કુંભ મેળામાં સરેઆમ કોવિડના નિયમોનું ઉલ્લંઘન, માત્ર બે દિવસમાં હરિદ્વારમાં સામે આવ્યા 1,000 કોરોના સંક્રમિત

નેશનલ: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે કાળો કહેર સર્જાયો છે. હોસ્પિટલોમાં બેડની અછત છે, બીજી તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હરિદ્વાર પહોંચી રહ્યા છે.

ઉત્તરાખંડના હરિદ્વારમાં મંગળવારે કોરોનાવાયરસના નવા 594 કેસ નોંધાયા હતા. આ સાથે શહેરમાં સક્રિય દર્દીઓની સંખ્યા 2,812 પર પહોંચી ગઈ છે. સોમવારે હરિદ્વારમાં 408 નવા કોરોના દર્દીઓ નોંધાયા હતા. સમગ્ર ઉત્તરાખંડની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 1925 કેસ અને 13 મૃત્યુ નોંધાયા છે. આ વખતે હરિદ્વારમાં મહાકુંભ ચાલી રહ્યો છે. એક મહિનાના કુંભ મેળામાં લગભગ દશ લાખ લોકો ભાગ લેશે.

સોમવારે લગભગ એક લાખ લોકોએ શાહી પદવીદાન પ્રસંગે ગંગા નદીમાં ડૂબકી મારી હતી. આ સમય દરમિયાન કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા કોવિડ નિયમોનું ઉલ્લંઘન થયેલું જોવા મળ્યું હતું. ત્યાં લોકો માસ્ક વગર જોવા મળ્યા હતાં.

આ ઉપરાંત સમગ્ર દેશમાં કોરોનાના કેસોની વાત કરીએ, તો દરરોજ 1.5 લાખથી વધુ કોરોના કેસ આવી રહ્યા છે. ભક્તોની સાથે હજારો સાધુઓ પણ 13 અખાડાઓ સાથે સંકળાયેલા કુંભમાં પહોંચ્યા છે. કુંભ પહોંચેલા મોટાભાગના લોકો કહે છે કે કોરોના મોટી ચિંતા નથી, કારણ કે ઉત્તરાખંડ સરકારે દરેક માટે આરટી-પીસીઆર ફરજિયાત બનાવ્યા છે.

મહાકુંભમાં ‘દવાઈ ભી ઔર કઢાઈ ભી’ નું પાલન કરવાં પોસ્ટરો જોવા મળ્યા હતા અને કોવિડ -19 નિયમોના ભંગ સામે દરેક ઘાટ પર ચેતવણી આપવામાં આવી રહી છે. ઘણા ભક્તો કહે છે કે આ માર્ગદર્શિકાનું પાલન કરવું અને મેળામાં સામાજિક અંતર રાખવું મુશ્કેલ છે.

Related posts

Leave a Comment