ધ્રાંગધ્રાના થળા ગામના 200 થી વધુ વ્યક્તિ ‘આપ’ સાથે જોડાયા

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ થળા ગામમાં ‘આપ’ની મિટિંગ યોજાઈ મિટિંગમાં ‘આપ’ ના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ, અમદાવાદ જિલ્લા અને શહેરી સંગઠન મંત્રી તથા સામાજિક કાર્યકરોએ હાજરી આપી ગુજરાત: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલા થળા ગામના 200 થી વધુ વ્યક્તિઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા. મિટિંગમાં ‘આપ’ ના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ, અમદાવાદ જિલ્લા સંગઠન મંત્રી, અમદાવાદ શહેરી સંગઠન મંત્રી તથા સામાજિક કાર્યકરોએ મહત્વપૂર્ણ હાજરી આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ થળા ગામમાં ‘આપ’ની મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ પરસોત્તમભાઈ મકવાણા, અમદાવાદ જિલ્લા સંગઠન મંત્રી અશોકભાઈ પટેલ, અમદાવાદ શહેરી સંગઠન…

‘INNER WHEEL CLUB OF DHRANGADHRA’ ની ઈન્સ્ટોલેશન મિટિંગ યોજાઈ

નવા પ્રેસિડેન્ટ તથા નવા સભ્યોને નિમણૂક કરીને જવાબદારી સોંપાઈ સ્ત્રી સશક્તિકરણ, જીવદયા, વૃક્ષારોપણ જેવા સેવાકીય કાર્યોમાં સંસ્થાનું મહત્ત્વનું યોગદાન ગુજરાત: ‘INNER WHEEL CLUB OF DHRANGADHRA’ અને રોટરી ક્લબ બંને સામાજિક સંસ્થાઓની ઈન્સ્ટોલેશન મિટિંગ યોજાઈ હતી. જેમાં સંસ્થાના ભાગીદાર તમામ મહિલાઓ ઉપરાંત ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહી વિધિવત રીતે સંસ્થાના સભ્ય બન્યાં. મમતા દિવસની ઉજવણી સ્વરૂપે મિટિંગ યોજવામાં આવેલી. ધ્રાંગધ્રામાં આવેલ ‘INNER WHEEL CLUB OF DHRANGADHRA’ અને રોટરી ક્લબ બંને સામાજિક સંસ્થાઓનું ધ્રાંગધ્રામાં સ્ત્રી સશક્તિકરણ, જીવદયા, વૃક્ષારોપણ જેવા અનેકવિધ સેવાકીય કાર્યોમાં પોતાનું મહત્ત્વનું યોગદાન છે. ગત બુધવારે આવનાર મમતા દિવસની ઉજવણી…

કૌભાંડ: કરોડોની મિલકત ચાઉં!, કેસમાં સંડોવાયેલ બે વ્યક્તિના આગોતરા જામીન થયાં મંજૂર

ગાંધીનગરના વેપારીની કરોડોની જમીન પચાવી જવાના કેસમાં પોલીસે ગાંધીધામના ચાર વ્યક્તિની ધરપકડ કરેલી પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરતાં અન્ય બે વ્યક્તિ સંડોવાયેલા હોવાનું બહાર આવેલું સુરેન્દ્રનગરના યુવા વકિલ એસ. ડી. મોઘરીયા દ્વારા હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે દરખાસ્ત મૂકેલી ગુજરાત: એક જ નામના વ્યક્તિઓ ઘણા બધા હોય છે. આમ તેમના નામની સાથે ઘણી વખત એમની અટક પણ મળતી આવતી હોવાથી ઘણા-બધા ખોટા પુરાવા (દસ્તાવેજ) રજૂ કરીને જમીન પચાવી જવાના કેટલાંય કિસ્સાઓ પ્રકાશમાં આવતાં હોય છે. ત્યારે ગાંધીનગરના એક વેપારી સાથે જ આવી જ કાઈ ઘટના બની હતી. વર્ષ 1989 માં અમૃતલાલ…

ધ્રાંગધ્રાના બે વ્યક્તિ કચ્છના નાના રણમાં રસ્તો ભૂલ્યા

વચ્છરાજ દાદાના મંદિરે દર્શન કરવા જતાં વચ્ચે બાઇક થયું બંધ, આખો દિવસ રણમાં ભૂખ્યા-તરસ્યા થયા બેભાન રણમાં કોઈ ફસાયું હોવાના ઉડતા સમાચાર આવતા નજીકના ગામના માણસો બંને વ્યક્તિને બચાવવા દોડી આવ્યાં ગુજરત: ધ્રાંગધ્રાના તાલુકાના દલવાડી સમાજના બે વ્યક્તિ કચ્છના નાના રણમાં વચ્છરાજ દાદાના મંદિરે દર્શન કરવા ગયાં હતાં. રણમાં રસ્તો ભુલતાં આખો દિવસ વીતી જતા ભૂખ્યાં-તરસ્યા રણમાં વલખા મારી રહ્યાં હતાં. તેવામાં નજીકના ગામમાં રણમાં કોઇ ફસાયું હોવાના ઉડતા સમાચાર આવતા કેટલાંક માણસો બંને વ્યક્તિને બચાવા દોડી આવ્યાં હતાં. ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામના અને ધ્રાંગધ્રાના દલવાડી સમાજના બે વ્યક્તિ સવારે…

ધ્રાંગધ્રાના હોલસેલના વેપારીના ₹ 2.50 લાખ ભરેલો થેલો ઝૂંટવી બે શખ્સો ફરાર

વૃંદાવન સોસાયટી નજીક બાઇક પર બે શખ્સોએ વેપારીની એક્ટિવા ઉભી રાખી પૈસાનો ધેલો લઈ ગાયબ વેપારીએ બે અજાણ્યા બાઇક સવાર સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી ગુજરાત: ધ્રાંગધ્રાના વેપારી ધંધાની અને ઉઘરાણીની રકમ મળી કુલ 2.50 લાખ રોકડ રકમ થેલામાં રાખી નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરીને ઘરે જઇ રહ્યાં હતાં. ત્યારે રસ્તામાં બે શખ્સોએ વેપારીની એક્ટિવા ઉભી રાખી રૂપિયાનો ધેલો ઝૂંટવી નાસી છૂટ્યા હતાં. વેપારીએ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ધ્રાંગધ્રાના વેપારી અનિલભાઈ મહેતા કિરાણા સ્ટોરની હોલસેલની દુકાન ચલાવે છે. દુકાનમાં તેમની સાથે તેમનો દીકરો ભાવિન અને…

“આવો વિવાનની વ્હારે”, માલવણ ચોકડી ટોલટેક્સ ખાતે સેવાભાવી યુવાનોની મદદની માંગણી

મસ્ક્યુલર એટ્રોફીથી પીડિત વિવાનની મદદ અર્થે ધ્રાંગધ્રા, ખેરવા અને માલવણનાં યુવાનો એકઠાં થયાં ધૈર્યરાજની માફક વિવાનને પણ 16 કરોડનું ઇન્જેક્શન મળી રહે તે માટે ગુજરાતની જનતાને મદદ કરવા અપીલ ધ્રાંગધ્રા-માલવણ વાઇવે પર આવેલ માલવણ ચોકડી ટોલટેક્સ ખાતે સેવાભાવી યુવાનોએ પરિવહન કરતાં વાહન ચાલકો પાસેથી દાન એકઠુ કરી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી છે. યુવાનો દ્વારા “આવો વિવાનની વ્હારે” અને “વિવાનને મદદ કરો” તેવા પોસ્ટર સાથે પરિવહન કરતાં રાહદારીઓને દાન કરવા જણાવી રહ્યાં છે. ધૈર્યરાજની માફક વિવાનને પણ 16 કરોડનું ઇન્જેક્શન મળી રહે તે માટે ગુજરાતની જનતાને મદદરૂપ થવા કરી અપીલ. ગીર…

ધ્રાંગધ્રાના વોર્ડ 4માં આવેલી ખૂલ્લી ગટરમાં ગાય પડી જતાં તાત્કાલિક JCB મારફતે ગાયને બહાર કાઢવામાં આવી

ગટરમાં ગાય ખાબકી હોવાની આ ચોથી ઘટના, અનેક વખત બાળકો, વૃદ્ધ અને ગાયો પડવા છતાં તંત્ર ઊંઘમાં નજીકમાં શાળા અને આંગણવાડી હોવાથી બાળકોના વાલીમાં છવાયો રોષ, “અમારા બાળકોની જવાબદારી કોણ લેશે??” ગુજરાત: ધ્રાંગધ્રા વોર્ડ નંબર 4 માં આવેલી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી જતા જીવદયા પ્રેમીઓમાં રોષ છવાયો હતો. ગટર ખૂલ્લી હોવાના કારણે રાહદારીઓ અને સ્થાનિક રહીશોને ગટરમાં પડી જવાનો ભય રહે છે. સ્થાનિકોનું કહેવું છે કે, અવર-નવર ગાય ગટરમાં પડી જતી હોવા છતાં ખૂલ્લી ગટરને ઢાંકવાનો તંત્ર પાસે સમય જ નથી. ઉપરાંત કે, આ વિસ્તારમાં શાળા નંબર 7 અને આંગણવાડી…

જૂનાગઢમાં AAP નેતા મહેશ સવાણી અને ઈસુદાન ગઢવી પર હુમલો, ગાડીઓનાં કાચ તોડ્યાં

ગુજરાત: AAPનાં નેતા મહેશ સવાણી અને ઈસુદાન ગઢવી પર કેટલાંક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. જૂનાગઢનાં લેરિયા ગામમાં આ હુમલો કરવામાં આવ્યો છે. હુમલા દરમિયાન તેમની ગાડીઓનાં કાચ પણ તોડી નાખવામાં આવ્યાં છે. આ હુમલામાં આમ આદમી પાર્ટીનાં નેતાઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની વિગત એવી છે કે, જૂનાગઢનાં વિસાવદરમાં AAPનાં નેતાઓ પર પથ્થમારો કરવામાં આવ્યો હતો. પાર્ટીની સભા યોજાય તે પહેલાં જ આ હુમલો કરવામાં આવ્યો હતો. આપનાં નેતા મહેશ સવાણી અને ઈસુદાન ગઢવી પર હુમલાની સાથે તેમની કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. આ હુમલામાં બે લોકોને…

થાનગઢના ચાંદ્રેલિયાથી વેલાળાના રસ્તામાં એક ગુમનામ ઓટો રીક્ષામાંથી ₹ 12000નો વિદેશી દારૂ પકડાયો

પોલીસ પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળતાં રીક્ષા ઝડપી પડાઈ, પરંતુ રીક્ષાની આજુબાજુ કોઈજ જણાયું ન હતું. રીક્ષાના માલિકને પોલીસની આવવાની જાણ થતાં પહેલાથી રફુચક્કર… ગુજરાત: ગત સોમવારના રોજ થાનગઢ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન ચાંદ્રેલિયાથી વેલાળા તરફના ઓકળામાં બજાજ કંપનીની એક કાળા કલરની ઓટો રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ઉભી હોવાની બાતમી મળતાં પોલીસે ત્યાં રેઇડ મારી હતી. પોલીસ તપાસ કરતાં રીક્ષામાંથી કુલ 40 નંગ રૂ.12000ની કિંમતનો વિદેશી દારૂ મળી આવતાં ફરિયાદ નોંધી છે. થાનગઢ પોલીસ સ્ટાફના માણસો રાત્રીના સમયે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં.…

ધ્રાંગધ્રા-જેસડાના રણમાં મીઠું પકવતા અગરીયા સમુદાયના લોકોને પીવાનું પૂરતું પાણી નથી મળતું

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત સદસ્ય છત્રસિંહ એસ. ગુંજારીયાએ જિલ્લાના પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને લેખિતમાં રજૂઆત કરી રાજ્ય સરકારની ‘જળ જીવન મિશન’ યોજના અંતર્ગત અગરીયા લોકોને રણમાં પાઈપ લાઈન દ્વારા પીવાનું પાણી કાયમી ધોરણે મળી તેવી રજૂઆત ગુજરાત: ગત ગુરુવારે સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત સદસ્યશ્રી છત્રસિંહ એસ. ગુંજારીયા દ્વારા ધ્રાંગધ્રા-જેસડાના રણમાં મીઠું પકવતા અગરીયા સમુદાયના લોકોને યોગ્ય પીવાનું પાણી મળી રહે તે હેતુથી, તેઓને પાઈપ લાઈન દ્વારા પીવાનું પાણી કાયમી ધોરણે મળી રહે એ માટે રાજ્ય સરકારની ‘જળ જીવન મિશન’ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લના પાણી પુરવઠા ગટર વ્યવસ્થા…