લખતર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનું ઈંટથી માથું ફોડી નાખતાં પતિ-પત્ની સામે નોંધાઈ ફરિયાદ

પોલીસ ફરજમાં રૂકાવટ કરનાર લખતરના રહેવાસી પતિ-પત્ની સામે નોંધી FIR ‘આજે તો તને જાનથી મારી નાખવો છે’ તેમ કહી આરોપીએ હેડ કોન્સ્ટેબલનું ગળું જાલ્યું આરોપીએ હેડ કોન્સ્ટેબલને માથાના ભાગે ઈંટ મારતાં બે ટાંકા આવ્યાં ગુજરાત: લખતર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને ફરજ દરમિયાન લખતરના રહેવાસી પતિ-પત્ની દ્વારા પોલીસ સ્ટેશનમાં આવીને હેડ કોન્સ્ટેબના કામમાં રૂકાવટ કરી અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. અપશબ્દો બોલવાની ના પાડતા, ‘આજે તો તને જાનથી મારી નાખવો છે’ તેમ કહી પતિ-પત્નીએ હેડ કોન્સ્ટેબલને માથાના ભાગે ઈંટ મારી માથું ફોડી નાખ્યું હતું. પોલીસે બંને પતિ-પત્ની સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ…

ધ્રાંગધ્રાના થળા ગામના 200 થી વધુ વ્યક્તિ ‘આપ’ સાથે જોડાયા

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ થળા ગામમાં ‘આપ’ની મિટિંગ યોજાઈ મિટિંગમાં ‘આપ’ ના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ, અમદાવાદ જિલ્લા અને શહેરી સંગઠન મંત્રી તથા સામાજિક કાર્યકરોએ હાજરી આપી ગુજરાત: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલા થળા ગામના 200 થી વધુ વ્યક્તિઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા. મિટિંગમાં ‘આપ’ ના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ, અમદાવાદ જિલ્લા સંગઠન મંત્રી, અમદાવાદ શહેરી સંગઠન મંત્રી તથા સામાજિક કાર્યકરોએ મહત્વપૂર્ણ હાજરી આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ થળા ગામમાં ‘આપ’ની મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ પરસોત્તમભાઈ મકવાણા, અમદાવાદ જિલ્લા સંગઠન મંત્રી અશોકભાઈ પટેલ, અમદાવાદ શહેરી સંગઠન…

કોણે કરી શગુફતા અલીની આર્થિક મદદ…?

મનોરંજન: શગુફતા અલીને ડાન્સ દીવાના 3 ટીમની તરફથી માધુરી દીક્ષિત પાસેથી 5 લાખનો ચેક મળ્યો. તેમની તબિયત ખરાબ હોવાને કારણે અને કોઈ કામ ન હોવાને કારણે તેઓ આર્થિક સ્થિતિ સામે ઝઝૂમી રહ્યા હતા. એવામાં તેમને આ મદદ ડાન્સ દીવાને 3 ની ટીમ તરફથી મળતા તેઓ ભાવુક થઈ ગયા હતા. ઇન્સ્ટાગ્રામ પર કલર્સ ટીવીએ ડાન્સ દીવાને 3 નો એક એપિસોડનો પ્રોમો અપલોડ કર્યો છે, જેમાં શગુફતા અલી જોવા મળે છે. તેમાં શગુફતા પોતાની તકલીફ વર્ણવી રહ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમણે જે સંઘર્ષનો સામનો કર્યો તેના વિશે બોલતા નજર આવે છે/…

ધોરણ 12 અને પોલિટેક્નિક કોલેજોને મળી ઓફલાઇન વર્ગોની મંજૂરી

ગુજરાત: 15 જુલાઈ 2021થી ધોરણ 12 અને પોલિટેકનિક કોલેજોને 50% સંખ્યા સાથે ઓફલાઇન શિક્ષણ કરી શરૂ કરવા માટે મળી મંજૂરી. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને વિદ્યાર્થિની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને ઓફલાઇન ક્લાસ ભરવાના હોય તેવા વિદ્યાર્થીના વાલીઓની લેખિત મંજૂરી ફરજિયાત રીતે લેવામાં આવશે. હાજરી દરમિયાન વિદ્યાર્થીઓએ SOPનું ચુસ્ત પણે પાલન કરવાનું રહશે. સોશિયલ ડિસટેન્સ તેમજ હાથ ધોવા માટેની પૂરતી સગવડ સંસ્થાએ કરવાની રહશે . કોર કમિટીની બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, મુખ્ય સચિવ…

માતાને મોતને ઘાટ ઉતારી તેનાં અંગને કોળિયો કરનાર આરોપીને મળી મોતની સજા

પોતાની સગી માને મારી તેનાં હૃદય, કિડની અને આંતરડાંને ખાધાં દારૂ પીવાનાં પૈસા ના મળવાના કારણે માણસ બન્યો દાનવ નેશનલ: પોતાની માતાની નિર્દયી રીતે હત્યા કરીને તેનાં હૃદય, કિડની અને આંતરડાં કાઢીને કોળિયો કરી જનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા આપી છે. આરોપીને સજા આપતા સમયે ડિસ્ટ્રિક્ટ કોર્ટના મહેશ જાધવે કહ્યું હતું કે તેમણે આવી વિકૃત હરકત કદી જોઈ નથી, તેથી આરોપીને કડક સજા આપવી જોઈએ. 35 વર્ષનો સુનીલ કુચિકોરવી ઘટના સમયથી જ જેલમાં બંધ છે. આરોપી પાસે ફાંસીની સજાથી બચવા અનેક વિકલ્પો છે. કોલ્હાપુરમાં આ ઘટના 28 ઓગસ્ટ 2017માં થઈ…

રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કર્ફયુ યથાવત

ગુજરાત: રૂપાણી સરકારે આજ રોજ રાત્રિ કર્ફ્યૂ અને લાગુ કરેલા નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઈ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતાની આ કોર કમિટીમાં નિર્ણયો લેવાયા છે. રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કર્ફયુનો અમલ કરાશે. આ રાત્રિ કરફયુ તા.૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા. ર૦ જુલાઇ-ર૦ર૧ના સવારે ૬ કલાક સુધીના સમય દરમિયાન દરરોજ…

‘INNER WHEEL CLUB OF DHRANGADHRA’ ની ઈન્સ્ટોલેશન મિટિંગ યોજાઈ

નવા પ્રેસિડેન્ટ તથા નવા સભ્યોને નિમણૂક કરીને જવાબદારી સોંપાઈ સ્ત્રી સશક્તિકરણ, જીવદયા, વૃક્ષારોપણ જેવા સેવાકીય કાર્યોમાં સંસ્થાનું મહત્ત્વનું યોગદાન ગુજરાત: ‘INNER WHEEL CLUB OF DHRANGADHRA’ અને રોટરી ક્લબ બંને સામાજિક સંસ્થાઓની ઈન્સ્ટોલેશન મિટિંગ યોજાઈ હતી. જેમાં સંસ્થાના ભાગીદાર તમામ મહિલાઓ ઉપરાંત ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહી વિધિવત રીતે સંસ્થાના સભ્ય બન્યાં. મમતા દિવસની ઉજવણી સ્વરૂપે મિટિંગ યોજવામાં આવેલી. ધ્રાંગધ્રામાં આવેલ ‘INNER WHEEL CLUB OF DHRANGADHRA’ અને રોટરી ક્લબ બંને સામાજિક સંસ્થાઓનું ધ્રાંગધ્રામાં સ્ત્રી સશક્તિકરણ, જીવદયા, વૃક્ષારોપણ જેવા અનેકવિધ સેવાકીય કાર્યોમાં પોતાનું મહત્ત્વનું યોગદાન છે. ગત બુધવારે આવનાર મમતા દિવસની ઉજવણી…

અમીરગઢ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા જનચેતનાનાં આંદોલન ભાગ રૂપે ડીઝલ પેટ્રોલનાં વધતા ભાવ સામે વિરોધ દર્શાવ્યો

દેશમાં દરેક ચીજ વસ્તુઓનાં વધતા ભાવો સામે મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. આ સભામાં કોંગ્રેસના મંચસ્થ મહાનુભવો માસ્ક વગર જોવા મળ્યા હતા ગુજરાત: અત્યારે દેશમાં ચાલી રહેલી મોંઘવારી સામે દેશની તમામ પ્રજા ત્રાહિમાંમ પોકારી રહી છે ખાવા-પીવાની ચીજ વસ્તુઓથી લઇને દરેકમાં વસ્તુઓમાં આજે ભાવ આસમાને પહોંચ્યા છે. ડીઝલ – પેટ્રોલનાં દિવસેને દિવસે કૂદકે ને કૂદકે વધતા જતા ભાવો સામે પ્રજા લાચાર બની છે. આજ રોજ અમીરગઢ ખાતે અમીરગઢ તાલુકા કોંગ્રેસ સમિતિ જનચેતના આંદોલન દ્રારા વધતા જતા ડીઝલ પેટ્રોલનાં ભાવો સામે વિરોધ દર્શાવ્યો હતો. અમીરગઢ કોંગેસ સમિતિ દ્રારા આજરોજ અમીરગઢ…

કૌભાંડ: કરોડોની મિલકત ચાઉં!, કેસમાં સંડોવાયેલ બે વ્યક્તિના આગોતરા જામીન થયાં મંજૂર

ગાંધીનગરના વેપારીની કરોડોની જમીન પચાવી જવાના કેસમાં પોલીસે ગાંધીધામના ચાર વ્યક્તિની ધરપકડ કરેલી પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરતાં અન્ય બે વ્યક્તિ સંડોવાયેલા હોવાનું બહાર આવેલું સુરેન્દ્રનગરના યુવા વકિલ એસ. ડી. મોઘરીયા દ્વારા હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે દરખાસ્ત મૂકેલી ગુજરાત: એક જ નામના વ્યક્તિઓ ઘણા બધા હોય છે. આમ તેમના નામની સાથે ઘણી વખત એમની અટક પણ મળતી આવતી હોવાથી ઘણા-બધા ખોટા પુરાવા (દસ્તાવેજ) રજૂ કરીને જમીન પચાવી જવાના કેટલાંય કિસ્સાઓ પ્રકાશમાં આવતાં હોય છે. ત્યારે ગાંધીનગરના એક વેપારી સાથે જ આવી જ કાઈ ઘટના બની હતી. વર્ષ 1989 માં અમૃતલાલ…

ધ્રાંગધ્રાના બે વ્યક્તિ કચ્છના નાના રણમાં રસ્તો ભૂલ્યા

વચ્છરાજ દાદાના મંદિરે દર્શન કરવા જતાં વચ્ચે બાઇક થયું બંધ, આખો દિવસ રણમાં ભૂખ્યા-તરસ્યા થયા બેભાન રણમાં કોઈ ફસાયું હોવાના ઉડતા સમાચાર આવતા નજીકના ગામના માણસો બંને વ્યક્તિને બચાવવા દોડી આવ્યાં ગુજરત: ધ્રાંગધ્રાના તાલુકાના દલવાડી સમાજના બે વ્યક્તિ કચ્છના નાના રણમાં વચ્છરાજ દાદાના મંદિરે દર્શન કરવા ગયાં હતાં. રણમાં રસ્તો ભુલતાં આખો દિવસ વીતી જતા ભૂખ્યાં-તરસ્યા રણમાં વલખા મારી રહ્યાં હતાં. તેવામાં નજીકના ગામમાં રણમાં કોઇ ફસાયું હોવાના ઉડતા સમાચાર આવતા કેટલાંક માણસો બંને વ્યક્તિને બચાવા દોડી આવ્યાં હતાં. ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામના અને ધ્રાંગધ્રાના દલવાડી સમાજના બે વ્યક્તિ સવારે…