સમાચાર

બાલિકા વધુ ફેમ અવિકા કરી રહી છે એક્સ રોડિઝને ડેટ, જાણો શું છે તેની રોમેન્ટિક કહાણી

મનોરંજન: અવિકા ગોરએ કલર્સ ટીવીનાં પ્રચલિત શો ‘બાલિકા વધુ’માં આનંદીની ભૂમિકા ભજવીને ખ્યાતિ પામી હતી. આ શોની આનંદી અને જાગીયા(જગદીશ)ની જોડીને લોકોએ ખૂબ વખાણી હતી. એ સમયે આનંદી ઉર્ફ અવિક ફક્ત 11 વર્ષની હતી. આનંદી હવે યુવાવયે પહોંચી ચૂકી છે અને એક્સ રોડીઝ કંટેસ્ટેન્ટને ડેટ કરી રહી છે. અને પોતાના સોશિયલ મીડિયામાં એક બીજા સાથેનાં રોમેન્ટિક ફોટો પણ મૂકે છે. તમને જણાવી દઈએ કે અવિકાનો જન્મ 30 જુન 1997નાં રોજ થયો હતો. તે મૂળરૂપે ગુજરાતી પરિવારમાંથી આવે છે. પરંતુ વર્ષોથી મુંબઇમાં રહે છે અને તેનો જન્મ પણ મુંબઈ માંજ થયો…

કવિયિત્રીવિશ્વમાં વૈશ્વિક કાવ્યો : જુદા જુદા રાજ્યનાં કવિયિત્રીનાં કાવ્યોનો આસ્વાદ

કવિયિત્રીવિશ્વનાં સંપાદનની પ્રસ્તાવનામાં કવિ સુરેશ દલાલે લખ્યું છે કે સૌ પહેલી કવિતા લખનાર કદાચ કોઈ સ્ત્રી જ હશે. માનવકુળમાં પુરુષ જરા જડ, કઠોર, વિચારપ્રધાન, રાજસી, અને દોડધામમાં વ્યસ્ત. બીજી તરફ સ્ત્રી નાજુક, સંવેદનશીલ, લાગણીપ્રધાન અને પ્રમાણમાં થોડાં નિરાંતવા જીવવાવાળી. હાલરડાં, મંગળગીતો, લગ્નગીતો, લોકગીતો અને આખરે મરસિયા ગાવાનું સ્ત્રીને ભાગે જ આવે છે. આથી હલક અને લય માટે સ્ત્રીનાં કાન ઘડાયેલા છે. એનો કંઠ પણ ઝીણો ને મીઠો. આશા, આકાંક્ષા, ઝંખના, ઉમંગ, ચિંતા, પીડા, યાતના આ બધી લાગણીઓથી સ્ત્રીનું જીવન પુરુષ કરતાં વધારે સભર છે. પછી કવિતા લખનાર પહેલી સ્ત્રી કેમ…

થાનગઢના ચાંદ્રેલિયાથી વેલાળાના રસ્તામાં એક ગુમનામ ઓટો રીક્ષામાંથી ₹ 12000નો વિદેશી દારૂ પકડાયો

પોલીસ પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળતાં રીક્ષા ઝડપી પડાઈ, પરંતુ રીક્ષાની આજુબાજુ કોઈજ જણાયું ન હતું. રીક્ષાના માલિકને પોલીસની આવવાની જાણ થતાં પહેલાથી રફુચક્કર… ગુજરાત: ગત સોમવારના રોજ થાનગઢ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન ચાંદ્રેલિયાથી વેલાળા તરફના ઓકળામાં બજાજ કંપનીની એક કાળા કલરની ઓટો રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ઉભી હોવાની બાતમી મળતાં પોલીસે ત્યાં રેઇડ મારી હતી. પોલીસ તપાસ કરતાં રીક્ષામાંથી કુલ 40 નંગ રૂ.12000ની કિંમતનો વિદેશી દારૂ મળી આવતાં ફરિયાદ નોંધી છે. થાનગઢ પોલીસ સ્ટાફના માણસો રાત્રીના સમયે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં.…

ધ્રાંગધ્રા-જેસડાના રણમાં મીઠું પકવતા અગરીયા સમુદાયના લોકોને પીવાનું પૂરતું પાણી નથી મળતું

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત સદસ્ય છત્રસિંહ એસ. ગુંજારીયાએ જિલ્લાના પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને લેખિતમાં રજૂઆત કરી રાજ્ય સરકારની ‘જળ જીવન મિશન’ યોજના અંતર્ગત અગરીયા લોકોને રણમાં પાઈપ લાઈન દ્વારા પીવાનું પાણી કાયમી ધોરણે મળી તેવી રજૂઆત ગુજરાત: ગત ગુરુવારે સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત સદસ્યશ્રી છત્રસિંહ એસ. ગુંજારીયા દ્વારા ધ્રાંગધ્રા-જેસડાના રણમાં મીઠું પકવતા અગરીયા સમુદાયના લોકોને યોગ્ય પીવાનું પાણી મળી રહે તે હેતુથી, તેઓને પાઈપ લાઈન દ્વારા પીવાનું પાણી કાયમી ધોરણે મળી રહે એ માટે રાજ્ય સરકારની ‘જળ જીવન મિશન’ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લના પાણી પુરવઠા ગટર વ્યવસ્થા…

અમીરગઢ રેલવે અન્ડરપાસ પહેલાજ વરસાદનાં પાણીથી બન્યું મીનીતળાવ

લાખોના ખર્ચે બનેલો અંડરપાસ સિઝનના પહેલા વરસાદમાં જ પાણીથી ભરાયું અંદાજે 10થી વધું ગામને અમીરગઢ આવવા જવા માટે આ એક જ મેઈન રોડ ગુજરાત: અમીરગઢ ગામમાંથી હાઈવે જવા માટે એકજ મુખ્ય માર્ગે હયાત છે. અંદાજે 10થી વધું ગામ ને અમીરગઢ આવવા જાવા માટે એક જ મેઈન રસ્તો હયાત છે. જે હલામાંજ લાખોના ખર્ચે રેલવે અન્ડરપાસ બનાવામાં આવ્યો હતો. જોકે પ્રજાએ અન્ય અંડરપાસ જોઈ ને ચોમાસામાં હાલાકી પડશે તેવી વકી પેહલથીજ હતી. અમીરગઢ ગામથી અમીરગઢ હાઈવે જવા માટે રેલવે ફાટક હટાવીને તેની જગ્યાએ લાખોના ખર્ચે અંડરપાસ બનાવમાં આવ્યો છે. પણ પહેલાજ…

રાજચરાડી ગામમાં ચરમારીયા દાદાના સાનિધ્યમાં 275થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યાં

રાજચરાડીના ગ્રામજનોએ વૃક્ષા રોપણ કરી પ્રકૃતિ પ્રેમ જવાબદારી નિભાવી રાજકોટના રહેવાસી હિંમતભાઈ સવજીભાઈ દ્વારા ગ્રામજનોને વૃક્ષો અર્પણ કરવામાં આવ્યાં ગુજરાત: પ્રકૃતિનું જતન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. એક પ્રકૃતિ માત્રથી જ માનવ સૃષ્ટિને યોગ્ય કુદરતી વાતાવરણ મળી રહે છે. ત્યારે રાજચરાડી ગામના ગ્રામજનો દ્વારા 275 થી વધુ અલગ-અલગ વૃક્ષો રોપી સુંદર મજાનું વાતાવરણ ઉભું કર્યું છે. ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામમાં આવેલ ચરમારીયા દાદાના મંદિરની જગ્યાએ વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા ગામની શોભા અને કુદરતી વાતાવરણ મળી રહે તે હેતુથી વૃક્ષા રોપણ કરવામાં આવેલું. રાજકોટના રહેવાસી હિંમતભાઈ…

અચ્છા ખાસા બૈઠે-બૈઠે ગુમ હો જાતા હૂં; અબ મેં અક્સર મેં નહીં રહતા,તુમ હો જાતા હૂં!

આ સરોવર કાંઇ તારી પ્રેયસી છે? તો તું ક્યારનો એને નિષ્પલક તાકી રહ્યો છે? અહીં આવીને,મને મુકીને- સરોવરની સામે તાક્યા કરવાનું અને મારો એક હાથ તારા હાથમાં લઇને એની ઉપર સતત આંગળી ફેરવ્યા કરે છે એનું કારણ મને આજ સુધી સમજાતું નથી’,તું મારી આંખ આગળ તારો હાથ ફેરવીને પુછે છે. પણ હું શું જવાબ આપું? તું જ કહે છે ને કે,’અમુક અનુભુતિને વર્ણવવાનું કૌશલ્ય ઇશ્વરે તને નથી આપ્યું.અને આ બાબત માટેની મારી શિકાયત હંમેશા રહેશે!’ પણ, મને ખબર છે હવે તું મને બોલાવીશ નહી. બેસવા દઇશ મને એમ જ. પણ…

ગુજરાત કેમીકલ પોર્ટ લિમિટેડ અને કલેક્ટરનાં સહિયારા પ્રયત્ને અમીરગઢ સિવિલ હોસ્પિટલમાં મળી ઓક્સિજન પ્લાન્ટની ભેટ

અમીરગઢ હોસ્પિટલને મળી પ્રાણવાયુની ભેટ ઓક્સિજન પ્લાન્ટની ભેટ અમીરગઢની જનતા માટે આશીર્વાદ રૂપ ગુજરાત: કોરોનાની બીજી લહેરમાં બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ઓક્સિજન પ્લાન્ટની ભારે અછત સર્જાઈ હતી જેના કારણે ઘણા ગરીબ પરિવાર ને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આપણે સૌ જાણીએ છીએકે ઓક્સિજનનાં બાટલા માટે સતત 2 બે -બે દિવસ સુધી ભયંકર ગરમીમાં પણ ઉભા રહી ને પોતાના સ્વજનો માટે ઓક્સિજન ભરાવતા નજરે જોયા હતા અને તેમ છતાં ઓક્સિજન મળવાપાત્ર ન હતા. ત્યારે ઘણા જિલ્લાઓ અને રાજયોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી પ્લાન્ટ સ્થપવામાં આવ્યા હતા ઘણી જગ્યાઓએ…

ગાંધીજી, સરદાર અને નહેરૂ : વિસમી સદીમાં ભારતનાં અને ભારતીય રાજકારણનાં ઘડતર અને ચણતરમાં મોખરે રહેલી ત્રિપુટી!

સ્વતંત્રતાની લડત લડેલા અને જેના વિશે સૌથી વધારે લખાયું છે, બોલાયું છે કે ચર્ચાયું છે એવા કોઇ ત્રણ નામો હોય તો ગાંધીજી, સરદાર અને નહેરૂ. ગાંધીજી, નહેરૂ અને સરદારને આપણી નજરથી આંકવામાં ક્યાંક ભુલ થાય જ. આ વિરાટ પુરુષોને સમજવા-જોવા માટે નજર નહી દ્રષ્ટિ જોઇએ, જે આપણી પાસે નથી. કોઇ એક-બેને નીચા બતાવીને કોઇ એકને ઉંચા બતાવવા એમાં આપણું પાપ છે. સરદારને ઉંચા બતાવવા માટે ગાંધીજી અને નહેરૂને નિચા બતાવવા કે આવી જ હરકત ગાંધીજી અને નેહરૂને ઉંચા બતાવવા માટે કરે તો આપણી અજ્ઞાનતા છતી કરે છે. ત્રણેય પ્રતિભાઓ એ…

સાધુઓની સાધુલીલા, લંપટલીલા, સેક્સલીલા અને પાપલીલા!

કહેવાતાં સાધુઓનાં સ્ત્રીઓ સાથેના શારીરિક અડપલા કે શારીરિક ચેષ્ટાથી લઈને સજાતીય સંબંધ સુધીનાં કિસ્સા હવે આપણાથી જરાય અજાણ્યાં નથી. આભાર આ સોશીયલ મીડિયાનો કે કહેવાતાં ઉચ્ચ પવિત્ર ભદ્ર વર્ગનાં આવા બધાં કાંડ આપણી સમક્ષ ખોલી નાખ્યાં. સોશીયલ મીડિયા નહોતું ત્યારે આવા કિસ્સાઓ નહોતાં બનતાં એવું નહોતું પણ એનાં આવ્યા પછી આં બધુંય જન સામાન્ય સુધી પહોંચવા લાગ્યું. હવે તો LGBTQ એ ગુનો પણ નથી. સેક્શન-૩૭૭ ને નાબૂદ કરીને વૈક્તિક સ્વતંત્રતા કહો કે અંગત સ્વતંત્રતા કહો કે જાતીય સ્વતંત્રતા કહો એ દિશામાં એક મહત્વનું પગલું ભર્યું છે. પણ..પણ કોઈની મરજી વિરુદ્ધ…