અનેક વિવાદો બાદ ગિરનાર રોપ-વેના ભાવોમાં કરાયો ઘટાડો

  • 24 ઓકટોબરના એસિયાના સૌથી મોટા રોપ-વેનું લકર્પણ કરાયું હતું
  • ભવનાથ તળેટીથી અંબાજી સુધીનો લાંબો આ રોપ-વે બનાવવામાં આવ્યો છે
  • જેના ટિકિટના ભાડાના કારણે અનેક વિવાદો સર્જાયા હતા

ગુજરાત: એશિયાના સૌથી મોટા રોપ-વેના ભાડાને લઈને વિવાદ ઉભો થયો હતો. જોકે, ભારે વિવાદ બાદ ગિરનાર રોપ-વેના ભાડામાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ રોપ-વેનું ભાડું તો એટલું જ રહેશે પરંતુ ટિકિટ સાથે અલગથી લેવાતા GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. નવા ભાડાની જાહેરાત પ્રમાણે ટિકિટનનો ભાવ 700 જ રહેશે પરંતુ અલગથી જે 18 ટકા GST વસૂલ કરવામાં આવતો હતો તે હવે ટિકિટના ભાવમાં એડ કરાશે.

પહેલાનો ભાવ હાલનો ભાવ
સામાન્ય ટિકિટ 700 રૂપિયા + GST 700 (GST  સાથે)
બાળકોની ટિકિટ 350 રૂપિયા + GST 350 (GST સાથે)
વન સાઇડ 400 રૂપિયા + GST 400 (GST સાથે)
  • ટાઈમિંગ:
  • સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી
  • 5 વાગ્યા પછી ટિકિટ વિન્ડો બંધ કરી દેવામાં આવશે તેમજ 6 વાગ્યા સુધીમાં પ્રવસીઓને નીચે આવીજવાનું રહેશે

મીડિયા રિપોર્ટ મુજબ જૂનાગઢના મેયરે સીએમ રૂપાણીને લેખિતમાં રજૂઆત કરીને જણાવ્યું હતું કે, ગિરનાર રોપ-વે ની ટિકિટના ભાવ ઊંચા હોવાના કારણે અનેક લોકો ભવનાથ સુધી જાય તો છે પરંતુ ભાવ સાંભળીને પરત ફરે છે, ગુજરાતના અન્ય રોપ-વેની સરખામણીએ ગિરનાર રોપ-વેની ટિકિટના ભાવ ઘણો વધારે રાખવામા આવ્યો છે. જે સામાન્ય લોકોના ખિસ્સાને પરવાળે તેમ નથી. જેથી ટિકિટના દર ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવે તેવી માંગ છે.


ઉલ્લેખનીય છે કે, 24 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદીએ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું ઈ-લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની સાથે રોપ-વેથી ગિરનાર અંબાજી મંદિર જઈને પૂજન-અર્ચન કર્યું હતું.

  • તો ચાલો જાણીએ રોપ-વે વિષેની માહિતી

 

  • ઓનર અને ઓપરેટર: ઉષા બ્રેકો લિમિટેડ
  • કુલ લંબાઈ: 2.3કિલોમીટર
  • ટોટલ હાઇટ: 850 મીટર
  • ટ્રાવેલ ટાઈમ: 9મિનિટ
  • કેપેસિટી: એક ટ્રોલિમાં 8 વ્યક્તિઓ અને કુલ 25 ટ્રોલિ
  • એક કલાકમાં 800 વ્યક્તિઓ અને એક દિવસમાં 8000 વ્યક્તિઓ આ સેવાનો આનંદ લઈ શકશે

Leave a Comment