દર્દ સે મેરા દામન ભર દે યા અલ્લાહ; ફિર ચાહે દિવાના કર દે યા અલ્લાહ!

અને ધીમે-ધીમે દર્દ/પીડા આપણા આખાય અસ્તિત્વ પર કબજો જમાવી લે છે. દર્દ થવું એ આપણું અસ્તિત્વ જાગૃત હોવાની નિશાની છે. ગઝલ સમ્રાટ મરીઝનો શેર છે ને: આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન; દે એક મહાન દર્દ અને પારાવાર દે! મરીઝ સામેથી પારાવાર દર્દ માંગવાની વાત કરે છે! અને મીરાંબાઈએ ગાયું છે: હે રી મૈં તો દરદ દીવાની, મેરો દરદ ન જાણૈ કોય; ઘાયલકી ગતિ ઘાયલ જાણૈ, જો કોઈ ઘાયલ હોય! સુખની શોધ આપણે હજારો-લાખો વર્ષોથી કરતાં આવ્યાં છીએ. યુ નો, પરસ્યુટ ઑફ હેપ્પીનેસ! આપણું હર એક કદમ સુખની…

જન્મ આપવો એ એકમાત્ર જ છે સત્યનું સર્જન!

તો આપણે કવિયિત્રીવિશ્વનાં પહેલાં અંકમાં ભારતની અલગ- અલગ કવયિત્રીઓની કવિતાઓનો આસ્વાદ માણ્યો. બીજા અંકમાં અલગ-અલગ દેશની કવયિત્રીઓની કવિતાઓનો આસ્વાદ માણ્યો. હવે ત્રીજા અને છેલ્લાં આ અંકમાં એને જ આગળ વધારીએ. ઉરુગ્વેની કવયિત્રી ડેલમિરા અગુસ્તીની લખે છે: વિરલ અંધકાર બનાવે મારા વિશ્વને અંધારિયું, તારક સમો આત્મા જેની સાથે ચડું ઊંચે, પડે નીચે; આપો મને તમારો પ્રકાશ આપો! વિશ્વને છુપાવી દો મારાથી! (અનુ: શશી મહેતા) એલિઝાબેથ રીડેલ નામની ઓસ્ટ્રેલિયન કવયિત્રી કહે છે: મને ક્યારેક એવું લાગે છે કે મારું હૃદય સૂઝી ગયું છે લોહી વહે છે તારા નામના લાવણ્યહીન અક્ષરો તરફ એ…

મુસ્લિમ યુવક સાથે હિંદુ યુવતીના લગ્નની કંકોત્રી થઈ વાઇરલ

સમાજના બીજાના લોકોએ લવ જેહાદ બતાવ્યું લગ્ન લોકલ કોર્ટમાં પહેલા જ થઈ ચૂક્યા હતા નેશનલ: મહારાષ્ટ્રના નાસિકમાં એક હિંદુ યુવતી અને એક મુસ્લિમ યુવક પોતાની મરજીથી લગ્ન કરવા માંગતા હતા. જેના માટે બન્ને પરિવારોની અનુમતિ પણ સામેલ હતી. પણ બે પ્રેમીઓની આ પ્રેમ કહાણીમાં વિઘ્ન ત્યારે પડ્યો જ્યારે આસપાસના અને સમાજના લોકોને આ સંબંધ ન ગમ્યો. લગ્નની કંકોત્રી વાઇરલ થતાં જ આસપાસના લોકો તેને લવ જેહાદ ગણાવી તેનો વિરોધ કરવા લાગ્યા. જેના કારણે યુવતીના પરિવારને આ લગ્નનો કાર્યક્રમ રોકવો પડ્યો. સમાજના દબાણ હેઠળ આ લગ્નના પ્રોગ્રામને સ્થગિત કરવામાં આવ્યો હોય…

હળવદમાં આવેલ કૃષ્ણનગર રામદેવપીર મંદિર ખાતે અષાઢી બીજના દિવસે ઉકળતા દૂધની ધરાઈ ડેગ..

અષાઢી બીજના દિવસે પૂરી અને અમદાવાદમાં નગરના નાથ જગન્નાથજીની રથયાત્રા નિકળે છે તો એજ દિવસે કચ્છીઓનું નવું વર્ષ પણ શરૂ થતું હોય છે. ગુજરાત: મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ રામદેવપીર મંદિર ઘણું પ્રખ્યાત છે. લોકવાયકાઓ મુજબ રામદેવપીરના અનેક પરચાઓની કથાઓ પ્રચલિત છે. શૂન્યમાંથી સર્જન કરતા હળવદના રામદેવપીર યુવક મંડળ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ઉકળતા દુધની 251 કિલોની ડેગ પ્રસાદી કરવામાં આવે છે. આશરે 30 વર્ષ પહેલાં 50 મિત્રો સાથે મળીને રામદેવપીર યુવક મંડળ બનાવવામાં આવ્યું, ત્યારબાદ 1999માં કૃષ્ણનગરમાં રામદેવપીર મંદિરની સ્થાપના કરવામાં આવી. આજે હજારોની સંખ્યામાં રામદેવપીર મંદિરના દર્શનાર્થીઓ દર્શનનો…

અમીરગઢ ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટીંગ યોજાઈ

કોંગ્રેસ પાક. સમર્થક છે : બીજેપી પ્રભારી ગુજરાત: આજરોજ ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટીંગ યોજાઈ હતી જેમાં ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય એવા કુમુદબેન જોષી, અમીરગઢ ભાજપના પ્રભારીશ્રી ભરતભાઈ પરમાર, જયેશભાઈ દવે, ભાજપ પ્રમુખશ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ, મહામંત્રી કૈલાશભાઈ દરજી ચેતનસિંહ રાજપૂત ઈકબાલગઢ માર્કેટયાર્ડ ના ચેરમેન શ્રી મોતીભાઈ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન મોઢ, પૂર્વ પ્રમુખ શ્રી સંજયભાઈ જૈન, તેમજ પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, શક્તિકેન્દ્ર પ્રમુખશ્રીઓ, તમામ મોર્ચા ના હોદેદારો, સરપંચશ્રીઓ તેમજ પાર્ટીના કારોબારી સભ્યશ્રીઓ, સક્રિય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અને પાર્ટીના આગામી કાર્યક્રમની રૂપરેખા આપી હતી,…

કલોલથી મુંદ્રા માલ ભરીને જતાં ટ્રકમાંથી રૂ. 96,939 કિંમતનો માલ ગાયબ

ડ્રાઈવર માલવણથી ધ્રાંગધ્રા-હળવદ હાઈવેથી જતાં રસ્તામાં સોલડી ટોલનાકા પાસેની કિટલીએ ચા પીવા રોકાયેલો સોલડી ટોલનાકાના સી.સી.ટી.વી કેમેરા ચકાસતાં ટ્રક પરની તાળપત્રી કાપેલી અને માલ ચોરી થયો હોવાનું જણાયેલું ગુજરાત: અંજારના શેઠનો ડ્રાઈવર કલોલથી ટ્રકમાં માલ ભરીને મુંદ્રા ખાતે ટ્રક ખાલી કરવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન હાઈવે પરના રસ્તામાં માલવણ ટોલનાકા બાદ ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પરના સોલડી ટોલનાકા વચ્ચે ચોરી થયાનું સી.સી.ટી.વી. તપાસમાં જણાયું હતું. ટ્રકમાં ભરેલાં માલ પર બાંધેલી તાળપત્રી કાપીને તેમાંથી રૂ. 96,939 કિંમતનો માલ કોઈ અજાણ્યા શખ્સે ચાલુ ગાડીમાંથી ચોરી કર્યાંની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં…

અમીરગઢમાં નવો નાખવામાં આવે વીજ વાયર એક કલાકમાં તૂટી પડ્યો

ગુજરાત: અમીરગઢ દેનાબેન્ક આગળ વીજ વાયર તૂટી પડયો હતો જોકે મોટી જાનહાની ટળી હતી. લોકોના જણાવ્યા અનુસાર વહેલી સવારે નવિન વીજ વાયર નાખવામાં આવ્યો હતો અને બપોરે જ વીજ કર્મીઓ નવિન વાયર નાખીને ગયા હતા ત્યાબાદ એક કલાક માંજ ફરી વાયર તૂટી પડ્યો હતો જોકે સદ્ નસીબે મોટી જાનહાની ટળી હતી. અમીરગઢ દેના બેન્ક નજીક આવેલ વિજપોલ અને ત્યાંથી અંદાજિત સો મીટર દૂર આવેલ ડીપી થી નવીન વીજ વાયર સવારે જ નાખવામાં આવ્યો હતો અને આખો દિવસ વીજ કર્મીઓ વાયર નાંખીને બપોરે જ ગયા હતા એવું ત્યાંની સ્થાનિકોએ જણાવ્યું હતું…

પરેશ રાવલ, ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ અમદાવાદ જેવા સુંદર શહેરથી તૂફાનના વર્ચ્યુઅલ પ્રવાસનો પ્રારંભ કર્યો!

મનોરંજન: એમેઝોન પ્રાઇમ વીડિયોપર તૂફાનના વર્લ્ડ પ્રિમીયર પહેલા તૂફાને સ્થાનિક મીડિયા સાથે ખાસ મુલાકાત કરી. એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા એક્સેલ એન્ટરટેઇનમેન્ટ અને ROMP પિક્ચર્સના સહયોગથી રજૂ કરાયુ છે. તૂફાનનું નિર્માણ રિતેષ સિધવાણી, ફરહાન અખ્તર અને રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા કરવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તરની સાથે મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, સુપ્રિયા પાઠક શાહ અને હુસૈન દલાલ આગવી ભૂમિકામાં છે અને તેનું દિગ્દર્શન રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા કરવામાં આવ્યુ છે એમેઝોન પ્રાઇમ વીડિયો પર તૂફાનના લોન્ચ પહેલા તૂફાન ટીમ – પરેશ રાવલ, ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ…

‘જો ન્યાય નહીં મળે તો છેક દિલ્હી જઈશ’, સાયકલ મારફતે ન્યાય મેળવવા નીકળેલા ખેડૂતની વેદના

ગીર સોમનાથના વાવડી ગામના ખેડૂતની જમીનનું બારોબાર વેંચાણ થયેલું, 20 વર્ષ થયાં છતાં ન્યાયનો છાંટો પણ નહીં! જો ન્યાય નહીં મળે તો સીધા દિલ્હી જશે સાયકલથી ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને આ બાબતે જાણ કરેલી ગુજરાત: ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના 66 વર્ષીય ખેડૂતની જમીન 20 વર્ષ પહેલાં અમુક શખ્સો મળીને નકલી(ડુપ્લિકેટ) સહી દ્વારા ખોટા દસ્તાવેજો તૈયાર કરીને અંબુજા સિમેન્ટ કંપનીને બારોબાર વેંચી દીધી હતી. જે બાબતે ખેડૂત દ્વારા અનેક વખત પોલીસમાં ધક્કા કર્યા બાદ પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ એક મહિનામાં જ આરોપીને આગોતરા જામીન મળી ગયેલાં.…

શું તમે રસ્તે આવતા ખાડાઓથી પરેશાન છો? તો જાણો એક નિવૃત દંપતી આ ખાડા દૂર કરવા કરી રહ્યા છે આવું કામ

હૈદરાબાદના વૃદ્ધ દંપતી 11 વર્ષથી રોડ પર પડેલા ખાડા પુરી રહ્યા છે પેંશનના પૈસા થી પુરી રહ્યા છે ખાડા નેશનલ: હૈદરાબાદના વૃદ્ધ દંપતી 11 વર્ષથી પોતાની પેંશનમાંથી રોડ પર પડેલા ખાડા પુરી રહ્યા છે. હૈદરાબાદ(તેલંગાણા)ના ગંગાધર તિલક અને તેમના પત્ની વૈનકેટેશ્વરી કતનમ છેલ્લા 11 વર્ષોથી તેમની પેંશનના રૂપિયાથી જાહેરમાર્ગ પર પડેલા ખાડા પુરવાનું કામ કરી રહ્યા છે. 74 વર્ષીય તિલકે જણાવ્યું કે, “અમે 11 વર્ષોમાં 40 લાખ રૂપિયા ખર્ચીને સમગ્ર શહેરના કુલ 2030 ખાડા પુરવાનું કામ કરી ચુક્યા છીએ.” તેઓ રેઈલ વે માંથી નિવૃત્તિ બાદ અહીં શિફ્ટ થયાં, રોડ પર…