હરિપર ગામમાં જુગાર રમતા ચાર ઇસમોને રૂ. 10650નાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટાફનાં માણસો ગામડાઓમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં પોલીસને હરિપર શક્તિમાતાનાં મંદિર બાજુનાં ચોકમાં જુગાર રમતા હોવાની બાતમી મળેલી ગુજરાત: ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટાફનાં માણસો તાલુકાનાં વિવિધ ગામડાઓમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતાં. આ દરમિયાન હરિપર ગામનાં શક્તિમાતાનાં મંદિર બાજુમાં આવેલા ચોકમાં કેટલાંક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે બાતમી પરની જગ્યાએ રેડ મારતાં ચાર ઈસમોને કુલ રૂ.10650નાં મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતાં. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે જુગાર રમતા ચારેય ઈસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત સોમવારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટાફનાં માણસો ધ્રાંગધ્રાનાં…

પ્રજાસતાક દિવસ, લોકોત્સવ બની શક્યો નથી! આપણે આ તહેવાર ઉજવવામાં ક્યાં પાછા પડ્યા?

26,જાન્યુઆરી એટલે પ્રજાસતાક દિવસ, ગણતંત્ર દિવસ અને આપણી લોકશાહી ઉજવવાનો દિવસ! આપણે આઝાદ થયાનાં માત્ર પંદર દિવસમાં જ એટલે કે 29, ઓગસ્ટ 1947નાં રોજ ડ્રાફ્ટિંગ કમિટીની રચના કરવામાં આવી.  કમિટીનું કાર્ય- બંધારણીય સલાહકાર દ્વારા તૈયાર કરાયેલા ભારતના બંધારણના મુસદ્દાની ચકાસણી, એસેમ્બલી દ્વારા પહેલાં લીધેલાં નિર્ણયોની ચકાસણી કરવાનું અને તેને બંધારણીય રીતે અસરકારક બનાવવાનું હતું. ડ્રાફ્ટિંગ કમિટીમાં અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, એન. ગોપાલાચારી, કે.એમ.મુનશી, મોહમ્મદ સાદુલ્લા, એન. માધવ રાવ (બી.એલ. મીતર તેની માંદગીનાં લીધે રાજીનામું આપી દેતાં તેનું સ્થાન લીધું.), ટી.ટી.કૃષ્ણામચારી (ડી.પી.ખૈતાનનું મૃત્યુ થતાં તેનું સ્થાન લીધું.) અને બી.આર આંબેડકર એમ કુલ…

“તારે આ ઘરમાં રહેવું હોય તો તારા માવતર પાસેથી રૂપિયા લાવવા પડશે”, સાસરિયાની દહેજની માંગણી

ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં દહેજની માંગણી કરીને માનસિક- શારીરિક ત્રાસ આપતા સાસરિયા પક્ષ સામે નોંધાઈ ફરિયાદ માવતર ગરીબ હોવાથી યુવતી સાસરિયાનો ત્રાસ સહન કરતી હતી, અંતે કંટાળીને નોંધાવી FIR ગુજરાત: સુરેન્દ્રનગરમાં રહેતી યુવતીનાં વર્ષ 2018માં સમાજનાં રીતરિવાજ મુજબ ધ્રાંગધ્રાનાં યુવક સાથે લગ્ન થયા હતા. પરંતુ લગ્નનાં ત્રણ મહીના બાદ સાસરિયા તરફથી અવાર-નવાર દહેજની માંગ કરીને યુવતીને માનસિક અને શારીરિક ત્રાસ આપી ઘરની બહાર કાઢી મૂકી હતી. યુવતી છેલ્લા દોઢ વર્ષથી તેના પિતાની સાથે રહે છે. અંતે કંટાળીને યુવતીએ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં સાસરિયા પક્ષ સામે દહેજની માંગ કરીને માનસિક અને શારીરિક…

ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર સ્વિફ્ટ કાર અને મીની એસ.ટી. બસ વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત

સ્વિફ્ટ કારમાં બેઠેલા ચારમાંથી ત્રણ વ્યક્તિનાં મોત, અન્ય એક વ્યક્તિને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પરની ઉમિયા ભવાની હોટલ આગળ સર્જાયો અકસ્માત ગુજરાત: ગઈકાલે ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ધ્રાંગધ્રા બાયપાસ પરની ઉમિયા ભવાની હોટલ આગળ સ્વિફ્ટ કાર અને મીની એસ. ટી. બસ વચ્ચે ગંભીર અકસ્માત થયેલો. તેમાં સ્વિફ્ટ કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર મોકલવામાં આવ્યા છે. ધ્રાંગધ્રા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગત રવિવારે સાંજના આસરે…

ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, 50 લાખનો મુદ્દામલ જપ્ત

હરિયાણાનાં બ્રાન્ડની 570 પેટી સહીત 50 લાખ નો મુદ્દામાલ જપ્ત રિકો પોલિસે વાહન ચેકીંગ દરમિયાન દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પડ્યું ગુજરાત: રાજ્યની બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ તાલુકાને અડીને આવેલ રાજસ્થાન બોર્ડર જે આંતરરાજ્યોને જોડતી બોર્ડર છે. આંતરરાજયની આ ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર અવાર નવાર કેફી-પીણાં અને નશીલી ચીજવસ્તુઓ માટે મોખરે સ્થાન ધરાવે છે. આ અતિ સંવેદનશીલ ગણાતી આંતરરાજ્ય બોર્ડર પર નશીલી વસ્તુઓની અવરજવર રોકવા માટે બુટલેગરોનાં ઇરદાને નાકામ કરવા માટે આંતરરાજય ની બોર્ડર પર પોલિસ દ્રારા આવતા જતા વાહનોને સતત ચેકીંગ કરવામાં આવે છે. ત્યારે આજરોજ રાજસ્થાન રિકો પોલિસે…

નિશા ગોંડલિયા ફાયરિંગ કેસમાં ગુજરાત ATS દ્વારા ચોંકાવનારો ખુલાસો

જામખંભાળીયામાં નિશા ગોંડલિયા ઉપર થયેલા ફાયરિંગ મામલે મોટો ખુલાસો સામે આવ્યો નિશા ગોંડલિયાએ જાતે જ ફાયરિંગ કરાવી હોવાનું સામે આવ્યું છે ગુજરાત: નિશા ગોંડલિયા ફાયરિંગ કેસ મામલે ATSએ મોટી કાર્યવાહી કરી છે અને બે આરોપીની સંડોવણી હતી તેમની ધરપકડ કરવામાં આવી છે. ATSની તપાસમાં મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે કે, નિશાએ જ કાવતરું ઘડીને જયેશ પટેલ અને યક્ષાપલ જાડેજાને ફસાવવા માટે પોતાના પર જ ફાયરિંગ કરાવ્યું હતું. ફાયરિંગનો આક્ષેપ જયેશ પટેલ પર લગાવ્યો હતો. વર્ષ 2019માં એક કેસમાં નિશાને સાક્ષી માટે હટી જવા માટે જયેશ પટેલ દબાણ કરી રહયો છે…

તમે તમારા બાળકને શાળાએ મોકલવા માંગો છો? તો ભરી દો આ ફોર્મ

વિદ્યાર્થીઓનાં શાળામાં ‘પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય’ માટે શાળાએ માંગી વાલીની મંજૂરી કોવિડ-19ની કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરેલી SOP ગાઈડલાઈન્સનું પાલન કરવું જરૂરી જે વિદ્યાર્થીઓનાં વાલી સંમત નથી તેવાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવશે. ગુજરાત: ગઈ કાલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા ધોરણ 10 અને 12 ની શાળાઓ 11 જાન્યુઆરીથી ખોલવા અંગેની જાહેરાત થયેલી. તેમાં કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવાની તૈયારીઓ દાખવી છે. ત્યારે રાજ્યની તમામ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓનાં ‘શાળામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય’ માટે વિદ્યાર્થીઓને મોકલવા અંગે વાલી પાસેથી સંમતિ લેવામાં આવી રહી છે. કોવિડ-19 હાલની…

રાજચરાડી ગામમાં કપાસ ભરવા માટે આવેલી ગાડીમાં આગ લાગી

વીજળીનાં તાર ભેગા થવાથી ભીષણ તણખા થયા બાદ તણખા કપાસની ગાડીમાં પડ્યા હતા સ્થાનિકોનાં જણાવ્યા મુજબ ગાડીમાં આગનાં કારણે અંદાજે રૂ.35-40 હજારનું નુકસાન થયું છે ગુજરાત: ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામમાં કપાસ ભરવા માટે આવેલી ગાડીમાં આગ લાગી હતી. ગાડીમાં પહેલાથી જ કપાસ અડધાથી ઉપર હાલત ભરેલો હતો. ગાડી ગામનાં મુખ્ય રસ્તેથી ગામમાં જઈ રહી હતી. આ દરમિયાન લુહારની કોળ પાસેનાં રસ્તાની બાજુમાં આવેલા વીજળીનાં થાંભલાનાં તાર સાથે ગાડી ઉપરથી અડી ગઈ હતી. જેથી વીજળીનાં તાર ભેગા થવાથી ભીષણ તણખા થયા હતા. જેના કારણે ગાડીમાં ભરેલા કપાસ પર આ તણખા પડતા…

અમીરગઢ ચેકપોસ્ટ પર ગેરકાયદેસર ભેંસોની હેરફેર કરતા ત્રણ આઈસર પકડાયા

પોલીસે ગેરકાયદેસર ભેંસોની હેરફેર કરતાં આઠ ઈસમની અટકાયત બાદ કરી FIR ભેંસોને કોઈ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર કુરતાપૂર્વક બાંધીને હેરફેર કરાતી હતી ગુજરાત: ગત રવિવારે અમીરગઢ પોલીસ સ્ટેશન સ્ટાફનાં માણસો અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર વાહનનું ચેકીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પાલનપુર તરફથી આવતી એક આઈસર ગાડી પર પોલીસને શંકા થતા તેને રોકવામાં આવી હતી. ગાડીમાં તપાસ કરતા તેમાં ખીચોખીચ હાલતમાં ભેંસો જોવા મળી હતી. તેથી પોલીસ દ્વારા આઈસર ચાલક પાસેથી તેનું પાસ-પરમીટ માંગતા ન હોવાનું જાણવા મળ્યું હતું. આઈસરમાં ખીચોખીચ હાલતમાં 14 ભેંસોને દોરડા વળે બાંધીને રાખવામાં આવી…

શ્વાનને બચાવવા જતાં પંચોટ તળાવમાં કાર ખાબકી, ત્રણ શિક્ષકોનાં મોત

પાંચોટ તળાવમાં કાર ખાબકતા ત્રણ શિક્ષકોના મોત થતાં અરેરાટી વ્યાપી કૂતરાને બચાવવા જતાં કાર તળાવમાં ખાબકી હતી ગુજરાત: પાંચોટ તળાવમાં કાર ખાબકતા ત્રણ શિક્ષકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આજે વહેલી સવારે પાંચોટ તળાવ પાસે અકસ્માત સર્જાયો જેમાં ગાડી તળાવમાં ખાબકી હતી જેમાં યુવતી અને બે પુરુષ શિક્ષકનાં મોત થયા છે. શિક્ષકો મહેસાણાથી નોકરી પર જઈ રહ્યા હતા, ત્યારે પાંચોટ તળાવ પાસે કૂતરું વચ્ચે આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. કૂતરાને બચાવવા જતાં કાર તળાવામાં ખાબકી હતી અને 3 શિક્ષકોનાં કાર સાથે તળાવમાં ડૂબી જતાં મોત નિપજ્યા છે. ઘટનાની…