રાજસીતાપુરથી સરવાળ, માલવણ તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં, ગ્રામજનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયું

28 ઓગસ્ટના રોજ ખરાબ રસ્તાના નિકાલ અને રસ્તો ડબલ પટ્ટીનો કરવા બાબતે નાયબ કાર્યપાલક ઈજનેર ધ્રાંગધ્રા ખાતે અરજી કરેલી અગાઉ આપેલી અરજી પર યોગ્ય કામગીરી ન થતા, ખરાબ રસ્તાના નિરાકરણ બાબતે ગ્રામજનો દ્વારા રજૂઆત કરી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું ગુજરાત: રાજ્યમાં ઘણી બધી જગ્યાએ રોડ રસ્તા ખરાબ હોવાથી લોકોને ખુબજ મુશ્કેલીઓ ભોગવી પડતી હોય છે. કેટલીક જગ્યાએ રોડ રસ્તા એટલી હદે ખરાબ હાલતમાં જોવા મળે છે કે ત્યાંથી વાહનવ્યવહાર શક્ય ન બને! રોડ રસ્તાની ખરાબ હાલતને કારણે ઘણી વખત અકસ્માત થવાની શકયતા પણ રહે છે. ત્યારે રાજચરાડી ગ્રામપંચાયત દ્વારા રાજસીતાપુરથી…

ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામમાં સૌ પ્રથમ વખત બૌદ્ધ વિધિથી લગ્ન થયાં

ગુજરાત: 14 ફેબ્રુઆરીનાં રોજ ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામનાં રહીશ હિતેશકુમાર પુનાભાઈ ચાવડાનાં સુરેન્દ્રનગરનાં મુક્તાબહેન ભવાનભાઈ રાઠોડ સાથે બૌદ્ધ વિધિ મુજબ લગ્ન થયાં હતાં. લગ્નમાં સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર સ્થિત બૌદ્ધ વિહારનાં ભંતેજી પંથીક શ્રેસ્ટીજી અને સી. ડી. ડોરિયા ઉપસ્થિત રહ્યાં હતાં. ‘અમરબોધિ બુદ્ધ વિહાર’ સુરેન્દ્રનગર દ્વારા વિવાહમંગલ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. રાજચરાડી ગામમાં સૌપ્રથમ વખત બૌદ્ધ વિધિ અનુસાર લગ્ન કરવામાં આવ્યાં છે. ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામનાં હિતેશકુમાર પુનાભાઈ ચાવડાનાં ગત રવિવારનાં રોજ સુરેન્દ્રનગરનાં રહીશ મુક્તાબહેન ભવાનભાઈ રાઠોડ સાથે બૌદ્ધ વિધિ મુજબ લગ્ન કરવામાં આવ્યાં હતાં. લગ્નમાં સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર સ્થિત બૌદ્ધ…

ઐતિહાસિક અને પુરાતત્વમાં નોંધાયેલ પ્રતાપપુરનું ચંદ્રાસર તળાવ આજે નષ્ટ થવાને આરે !

તળાવમાં તૈયારી કરી ગામનાં ઘણા વિદ્યાર્થીઓ સ્વિમિંગમાં સ્ટેટ અને નેશનલ ક્ષેત્રે મેડલ જીત્યા છે રાજ્ય સરકાર કે પુરાતત્વ વિભાગ તળાવને સાચવવાની જવાબદારી ક્યારે લેશે? ગુજરાત: ધ્રાંગધ્રાનાં પ્રતાપપુર ગામમાં આવેલું અસ્ટકોણીય આકારનું ચંદ્રાસર તળાવ ઘણા વર્ષો જૂનું છે. સ્થાનિકોનું એવું માનવું છે કે, ચંદ્રાસર તળાવ ભૂત દ્વારા તૈયાર કરવામાં આવેલું. તળાવ ક્રિકેટનાં સ્ટેડિયમ માફક દેખાય છે. તળાવની મદદથી ગામની પ્રાથમિક શાળાનાં ઘણા વિદ્યાર્થીઓ સ્વિમિંગમાં ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ ક્ષેત્રની પ્રતિયોગીતામાં ભાગ લઈને મેડલ જીત્યા છે. પરંતુ આજે આ તળાવ નષ્ટ થવાને આરે છે. તળાવ હવે તૂટવા લાગ્યું છે અને તળાવનું પાણી…

હરિપર ગામમાં જુગાર રમતા ચાર ઇસમોને રૂ. 10650નાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટાફનાં માણસો ગામડાઓમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં પોલીસને હરિપર શક્તિમાતાનાં મંદિર બાજુનાં ચોકમાં જુગાર રમતા હોવાની બાતમી મળેલી ગુજરાત: ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટાફનાં માણસો તાલુકાનાં વિવિધ ગામડાઓમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતાં. આ દરમિયાન હરિપર ગામનાં શક્તિમાતાનાં મંદિર બાજુમાં આવેલા ચોકમાં કેટલાંક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે બાતમી પરની જગ્યાએ રેડ મારતાં ચાર ઈસમોને કુલ રૂ.10650નાં મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતાં. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે જુગાર રમતા ચારેય ઈસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત સોમવારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટાફનાં માણસો ધ્રાંગધ્રાનાં…

“તારે આ ઘરમાં રહેવું હોય તો તારા માવતર પાસેથી રૂપિયા લાવવા પડશે”, સાસરિયાની દહેજની માંગણી

ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં દહેજની માંગણી કરીને માનસિક- શારીરિક ત્રાસ આપતા સાસરિયા પક્ષ સામે નોંધાઈ ફરિયાદ માવતર ગરીબ હોવાથી યુવતી સાસરિયાનો ત્રાસ સહન કરતી હતી, અંતે કંટાળીને નોંધાવી FIR ગુજરાત: સુરેન્દ્રનગરમાં રહેતી યુવતીનાં વર્ષ 2018માં સમાજનાં રીતરિવાજ મુજબ ધ્રાંગધ્રાનાં યુવક સાથે લગ્ન થયા હતા. પરંતુ લગ્નનાં ત્રણ મહીના બાદ સાસરિયા તરફથી અવાર-નવાર દહેજની માંગ કરીને યુવતીને માનસિક અને શારીરિક ત્રાસ આપી ઘરની બહાર કાઢી મૂકી હતી. યુવતી છેલ્લા દોઢ વર્ષથી તેના પિતાની સાથે રહે છે. અંતે કંટાળીને યુવતીએ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં સાસરિયા પક્ષ સામે દહેજની માંગ કરીને માનસિક અને શારીરિક…

ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર સ્વિફ્ટ કાર અને મીની એસ.ટી. બસ વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત

સ્વિફ્ટ કારમાં બેઠેલા ચારમાંથી ત્રણ વ્યક્તિનાં મોત, અન્ય એક વ્યક્તિને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પરની ઉમિયા ભવાની હોટલ આગળ સર્જાયો અકસ્માત ગુજરાત: ગઈકાલે ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ધ્રાંગધ્રા બાયપાસ પરની ઉમિયા ભવાની હોટલ આગળ સ્વિફ્ટ કાર અને મીની એસ. ટી. બસ વચ્ચે ગંભીર અકસ્માત થયેલો. તેમાં સ્વિફ્ટ કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર મોકલવામાં આવ્યા છે. ધ્રાંગધ્રા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગત રવિવારે સાંજના આસરે…

નિશા ગોંડલિયા ફાયરિંગ કેસમાં ગુજરાત ATS દ્વારા ચોંકાવનારો ખુલાસો

જામખંભાળીયામાં નિશા ગોંડલિયા ઉપર થયેલા ફાયરિંગ મામલે મોટો ખુલાસો સામે આવ્યો નિશા ગોંડલિયાએ જાતે જ ફાયરિંગ કરાવી હોવાનું સામે આવ્યું છે ગુજરાત: નિશા ગોંડલિયા ફાયરિંગ કેસ મામલે ATSએ મોટી કાર્યવાહી કરી છે અને બે આરોપીની સંડોવણી હતી તેમની ધરપકડ કરવામાં આવી છે. ATSની તપાસમાં મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે કે, નિશાએ જ કાવતરું ઘડીને જયેશ પટેલ અને યક્ષાપલ જાડેજાને ફસાવવા માટે પોતાના પર જ ફાયરિંગ કરાવ્યું હતું. ફાયરિંગનો આક્ષેપ જયેશ પટેલ પર લગાવ્યો હતો. વર્ષ 2019માં એક કેસમાં નિશાને સાક્ષી માટે હટી જવા માટે જયેશ પટેલ દબાણ કરી રહયો છે…

રાજચરાડી ગામમાં કપાસ ભરવા માટે આવેલી ગાડીમાં આગ લાગી

વીજળીનાં તાર ભેગા થવાથી ભીષણ તણખા થયા બાદ તણખા કપાસની ગાડીમાં પડ્યા હતા સ્થાનિકોનાં જણાવ્યા મુજબ ગાડીમાં આગનાં કારણે અંદાજે રૂ.35-40 હજારનું નુકસાન થયું છે ગુજરાત: ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામમાં કપાસ ભરવા માટે આવેલી ગાડીમાં આગ લાગી હતી. ગાડીમાં પહેલાથી જ કપાસ અડધાથી ઉપર હાલત ભરેલો હતો. ગાડી ગામનાં મુખ્ય રસ્તેથી ગામમાં જઈ રહી હતી. આ દરમિયાન લુહારની કોળ પાસેનાં રસ્તાની બાજુમાં આવેલા વીજળીનાં થાંભલાનાં તાર સાથે ગાડી ઉપરથી અડી ગઈ હતી. જેથી વીજળીનાં તાર ભેગા થવાથી ભીષણ તણખા થયા હતા. જેના કારણે ગાડીમાં ભરેલા કપાસ પર આ તણખા પડતા…

રાજચરાડી ગામનાં નવા પરા વિસ્તારની ગટર છેલ્લા છ મહિનાથી લીકેજ

ગટરનાં ગંદા પાણીનાં ચોવીસ કલાક વહન અને ભરાય રહેવાથી સ્થાનિકો ત્રાહિમામ તલાટી અને સરપંચને વારંવાર રજૂઆત કર્યા છતાં સમસ્યાનો કોઈ નિકાલ થયો નથી અઠવાડિયામાં લીકેજ ગટરનો નિકાલ ન થયો તો મામલતદારને આવેદન આપી રજૂઆત કરીશું : સ્થાનિકોની માંગ ગુજરાત: ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામનાં નવા પરા વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ગટર લીકેજ છે. ગટર લીકેજ હોવાથી ગટરનું ગંદુ પાણી રસ્તા પર ચોવીસ કલાક વહ્યા કરે છે. રસ્તો પણ ખાડા-ખાબોચિયા વાળો હોવાથી ત્યાં ગટરનું ગંદુ પાણી ખાડામાં ભરાયેલું રહે છે. આમ ગટરનાં ગંદા પાણીનાં ચોવીસ કલાક વહન અને ભરાય રહેવાના કારણે મચ્છરોનો…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માંડવી ખાતેનાં ડીસેલીનેશન પ્લાન્ટ અને હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કનું કર્યું ખાતમુહૂર્ત

સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ કરવામાં આવ્યો દરિયાનાં ખારા પાણીને પીવાલાયક પાણી બનાવતા ડિસેલિનેસન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગુજરાત: કચ્છની પાકિસ્તાન બોર્ડર પાસે ધોરડો ખાતે બની રહેલા સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનો આજે પ્રધાનમંત્રી શિલાન્યાસ કર્યો. આ એનર્જી પાર્ક 72 હજાર હેક્ટર ક્ષેત્રમાં બનશે જે આશરે 30 ગીગાવૉટ જેટલી વીજળીનુ ઉત્પાદન કરશે. આ રિન્યુએબલ એનર્જી પાર્ક દેશનો સૌથી મોટો એનર્જી પાર્ક બનશે. માંડવી ખાતે બની રહેલા દરિયાનાં ખારા પાણીને પીવાલાયક પાણી બનાવતા ડિસેલિનેસન પ્લાન્ટનો પણ આજે પ્રધાનમંત્રીએ પણ ખાતમુહૂર્ત કર્યું. આ ડિસેલિનેસન પ્લાન્ટની ક્ષમતા 10 કરોડ લીટર…