સમાચાર

મિથુન ચક્રવર્તીની પુત્રવધૂએ માતા સાથે બનાવી રીલ, ‘કાવ્યા’નો વીડિયો થયો વાયરલ

મનોરંજન: મદાલસા શર્માનો એક વીડિયો સોશિયલ મેડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની માતા શીલા શર્મા સાથે જબરદસ્ત સ્ટાઇલમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ મદાલસા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ પ્રચલિત છે. તે હંમેશાં તેના વીડિયો અને ફોટા શેર કરીને ચાહકો સાથે સંકળાયેલી રહે છે. મદાલસા શર્મા તેની એક્ટિંગની સાથે સાથે તેના ડાન્સ વીડિયોને લઈને પણ ચર્ચામાં રહે છે. તેનો એક વીડિયો ચર્ચાનો વિષય બનની રહ્યો છે, જેમાં તે તેની માતા શીલા શર્મા સાથે જબરદસ્ત સ્ટાઇલમાં ડાન્સ કરતી જોવા મળી રહી…

ખલીલ ધનતેજવીની યાદમાં આજે સાંજે 5:30 વાગ્યે કાવ્યપાઠ

ખલીલ ધનતેજવીની યાદમાં આજે સાંજે 5:30 વાગ્યે ગુજરાતી ભાષાનાં જાણીતા કવિ શ્રી. ભાવેશ ભટ્ટ, કવિ શ્રી. ભાવિન ગોપાણી, કવિ શ્રી. અનિલ ચાવડા,કવિ શ્રી. તેજસ દવે કાવ્યપાઠ દ્વારા શબ્દાંજલી આપશે. જેનું ગુજરાતી બુક ક્લબનાં ફેસબૂક પેજ પરથી લાઈવ કરવામાં આવશે. ગુજરાતી બૂક ક્લબ ફેસબુક પેજ:https://www.facebook.com/GujaratiBookClub/ ખલીલ ધનતેજવીની રચનાઓ.. ને પછી એવું થયું કે રાત વરસાદી હતી, ને પછી રસ્તા માં એક પલળેલી શેહઝાદી હતી… ને પછી એવું થયું કે બંને સપના માં મળ્યા, એ રીતે બીજે તો ક્યાં મળવાની આઝાદી હતી… ચંદ્ર ને પણ છત ઉપર ઉતરી જવા નું મન થયું,…

ફિલ્મ જેમ્સ બોન્ડ અને હેરી પોર્ટર ફિલ્મમાં વીઝર્ડ એલ્ડરેડ વોપલેનું કિરદાર નિભાવનાર પોલ રીટરનું નિધન

મનોરંજન: હોલીવુડમાં જાણીતા ફિલ્મ જેમ્સ બોન્ડ અને હેરી પોર્ટર ફિલ્મમાં વીઝર્ડ એલ્ડરેડ વોપલેનું કિરદાર નિભાવનાર પોલ રીટરનું નિધન થયું છે. 54 વર્ષની ઉંમરે સોમવારે પોલે અંતિમ શ્વાસ લીધા છે. પોલના નિધનથી હોલીવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. તેઓ છેલ્લા અમુક વર્ષોથી બ્રેન ટ્યુમરથી પીડાતા હતા. તેમને કોરમ બોય પ્લે માટે વર્ષ 2006માં ઓલિવર એવોર્ડ માટે નોમીનેશન મળ્યું હતું.

પ્રિસ્ક્રિપ્શન લખ્યું હતું : “બિયરમાં ચંદ્રછોડનાં મૂળિયાઓનો ભૂકો કરી ઓગાળીને પીવડાવો.”

વેપારી નવો ચોપડો શરૂ કરે એટલે પ્રથમ પાને “શ્રી ૧’ લખે, નવાં કાર્યોની શરૂઆત ‘શ્રી ગણેશાય નમ:’ કે “ૐ” લખીને પણ થાય. સંકલ્પ બળ આપતાં આવા શબ્દો માત્ર શુભકાર્યની શરૂઆતમાં અને એક જ વખત લખવામાં આવે. પરંતુ ડૉક્ટર જેટલાં દર્દીઓ તપાસી દવાઓ લખી આપે તે દરેક પ્રિસ્ક્રિપ્શનનાં મથાળે Rx લખવાનું ન ચૂકે. દર્દી કે તેના સંબંધીઓને ડૉક્ટરે લખી આપેલી દવાઓમાં રસ હોય એટલે તે કાગળના મથાળે Rx શા માટે લખ્યું છે તે જાણવાની કે જોવાની પળોજણમાં ન પડે. એમાંય ડૉક્ટરના અક્ષરો ગરબડિયાં હોય છે અને માત્ર દવાના વેપારીઓ જ તેને…

ચેન્નઇ સુપરકિંગસ(CSK) ને હરાવવા માટે ધોની પાસેથી શીખેલી રણનીતિ ધોની સામે વાપરશે ઋષભ પંત

IPL2021: પહેલી વાર દિલ્લી કેપિટલ(DC) ના કેપ્ટન તરીકે ઋષભ પંત જોવા મળશે. 10મી એપ્રિલે ચેન્નઈ સુપરકિંગ્સ ની સામે કરશે કેપ્ટનશિપની શરૂઆત. દિલ્લી કેપિટલના ઋષભ પંત IPL માં પહેલી વખત કેપ્ટન તરીકે જોવા મળશે. 10મી એપ્રિલે CSK સામે કેપ્ટનશિપ ની શરૂઆત કરશે. DC ના કેપ્ટન શ્રેયસ અય્યર ઇજાગ્રસ્ત હોવા થી ઋષભ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો. પંત દ્વારા CSK વિરૂદ્ધ રણનીતિ ત્યાર કરી છે. તેણે જણાવ્યું કે મહેન્દ્રસિંહ ધોની પાસેથી શીખેલી રણનીતિ (ટેકનિક) ની મદદથી CSK વિરૂદ્ધ કંઇક અલગ કરશે. DC તરફથી પંતે જણાવ્યું કે ‘ કેપ્ટનના રૂપે આ મારી પહેલી મેચ…

ગુજરાતમાં બાળકોને લાગી રહ્યો છે કોરોનાનો ચેપ

ગુજરાત: સમગ્ર રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. હવે બાળકોમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. રાજ્યમાં નાના બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. કોરોના સંક્રમણમાં બે વર્ષની બાળકી સહીત 3 બાળકોના મૃત્યુ થયાં છે. જયારે અમદાવાદ સિવિલમાં હાલ 11 બાળકો સારવાર લઈ રહ્યા છે. 11માંથી બે બાળકોની તબિયત નાજુક છે. સુરત શહેરમાં પણ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. સુરતમાં એક બાળકએ કોરોનામાં જીવ ગુમાવ્યો અને એક બાળક વેન્ટિલેટર પર છે. તો બીજી તરફ, રાજકોટ શહેરમાં 15 દિવસ થી રોજ 25 જેટલા બાળકોના ટેસ્ટ પોજિટિવ આવ્યા છે. જન્મની સાથે જ 2 થી 7 દિવસના…

સ્મૂથ, ચમકદાર અને સિલ્કી વાળ માટે અપનાવો આ પાંચ ઘરેલુ ઉપાયો

વાળની ​​સંભાળ માટે બજારમાં ઘણા પ્રકારના ઉત્પાદનો ઉપલબ્ધ છે, પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદિક પદ્ધતિઓ અપનાવીને વધુ સારી રીતે કાળજી લઈ શકાય છે. વાળની ​​સંભાળ દરમ્યાન, તમારે ઘરેલું ઉપાય અપનાવવા જ પડે. તેમજ તંદુરસ્ત જીવનશૈલી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોવામાં આવે તો, જો બ્યુટી રૂટીનનું પાલન ન કરવામાં આવે અને જીવનશૈલી બરાબર ન હોય તો વાળથી સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. તો જાણીએ પાંચ ઘરેલું ઉપાયો વિશે, જે તમને આ સમસ્યાઓ હલ કરવામાં ઘણી મદદ કરી શકે છે. 1) મધ અને ઓલિવ તેલ: મધ તમારા…

ગુજરાતનાં 20 શહેરોમાં રાત્રે કોરોના રૂપી ભૂતને…. નહીં મળે શિકાર…. રાત્રે 8થી સવારનાં 6 સુધી કર્ફ્યૂ નું અમલીકરણ

રાત્રે 8 થી સવારનાં 6 સુધી રાત્રિ કર્ફ્યૂનું અમલીકરણ રાજ્યનાં મહાનગરો મળીને કુલ 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ગુજરાત: મુખ્યમંત્રી વિજય રૂપાણીની કોર કમિટી સાથેની બેઠક પૂર્ણ થયાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. તો મોટા મેળાવડાઓ પર આગામી 30 એપ્રિલ સુધી પ્રતિબંધ લાદ્યો હતો. લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા જાહેર કરવામાં આવી છે. આ 20 શહેરોમાં રહેશે રાત્રિ કર્ફ્યૂ, 1.      અમદાવાદ 2.      નડિયાદ 3.      રાજકોટ 4.    અમરેલી…

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ કરાઈ મોકૂફ

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ 12 એપ્રિલે અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ ગુજરાત: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આગામી 12 અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષાઓ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી છે. BA,BSC,BBA,BCA,B.ED, B.COM.ની પ્રથમ સેમની પરીક્ષાઓ 12 અને 23 એપ્રિલથી શરૂ થવાની હતી. પરંતુ રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાયરસનાં વધી રહેલા કેસને પગલે આ પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવાનો યુનિવર્સીટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. આગામી આદેશ ન મળે ત્યાં સુધી પરીક્ષાઓ રહેશે મોકૂફ યુનિવર્સિટીનાં તંત્ર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ…

મેં પલ દો પલ કા શાયર હૂં! ~ સાહિર લુધિયાનવી

હવે ગતાંકથી આગળ… મેં પલ દો પલ કા શાયર હું! ~ સાહિર લુધિયાનવી સાહિરને સાચી સિદ્ધિ તેમનાં ગીતોએ અપાવી છે. પહેલાંના જમાનામાં આજનાં જેટલું ગીતકારનું માન નહોતું. એ માન મેળવવાં માટે સાહિર આખી જિંદગી લડ્યાં: ગાયકો, કે મ્યુઝિક ડિરેક્ટર સાથે. એસ.ડી.બર્મન જેવાં મહાનતમ મ્યુઝિક ડિરેક્ટર સાથે ય બબાલ થઈ ગયેલી. અને એક વિવાદ વખતે તો ગાયક અને મ્યુઝિક ડિરેક્ટરને સાહિરે સંભળાવી દીધેલું કે, તમને શું લાગે છે તમારાં લીધે ગીતો ચાલે છે? મારા લીરિક્સમાં દમ છે એટલે ગીતો ચાલે છે! જે દિવસે મારા લીરિક્સના લીધે ગીતો નહીં ચાલે એ દિવસે…