સમાચાર

મગનલાલ ઇચ્છતા હોય તો સરકાર પાસે લાઇસન્સ લઈને બંદૂક ખરીદી આપું : ભડવીર ગાંધીજી

શહીદ દિવસ એટલે કે મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ, હજુ બે દિવસ પહેલાં જ (૩૦ જાન્યુઆરી) ગયો. સોશિયલ મીડિયા પર ગાંધીજી વિરોધી-ગાંધીજી પ્રત્યે ઝેર ઓકતી પોસ્ટનો રીતસરનો મારો થયો… નથુરામ ગોડસે અમર રહો એવી પોસ્ટ પણ ઘણી આવી. અને ગાંધીજીને બેફામ ગાળો આપીને- ગોડસેપુજકો એ ગોડસેનાં કાર્યને બિરદાવીને પોતાની કહેવાતી હિન્દુત્વવાદી અને રાષ્ટ્રવાદી છાપ મૂર્ખ રીતે ઉભી કરવાની નાકામ કોશિશ કરી! સંસ્કૃત કહેવત ‘अति सर्वत्र वर्जयेत्’નો મતલબ આપણે હજું સમજી શક્યાં નથી. અતિરેક માટે ભાગે નુકશાનકારક નીવડે. પછી એ રાષ્ટ્રવાદ હોય, ધર્મ હોય, કે કંઈ પણ હોય! અતિ રાષ્ટ્રવાદ કે કટ્ટર…

અમીરગઢ રેલવે-ફૂટબ્રિજને જોડવા માટે લેખિતમાં રજુઆત કરાઈ

અમીરગઢ બન્ને ભાગોને જોડતો ફુટબ્રિજ અલગ કરતા લોકોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે ગુજરાત: અમીરગઢ ઇસ્ટ અને વેસ્ટ આમ બે ભાગોમાં વેહચાતું ગામ છે. બંન્ને ભાગોની મધ્ય ભાગમાં રેલવેટ્રેક આવેલી છે. ઉગમણા વાસ અને આથમણાં વાસને જોડતા વચ્ચે રેલવે ટ્રેક પર થઈને પાસર થવું પડે છે. ત્યારે હાલ રેલવેનું કામ ચાલુ હોઈ આ બે ભાગોને જોડવા માટે બન્ને બાજુ અલગ અલગ પુલોની બનાવટ કરવામાં આવી છે. જેથી લોકોને એક બાજુથી બીજી બાજુ આવવા માટે 2 વાર ઉતરવું અને ચડવું પડે છે. તેથી ગામ લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી…

ઐતિહાસિક અને પુરાતત્વમાં નોંધાયેલ પ્રતાપપુરનું ચંદ્રાસર તળાવ આજે નષ્ટ થવાને આરે !

તળાવમાં તૈયારી કરી ગામનાં ઘણા વિદ્યાર્થીઓ સ્વિમિંગમાં સ્ટેટ અને નેશનલ ક્ષેત્રે મેડલ જીત્યા છે રાજ્ય સરકાર કે પુરાતત્વ વિભાગ તળાવને સાચવવાની જવાબદારી ક્યારે લેશે? ગુજરાત: ધ્રાંગધ્રાનાં પ્રતાપપુર ગામમાં આવેલું અસ્ટકોણીય આકારનું ચંદ્રાસર તળાવ ઘણા વર્ષો જૂનું છે. સ્થાનિકોનું એવું માનવું છે કે, ચંદ્રાસર તળાવ ભૂત દ્વારા તૈયાર કરવામાં આવેલું. તળાવ ક્રિકેટનાં સ્ટેડિયમ માફક દેખાય છે. તળાવની મદદથી ગામની પ્રાથમિક શાળાનાં ઘણા વિદ્યાર્થીઓ સ્વિમિંગમાં ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ ક્ષેત્રની પ્રતિયોગીતામાં ભાગ લઈને મેડલ જીત્યા છે. પરંતુ આજે આ તળાવ નષ્ટ થવાને આરે છે. તળાવ હવે તૂટવા લાગ્યું છે અને તળાવનું પાણી…

અમીરગઢમાં 100 ફુટનો રાષ્ટ્રિયધ્વજ લહેરાયો

100 ફુટનાં રાષ્ટ્રીયધ્વજ સાથે ગામ દેશભક્તિમાં રંગાયું ગુજરાત: આજે 72 માં સ્વાતંત્રદિન નિમતે દેશ ભરમાં ત્તિરંગો લહેરાવીને ભારતીય સ્વાતંત્રતાની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજ રોજ અમીરગઢ ખાતે સાંજે 4 વાગે અમીરગઢની જનતા દ્રારા 100 ફૂટનો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આજ રોજ સમગ્ર દેશમાં ખુશીની લહેર છવાયેલી જોવા મળે છે. નાના ભૂલકાઓ યુવાનો અને વડીલોથી લઈને સર્વે લોકોનાં મનમાં આઝાદી દિન નિમિત્તે અનોખો ઉત્સાહ જોવા મળે છે. અને તમામ લોકો તેની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમ ,રેલી, રોડ શૉ વિવિધ રીતે કરતા હોય છે. ત્યારે આજે અમીરગઢ ખાતે ગામનાં જાહેર માર્ગો પર…

હરિપર ગામમાં જુગાર રમતા ચાર ઇસમોને રૂ. 10650નાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટાફનાં માણસો ગામડાઓમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં પોલીસને હરિપર શક્તિમાતાનાં મંદિર બાજુનાં ચોકમાં જુગાર રમતા હોવાની બાતમી મળેલી ગુજરાત: ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટાફનાં માણસો તાલુકાનાં વિવિધ ગામડાઓમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતાં. આ દરમિયાન હરિપર ગામનાં શક્તિમાતાનાં મંદિર બાજુમાં આવેલા ચોકમાં કેટલાંક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે બાતમી પરની જગ્યાએ રેડ મારતાં ચાર ઈસમોને કુલ રૂ.10650નાં મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતાં. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે જુગાર રમતા ચારેય ઈસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત સોમવારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટાફનાં માણસો ધ્રાંગધ્રાનાં…

પ્રજાસતાક દિવસ, લોકોત્સવ બની શક્યો નથી! આપણે આ તહેવાર ઉજવવામાં ક્યાં પાછા પડ્યા?

26,જાન્યુઆરી એટલે પ્રજાસતાક દિવસ, ગણતંત્ર દિવસ અને આપણી લોકશાહી ઉજવવાનો દિવસ! આપણે આઝાદ થયાનાં માત્ર પંદર દિવસમાં જ એટલે કે 29, ઓગસ્ટ 1947નાં રોજ ડ્રાફ્ટિંગ કમિટીની રચના કરવામાં આવી.  કમિટીનું કાર્ય- બંધારણીય સલાહકાર દ્વારા તૈયાર કરાયેલા ભારતના બંધારણના મુસદ્દાની ચકાસણી, એસેમ્બલી દ્વારા પહેલાં લીધેલાં નિર્ણયોની ચકાસણી કરવાનું અને તેને બંધારણીય રીતે અસરકારક બનાવવાનું હતું. ડ્રાફ્ટિંગ કમિટીમાં અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, એન. ગોપાલાચારી, કે.એમ.મુનશી, મોહમ્મદ સાદુલ્લા, એન. માધવ રાવ (બી.એલ. મીતર તેની માંદગીનાં લીધે રાજીનામું આપી દેતાં તેનું સ્થાન લીધું.), ટી.ટી.કૃષ્ણામચારી (ડી.પી.ખૈતાનનું મૃત્યુ થતાં તેનું સ્થાન લીધું.) અને બી.આર આંબેડકર એમ કુલ…

“તારે આ ઘરમાં રહેવું હોય તો તારા માવતર પાસેથી રૂપિયા લાવવા પડશે”, સાસરિયાની દહેજની માંગણી

ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં દહેજની માંગણી કરીને માનસિક- શારીરિક ત્રાસ આપતા સાસરિયા પક્ષ સામે નોંધાઈ ફરિયાદ માવતર ગરીબ હોવાથી યુવતી સાસરિયાનો ત્રાસ સહન કરતી હતી, અંતે કંટાળીને નોંધાવી FIR ગુજરાત: સુરેન્દ્રનગરમાં રહેતી યુવતીનાં વર્ષ 2018માં સમાજનાં રીતરિવાજ મુજબ ધ્રાંગધ્રાનાં યુવક સાથે લગ્ન થયા હતા. પરંતુ લગ્નનાં ત્રણ મહીના બાદ સાસરિયા તરફથી અવાર-નવાર દહેજની માંગ કરીને યુવતીને માનસિક અને શારીરિક ત્રાસ આપી ઘરની બહાર કાઢી મૂકી હતી. યુવતી છેલ્લા દોઢ વર્ષથી તેના પિતાની સાથે રહે છે. અંતે કંટાળીને યુવતીએ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં સાસરિયા પક્ષ સામે દહેજની માંગ કરીને માનસિક અને શારીરિક…

ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર સ્વિફ્ટ કાર અને મીની એસ.ટી. બસ વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત

સ્વિફ્ટ કારમાં બેઠેલા ચારમાંથી ત્રણ વ્યક્તિનાં મોત, અન્ય એક વ્યક્તિને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પરની ઉમિયા ભવાની હોટલ આગળ સર્જાયો અકસ્માત ગુજરાત: ગઈકાલે ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ધ્રાંગધ્રા બાયપાસ પરની ઉમિયા ભવાની હોટલ આગળ સ્વિફ્ટ કાર અને મીની એસ. ટી. બસ વચ્ચે ગંભીર અકસ્માત થયેલો. તેમાં સ્વિફ્ટ કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર મોકલવામાં આવ્યા છે. ધ્રાંગધ્રા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગત રવિવારે સાંજના આસરે…

“જીવન જીવવાની કળા” (હિંમતે મર્દા તો મદદ એ ખુદા)

શ્રમિક શબ્દનો અર્થ જ થાય છે શ્રમ કરનાર. દુનિયામાં શ્રમ કરનાર તો બધા જ છે. કોઈ શારીરિક શ્રમ કરે તો કોઈ માનસિક શ્રમ. શારીરિક શ્રમ અને માનસિક શ્રમ એમ બન્નેનું તાલમેલ કરીને જે આજીવિકા અને ઘર ચલાવી રહ્યા છે તેઓનું નામ છે સમીમબાનું શેખ. તો ચાલો, આપને હું લઇ જઉં આવી જ એક સાહસી, કુશળ, સહનશીલ અને મૃદુભાષી મહિલા સમીમબેનનાં જીવન સફર પર… સમીમબેન આસ્ટોડિયા ખાતે આવેલ એક ચાલીનાં રહેવાસી. તેમનાં પતિનું નામ આબિદભાઈ શેખ. તેમનાં ત્રણ બાળકોમાં અનુક્રમે દીકરો, દીકરી અને ફરી દીકરો એમ કરીને ઘરમાં કુલ પાંચ જણ.…

મહિલા હેલ્પલાઇન નંબર 1091ની શોધ કરનાર, સામાજિક કાર્યકર ‘રૂઝાનબેન ખંભાતા’ કોણ છે?

આજે એક એવા ઉર્જાવાન વ્યક્તિની વાત કરવી છે એમનાં પરીચયની શરુઆત કરું તો.. અત્યંત પ્રભાવશાળી પ્રતિભા ધરાવતા યુનિવર્સલ પીસ એમ્બેસેડર, યંગ બિઝનેસ આંત્રપ્રિન્યોર. તેમને સ્ત્રી સશક્તિકરણ, મહિલાબળ મિત્ર, જ્ઞાન સમાજ એવોર્ડ તેમજ એવા ઘણાં એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. હું વાત કરી રહી છું, રૂઝાનબેન ખંભાતાની. જેઓએ નાની વયમાં પોતાનું બિઝનેસ શરૂ કર્યું અને આજે તેઓ મહિલા સશક્તિકરણ અને તેમને પગભર થવા અને રક્ષણ માટે હંમેશ પ્રયત્નશીલ રહે છે. તેમની સાથે કરેલ રૂબરૂ મુલાકાતનાં અમુક અંશો: પ્રશ્ન : તમે વેલ સેટલ્ડ ફેમિલીમાંથી આવો છો છતાં પોતાનું બિઝનેસ કરવાનું જ કેમ…