અમિત શાહ આજે સાંજે 7 વાગ્યે આંદોલનકારીઓ સાથે બેઠક કરશે

આજે ખેડૂત આંદોલનને ભારત બંધના એલાનને અનેક રાજયોમાં મળેલા ભારેથી મિશ્ર પ્રતિસાદ તથા આંદોલનકારીઓ પીછેહઠ કરવાનાં મુડમાં નહીં હોવાનો સંકેત મળતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકશનમાં આવી ગયા છે. આવતીકાલની છઠ્ઠા તબકકાની વાતચીત પૂર્વે જ આજે સાંજે 7 વાગ્યે ખેડૂત અગ્રણીઓને મળવા માટે આમંત્રણ આપ્યું છે. અમિત શાહ અગાઉ કિસાન આંદોલન મુદે દરમિયાનગીરી કરી ચુકયા હતા પરંતુ તેમાં સફળતા મળી ન હતી અને આવતીકાલે છઠ્ઠા તબકકાની વાતચીત થવાની હતી પરંતુ જે રીતે કિસાન આંદોલન વધુ ઉગ્ર બને અને વિપક્ષો પણ તેમાં તાકાત લગાવી રહ્યાના સંકેત મળ્યા હતા. અમિત શાહે…

‘દિલ્લી પોલીસે સીએમ કેજરીવાલને કર્યા નજરકેદ’, AAPનો ગૃહ મંત્રાલય પર આરોપ

CM અરવિંદ કેજરીવાલને કરવામાં આવ્યા છે નજરકેદ આ આરોપ લાગવ્યો છે આમ આદમી પાર્ટીનાં નેતાઓએ CM કેજરીવાલે ખેડૂતોને આપ્યું હતું સમર્થન નેશનલ: ખેડુતોનાં આંદોલન અને ભારત બંધને ધ્યાનમાં રાખીને દિલ્લી પોલીસે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને નજરકેદ કરી દીધા છે. આ આરોપ આમ આદમી પાર્ટી (AAP)એ લગાવ્યો છે. AAPનું કહેવું છે કે સીએમ અરવિંદ કેજરીવાલ સિંધુ બોર્ડરથી પરત ફર્યા હતા ત્યારથી તેના માટે નજરકેદ જેવી પરિસ્થિતિઓ બનાવવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલની તમામ બેઠક રદ કરવામાં આવી છે. AAPનો આરોપ છે કે, ગૃહ મંત્રાલયનાં આદેશથી પોલીસે દિલ્લી મહાનગર પાલિકાનાં ત્રણ મેયરને…

ભારત બંધ એલાનનાં પગલે દેશભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

ખેડૂત સંગઠનો દ્વારા અપાયું ભારત બંધનું એલાન પ્રકાશ જાવડેકરે બંધને સમર્થન આપવા બદલ વિપક્ષોની કડક શબ્દોમાં ટીકા કરી નેશનલ: ખેડૂત સંગઠનો દ્વારા આજે અપાયેલા ભારત બંધ આહવાનને પગલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીની સરહદે નવા ફાર્મ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંઘોએ આજે સવારે 11 થી સાંજનાં 3 દરમિયાન દેશવ્યાપી હડતાલની હાકલ કરી છે. જો કે બંધના એલાનને મિશ્ર પ્રતિભાવ મળ્યો છે. માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે કૃષિધારાઓ અંગે ખેડૂતોમાં ગેરસમજ ફેલાવવા માટે તથા આજના ભારત બંધને સમર્થન આપવા બદલ વિપક્ષોની કડક…

પેટ્રોલ-ડીઝલનાં ભાવોમાં સતત વધારો

પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં આજે 25થી લઈને 33 પૈસા સુધીનો વધારો છેલ્લા 6 દિવસથી સતત વધી રહ્યાં છે ભાવ મુંબઈમાં પેટ્રોલનાં ભાવ આસમાને નેશનલ: સરકારી ઓઇલ કંપનીઓએ વધુ એક વખત આજે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કર્યો છે. આજે સોમવારે સવારે 6 વાગ્યે ડીઝલનાં ભાવમાં દેશભરમાં 25 પૈસાથી માંડીને 31 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પેટ્રોલનાં ભાવોમાં પણ આજે સવારે પ્રતિ લિટર 30 પૈસાથી લઇને 33 પૈસાનો નોંધપાત્ર પ્રમાણમાં મોટો કહી શકાય તેવો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આજે સોમવારે થયેલા આ ભાવ વધારા પછી મુંબઇમાં ડીઝલનો ભાવ…

5 ડિસેમ્બરથી નેટફ્લિક્સ ભારતમાં બધાં લોકો માટે ફ્રી, જાણો કેવી રીતે મળશે આ ઓફરનો લાભ..

netflix stream fest

નેટફ્લિક્સ(Netflix) પોતાનાં ભારતીય યુઝર્સ માટે લઈને આવ્યું છે ફ્રી ઓફર 5 ડિસેમ્બરથી મળશે આ ઓફરનો લાભ આ ઓફરમાં રજીસ્ટ્રેશન કરનાર દરેકને મળશે ફ્રીમાં નેટફ્લિક્સ મનોરંજન: નેટફ્લિક્સ(Netflix) ઇન્ડિયાએ એક જાહેરાત કરી છે જેમાં જણાવ્યું છે કે, 5 ડિસેમ્બરથી ભારતમાં નેટફ્લિક્સની એક ફ્રી ઓફર લોન્ચ કરવામાં આવશે. જેની વેલીડિટી બે દિવસની હશે. આ બે દિવસને નેટફ્લિક્સ(Netflix)એ “સ્ટ્રીમફેસ્ટ”(streamfest) તરીકે જાહેર કર્યા છે. આ સ્ટ્રીમફેસ્ટ(streamfest) બે દિવસ માટે એટલે કે 5 ડીસેમ્બર અને 6 ડિસેમ્બર એમ બે દીવસ સુધી ચાલશે. જે દરમિયાન ભારતનાં દરેક લોકોને આ બે દિવસ માટે ફ્રીમાં નેટફ્લિક્સ(Netflix) જોવા મળશે. સ્ટ્રીમફેસ્ટ(streamfest)…

મહારાષ્ટ્રનાં શિક્ષકે 1 મિલિયન ડોલરનું ઇનામ જીત્યું

મહારાષ્ટ્રનાં શિક્ષકે ઉત્કૃષ્ટ શિક્ષણ કાર્ય માટે મેળવ્યું 1 મિલિયન ડોલરનું ઈનામ ઈનામ મળતાની સાથે અડધી રકમ શેર કરી દીધી વાર્ષિક વૈશ્વિક શિક્ષક પુરસ્કાર-2020નાં વિજેતા તરીકે જાહેર કરાયા મનોરંજન: ભારતનાં એક પ્રાથમિક શાળાનાં શિક્ષકને બાળ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટેનાં પ્રયત્નો અને દેશમાં પાઠયપુસ્તક ક્રાંતિમાં મોટા પાયે પ્રયત્નો કરવા બદલ વાર્ષિક વૈશ્વિક શિક્ષક પુરસ્કાર-2020નાં વિજેતા તરીકે જાહેર કરવામાં આવયા છે. દેશમાં ક્વિક એક્શન (QR) કોડ. અંતિમ રાઉન્ડમાં પહોંચેલા દસ સ્પર્ધકોમાં મહારાષ્ટ્રનાં સોલાપુર જિલ્લાના પરદેવદી ગામનો રણજીતસિંહ ડીસાલે વિજેતા તરીકે ઉભરી આવ્યા છે. વારકે ફાઉન્ડેશન દ્વારા અસાધારણ શિક્ષકોને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કાર…

“અમે અમારું ભોજન અમારી સાથે લાવ્યા છીએ”, ખેડુતોએ મીટિંગમાં સરકારી લંચ જમવા માટે કર્યો ઇનકાર

કૃષિ બિલનાં કારણે ખેડૂતો કરી રહ્યાં આંદોલન છેલ્લા 7 દિવસથી આ આંદોલને જોર પકડ્યું છે આજે ખેડૂત અને કેન્દ્ર સરકારનાં મંત્રીમંડળની બેઠક હતી નેશનલ: કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ બિલનો વિરોધ ખેડૂતો કરી રહ્યાં છે. ત્યારે આજે સરકાર દ્વારાં વાટાઘાટો કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાતચિત માટે સરકારે ખેડૂતોને વિજ્ઞાન ભવનમાં આમંત્રિત કર્યા હતા. જ્યાં ખેડૂતો એ પોતનાં મુદ્દા સામે મૂક્યા હતા. આ બાબતે સરકારે અને ખેડૂતોએ ઘણી વાતો કરી હતી. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલ્વે મંત્રી પિયુષ ગોયલ પણ હાજર છે. નરેન્દ્ર તોમારે બેઠક…

રજનીકાંત 31 ડિસેમ્બરે પોતાના નવા રાજકીય પક્ષની જાહેરાત કરશે

સુપરસ્ટાર રાજનીકાંતે આ જાહેર કર્યું છે કે તેઓ 31 ડિસેમ્બરનાં રોજ પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરશે. વર્ષોથી આ પ્રકારનાં અટકળો ચાલી રહ્યાં હતા કે રજનીકાંત રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે. આખરે આ અટકળોનો અંત આવ્યો છે. રાજનીકાંતે તેમની પાર્ટીનાં વરિષ્ઠ પદાધિકારીઓ સાથે મુલાકાત બાદ આ જાહેરાત કરી છે કે, તેઓ 31 ડિસેમ્બરનાં રોજ પોતાની નવી પાર્ટીની જાહેરાત કરશે અને ત્યાર બાદ જાન્યુઆરીનાં માહિનામાં ચૂંટણીલક્ષી રાજકારણ માટેની યોજનાની જાહેરાત કરશે. ગયા મહિને સુપર સ્ટાર રાજનીકાંતે સંકેતો આપ્યા હતા કે તેઓ ટૂંક સમયમાં ચૂંટણીલક્ષી રાજકરણમાં આવી શકે છે. તેમણે તેમ પણ…

એમડીએચ(MDH) મસાલાનાં માલિક ‘ધરમપાલ ગુલાટી’નું ગુરુવારે સવારે 97 વર્ષની વયે નિધન

આજે સવારે 5:30 વાગ્યે તેમને છેલ્લા શ્વાસ લીધા ગુલાટીએ વર્ષ 1959માં સત્તાવાર રીતે MDH(Mahashian Di Hatti Private Limited) કંપનીની સ્થાપના કરી હતી ધરમપાલ ગુલાટીએ તેમની કમાણીનો લગભગ 90 ટકા ભાગ દાનમાં આપ્યો હતો નેશનલ: રિપોર્ટસ અનુસાર, તે છેલ્લા ત્રણ અઠવાડિયાથી દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગુરુવારે સવારે અટેક આવ્યો અને આજે સવારે 5:30 વાગ્યે તેમને છેલ્લા શ્વાસ લીધા. ‘દલાજી’ અને ‘મહાશાયજી’ તરીકે ઓળખાતા, ધરમપાલ ગુલાટીનો જન્મ 1923 માં પાકિસ્તાનનાં સિયાલકોટમાં થયો હતો. ધરમપાલ ગુલાટી ભણવાનું છોડી, તેમના પિતાનાં મસાલાના વ્યવસાયમાં જોડાયા. 1947માં ભારત અને પાકિસ્તાન ભાગલા પછી, ધરમપાલ ગુલાટી…

કેન્દ્ર સરકાર ખેડૂતોનાં આગેવાનો સાથે ચોથા દોરની મંત્રણા આજે યોજાશે

ખેડૂતો કૃષિ ધારા અંગે દેખાવો કરી રહ્યાં છે કેન્દ્ર સરકાર અને કૃષિ આગેવાન વચ્ચે મંત્રણા યોજાશે નેશનલ: કેન્દ્ર સરકાર અને કૃષિ ધારા અંગે દેખાવો કરી રહેલા ખેડૂતોનાં આગેવાનો સાથે ચોથા દોરની મંત્રણા આજે યોજાશે. ગયા મંગળવારે કેન્દ્ર સરકાર તથા ખેડૂતો વચ્ચે યોજાયેલી ત્રીજા દોરની વાતચીત અનિર્ણિત રહી હતી. મંગળવારે યોજાયેલી વાતચીતમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેડૂત તથા કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સંપૂર્ણ રીતે પ્રતિબધ્ધ છે. પત્રકારો સાથેની વાતચીતમાં તોમરે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં સુધારાઓ ખેડૂતોના હિતમાં લેવાયા છે. આ ધારા અંગે ખેડૂતોને વાંધો હોય તો…