ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ કરાઈ મોકૂફ

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ 12 એપ્રિલે અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ ગુજરાત: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આગામી 12 અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષાઓ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી છે. BA,BSC,BBA,BCA,B.ED, B.COM.ની પ્રથમ સેમની પરીક્ષાઓ 12 અને 23 એપ્રિલથી શરૂ થવાની હતી. પરંતુ રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાયરસનાં વધી રહેલા કેસને પગલે આ પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવાનો યુનિવર્સીટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. આગામી આદેશ ન મળે ત્યાં સુધી પરીક્ષાઓ રહેશે મોકૂફ યુનિવર્સિટીનાં તંત્ર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ…

બીબીસી સ્પૉટ્સ હેકાથોન : ગુજરાત યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગ, વિકિપીડિયાનાં સહયોગી

અમદાવાદ, દિલ્હી, મુંબઈ, અમૃતસર, સિકંદરાબાદ અને પુડુચેરીના વિદ્યાર્થીઓ સાથે લાઇવ થયા હતા. ગુજરાત: આજનાં આ ડિજિટલ યુગમાં સામાન્ય રીતે લોકો માહિતી મેળવવા માટે પણ વિકિપીડિયાનો ઉપયોગ કરતા હોય છે. ઘણી વાર વિકિપીડિયામાં માહિતી ન મળવાને કારણે વાંચકો નિરાશ થતાં હોય છે. અત્યારે વિકિપીડિયા પરનાં લેખોમાં મહિલાઓ પરનાં લેખ માત્ર 17 ટકા જ હોવાને કારણે બીબીસી દ્વારા ગુજરાત યુનિવર્સિટીનાં પત્રકારત્વ વિભાગ ખાતે બેઠક યોજાઇ હતી. આજ રોજ ‘બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર પ્રૉજેક્ટ’ હેઠળ 50 મહિલા ખેલાડીઓ વિશે માહિતી વિકિપીડિયામાં ઉમેરવામાં આવી હતી.જેમાં અગાઉ વિદ્યાર્થીઓને વિકિપીડિયા દ્વારા તાલીમ પણ આપવામાં…

સાહસ અને શૌર્યની મશાલ છત્રપતિ શિવાજી મહારાજ!

19 ફેબ્રુઆરી એટલે શિવાજી જયંતિ. ઇતિહાસકારોમાં શિવાજીની જન્મતારીખ બાબતે મત-મતાંતરો છે. અમુક ઇતિહાસકારો 6, એપ્રિલ કે 10, એપ્રિલને શિવાજીની જન્મતારીખ તરીકે ઉજવે છે. પરંતુ મહારાષ્ટ્ર સરકાર 19, ફેબ્રુઆરીને શિવાજીની જન્મદિવસ તારીખ માને છે, એ જાણવું જરૂરી બને છે. પૂણેથી 60 કિ.મી. અને મુંબઇથી 100 કિ.મી. દુર સન 1627માં શિવનેરી કિલ્લામાં શિવાજીનો જન્મ. પિતા શહાજી અને માતા જીજાબાઇ. શિવાજીનાં પૂર્વજો મરાઠા જાતિનાં ભોંસલે વંશનાં હતા અને પુના જિલ્લાનાં હિંગાણી, બેરાડી અને દેવલગાંવ ગામોનાં મુખી હતા. તેઓ પાટીલ કે દેશમુખ તરીકે પણ ઓળખાતા. એ વખતે ઉત્તરમાં હતો ક્રૂર શાસક ઓરંગઝેબ અને દખ્ખણમાં…

અમીરગઢ પગાર કેન્દ્ર શાળા-1 દ્વરા ધોરણ 6થી 8નાં બાળકને શેરી શિક્ષણ આપવામાં આવ્યું

ગુજરાત: અત્યારે ચાલી રહેલી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્રારા બાળકોને શાળાએ ન બોલવી શેરી શિક્ષણ આપવાનું સૂચન કરાયું હાતું જેથી બાળકોને સ્વાસ્થ્ય અંગે કાળજી રાખી શકાય અને બાળકોનાં જીવ ન જોખમાય તે હેતુ ને ધ્યાનમાં રાખી અમીરગઢ તાલુકા પગાર કેન્દ્ર શાળા નં-1નાં તામામ શિક્ષકો દ્રારા બાળકો શેરી શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ શિક્ષકો દ્રારા જુદી જુદી શેરી અને ધો.8નાં બાળકો ને સોશિયલ ડિસ્ટન્સ અને ફરિજિયાત પણે માસ્ક પહેરીને શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેથી બાળકો નું વર્ષે ન બગડે અને લાંબા સમય થી સ્કૂલે ન જતા બાળકોનાં મન…

ગુજરાતમાં 18 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8નાં વર્ગખંડો શરૂ

18મી ફેબ્રુઆરી 2021થી ધોરણ 6 થી 8નાં વર્ગખંડોમાં પુનઃ શિક્ષણકાર્ય શરૂ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે વિદ્યાર્થીઓનાં વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે ગુજરાત: રાજ્યમાં આગામી ગુરૂવાર તારીખ 18મી ફેબ્રુઆરી 2021થી ધોરણ 6 થી 8ના વર્ગખંડોમાં પુનઃ શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગે આ અંગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલી તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓનાં ધોરણ 6થી 8 માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરવાનું રહેશે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓનાં વાલી પાસેથી શિક્ષણ…

તમે તમારા બાળકને શાળાએ મોકલવા માંગો છો? તો ભરી દો આ ફોર્મ

વિદ્યાર્થીઓનાં શાળામાં ‘પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય’ માટે શાળાએ માંગી વાલીની મંજૂરી કોવિડ-19ની કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરેલી SOP ગાઈડલાઈન્સનું પાલન કરવું જરૂરી જે વિદ્યાર્થીઓનાં વાલી સંમત નથી તેવાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવશે. ગુજરાત: ગઈ કાલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા ધોરણ 10 અને 12 ની શાળાઓ 11 જાન્યુઆરીથી ખોલવા અંગેની જાહેરાત થયેલી. તેમાં કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવાની તૈયારીઓ દાખવી છે. ત્યારે રાજ્યની તમામ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓનાં ‘શાળામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય’ માટે વિદ્યાર્થીઓને મોકલવા અંગે વાલી પાસેથી સંમતિ લેવામાં આવી રહી છે. કોવિડ-19 હાલની…

ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાનાં પુતળાનું દહન, ‘એડમિશન પ્રક્રિયામાં વિલંબ કેમ?’ – NSUI

એડમિશન પ્રક્રિયા હજુંય ચાલું જ છે. એડમિશન પ્રક્રિયામાં હજું વિલંબ કેમ! આર્ટસ, કોમર્સનાં વિધાર્થીઓ ચિંતીત. ગુજરાત: ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી એડમિશન કમિટીનાં સભ્યોની ‘હા’, ‘ના’ વચ્ચે વિધાર્થીનાં ભાવી ચિંતામાં મુકાયા છે. વાત એવી છે કે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે વિધાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરેલા , જેમાં વિધાર્થીને એમ હતું કે એડમિશન પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન જ થશે અને આ જ વિશ્વાસને કારણે વિધાર્થીનો સંપૂર્ણ વિશ્વાસ હતો કે યુનિવર્સિટી દ્વારા થતી આ સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા ઓનલાઇન જ થશે પરંતું પ્રત્યક્ષ સમાચારએ અગાઉ વીડિયો જાહેર કરેલ કે જે-તે કોલેજનાં વિધાર્થીઓ એડમિશન માટે…

Online શિક્ષણમાં વધુમાં વધુ બાળકો જોડાઇ અને શિક્ષણ મેળવી શકે તે માટે નવતર પ્રયોગ

અમીરગઢની પગાર કેન્દ્ર શાળા દ્વારા કરાયો નવતર પ્રયોગ Microsoft Teamsની મદદથી બાળકોને આપી રહ્યાં છે શિક્ષણ બાળકોને પ્રોત્સાહિત કરવા આપવામાં આવ્યા પ્રોત્સાહિત ઇનામો ગુજરાત: સરકારની ગાઇડલાઇન પ્રમાણે ઓનલાઇન શિક્ષણ બાળકોને આપવાની સૂચના છે. માટે અત્યારે covid-19ની સમસ્યામાં બાળકોને સારું શિક્ષણ મળે તે માટે અમીરગઢ વિસ્તારમાં જે બાળકો પાસે સ્માર્ટ મોબાઈલ હોય એવા તમામ બાળકોને મોબાઇલમાં Teams ડાઉનલોડ કરાવીને શિક્ષકો દ્વારા સારું શિક્ષણ પ્રદાન કરવામાં આવી રહ્યું છે. Virtual class થકી બાળકોને કેવી રીતે સઘન શૈક્ષણિક કાર્ય થાય તેવા Virtual ક્લાસમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે અને ઉત્સાહિત મનથી…

ઓનલાઇન પરીક્ષા પસંદગીનો વિકલ્પ ન આપવામાં આવતા, NSUIએ વિકલ્પની કરી માંગણી

ગુજરાત: અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીનો ફરી એકવાર છબરડો સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમુક અભ્યાસક્રમ માટે ઓનલાઇન પરિક્ષાની સુવિધા આપવામાં આવી છે. જ્યારે અનેક અભ્યાસક્રમ માટે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો નથી. બી.એસસી સેમેસ્ટર-5 અને બી.કોમ સેમેસ્ટર-3નાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પરીક્ષા માટે વિકલ્પ મુકાયો નથી. બી.એસસી સેમેસ્ટર-5 અને બી.કોમ સેમેસ્ટર-3નાં વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા નહીં આપી શકે. ઓફલાઇન પરીક્ષા ફોર્મ ભરવા 21 ડિસેમ્બર છેલ્લો દિવસ છે. ત્યારે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ ન આપતા વિદ્યાર્થીઓને ફરજિયાત ઓફલાઇન પરીક્ષા આપવી પડશે. જોકે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવા NSUIએ માગ કરી છે.

IIT મદ્રાસમાં કોવિડ-19નાં કેસ વધ્યા, તમિલનાડુએ તમામ કોલેજોમાં પરીક્ષણનાં આદેશ આપ્યા

IITમદ્રાસમાં કોરોના સંક્રમણમાં થયો વધારો ઉછાળાને કારણે વિભાગો, કેન્દ્રો, પ્રયોગશાળાઓ અને લાઇબ્રેરી બંધ કરી  અધિકારીઓ તેનો આરોપ છાત્રાલયનાં મેસ પર નાખ્યો છે નેશનલ: IIT-મદ્રાસનાં આઠ વધુ વિદ્યાર્થીઓનો કોરોના વાયરસ માટેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં પ્રીમિયર એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટનાં કુલ 191 કેસ જોવા મળ્યા છે. આ અઠવાડિયે સંસ્થામાં કોરોના વાયરસનાં કેસોમાં ઉછાળા વચ્ચે ગઈકાલે 141 લોકોની તપાસ થયા બાદ તાજેતરનાં નવા કેસો બહાર આવ્યા છે. અન્ના યુનિવર્સિટીમાં પણ છ વિદ્યાર્થીઓએ વાયરસ માટે પોઝિટિવ આવ્યા છે. તમિળનાડુનાં આરોગ્ય સચિવ જે. રાધાકૃષ્ણને કહ્યું કે વિદ્યાર્થીઓ સ્થિર સ્થિતિમાં હોવાનું જાણવા મળે છે. આઇડીઆઇટી-મદ્રાસે છાત્રાલયોમાં…