ગુજરાતનાં 20 શહેરોમાં રાત્રે કોરોના રૂપી ભૂતને…. નહીં મળે શિકાર…. રાત્રે 8થી સવારનાં 6 સુધી કર્ફ્યૂ નું અમલીકરણ

  • રાત્રે 8 થી સવારનાં 6 સુધી રાત્રિ કર્ફ્યૂનું અમલીકરણ
  • રાજ્યનાં મહાનગરો મળીને કુલ 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ

ગુજરાત: મુખ્યમંત્રી વિજય રૂપાણીની કોર કમિટી સાથેની બેઠક પૂર્ણ થયાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. તો મોટા મેળાવડાઓ પર આગામી 30 એપ્રિલ સુધી પ્રતિબંધ લાદ્યો હતો.

લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા જાહેર કરવામાં આવી છે.

આ 20 શહેરોમાં રહેશે રાત્રિ કર્ફ્યૂ,

1.      અમદાવાદ 2.      નડિયાદ
3.      રાજકોટ 4.    અમરેલી
5.      સુરત 6.      મહેસાણા
7.      વડોદરા 8.      મોરબી
9.      જુનાગઢ 10.  પાટણ
11.  ગાંધીનગર 12. ગોધરા
13.  જામનગર 14.  દાહોદ
15.  આનંદ 16.  ભુજ
17.  ભાવનગર 18.  ગાંધીધામ
19. ભરૂચ 20. સુરેન્દ્રનગર

Related posts

Leave a Comment