ખેડૂતો કૃષિ ધારા અંગે દેખાવો કરી રહ્યાં છે કેન્દ્ર સરકાર અને કૃષિ આગેવાન વચ્ચે મંત્રણા યોજાશે નેશનલ: કેન્દ્ર સરકાર અને કૃષિ ધારા અંગે દેખાવો કરી રહેલા ખેડૂતોનાં આગેવાનો સાથે ચોથા દોરની મંત્રણા આજે યોજાશે. ગયા મંગળવારે કેન્દ્ર સરકાર તથા ખેડૂતો વચ્ચે યોજાયેલી ત્રીજા દોરની વાતચીત અનિર્ણિત રહી હતી. મંગળવારે યોજાયેલી વાતચીતમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેડૂત તથા કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સંપૂર્ણ રીતે પ્રતિબધ્ધ છે. પત્રકારો સાથેની વાતચીતમાં તોમરે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં સુધારાઓ ખેડૂતોના હિતમાં લેવાયા છે. આ ધારા અંગે ખેડૂતોને વાંધો હોય તો…
Author: pratyakshsamachar
વડી અદાલત દ્વારા અપાયેલા નિર્દેશો અંગે બેઠકમાં ચર્ચા પછી નિર્ણય લેવાશે-પ્રદિપસિંહ જાડેજા
ગુજરાતમાં હાઇ કોર્ટ જણાવ્યુ છે કે, માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને કોવિડ કેર સેન્ટરમાં ફરજો સોંપવી સરકાર આ બાબતે બેઠકમાં નિર્ણય લેશે ગુજરાત: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ગુજરાતની વડી અદાલત દ્વારા માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને કોવિડ કેર સેન્ટરમાં ફરજો સોંપવા અંગેના જે દિશા-નિર્દેશો કરવામાં આવ્યા છે. તે સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળનાર કોર કમિટીની બેઠકમાં યોગ્ય ચર્ચા-વિચારણા કરાયા બાદ યોગ્ય નિર્ણય રાજ્ય સરકાર કરશે. જાડેજાએ ઉમેર્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે કોર્ટ દ્વારા જે દિશા-નિર્દશો આપવામાં આવે છેતેનો રાજ્ય સરકાર ચુસ્તપણે અમલ કરે છે. નામદાર હાઇકોર્ટ…
પોલીસે કોરોના ગાઇડલાઇનનાં ભંગ બદલ રાજ્યનાં પૂર્વ મંત્રી કાંતિ ગામિત અને પુત્ર સહિત 18 વ્યક્તિઓની ધરપકડ કરી
રાજ્યનાં સોનગઢ પોલીસે કોરોના ગાઇડલાઇનનાં ભંગ બદલ રાજ્યનાં પૂર્વ મંત્રી કાંતિ ગામિત અને તેમના પુત્ર સહિત 18 વ્યક્તિઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ સોનગઢમાં પૂર્વમંત્રી કાંતિભાઇ ગામિતની પૌત્રીની સગાઇનો વિડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં કોવિડ ગાઇડલાઇનનો ભંગ થતો હતો. જેથી સોનગઢ પોલીસે એપેડેમિક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને રાજ્યના પૂર્વ મંત્રી કાંતિ ગામિત સહિત 18 વ્યક્તિની ધરપકડ કરી છે.
કેનબરા ખાતે રમાયેલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં ભારતનો 13 રને વિજય
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં ભારતનો વિજય હાર્દિક પંડ્યાએ 76 બોલમાં 92 રન બનાવ્યા રવિન્દ્ર જાડેજાએ 50 બોલમાં 66 રન બનાવ્યા સ્પોર્ટ્સ: આજે કેનબરા ખાતે રમાયેલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન ડે ક્રિકેટ મેચમાં ભારતનો 13 રને વિજય થયો છે. ભારતે 5 વિકેટ ગુમાનીવે 302 બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 289 રન બનાવીને ઓલ આઉટ થઇ હતી. ભારતનાં શાર્દૂલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહે 2 વિકેટ ઝડપી હતી. કુલદિપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ 76…
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાને હાલ પૂરતી રદ કરવાની માંગણી
NSUIએ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ સમક્ષ કરી રજુઆત હાલની પરિસ્થિતીને અનુલક્ષીને કરવામાં આવી માંગણી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ 8 તારીખથી શરૂ થવાની છે. ત્યારે NSUIએ કુલપતિને આવેદનપત્ર આપતા જણાવ્યું છે કે, હાલનાં સંજોગો પ્રમાણે વિદ્યાર્થીઓનું શિક્ષણ ઓનલાઈન થયું છે, જેમાં અમુક વિધાર્થીઓ આ ઓનલાઈન શિક્ષણનો લાભ લઈ શકયા નથી. તેમજ ઘણાં સંસ્થાનોમાં અભ્યાસક્રમ પણ પૂર્ણ થયો નથી. માટે 8 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષાઓને પાછી ઠેલવવામાં આવે. અન્યમાં ઉમેર્યું છે કે, કોરોના મહામારીનાં કારણે અમદાવાદમાં રાત્રિ કરફ્યુ લાગેલું છે. માટે બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓને તકલીફ પણ પડી શકે તેમ છે. વિદ્યાર્થીઓને બસની સુવિધાઓમાં…
ગુજરાત રાજ્યસભાનાં સાંસદ અભય ભારદ્વાજનું નિધન, પીએમ મોદીએ તેમના નિધન પર વ્યક્ત કર્યો શોક
કોવિડ સામે લાંબી લડાઈ બાદ થયું નિધન ચેન્નઈની હોસ્પીટલમાં લીધા અંતિમ શ્વાસ PM મોદીએ ટ્વીટ કરીને શોક કર્યો વ્યક્ત ગુજરાત: રાજ્યસભાનાં સાંસદ અભય ભારદ્વાજનું કોરોનાની સારવારનાં 40 દિવસ બાદ થયું નિધન. ભારદ્વાજે 31 ઓગસ્ટનાં રોજ રાજકોટ ખાતે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. ત્યારે રાજકોટની પંડિત દીનદયાલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ઑક્સીજનનું સ્તર ઘટ્યું હતું જેથી 15 સપ્ટેમ્બરથી તમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. તબિયતમાં સુધારો ન દેખાતા એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. hardvaj na
દ્વારકા-જામનગર હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત 4 લોકોનું દુ:ખદ મોત
દ્વારકા-જામનગર હાઇવે નજીક ધ્રેવાડ ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત ગુજરાત: ઘટનાની મળતી માહિતી અનુસાર જામનગર દ્વારકા હાઇવે ઉપર આજે ધ્રેવાડ ગામ નજીક એક મોટર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહેલા ત્રણ પુરૂષ અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. આ ઘટનાની જાણ ધ્રેવાડ ગામનાં લોકોને થતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. ગ્રામજનો દ્વારા આ ઘટનાની પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.અને હાઇવે પરથી ટ્રાફિક દૂર કરવાની કાર્યવાહી…
ગુજરાતમાં કોરોનાનો RT-PCR ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં 800 રૂપિયામાં થશે
ખાનગી લેબોરેટરીમાં લેબ પર જઈને કરવવામાં આવતા RT-PCR ટેસ્ટની કિમત 800રૂપિયા કોઈ અન્ય સ્થળે કે ઘરે બોલાવી કરવવામાં આવતા ટેસ્ટનો ભાવ 1100 રૂપિયા આ જાહેરાત રાજ્યનાં નાયબ મુખ્યમંત્રીએ કરી છે ગુજરાત: ગુજરાતમાં કોરોનાનો RT-PCR ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં હવે 800 રૂપિયામાં થઈ શકશે, જ્યારે દર્દી જ્યાં હોય તે સ્થળ ઉપરથી સૅમ્પલ લઈ રૂપિયા 1100માં ટેસ્ટ કરી આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આ જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈ આમ આદમીની આર્થિક હિતમાં આ નિર્ણય રૂપાણી સરકારે લીધો છે. ઘટાડેલા ભાવનો અમલ આજથી જ…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આવતીકાલે 71 કરોડનાં ખર્ચે તૈયાર થયેલા બે ફ્લાય ઓવરનું ઇ-લોકાર્પણ કરશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં નિર્માણ પામેલા 71 કરોડ રૂપિયાનાં બે ફ્લાય ઓવરનું આવતીકાલે ઇ-લોકાર્પણ કરશે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ આ અવસરે ઉપસ્થિત રહેશે ગુજરાત: નેશનલ હાઇવે 147 પર સરખેજ-ગાંધીનગર-ચિલોડાનાં કુલ 44 કિલોમીટરનાં માર્ગને 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરિત કરવાનાં તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારનાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. તદાનુસાર 28 મીટરનો સિંઘુભવન ચાર રસ્તા ફ્લાય ઓવર 25 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે તેમજ સાણંદ જંકસન…
“કોરોનાની વેક્સિન હવે આગામી એકાદ-બે માહિનામાં બની જશે” -સૌમ્યા સ્વામીનાથ
વેક્સિન હવે દૂર નથી માર્ચ-એપ્રિલ સુધીમાં લોકોને મળી જશે વેક્સિન ઇન્ટરનેશનલ: વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)નાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોવિડ માટેની રસી આગામી એકાદ-બે મહિનામાં તૈયાર થશે. ફેસબુક લાઈવ દ્વારા સ્વામી રામાનંદ તીર્થનાં વ્યાખ્યાન માળામાં બોલતા તેમણે કહ્યું હતું કે, કેટલીક કંપનીઓનાં કોવિડની વેક્સિનનાં પરિક્ષણો અંતિમ તબક્કામાં છે અને આગામી 1-2 મહિનામાં વેક્સિન જો તૈયાર થાય તો આગામી માર્ચ અથવા એપ્રિલ સુધીમાં તે બધા જ નાગરિકોને મળવા લાગશે. તેમણે કોવિડનાં સંક્રમણને રોકવા માસ્ક પહેરવા, યોગ્ય અંતરની જાળવણી જેવા પાયાનાં નિયમોનું પાલન કરવા લોકોને અપીલ કરી હતી.