સરદાર પટેલ યુનિવર્સિટીનો 63મો દિક્ષાંત સમારોહ યોજાયો

ગુજરાત: સરદાર પટેલ યુનિવર્સિટીનો 63મો દીક્ષાંત સમારોહ વલ્લભ વિદ્યાનગરમાં યોજાઈ ગયો જેમાં 119 વિદ્યાર્થીઓને સુવર્ણપદક એનાયત કરાયા. સરદાર પટેલ યુનિવર્સિટીએ 17 હજાર 862 વિવિધ વિદ્યાશાખાનાં સ્નાયતક-અનુસ્નાતકનાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવાની સાથે કુલ ત્રણ લાખ 25 હજાર 528 પદવીએ એનાયત કરી છે. આ સમારંભ માં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યુ છે કે, શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ દ્વારા શ્રેષ્ઠ નાગરિક અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો હોવો જોઇએ. દીક્ષાંત સમારોહ પ્રસંગે વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીએ શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે સતત જ્ઞાનસંપન્ન બનવાની શીખ આપી વિદ્યાર્થીઓને આજીવન વિદ્યાર્થી બની રહેવા જણાવ્યુ હતુ. રાજ્યપાલશ્રીએ પ્રાચીન…

ઓનલાઇન પરીક્ષા વિકલ્પ પસંદગીની વેબસાઈટ ખુલવામાં ERROR, વિદ્યાર્થીઓ પરેશાન

ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ ચાલુ પણ, ઓનલાઇન પરીક્ષા પસંદગીની વેબસાઇટ બંધ પરીક્ષા વિકલ્પ પસંદગીની છેલ્લી તારીખ નજીક કેટલાય વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરવાથી વંચિત ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અને ઓફલાઈન એમ બંને રીતે પરીક્ષા આપવા માટેની વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે. કોરોના મહામારીનાં કારણે જે વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપવા માટે સક્ષમ નથી તેના માટે 8 ડિસેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં જે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપવામાં માગતા હોય તેમની માટે “ઓનલાઇન પરીક્ષા આપવા માટેનો વિકલ્પ” પસંદ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ઓનલાઈન પરીક્ષાની પસંદગી ન કરનારા…

બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીનાં પ્રથમ કુલપતિ તરીકે ડો.મધુકરભાઇ પાડવીની નિમણૂક

સુરતની એમ.ટી.બી આર્ટસ કોલેજનાં આચાર્ય તરીકે સેવા આપી છે ગુજરાતી તેમજ હિન્દી ભાષામાં અનેક પુસ્તકો પણ લખ્યા છે ગુજરાત: રાજય સરકારનાં આદિવાસી વિકાસ વિભાગ દ્વારા સંચાલિત નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટીનાં પ્રથમ કુલપતિ તરીકે એમ.ટી.બી. આર્ટસ કોલેજ, સુરતનાં આચાર્ય ડો.મધુકરભાઇ પાડવીની નિમણૂક કરવામાં આવી છે. ડો.મધુકર પાડવીનો જન્મ.03-03-1961નાં રોજ તાપી જિલ્લાનાં નિઝર અને કુકરમુંડા તાલુકાનાં મેણપુર ખાતે સામાન્ય આદિવાસી પરીવારમાં થયેલ છે. તેઓએ વીર નર્મદ યુનિવર્સિટી, સુરતમાં હિન્દી વિષય સાથે પ્રથમ વર્ગમાં યુનિ. પ્રથમ ક્રમે સ્નાતકની ડિગ્રી મેળવેલ છે. તેઓએ એમ.એ., એમ.ફીલ અને પી.એચ.ડી, સુધીનો અભ્યાસ નર્મદ યુનિવર્સિટી,…

એસ.આર.મહેતા કોલેજે કર્યા હાથ ઉંચા કહ્યું: એડમિશન નહીં આપીએ : વિધાર્થી સંગઠન ABVP વિધાર્થીઓ સાથે

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન છે એસ.આર.મહેતા કોલેજ ABVP નાં કાર્યકરોએ કરી વાઈસ ચાન્સેલરને રજૂઆત ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન એડમિશન પ્રક્રિયા ચાલી રહ્યી છે અને વિધાર્થીઓ એડમિશન મેળવી રહ્યા છે.પરંતુ એસ. આર. મહેતા આર્ટસ કોલેજે વિધાર્થી સંગઠન ‘અખિલ ભારતીય વિધાર્થી પરીષદ’ને પરિપત્ર મોકલી આપ્યો હતો. જેમાં કોલેજનાં સત્તાધીશો દ્રારા કોલેજમાં ચાલતા રિનોવેશનને કારણે માત્ર 266 વિધાર્થીઓને જ પ્રવેશ આપ્યો છે અને બીજા વિધાર્થીઓને પ્રવેશ આપ્યો નથી. આપને જણાવી દઈએ કે કુલ સીટ 480 છે. એસ.આર.મહેતા કોલેજે ABVPને લખેલ પરિપત્ર “અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ, વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એસ.આર.મહેતા આર્ટસ કોલેજના પ્રથમ વર્ષ બી.એ.…

ગુજરાત યુનિવર્સિટીનાં વિધાર્થીઓ માટે ખુશ ખબર : ઘરે બેઠા પરીક્ષા આપી શકાશે

ઓનલાઇન પરીક્ષા આપવા માંગતા વિધાર્થીઓ 15ડિસેમ્બર સુધી આપી શકશે પસંદગી પસંદગી ન આપનાર વિધાર્થીઓને ઓફલાઇન પરીક્ષા માટે મંજુર ગણવામાં આવશે ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા અંતર્ગત પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં નીચે મુજબ વિગતવાર જણાવેલ છે. ઓનલાઇન પરીક્ષા વિકલ્પ પસંદગી આપવા અંગે મહત્વની સૂચનાઓ પરીપત્ર તા. 08/12/2020 1. ગુજરાત યુનિવર્સિટી દ્વારા BSc Sem-3, B.Ed Sem-3, MA Sem-3, MSc Sem-3, M.Com Sem-3, B.Com Sem-5, BA Sem-5, BBA Sem-5, BCA Sem-5, ની લેવાનાર આગામી ઓફલાઈન પરીક્ષાનાં વિકલ્પમાં ઓનલાઇન પરીક્ષાઓ અંગે આ વિકલ્પ માંગવામાં આવે છે. 2. વિદ્યાર્થીને ઓનલાઇન પરીક્ષા આપવા અંગેનો આ વિકલ્પ પસંદ…

ગુજરાત યુનિવર્સિટીની એડમિશન પ્રક્રિયામાં ગોટાળો, કે પછી કોલેજની ભૂલ? વિધાર્થીઓ ઉમટયા

ગુજરાત યુનિવર્સિટીની એડમિશન પ્રક્રિયામાં છબરડા યુનિવર્સિટીએ જાહેર કરી ઓનલાઈન પ્રક્રિયા, કોલેજે કરી ઓફલાઇન પ્રક્રિયા ગુજરાત યુનિવર્સિટીનાં એડમિશનની પ્રક્રિયાનો અંતિમ રાઉન્ડ (7મો રાઉન્ડ) ચાલી રહ્યો છે સાથે વિધાર્થીઓ એમને ફાળવેલી કોલેજમાં એડમિશન મેળવી રહ્યા છે. પરંતું અમુક કોલેજોએ એમને ઓનલાઇન પ્રક્રિયામાં ભાગ લીધેલ હોવા છતાં અને યુનિવર્સિટીએ ફાળવેલ ઓનલાઇન એડમિશનની જાણ હોવા છતા ઓફલાઇન એડમિશન આપ્યાની માહિતી બહાર આવી છે. આજ રોજ ભારત બંધનાં એલાન અને કોરોનાની મહામારી વચ્ચે સવારથી વિધાર્થીઓની લાંબી ભીડ જોવા મળી હતી. ઘણા વિધાર્થી ઓનલાઇન લેક્ચર પણ ભરી રહ્યાં હોવા છતાંય વિધાર્થીઓએ આજરોજ જાણ થઈ હતી કે…

મહારાષ્ટ્રનાં શિક્ષકે 1 મિલિયન ડોલરનું ઇનામ જીત્યું

મહારાષ્ટ્રનાં શિક્ષકે ઉત્કૃષ્ટ શિક્ષણ કાર્ય માટે મેળવ્યું 1 મિલિયન ડોલરનું ઈનામ ઈનામ મળતાની સાથે અડધી રકમ શેર કરી દીધી વાર્ષિક વૈશ્વિક શિક્ષક પુરસ્કાર-2020નાં વિજેતા તરીકે જાહેર કરાયા મનોરંજન: ભારતનાં એક પ્રાથમિક શાળાનાં શિક્ષકને બાળ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટેનાં પ્રયત્નો અને દેશમાં પાઠયપુસ્તક ક્રાંતિમાં મોટા પાયે પ્રયત્નો કરવા બદલ વાર્ષિક વૈશ્વિક શિક્ષક પુરસ્કાર-2020નાં વિજેતા તરીકે જાહેર કરવામાં આવયા છે. દેશમાં ક્વિક એક્શન (QR) કોડ. અંતિમ રાઉન્ડમાં પહોંચેલા દસ સ્પર્ધકોમાં મહારાષ્ટ્રનાં સોલાપુર જિલ્લાના પરદેવદી ગામનો રણજીતસિંહ ડીસાલે વિજેતા તરીકે ઉભરી આવ્યા છે. વારકે ફાઉન્ડેશન દ્વારા અસાધારણ શિક્ષકોને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કાર…

ગુજરાત યુનિવર્સિટીનાં સંસ્કૃતવિભાગમાં મુસ્લિમ વિદ્યાર્થિનીએ રચ્યો ઈતિહાસ

salma qureshi gujarat

મુસ્લિમ વિદ્યાર્થિની કુરેશી સલમાએ સંસ્કૃતમાં Ph.D. કરીને સંસ્કૃતનું ગૌરવ વધાર્યું યુનિવર્સિટીનાં સંસ્કૃત-વિભાગમાંથી વિદ્યાર્થિનીએ ‘पुराणेषु निरूपिता शिक्षापद्धतिः एकम् अध्ययनम्’ આ વિષય ઉપર કર્યું Ph.D. ગુજરાત: તાજેતરમાં જ તારીખ 01 ડિસેમ્બર 2020નાં રોજ ગુજરાત યુનિવર્સિટીએ કુરેશી સલમાબેન કેશુભાઈને ગુજરાત યુનિવર્સિટીએ સંસ્કૃત વિષયમાં Ph.D.ની પદવી એનાયત કરી છે. યુનિવર્સિટીનાં સંસ્કૃત-વિભાગમાંથી વિદ્યાર્થિની કુરેશી સલમાબેન કેશુભાઈએ ‘पुराणेषु निरूपिता शिक्षापद्धतिः एकम् अध्ययनम्’ આ વિષય ઉપર સંસ્કૃત વિભાગનાં અધ્યાપક ડૉ. અતુલભાઈ ઉનાગરનાં માર્ગદર્શનમાં Ph.D. સંપન્ન કર્યું. એક બાજુ દિવસેને દિવસે ભાષાઓની જનની અને સૌથી પ્રાચીન ભારતીય ભાષા સંસ્કૃતનું મહત્વ ઘટતું જાય છે ત્યારે બીજી તરફ સંસ્કૃતનું મહત્વ…

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાને હાલ પૂરતી રદ કરવાની માંગણી

NSUIએ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ સમક્ષ કરી રજુઆત હાલની પરિસ્થિતીને અનુલક્ષીને કરવામાં આવી માંગણી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ 8 તારીખથી શરૂ થવાની છે. ત્યારે NSUIએ કુલપતિને આવેદનપત્ર આપતા જણાવ્યું છે કે, હાલનાં સંજોગો પ્રમાણે વિદ્યાર્થીઓનું શિક્ષણ ઓનલાઈન થયું છે, જેમાં અમુક વિધાર્થીઓ આ ઓનલાઈન શિક્ષણનો લાભ લઈ શકયા નથી. તેમજ ઘણાં સંસ્થાનોમાં અભ્યાસક્રમ પણ પૂર્ણ થયો નથી. માટે 8 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષાઓને પાછી ઠેલવવામાં આવે. અન્યમાં ઉમેર્યું છે કે, કોરોના મહામારીનાં કારણે અમદાવાદમાં રાત્રિ કરફ્યુ લાગેલું છે. માટે બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓને તકલીફ પણ પડી શકે તેમ છે. વિદ્યાર્થીઓને બસની સુવિધાઓમાં…

ભારતનાં બંધારણની અમુક એવી વાતો જેનાથી તમે અજાણ છો!

બંધારણ, આ શબ્દ સાંભળતા જ આપણી સામે એક દળદાર પુસ્તકનું ચિત્ર આવી જાય. કોર્ટ અને એનાથી સહેજ આગળ વધીએ તો બાબા સાહેબ આંબેડકરનો ચહેરો યાદ આવી જાય. આજે 26 નવેમ્બર એટલે કે આજથી લગભગ 71 વર્ષ પહેલા ભારતનું સંવિધાન એ સંવિધાન સભામાંથી પસાર કરવામાં આવ્યું. આ એ ક્રાંતિકારી પરિવર્તન હતું, જેમાં રાજા અને પ્રજાને એક જ સમાન દોરામાં પરોવીને માળા બનાવવામાં આવી અને એક સમાન કાયદો એક સમાન રક્ષણની નીતિ દાખલ થઈ. આપણે બધા ભારતનાં બંધારણ વિશે અમુક વસ્તુઓ તો જાણીએ જ છીએ કે વિશ્વનું સૌથી લાબું લેખિત સ્વરૂપનું બંધારણ…