સમાચાર

ભારતીય રીઝર્વ બેંકે RTGSની સુવિધા આજથી ચોવીસ કલાક માટે શરૂ કરી

નેશનલ: ભારતીય રીઝર્વ બેંકે RTGSની સુવિધા આજથી ચોવીસ કલાક માટે શરૂ કરી છે. રિઝર્વ બેંકનાં ગર્વનર શક્તિકાન્ત દાસે ટ્વિટર ઉપર જણાવ્યું છે કે, ગઈકાલે મધરાતથી RTGS સુવિધા શરૂ થતાં આવી સુવિધા આપનાર વિશ્વના થોડાક દેશોની યાદીમાં ભારત જોડાયું છે. આ ઉગાઉ આરટીજીએસ સુવિધા કામકાજના દિવસો દરમિયાન સવારનાં 7થી 6 વાગ્યા સુધી મળતી હતી. દેશમાં ડિજીટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવાયો છે અને તેનાથી વેપારક્ષેત્રની ચૂકવણીમાં સરળતા વધશે તથા ઈન્ડિયન ફાઈનાન્શીયલ માર્કેટને સરહદ પારની ચૂકવણીની સુવિધા વધશે. Sorry for the typo error. It’s 12.30 am tonight. — Shaktikanta Das…

ઓનલાઇન પરીક્ષા વિકલ્પ પસંદગીની વેબસાઈટ ખુલવામાં ERROR, વિદ્યાર્થીઓ પરેશાન

ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ ચાલુ પણ, ઓનલાઇન પરીક્ષા પસંદગીની વેબસાઇટ બંધ પરીક્ષા વિકલ્પ પસંદગીની છેલ્લી તારીખ નજીક કેટલાય વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરવાથી વંચિત ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અને ઓફલાઈન એમ બંને રીતે પરીક્ષા આપવા માટેની વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે. કોરોના મહામારીનાં કારણે જે વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપવા માટે સક્ષમ નથી તેના માટે 8 ડિસેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં જે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપવામાં માગતા હોય તેમની માટે “ઓનલાઇન પરીક્ષા આપવા માટેનો વિકલ્પ” પસંદ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ઓનલાઈન પરીક્ષાની પસંદગી ન કરનારા…

સાપ્તાહિક રાશિફળ

સાપ્તાહિક રાશિ ફળ એટલે કે આખા અઠવાડિયા અથવા અઠવાડિયાનાં ભાવિની ગણતરી. તમારી રાશિનું સાપ્તાહિક રાશિફળ જોવા માટે નીચે આપેલી રાશિઓમાંથી પોતાની રાશિ પસંદ કરો આ સપ્તાહ દરમિયાન ચંદ્ર વૃશ્ચિક,ધન,મકર,કુંભ રાશિ પરથી પરિભ્રમણ કરશે,જ્યારે બીજા ગ્રહોની સ્થિતી નીચે પ્રમાણે છે. સૂર્ય-વૃશ્ચિક 16તારીખ પછી ધન, મંગળ-મીન બુધ-વૃશ્ચિક 18 તારીખ પછી ધન ગુરુ-મકર શુક્ર-વૃશ્ચિક શની-વ્રુષભ રાહુ-વ્રુષભ કેતુ-વૃશ્ચિક આ સપ્તાહની 16 તારીખે સૂર્ય રાશિપરિવર્તન કરશે સૂર્ય ધનરાશિમાં પરિભ્રમણ કરશે, જે ગુરુની રાશિ છે, અને સૂર્ય-ગુરુ એકબીજાનાં મિત્ર છે માટે ધનરાશિ, મિથુનરાશિ તથા સિંહરાશિનાં જાતકો આ સપ્તાહ દરમિયાન આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. મેષ રાશિ વૃષભ રાશિ…

અખબાર ઉદ્યોગે સરકાર પાસેથી માગ્યું પેકેજ

નેશનલ: ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (આઈએનએસ)નાં પ્રમુખ એલ. આદિમૂલમે કેન્દ્ર સરકાર સમક્ષ ન્યૂઝ પેપર ઇન્ડસ્ટ્રી માટે પ્રોત્સાહન પેકેજ આપવાની માંગ કરી છે. આઈએનએસ ઘણાં મહિનાથી આ પેકેજની આશા રાખી રહ્યું છે. INSનું કહેવું છે કે ન્યૂઝપેપર ઇન્ડસ્ટ્રીની આવક ઘટતાં અભૂતપૂર્વ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે કોવિડ-19ને કારણે જાહેરાત અને સર્ક્યુલેશનને બહુ જ ખરાબ અસર થઈ છે. આ કારણે અનેક પ્રકાશનો બંધ થઈ ગયાં છે અથવા કેટલીક આવૃત્તિ અનિશ્ર્ચિત સમયગાળા માટે સ્થગિત કરી દેવાઈ છે. જો આ સ્થિતિ રહેશે તો નજીકનાં ભવિષ્યમાં હજુ વધુ પ્રકાશનો બંધ થઈ જશે. 8…

બેંગ્લોરનાં આઇફોન પ્લાન્ટમાં પગાર બાબતે કર્મચારીઓએ કરી હિંસા

iPhone બનાવતી કંપનીમાં કર્મચારીઓએ કરી ધમલ પગાર બાબતે ચાલી રહેલી ચર્ચા હિંસક બની નેશનલ: બેંગ્લોર થી 60 km. દૂર આવેલા આઇફોનનાં પ્લાન્ટમાં આજે શનિવારે સવારે હિંસા ફાટી નિકળી હતી. પ્લાન્ટનાં કામદારોનાં પગારના મામલે મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. બેંગ્લોર નજીકનાં નરશાપૂરા ખાતે તાઇવાનની મહાકાઇ કંપની વિસ્ટ્રોન કોર્પોરેશનનો આઇફોનનો વિશાળ પ્લાન્ટ આવેલો છે. આ પ્લાન્ટમાં અંદાજે 2000થી વધુ કર્મચારીઓ કામ કરે છે. આ કર્મચારીઓએ પગાર અને સુવિધા મામલે આજે સવારે નાઇટ શિફટ પૂર્ણ કર્યા પછી ધમાલ શરૂ કરી હતી. પ્લાન્ટનાં ફર્નીચરનો ભૂકો બોલાવી દેવામાં આવ્યો અને કેટલાંક વાહનોને પ્લાન્ટની…

બનાસકાંઠાનાં અમીરગઢ પંથકમાં સવારનાં સમયે ભારે ધુમ્મસ વાળા વાતાવરણમાં સર્જાયો અકસ્માત

રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટા અને માવઠું થયું છે ધુમ્મસનાં કારણે ઈકબાલગઢ ઓવરબ્રિજ નજીક કારચાલકને નડ્યો અકસ્માત ગુજરાત: હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવતા રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટા અને માવઠું થયું છે. આ માવઠાથી ખેડૂતોનાં જીવ તાળવે ચોંટ્યા છે. તથા રવિપાકની સિઝનને નુકશાન થવાની ભીતિ રહેલી છે. બીજી બાજુ સમગ્ર રાજ્યમાં ઓછા વતા અંશે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું. ત્યારે છેલ્લા 2 દિવસથી અમીરગઢ પંથકમાં પણ દિનભર ધુમ્મસ ભર્યા વાતાવરણ જોવા મળ્યા હતા. અને સવારનાં પોરમાં રોડ પર એટલી વધુ માત્રામાં ધૂમમ્મસ જોવા…

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બે ટેસ્ટ મેચ અને પાંચ 20-20 ક્રિકેટ મેચો અમદાવાદનાં નવા મોટેરા ક્રિકેટ મેદાન ખાતે રમાશે

motera

વર્ષ 2021માં ઈંગ્લેન્ડ સામેની મેચ મોટેરામાં રમાશે બે ટેસ્ટ અને પાંચ 20-20નું આયોજન મોટેરામાં થશે સ્પોર્ટ્સ: આગામી ફેબ્રુઆરી- માર્ચ મહિનામાં ભારત અને પ્રવાસી ઈંગ્લેન્ડ વચ્ચેની બે ટેસ્ટ મેચ અને પાંચ ટી ટવેન્ટી ક્રિકેટ મેચો અમદાવાદનાં નવા મોટેરા ક્રિકેટ મેદાન ખાતે રમાશે. વિશ્વનાં સૌથી વિશાળ એવા મોટેરાનાં આ સ્ટેડિયમનું ઉદઘાટન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટ મેચ દ્વારા થશે. બંને દેશો વચ્ચેની આ ત્રીજી ટેસ્ટ મેચ 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન મોટેરામાં રમાશે. ચોથી ટેસ્ટ 4 થી 8 માર્ચ દરમિયાન રમાશે. ત્યાર બાદ ઈંગ્લેન્ડની ટીમ ભારત સામે સળંગ પાંચ 20-20 મેચો…

બનાસકાંઠાનાં અમીરગઢમાં શ્રી રાજેશ્વરી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા નશાબંધીનો કાર્યક્રમ યોજાયો

અમીરગઢ ની પ્રાથમિક સ્કૂલ અને ખુણીયા ખાતે યોજાયો હતો નશાબંધી કાર્યક્રમ મહેંદી સહિત અન્ય અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી ગુજરાતી: 10 ડિસેમ્બરનાં રોજ ડીસાનાં શ્રી રાજેશ્વરી સેવા સમાજ ટ્રસ્ટ દ્રારા અમીરગઢની અમીરગઢ પ્રાઈમરી સ્કૂલ ખાતે નશાબંધી મહિલા સંમેલન યોજાયો હતો. રાજેશ્વરી સેવા સમાજ ટ્રસ્ટનાં પ્રમુખ જ્યોત્સનાબેન બારોટ, ગઢવી સાહેબ, શકુંતલા બેન ભાટિયા, મહેશભાઈ રજપુરિયા, છાયાબેન ગેહલોતર, પ્રાથમિક શાળાનાં આચાર્ય રાજુભાઇ તથા સ્ટાફ હાજર રહ્યા હતા. મહેંદી સહિત અન્ય અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ઇનામનાં વિજેતા શ્રીમાળી ક્રિષ્નાબેન તથા બીજા ઇનામનાં વિજેતા અગ્રવાલ પૂનમબેન બન્નેને ઈનામ આપવામાં…

બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીનાં પ્રથમ કુલપતિ તરીકે ડો.મધુકરભાઇ પાડવીની નિમણૂક

સુરતની એમ.ટી.બી આર્ટસ કોલેજનાં આચાર્ય તરીકે સેવા આપી છે ગુજરાતી તેમજ હિન્દી ભાષામાં અનેક પુસ્તકો પણ લખ્યા છે ગુજરાત: રાજય સરકારનાં આદિવાસી વિકાસ વિભાગ દ્વારા સંચાલિત નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટીનાં પ્રથમ કુલપતિ તરીકે એમ.ટી.બી. આર્ટસ કોલેજ, સુરતનાં આચાર્ય ડો.મધુકરભાઇ પાડવીની નિમણૂક કરવામાં આવી છે. ડો.મધુકર પાડવીનો જન્મ.03-03-1961નાં રોજ તાપી જિલ્લાનાં નિઝર અને કુકરમુંડા તાલુકાનાં મેણપુર ખાતે સામાન્ય આદિવાસી પરીવારમાં થયેલ છે. તેઓએ વીર નર્મદ યુનિવર્સિટી, સુરતમાં હિન્દી વિષય સાથે પ્રથમ વર્ગમાં યુનિ. પ્રથમ ક્રમે સ્નાતકની ડિગ્રી મેળવેલ છે. તેઓએ એમ.એ., એમ.ફીલ અને પી.એચ.ડી, સુધીનો અભ્યાસ નર્મદ યુનિવર્સિટી,…

સંસદ ભવનનો શિલાન્યાસ, પીએમ મોદીએ ભૂમિપૂજન કર્યું; ભવન સાથે જોડાયેલી 5 મોટી વાત

નવા સંસદ ભવનના નિર્માણનો શિલાન્યાસ આજે પૂર્ણ થયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કાર્યક્રમમાં ભૂમિપૂજન કર્યું હતું. ઇન્ડિયા ગેટ નજીક સેન્ટ્રલ વિસ્ટા પ્રોગ્રામ અંતર્ગત બનાવવામાં આવી રહેલ નવી ઇમારતનો આ કાર્યક્રમ પ્રતીકાત્મક રૂપે શિલાન્યાસ કરશે. પરંતુ તેનું નિર્માણ હજી શરૂ થઈ શક્યું નથી કારણ કે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી ચાલી રહી છે. સંસદનું આ નવું મકાન 20,000 કરોડ રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના 13.4 કિલોમીટર લાંબા રાજપથ પર આવતા સરકારી ઇમારતોનું ર્નિર્માણ કરવામાં આવશે. ભવન સાથે જોડાયેલી 5 મોટી વાત…