સમાચાર

સોનલ માતાજી…ચારણોની પૂજનીય દેવી મા…

શું આપ જાણો છો તેમનાં વિશે? આજે લઈને આવી છું એક એવી જ ઐતિહાસિક ઘટનાનું વિવરણ જેને આપમાંથી કદાચ જ કોઈ અજાણ્યું હશે! તો ચાલો…લઇ જાઉં આજે આપ સૌને સોરઠનાં પ્રખ્યાત ધામમાં…જે આઈ.શ્રી.સોનલ માતાજી નામે ખૂબ જ પ્રચલિત છેજૂનાગઢથી માત્ર 30 કિલોમીટર દુર આવેલ છે મઢડા ગામ. આ ગામમાં આઈ.શ્રી.સોનલ માતાજીનું મંદિર આવેલ છે. 700 માણસોની વસ્તી ધરાવતું આ ગામ, લાખો ભક્તોની આસ્થાનું  ધામ છે.  ભક્તો આ મંદિરે માનાં દર્શન માટે સોનલધામ ખાતે ઉમટી પડે છે. મંદિરમાં બિરાજીત આઈ.શ્રી.સોનલમાની દયામયી મૂરતનાં દર્શન કરવા માટે દરરોજ ભક્તોની ભીડ રહે છે. 20 જેટલા…

હોલિવૂડની ફિલ્મ ‘ ધ અધર એન્ડ ઓફ લાઈન’માં પાબીબેગ્સ! કોણ છે પાબીબેન રબારી?

પાબીબેન…આ નામ આજે દેશભરમાં જાણીતું બન્યું…કારણ..તેઓ કેબીસીનાં કર્મવીર એપિસોડમાં આવ્યા અને વધુ પ્રખ્યાત થયા. ફેશનની દુનિયામાં આપે ઘણા નામો સાંભળ્યા હશે, પણ પાબીબેનએ ફેશનને એક અલગ જ સ્તરે લઇ ગયા. દેશ જ નહીં પણ વિદેશમાં પણ તેમનાં નામનો ડંકો વાગે છે.. તો ચાલો આજે જાણીએ પાબીબેનનાં જીવનચરિત્ર વિશે, તેમના સાહસો વિશે. પાબીબેનનો જન્મ મુન્દ્રા તાલુકાનાં એક નાનકડા ગામ કુકડસરમાં થયો હતો, ગામથી જ પાબીબેને શિક્ષણ લેવાની શરૂઆત કરી અને તેમનાં ઘરનાં મોભી, તેમનાં પિતાનું મૃત્યુ થઇ ગયું. આખરે પરિવારનું ગુજરાન ચલાવવા ઘરમાં સૌથી મોટા પાબીબેને અભ્યાસ છોડી, માતાને આર્થિક ટેકો…

ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, 50 લાખનો મુદ્દામલ જપ્ત

હરિયાણાનાં બ્રાન્ડની 570 પેટી સહીત 50 લાખ નો મુદ્દામાલ જપ્ત રિકો પોલિસે વાહન ચેકીંગ દરમિયાન દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પડ્યું ગુજરાત: રાજ્યની બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ તાલુકાને અડીને આવેલ રાજસ્થાન બોર્ડર જે આંતરરાજ્યોને જોડતી બોર્ડર છે. આંતરરાજયની આ ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર અવાર નવાર કેફી-પીણાં અને નશીલી ચીજવસ્તુઓ માટે મોખરે સ્થાન ધરાવે છે. આ અતિ સંવેદનશીલ ગણાતી આંતરરાજ્ય બોર્ડર પર નશીલી વસ્તુઓની અવરજવર રોકવા માટે બુટલેગરોનાં ઇરદાને નાકામ કરવા માટે આંતરરાજય ની બોર્ડર પર પોલિસ દ્રારા આવતા જતા વાહનોને સતત ચેકીંગ કરવામાં આવે છે. ત્યારે આજરોજ રાજસ્થાન રિકો પોલિસે…

ભારતને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદમાં સ્થાયી/કાયમી સભ્ય પદ મળવું જોઈએ?

ઓપન વિન્ડો: યુરોપિયન રાષ્ટ્રોની સ્વાર્થી નીતિને લીધે થયેલાં વિશ્વ યુદ્ધોએ માનવતાથી લઈને સામાજિક-રાજકીય સુરક્ષાનો છેદ ઉડાડી દીધો. પરિણામે દ્વિતીય વિશ્વયુધ્ધ બાદ સામૂહિક સુરક્ષાની જરૂરિયાત અનુભવાયી. જેનાં પરિણામે વર્ષ,૧૯૪૫માં સંયુક્ત રાષ્ટ્ર સંઘનું નિર્માણ થયું અને તેનાં એક પ્રમુખ અંગ તરીકે સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (UNSC)ની સ્થાપના કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્રસંઘનું કાર્યાલય અને તેનાં કર્મચારીઓનાં નિવાસસ્થાન અમેરિકાની આર્થિક રાજધાની ગણાતાં ન્યુયોર્ક શહેરમાં આવેલા છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘનું બંધારણ ઘડાયું ત્યારે અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન આ પાંચ દેશો સુરક્ષા પરિષદનાં કાયમી સભાસદો બન્યાં. જ્યારે જર્મની, ઈટલી કે જાપાન દુશ્મન દેશો હોવાથી…

વીર કર્મયોગી: વિવેકાનંદ

વીર કર્મયોગી: વિવેકાનંદ આજે સ્વામી વિવેકાનંદ પરનો ત્રીજો અને છેલ્લો લેખ. થોડી વાત કરીએ વિવેકાનંદનાં વિચારોની અને થોડી વાત વિવેકાનંદનાં અંતરમનની! ‘ભારતને માટે મને પૂરેપૂરો પ્રેમ હોવા છતાં, મારામાં પૂરેપૂરો દેશપ્રેમ ભરેલો હોવા છતાં અને પ્રાચીન પૂર્વજોને માટે સંપૂર્ણ સન્માનની ભાવના હોવા છતાં, મને એ વિચાર આવ્યા વગર રહેતો નથી કે આપણે બીજી પ્રજાઓ પાસેથી હજી ઘણી બાબતો શીખવાની છે. જ્ઞાન માટે આપણે સૌને ચરણે બેસવાને તૈયાર રહેવું જોઈએ. સાથે આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે આપણે પણ જગતને એક મહાન બોધપાઠ શીખવવાનો છે. ભારતની બહારનાં વિશ્વ સિવાય આપણને…

વીર કર્મયોગી: વિવેકાનંદ

વીર કર્મયોગી: વિવેકાનંદ ગતાંકમાં આપણે નરેન્દ્રનાથ- સ્વામી વિવેકાનંદ બન્યા ત્યાં સુધી જોયું. વિવેકાનંદ ભારતમાં વિભિન્ન પ્રદેશોમાં યાત્રા કરતા-કરતા ધર્મ પ્રચાર કરવા લાગ્યા. તેઓ કોઈની પાસે ભિક્ષા માગતા નહીં. કોઈની સામે ભોજન માટે હાથ લંબાવવો નહીં તેવો એમનો દ્રઢ નિશ્ચય. પરંતું જો કોઈ સ્વયં બોલાવીને ભોજન આપે તો જ ભોજન ગ્રહણ કરવું આવા નિશ્ચય ને કારણે કેટલીક વખત દિવસો સુધી ભોજન મળતું ન હતું. એક દિવસ સાંજે વિવેકાનંદ એક ઘોડાનાં તબેલા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં સામે જ એક વ્યક્તિ ઊભો હતો. વિવેકાનંદએ બે દિવસથી અન્નનો એક પણ દાણો મોંઢામાં…

FHWનો પગાર ૧૮,૯૭૬ અને MPHWનો પગાર ૧૮,૦૪૩? કલેક્ટરને અપાયું આવેદનપત્ર : ગોધરા

ગુજરાત: તારીખ ૧૨ જાન્યુઆરીનાં રોજ ગોધરા કલેકટર કચેરી ખાતે આરોગ્યકર્મીઓએ પગારમાં થતા કાપને અનુલક્ષીને કલેક્ટરને આવેદનપત્રમાં જણાવાયું હતું કે.. “આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિગ તરીકે ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર (FHW) તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ને સરકાર દ્રારા અપાતો પગાર જે-તે એજન્સીને પુરતો ચુકવવામાં આવતો હોય છે પરંતુ તે પગાર કોન્ટ્રાક કંપની દ્વારા પગાર કાપીને આપવામાં આવે છે.” FHWનો માસીક પગાર રૂ.૧૮,૯૭૬ એજન્સીને મળે છે અને એમને રૂ.૧૦,૦૦૦ અપાય છે.તેમજ MPHW ને રૂ.૧૮,૦૪૩ એજન્સીને મળે તેમાંથી રૂ. ૮,૭૮૮ રૂપીયા અપાય છે. આમ એક FHWનાં કર્મચારી પાછળ રૂ. ૮,૯૪૫ અને MPHWનો રૂ.…

વીર કર્મયોગી: વિવેકાનંદ

વીર કર્મયોગી: વિવેકાનંદ ૧૨ જાન્યુઆરી એટલે યુવા દિવસ, સ્વામી વિવેકાનંદ જન્મ દિવસ અને એટલે આપણો દિવસ! આખા ભારતમાં એવો કોઈ વ્યક્તિ નહિ મળે કે જેને સ્વામી વિવેકાનંદનું નામ સાંભળ્યું ન હોય. જન્મ કલકત્તા ખાતે શિમલા પાલ્લી ગામમાં થયો હતો અને નામ પાડવામાં આવ્યું નરેન્દ્રનાથ દત્ત. પિતા વિશ્વનાથ દત્ત. અને તે કલકત્તા હાઇકોર્ટમાં એટર્ની. અભ્યાસ ઘરેથી શરૂ કર્યો પરંતુ પછીથી તેઓ ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરની સંસ્થામાં દાખલ થયા. સન ૧૮૮૦માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો અને બીજા વર્ષે કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ. ભારતીય દર્શન, ઇતિહાસ, ધર્મ, સંસ્કૃતિ, નીતિશાસ્ત્ર,…

નિશા ગોંડલિયા ફાયરિંગ કેસમાં ગુજરાત ATS દ્વારા ચોંકાવનારો ખુલાસો

જામખંભાળીયામાં નિશા ગોંડલિયા ઉપર થયેલા ફાયરિંગ મામલે મોટો ખુલાસો સામે આવ્યો નિશા ગોંડલિયાએ જાતે જ ફાયરિંગ કરાવી હોવાનું સામે આવ્યું છે ગુજરાત: નિશા ગોંડલિયા ફાયરિંગ કેસ મામલે ATSએ મોટી કાર્યવાહી કરી છે અને બે આરોપીની સંડોવણી હતી તેમની ધરપકડ કરવામાં આવી છે. ATSની તપાસમાં મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે કે, નિશાએ જ કાવતરું ઘડીને જયેશ પટેલ અને યક્ષાપલ જાડેજાને ફસાવવા માટે પોતાના પર જ ફાયરિંગ કરાવ્યું હતું. ફાયરિંગનો આક્ષેપ જયેશ પટેલ પર લગાવ્યો હતો. વર્ષ 2019માં એક કેસમાં નિશાને સાક્ષી માટે હટી જવા માટે જયેશ પટેલ દબાણ કરી રહયો છે…

તમે તમારા બાળકને શાળાએ મોકલવા માંગો છો? તો ભરી દો આ ફોર્મ

વિદ્યાર્થીઓનાં શાળામાં ‘પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય’ માટે શાળાએ માંગી વાલીની મંજૂરી કોવિડ-19ની કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરેલી SOP ગાઈડલાઈન્સનું પાલન કરવું જરૂરી જે વિદ્યાર્થીઓનાં વાલી સંમત નથી તેવાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવશે. ગુજરાત: ગઈ કાલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા ધોરણ 10 અને 12 ની શાળાઓ 11 જાન્યુઆરીથી ખોલવા અંગેની જાહેરાત થયેલી. તેમાં કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવાની તૈયારીઓ દાખવી છે. ત્યારે રાજ્યની તમામ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓનાં ‘શાળામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય’ માટે વિદ્યાર્થીઓને મોકલવા અંગે વાલી પાસેથી સંમતિ લેવામાં આવી રહી છે. કોવિડ-19 હાલની…