વિધાર્થીઓ ચિંતીત. ગુજરાત: ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી એડમિશન કમિટીનાં સભ્યોની ‘હા’, ‘ના’ વચ્ચે વિધાર્થીનાં ભાવી ચિંતામાં મુકાયા છે. વાત એવી છે કે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે વિધાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરેલા , જેમાં વિધાર્થીને એમ હતું કે એડમિશન પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન જ થશે અને આ જ વિશ્વાસને કારણે વિધાર્થીનો સંપૂર્ણ વિશ્વાસ હતો કે યુનિવર્સિટી દ્વારા થતી આ સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા ઓનલાઇન જ થશે પરંતું પ્રત્યક્ષ સમાચારએ અગાઉ વીડિયો જાહેર કરેલ કે જે-તે કોલેજનાં વિધાર્થીઓ એડમિશન માટે…

રાજચરાડી ગામમાં કપાસ ભરવા માટે આવેલી ગાડીમાં આગ લાગી

વીજળીનાં તાર ભેગા થવાથી ભીષણ તણખા થયા બાદ તણખા કપાસની ગાડીમાં પડ્યા હતા સ્થાનિકોનાં જણાવ્યા મુજબ ગાડીમાં આગનાં કારણે અંદાજે રૂ.35-40 હજારનું નુકસાન થયું છે ગુજરાત: ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામમાં કપાસ ભરવા માટે આવેલી ગાડીમાં આગ લાગી હતી. ગાડીમાં પહેલાથી જ કપાસ અડધાથી ઉપર હાલત ભરેલો હતો. ગાડી ગામનાં મુખ્ય રસ્તેથી ગામમાં જઈ રહી હતી. આ દરમિયાન લુહારની કોળ પાસેનાં રસ્તાની બાજુમાં આવેલા વીજળીનાં થાંભલાનાં તાર સાથે ગાડી ઉપરથી અડી ગઈ હતી. જેથી વીજળીનાં તાર ભેગા થવાથી ભીષણ તણખા થયા હતા. જેના કારણે ગાડીમાં ભરેલા કપાસ પર આ તણખા પડતા…

ઈકબાલગઢમાં બાઈકનાં પૈસાની લેણદેણ બાબતે વેપારી પર તલવાર વડે હુમલો

ઇકબાલગઢમાં નજીવી બાબતે યુવકે વેપારી પર તલવાર વડે હુમલો  ઇકબાલગઢનાં વેપારી પર એક અજાણ્યા શખ્સે તલવાર વડે કર્યો હુમલો ગુજરાત: અમીરગઢ તાલુકાનાં વેપારની દ્રષ્ટીએ હરણફાળ ભરી રહેલી ઇકબાલગઢની મુખ્ય બજારમાં એક બાઇકનાં પૈસાની લેવડ-દેવડ મામલે બોલાચાલી થઈ હતી. તેમાં ઉશ્કેરાઈ ગયેલ યુવકે દુકાનમાં તલવાર વડે હુમલો કરવા ઘસી આવ્યો હતો. ત્યારે અન્ય વેપારીઓ અને ગ્રાહકોએ હુમલો કરનારને સમજાવી પાછો મોકલ્યો હતો. પરંતુ વેપારી આલમમાં એના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. સમગ્ર વેપારીઓ એકઠા થઈ બઝાર બંધ કરી દેતા મામલો ગંભીર બન્યો હતો. જેથી સ્થાનિક પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. ત્યારબાદ ઝઘડાને…

અમીરગઢ તાલુકાનાં ઈકબાલગઢ મુકામે સ્મશાનમાં ત્યજેલું ભ્રુણ મળી મળી આવતા ચકચાર

ઈકબાલગઢનાં સ્મશાનમાં કોઈએ પોતાનું પાપ છુપાવવા માટે ભ્રુણ ને સ્મશાન માં ત્યજી દીધું હતુ તંત્ર દ્રારા તપાસ હાથ ધરતા સમગ્ર ઘટના ચકચાર બની છે ગુજરાત: અમીરગઢ તાલુકાનાં વેપારી મથક તરીકે ગણાતા ઈકબાલગઢ મુકામે સ્મશાનમાં કોઈ નરાધમ દ્રારા ભ્રુણ હત્યા કરી અથવા કરાવીને ભ્રુણને સ્મશાનમાં ત્યજી દીધેલ હાલતમાં મળી આવ્યું હતું. પરંતુ આ ઘટનાને લોકો દ્રારા વધુ વેગ મળતા તંત્ર દ્રારા દફનાવેલ ભ્રુણને પાછું બહાર નીકળતા ચકચાર બની ગયેલ છે. મળતી માહિતી પ્રમાણે વિગત એવી છે કે, ઇકબાલગઢમાં કોઈ મોત નિપજેલ હોઈ તેના પરિવારજનો તેની અંતિમ ક્રિયા માટે સ્મશાનમાં ગયા હતા.…

અમીરગઢ ચેકપોસ્ટ પર ગેરકાયદેસર ભેંસોની હેરફેર કરતા ત્રણ આઈસર પકડાયા

પોલીસે ગેરકાયદેસર ભેંસોની હેરફેર કરતાં આઠ ઈસમની અટકાયત બાદ કરી FIR ભેંસોને કોઈ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર કુરતાપૂર્વક બાંધીને હેરફેર કરાતી હતી ગુજરાત: ગત રવિવારે અમીરગઢ પોલીસ સ્ટેશન સ્ટાફનાં માણસો અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર વાહનનું ચેકીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પાલનપુર તરફથી આવતી એક આઈસર ગાડી પર પોલીસને શંકા થતા તેને રોકવામાં આવી હતી. ગાડીમાં તપાસ કરતા તેમાં ખીચોખીચ હાલતમાં ભેંસો જોવા મળી હતી. તેથી પોલીસ દ્વારા આઈસર ચાલક પાસેથી તેનું પાસ-પરમીટ માંગતા ન હોવાનું જાણવા મળ્યું હતું. આઈસરમાં ખીચોખીચ હાલતમાં 14 ભેંસોને દોરડા વળે બાંધીને રાખવામાં આવી…