- રાજયમાં એક જ દિવસમાં 2 મોટા અકસ્માત
- વડોદરા અને સુરેન્દ્રનગરમાં બની ઘટના
- 14લોકોએ જીવ ગુમાવ્યા
ગુજરાત: સામાન્ય રીતે લોકોનાં કાનમાં એક્સિડેંટ શબ્દ શંભળતા જ ચોંકી જાય છે. એમાં પણ રોડ અકસ્માત (એક્સિડેંટ) આપણાં દેશમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. વાત કરીએ આજનાં દિવસની તો આજનાં જ દિવસમાં ગુજરતમાં વડોદરા અને સુરેન્દ્રનગરમાં ભયંકર રોડ એક્સિડેંટ થયા છે જેમાં 14 જેટલા લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે.
વડોદરા એક્સિડેંટ:
આજે વહેલી સવારે વડોદરાનાં વાઘોડિયા નજીક એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પો અને ડમ્પર આથડયાં હતા, 10 લોકોના દૂ:ખદ મોત થયા છે. જેમાં 5 મહિલાઓ અને 2 બાળકો સામેલ હોવાનો જાણવા માડી રહ્યું છે. અન્ય 16 લોકને ગંભીર ઇજા થતાં વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. આ સુરતનો પરિવાર હતો જે પાવાગઢ દર્શના કરવા માટે જઈ રહયો હતો.
સુરેન્દ્રનગર એક્સિડેંટ:
સુરેન્દ્રનગર-લખતર રોડની આ ઘટના. કાર ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતાં બનાવ બન્યો હતો. આ ઘટનામાં એક જ પરિવારના 4 લોકોએ ઘટના સ્થળ પરજ જીવ ગુમાયો હતો જ્યરે એક વ્યક્તિને હોસ્પીટલમાં સારવાર અર્થે ખ્શેડવામાં આવ્યા છે.
આ ઘટનાની જાણ થતાં CM વિજય રૂપણી અને PM મોદીએ ટ્વીટ કરી અને દૂ:ખની લાગણીઓ વિકટ કરી હતી.
વડોદરા નજીક આહીર સમાજના લોકોના ગમખ્વાર અકસ્માતથી ખુબ જ દુઃખ થયું છે. મૃતકોના શોકાતુર પરિવાર સાથે ટેલિફોનિક વાત કરી સાંત્વના પાઠવી હતી. ઈજાગ્રસ્ત લોકોની ઝડપી સારવાર માટે તંત્રને તમામ સૂચનાઓ આપી. મૃતકોના આત્માને શાંતિ મળે અને ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય તે જ ઈશ્વરને પ્રાર્થના.
— Vijay Rupani (@vijayrupanibjp) November 18, 2020
Saddened by the accident in Vadodara. My thoughts are with those who lost their loved ones. Praying that the injured recover soon. The administration is providing all possible assistance at the site of the accident.
— Narendra Modi (@narendramodi) November 18, 2020