રાજચરાડી ગામમાં ચરમારીયા દાદાના સાનિધ્યમાં 275થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યાં

રાજચરાડીના ગ્રામજનોએ વૃક્ષા રોપણ કરી પ્રકૃતિ પ્રેમ જવાબદારી નિભાવી રાજકોટના રહેવાસી હિંમતભાઈ સવજીભાઈ દ્વારા ગ્રામજનોને વૃક્ષો અર્પણ કરવામાં આવ્યાં ગુજરાત: પ્રકૃતિનું જતન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. એક પ્રકૃતિ માત્રથી જ માનવ સૃષ્ટિને યોગ્ય કુદરતી વાતાવરણ મળી રહે છે. ત્યારે રાજચરાડી ગામના ગ્રામજનો દ્વારા 275 થી વધુ અલગ-અલગ વૃક્ષો રોપી સુંદર મજાનું વાતાવરણ ઉભું કર્યું છે. ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામમાં આવેલ ચરમારીયા દાદાના મંદિરની જગ્યાએ વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા ગામની શોભા અને કુદરતી વાતાવરણ મળી રહે તે હેતુથી વૃક્ષા રોપણ કરવામાં આવેલું. રાજકોટના રહેવાસી હિંમતભાઈ…

ગુજરાત કેમીકલ પોર્ટ લિમિટેડ અને કલેક્ટરનાં સહિયારા પ્રયત્ને અમીરગઢ સિવિલ હોસ્પિટલમાં મળી ઓક્સિજન પ્લાન્ટની ભેટ

અમીરગઢ હોસ્પિટલને મળી પ્રાણવાયુની ભેટ ઓક્સિજન પ્લાન્ટની ભેટ અમીરગઢની જનતા માટે આશીર્વાદ રૂપ ગુજરાત: કોરોનાની બીજી લહેરમાં બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ઓક્સિજન પ્લાન્ટની ભારે અછત સર્જાઈ હતી જેના કારણે ઘણા ગરીબ પરિવાર ને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આપણે સૌ જાણીએ છીએકે ઓક્સિજનનાં બાટલા માટે સતત 2 બે -બે દિવસ સુધી ભયંકર ગરમીમાં પણ ઉભા રહી ને પોતાના સ્વજનો માટે ઓક્સિજન ભરાવતા નજરે જોયા હતા અને તેમ છતાં ઓક્સિજન મળવાપાત્ર ન હતા. ત્યારે ઘણા જિલ્લાઓ અને રાજયોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી પ્લાન્ટ સ્થપવામાં આવ્યા હતા ઘણી જગ્યાઓએ…

ગાંધીજી, સરદાર અને નહેરૂ : વિસમી સદીમાં ભારતનાં અને ભારતીય રાજકારણનાં ઘડતર અને ચણતરમાં મોખરે રહેલી ત્રિપુટી!

સ્વતંત્રતાની લડત લડેલા અને જેના વિશે સૌથી વધારે લખાયું છે, બોલાયું છે કે ચર્ચાયું છે એવા કોઇ ત્રણ નામો હોય તો ગાંધીજી, સરદાર અને નહેરૂ. ગાંધીજી, નહેરૂ અને સરદારને આપણી નજરથી આંકવામાં ક્યાંક ભુલ થાય જ. આ વિરાટ પુરુષોને સમજવા-જોવા માટે નજર નહી દ્રષ્ટિ જોઇએ, જે આપણી પાસે નથી. કોઇ એક-બેને નીચા બતાવીને કોઇ એકને ઉંચા બતાવવા એમાં આપણું પાપ છે. સરદારને ઉંચા બતાવવા માટે ગાંધીજી અને નહેરૂને નિચા બતાવવા કે આવી જ હરકત ગાંધીજી અને નેહરૂને ઉંચા બતાવવા માટે કરે તો આપણી અજ્ઞાનતા છતી કરે છે. ત્રણેય પ્રતિભાઓ એ…

..તો કોરોનાની સેકન્ડ વેવ આવી, આવવાની જ હતી!

વૈજ્ઞાનિકો એ આગાહી કરી જ હતી. કોરોનાની સેકન્ડ વેવ આવશે. મોટાં ભાગનાં વાઇરસ મ્યુટેટ થાય. અને મ્યુટેટ થયેલા વાયરસ પર-જૂની દવાઓ વધું અસરકારક કામ કરી શકે નહિ, એટલે નવો મ્યુટેટ થયેલો વાયરસ વધું તારાજી સર્જી શકે, એવી સામાન્ય વૈજ્ઞાનિક સમજ આપણે ધ્યાને લીધી નહિ. સરકારે અને તંત્રએ પણ આંખ આડા કાન કર્યા. કોરોના જતો જ રહ્યો એવાં ભ્રમમાં લોકો રાચવા લાગ્યાં. ચૂંટણીઓ કરી. મેળાવડા કર્યા. જંગી બહુમતિઓ ય મેળવી. અને કોરોનાને સાઈડલાઈન કરી દીધો! પણ કોરોના આપણો બાપ નીકળ્યો. એ આવ્યો. બમણી તાકાત લઈને. ઘાયલ સિંહની જેમ. અને આપણને બધાને…

આલ્કોહોલ યુક્ત દવા પી લેતા એક જ પરિવારનાં 8 લોકોનાં મોત 5 સભ્ય સારવાર હેઠળ!

છત્તીસગઢનાં બિલાસપુરમાં પરિવારનાં આઠ લોકોનાં મૃત્યુ નીપજ્યા, જ્યારે પાંચની હાલત નાજુક “હોમીયોપેથીક દવા પીવાથી તમામના મૃત્યુ થયા હોય તેવું બની શકે છે” -ચીફ મેડિકલ ઓફિસર નેશનલ: આ લોકોએ હોમિયોપેથીક દવા ડ્રોસેરા 30 પી લીધી હતી. જેમાં ૯૧% આલ્કોહોલનું પ્રમાણ હોય છે. દવા આપનાર ડોક્ટર હજુ ફરાર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પરિવારે કોરોનાનાં સંક્રમણથી બચવા આલ્કોહોલ યુક્ત દવા લીધી હશે. CMOએ જણાવ્યું કે, આખા પરિવારે હોમિયોપેથીક દવા ડ્રોસેરા 30 લીધી હતી. તેમાં આલ્કોહોલનું પ્રમાણ 91 ટકા જેટલું હોય છે, જે દેશી દારૂ સાથે મિલાવવામાં આવે છે. આ લેવી…

સૌરાષ્ટ્ર માટે સુવિધા, જામનગરમાં 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું ઈ-લોકાર્પણ

400 બેડની ક્ષમતા બાદ વધુ 600 બેડ ક્ષમતા-ઓક્સિજન સપ્લાય વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરાશે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાના લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર ખાતે રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું આજે ઈ-લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર વધુ વિકરાળ સાબિત થઈ રહી છે તેવા સંજોગોમાં રાજ્ય સરકાર સંક્રમણને રોકવા માટેના તમામ પગલાંઓ લઈ રહી છે. રાજ્ય સરકારે છેલ્લા દોઢ મહિનામાં બેડની સંખ્યામાં વધારો કરીને 41,000 થી 1 લાખ બેડ તેમજ 18000 થી…

૧ મે : ગૌરવવંતા ગુજરાતીઓએ ગુજરાતીપૂર્વક ઉજવવાનો દિવસ

બીજું વિશ્ર્વયુદ્ધ પુરૂ થયા બાદ કેબિનેટ મિશન યોજના મુજબ વર્ષ ૧૯૪૬માં વચગાળાની સરકાર રચવામાં આવી. લોર્ડ માઉંટબેટન ગવર્નર-જ્નરલ તરીકે આવ્યા, બાદમાં 3 જૂન, ૧૯૪૭ની યોજના મુજબ દેશનું વિભાજન કરવાનું નક્કી થયું અને ૧૫મી ઓગષ્ટ,૧૯૪૭ના રોજ ભારત આઝાદ થયું. વર્ષ ૧૯૫૦માં બંધારણ મુજબ ચાર ભાગમાં રાજ્યોને વર્ગીકૃત કરવામાં આવ્યા. ભાગ એ,બી,સી અને ડી. પરંતુ ધીમે ધીમે દક્ષિણ ભારતમાંથી ભાષાને આધારે રાજ્યોની પુનર્રચના ની માંગ શરૂ થઈ. જેના લીધે જૂન,૧૯૪૮ માં ભારત સરકારે એસ.કે. ધારની અધ્યક્ષતા માં એક કમિશન રચ્યું. અને તેનો અહેવાલ ડિસેમ્બર,૧૯૪૮માં આવ્યો. કમિશન એ જણાવ્યું કે રાજ્યનું પુનર્ગઠન વહીવટીય…

શહીદ ઉમર મુખ્તાર: શેર-એ-રેગિસ્તાન, લિબિયાનો મહાન ક્રાંતિકારી યોદ્ધો

જ્યારે સામ્રાજ્યવાદીઓએ ૨૩ માર્ચ,૧૯૩૧ના રોજ આપણા મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી એ જ વર્ષમાં માત્ર છ મહિના પછી જ લિબિયાના મહાન ક્રાંતિકારી ઉમર મુખ્તારને ફાંસી આપવામાં આવી અને ક્રાંતિકારીઓનો એક યુગ આથમી ગયો! અને એ સામ્રાજ્યવાદ વિરુદ્ધ માનવતા માટે, પોતાના માટે, જળ-જંગલ-જમીન બચાવવા માટે લુંટારાઓ વિરુદ્ધ કરવામાં આવેલા યુદ્ધનું ઈનામ હતું. યુરોપે જ્યારે એશિયા અને આફ્રિકાના દેશો પર પોતાની રાજસત્તા સ્થાપવા છલ-કપટથી કબ્જો જમાવવાનો શરૂ કરી દિધો હતો, ગુલામ બનાવવા માટેની ક્રૂર માં ક્રૂર નીતિ યુરોપિયનો વાપરી રહ્યા હતાં એવામાં અનેક યોદ્ધા એની સામે લડવા માટે ઊભા…

કોરોનાનાં કપરા કાળમાં RT-PCR ટેસ્ટ કિટનાં નિર્માણમાં 6 મહિલાઓ આપી રહી છે મહત્વનું યોગદાન

ગુજરાત: વિધાતાનાં નવ નિર્માણની કલાકૃતિ એ નારી: નવા યુગની મહિલાઓની નવી સાહસિકતા. એક એવી કંપની જે હાલનાં સમયે ખૂબ અગત્યની ગણાતી RT-PCR ટેસ્ટ કીટ બનાવે છે. અને તેના ઉત્પાદનનાં તમામ વિભાગોનું નેતૃત્વ મહિલાઓ કરે છે. આ 6 મહિલાઓનાં ઉચ્ચ શિક્ષણ વ્યવસાયિક પ્રવિણતા અનુભવ નારી સહજ કોઠાસૂઝ અને કુશળતાનાં સમન્વયથી કોરોના કાળમાં ઉપયોગી માસિક 3.5 લાખ કોરોના ટેસ્ટ કીટ બની રહી છે. વડોદરા જિલ્લામાં કાર્યશીલ કોસારા ડાઈગ્નોસીસમાં મહિલાઓ દ્વારા ઉત્તમ કામગીરી દર્શાવવામાં આવી છે. આ મહિલાઓ વિવિધ વિભાગોમાં અગ્રણી રહી RT-PCR ટેસ્ટ કીટનું મહત્તમ ઉત્પાદન અને પ્રમાણભૂતતાનું ધ્યાન રાખે છે. વર્ષોથી…

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન: આપણાં ફિલસુફ-રાજા

ભારતમાં ભૂતકાળના સમયથી મહાન સંતો, દાર્શનિકો, તત્વજ્ઞાનીઓ, શિક્ષકો અને બૌદ્ધિક લોકોની લાંબી પરંપરા છે. તેમનું શાણપણ, ભણતર, અધ્યપનથી આખા વિશ્વને ફાયદો થયો છે. ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન આવા જ મહાન માસ્ટર ફિલોસોફરોમાંના એક છે. તેમને માત્ર આઝાદ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કે દ્રિતીય રાષ્ટ્રપતિ તરીકે જ ઓળખાવવા એ આપણી ભુલ છે, મોટામાં મોટી ભુલ. તેઓ એક પ્રખ્યાત ફિલોસોફર, ઉમદા શિક્ષક, રાજકારણી, પ્રખર વક્તા,ઉચ્ચ કોટીના લેખક અને કુશળ સંચાલક રહ્યા છે. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર,૧૮૮૮ના રોજ તામિલનાડુના તિરુતાનીમાં રૂઢીવાદી બ્રાહ્મણ કુટંબમાં થયો હતો. સર્વપલ્લી વીરસ્વામી તેમના પિતાનું નામ અને તેની માતાનું નામ સીતામ્મા…