ટેલિવિઝન અભિનેત્રીએ કાસ્ટીંગ ડાયરેક્ટર ‘આયુષ તિવારી’ પર મુક્યો બળાત્કારનો આરોપ

પોલીસ દ્વારા આયુષ તિવારી વિરુદ્ધ આઈ.પી.સી. ધારા 376નાં આધારે કેસ નોંધવામાં આવ્યો છે આયુષ તિવારીએ લગ્ન કરવાનું વચન આપીને તેની ઉપર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો અભિનેત્રીએ એમ પણ કહ્યું છે કે, આરોપી તેને માર મારતો હતો મનોરંજન: ટીવી અને વેબસીરીઝની એક અભિનેત્રીએ બોલિવૂડનાં એક કાસ્ટીંગ ડાયરેક્ટર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ મુંબઈનાં વર્સોવા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં કાસ્ટિંગ ડાયરેક્ટર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી અને ન તો હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી છેલ્લા કેટલાક દિવસોથી…

“રાજુ શ્રીવાસ્તવએ ડ્રગ્સ કેસમાં ભારતી વિરુદ્ધ બોલીને બધા સાથે સબંધો ખરાબ કરી લીધા છે”: કૃષ્ણા અભિષેક

પ્રખ્યાત કૉમેડીયન ‘ભારતી સિંહ’ અને તેમના પતિ ‘હર્ષ લીંબાચીયા’નાં ઘરે 21, નવેમ્બરનાં રોજ NCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં આ બધું કરવાની જરૂર શું છે? એવું નથી કે ડ્રગ્સ લેવાથી તમે સારા કોમેડિયન બનશો અથવા તે તમને ઉર્જા આપશે. હું ખુબ ઉદાસ છું.”: રાજુ શ્રીવાસ્તવ કૃષ્ણા અભિષેક’ મિત્ર ‘ભારતી સિંહ’નાં સપોર્ટમાં ઊભા રહ્યાં છે મનોરંજન: પ્રખ્યાત કૉમેડીયન ‘ભારતી સિંહ’ અને તેમના પતિ ‘હર્ષ લીંબાચીયા’નાં ઘરે 21, નવેમ્બરનાં રોજ NCB(Narcotics control Bureau) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં અને આ તપાસમાં NCBને તેમના ઘરમાંથી 86.5 ગ્રામ ‘માદક દ્રવ્ય’ પણ મળી આવ્યું હતું.…

ફિલ્મ ‘તમાશા’નાં પાંચ વર્ષ: એકટ્રેસ ‘દીપિકા પાદુકોણ’ એ ‘રણબીર કપૂર’ સાથે શૂટિંગ દરમિયાનનાં ફોટો શેર કર્યા

Ranbir Deepika Tamasha

ફિલ્મ ‘તમાશા’નાં 5 વર્ષ પૂરા થતાં ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાનાં અને રણબીરનાં પિક્ચર્સ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યા દીપિકા અને રણબીરની જોડી ઓનસ્ક્રીન સુપરહિટ રહી છે દીપિકાએ આ પોસ્ટ માટે #5YEARSOFTAMASHA, #5YEARSOFTARA અને #RANBIRKAPOOR જેવા હેશટૅગ્સનો ઉપયોગ કર્યો છે. મનોરંજન: આજકાલ બોલિવૂડમાં બનેલી ફિલ્મોનાં એક-બે કે તેથી વધુ વર્ષ પૂર્ણ થતા, તેની ઉજવણીનાં ભાગરૂપે કલાકારો દ્વારા તે ફિલ્મનાં ફોટો કૅપ્શન સાથે પોતાનાં સોશિઅલ મીડિયા અકાઉન્ટસ પર મુકવાનો ટ્રેન્ડ બની ગયો છે. તેમજ ફિલ્મ ‘તમાશા’નાં 5 વર્ષ પૂરા થતાં ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પાદુકોણએ તે ફિલ્મનાં શૂટિંગ દરમિયાનનાં સહ-અભિનેતા…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આવતીકાલે 71 કરોડનાં ખર્ચે તૈયાર થયેલા બે ફ્લાય ઓવરનું ઇ-લોકાર્પણ કરશે

Amit Shah

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં નિર્માણ પામેલા 71 કરોડ રૂપિયાનાં બે ફ્લાય ઓવરનું આવતીકાલે ઇ-લોકાર્પણ કરશે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ આ અવસરે ઉપસ્થિત રહેશે ગુજરાત: નેશનલ હાઇવે 147 પર સરખેજ-ગાંધીનગર-ચિલોડાનાં કુલ 44 કિલોમીટરનાં માર્ગને 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરિત કરવાનાં તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારનાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. તદાનુસાર 28 મીટરનો સિંઘુભવન ચાર રસ્તા ફ્લાય ઓવર 25 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે તેમજ સાણંદ જંકસન…

“કોરોનાની વેક્સિન હવે આગામી એકાદ-બે માહિનામાં બની જશે” -સૌમ્યા સ્વામીનાથ

વેક્સિન હવે દૂર નથી માર્ચ-એપ્રિલ સુધીમાં લોકોને મળી જશે વેક્સિન ઇન્ટરનેશનલ: વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)નાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોવિડ માટેની રસી આગામી એકાદ-બે મહિનામાં તૈયાર થશે. ફેસબુક લાઈવ દ્વારા સ્વામી રામાનંદ તીર્થનાં વ્યાખ્યાન માળામાં બોલતા તેમણે કહ્યું હતું કે, કેટલીક કંપનીઓનાં કોવિડની વેક્સિનનાં પરિક્ષણો અંતિમ તબક્કામાં છે અને આગામી 1-2 મહિનામાં વેક્સિન જો તૈયાર થાય તો આગામી માર્ચ અથવા એપ્રિલ સુધીમાં તે બધા જ નાગરિકોને મળવા લાગશે. તેમણે કોવિડનાં સંક્રમણને રોકવા માસ્ક પહેરવા, યોગ્ય અંતરની જાળવણી જેવા પાયાનાં નિયમોનું પાલન કરવા લોકોને અપીલ કરી હતી.

“પુત્ર આદિત્યનાં રિસેપ્શનમાં હાજર રહેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચનને પણ નિમંત્રણ મોકલ્યું છે”: સિંગર ઉદિત નારાયણ

Aditya Naryan and his family

સિંગર અને ટીવી હોસ્ટ ‘આદિત્ય નારાયણ’ ગર્લફ્રેન્ડ ‘શ્વેતા અગ્રવાલ’ સાથે 1 ડિસેમ્બરએ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. 50 થી વધુ લોકો લગ્નમાં ભાગ લેશે નહીં. 1 ડિસેમ્બર 2020નાં રોજ મંદિરમાં લગ્ન થશે અને ત્યારબાદ 2 ડિસેમ્બરએ રિસેપ્શન રાખવામાં આવ્યું છે. મનોરંજન: આ વર્ષે ઓક્ટોબરમાં આદિત્યએ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથેના પ્રેમસંબંધોને જાહેર કર્યા હતા. આ પછી બંનેએ તેઓનાં લગ્નનાં નિર્ણય અંગે પણ માહિતી આપી હતી. બંનેની મુલાકાત 2010 માં તેમની પહેલી ફિલ્મ ‘શાપિત’ દરમિયાન થઈ હતી. સિંગર અને ટીવી હોસ્ટ ‘આદિત્ય નારાયણ’ ગર્લફ્રેન્ડ ‘શ્વેતા અગ્રવાલ’ સાથે લગ્નનાં બંધનમાં બંધાવા જઇ…

ગુજરાતથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસને ગંગાસાગર નજીક નડ્યો અકસ્માત

15 લોકોને નાની મોટી ઈજાઓ થઈ 108ની મદદથી સારવાર અર્થે પાલનપુર ખસેડાયા ઘટનાની જાણ થતાં L & Tનાં સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને તજવીજ હાથ ધરી હતી ગુજરાત: શનિવારની મોડી રાત્રે ગુજરાતથી રાજસ્થાન તરફ જતી લકઝરી બસને નડ્યો અકસ્માત બસમાં સવાર 15 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. સદનસીબે મોટીજાનહાનિ ટળી હતી. મળતી માહિતી અનુસાર શનિવારની મોડી રાત્રે ગુજરાતથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી ટ્રાવેલ્સબસનો ગંગાસાગર નજીક રોડ પર અચાનક ગાય આવી જતા ગાયને બચવવા જતા બસ પલ્ટી મારી ગઈ હતી. પલ્ટી મારતા બસમાં બેઠેલા 15 જેટલા પેસેન્જરોને નાંની-મોટી ઈજાઓ થઈ હતી.…

કોવિડ હોસ્પીટલમાં આગની દુર્ધટનાની તપાસ ગુજરાત હાઈકોર્ટનાં નિવૃત ન્યાયમૂર્તિને સોંપવાનો નિર્ણય

ગુજરાત: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પીટલમાં આગની દુર્ધટનાની ન્યાયિક તપાસ ગુજરાત હાઈકોર્ટનાં નિવૃત ન્યાયમૂર્તિ કે.એ. પુંજને સોંપવાનો નિર્ણય કર્યો છે. Read This: રાજકોટની ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલનાં ICUમાં લાગી આગ- 33 દર્દીઓ હતા દાખલ આ અગાઉ તાજેતરમાં અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં લાગેલી આગની ધટનાની તપાસ પણ જસ્ટીસ પુંજને સોંપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પીટલમાં આગ લાગતા પાંચ દર્દીઓના મોત નિપજ્યા હતાં.  

ટેલિવિઝન એક્ટર ‘શહીર શેખ’એ રચનાત્મક નિર્માતા ‘રુચિકા કપૂર’સાથે કોર્ટ મેરેજ કર્યા

મહાભારતમાં ‘અર્જુન’નાં પાત્ર દ્વારા સૌનું દિલ જીતનાર શહીર શેખએ પોતાનું દિલ હંમેશા માટે ગર્લફ્રેન્ડ રુચિકાનાં નામ કર્યું વિશ્વમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીનાં કારણે તેમણે કોર્ટ મેરેજ કરવાનું પસંદ કર્યું ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ દ્વારા બંને સેલિબ્રિટીએ પોતાનાં લગ્નની જાણ તેમનાં ચાહકોને કરી હતી મનોરંજન: મહાભારતમાં ‘અર્જુન’નું પાત્ર ભજવનાર તેમજ ‘નવ્યા’, ‘કુછ રંગ પ્યાર કે’ અને ‘યે રિશ્તે હે પ્યાર કે’ જેવી ટીવી સિરિયલમાં પોતાની ભૂમિકા ભજવનાર, પ્રખ્યાત ટીવી એક્ટર ‘શહીર શેખ’ એ તેમની ગર્લ ફ્રેન્ડ ‘રુચિકા કપૂર’ સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે. વિશ્વમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીનાં કારણે…

રાજચરાડી નદી પરનો પુલ ધોવાતા ગ્રામજનોનાં બાઈકનાં “ચેઇન-ચક્કર” ફેલ

ત્રણ મહિનામાં 50 જેટલાં બાઈકનાં ચેઇન-ચક્કર ફેલ પુલનું સમારકામ ન થયું હોવાથી ગ્રામજનોએ નદીમાંથી પસાર થવું પડે છે ગુજરાત: ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામની ચન્દ્રભાગા નદી પર આવેલ પુલ ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. જેના કારણે ગ્રામજનો અને ખેતરમાં રહેતા ખેતમજૂરોને ખુબજ હાલાકી ભોગવવી પડી હતી. જેની રાજચરાડી ગામનાં સરપંચ શ્રીએ 24 ઓગસ્ટનાં રોજ ધ્રાંગધ્રા મામલતદાર કચેરીને લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ મામલતદાર શ્રીને રજૂઆત કર્યાનાં ત્રણ મહિના થયા હોવા છતાં કોઈપણ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આ દરમિયાન ગ્રામજનોને પોતાના ખેતરે જવા માટે નદીની વચ્ચે થઈને…