કેન્દ્ર સરકારે પ્રદૂષણ ઘટાડવા 69 હજાર પેટ્રોલપંપ ઉપર ઇ-કિઓસ્ક શરૂ કરવાનું આયોજન કર્યું

પ્રદૂષણ ઘટાડવા અને ઇલેક્ટ્રીક વાહનોના વપરાશને પ્રોત્સાહન દેશભરના 69 હજાર પેટ્રોલપંપ ઉપર ઇ-કિઓસ્ક શરૂ કરાશે ઇલેક્ટ્રીક વાહન ઉપરનો GST ઘટાડીને પાંચ ટકા નેશનલ: કેન્દ્ર સરકારે પ્રદૂષણ ઘટાડવા અને ઇલેક્ટ્રીક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા દેશભરના 69 હજાર પેટ્રોલપંપ ઉપર ઇ-કિઓસ્ક શરૂ કરવાનું આયોજન કર્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહનમંત્રી નીતિન ગડકરીએ વર્ચ્યુઅલ બેઠકને સંબોધતાં જણાવ્યું હતું કે, પ્રદૂષણ ઘટાડવાની ઝૂંબેશમાં સહકાર વધારવા ઓટોમોબાઇલ ઉદ્યોગે આગળ આવવું જોઈએ. તેમણે ઇલેક્ટ્રીક વાહન ઉપરનો GST ઘટાડીને પાંચ ટકા કરવા સહિત સરકરે ઇલેક્ટ્રીક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા લીધેલા પગલાંની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર…

રાજસ્થાનની એક ગૌશાળમાં એવું તે શું થયું કે અચાનક 100 ગાયનું મૃત્યુ થયું!

રાજસ્થાનના ચુરુ જિલ્લો અહીં બિલયુબાસ રામપુર નામનું એક ગામ છે. ત્યાં શ્રી રામ નામની એક મોટી ગૌશાળા આવેલી છે. ત્યાં રહેતી 100થી વધુ ગાય કાળનો કોળિયો બની છે. હજુ પણ અમુક ગાયમાં બીમારીના લક્ષણો જોવા મળી રહયા છે. વાત 20 નવેમ્બરની છે અચાનક ગાયની તબિયત બગડી હતી અને ધીમે ધીમે મૃત્યુ થવા લાગ્યા. એક જ દિવસમાં આ શ્રી રામ ગૌશાળાની 75 ગાય રામ ચરણ પામી હતી. જોકે આ ઘટના બનતાની સાથે પશુપાલન વિભાગ અને પશુ ડોક્ટરએ ફટાફટ કામગીરી શરૂ કરી હતી. સારવાર બાદ પણ આ મોતનો સિલસિલો રોકાતો ન હતો.…

મેજર બનીને મહિલાઓને લગ્નના નામે ઠગતો વ્યક્તિ નીકળ્યો 9 પાસ

લગ્નના નામે કરતો ઠગાઇ પોતાને બોલતો હતો આર્મી મેજર, નીકળ્યો 9 પાસ 17 મહિલાઓ પાસેથી ઠગી ચૂક્યો છે 6.61 કરોડ હૈદરાબાદ: ઠગાઈની વાત આવે એટ્લે દરેકના મનમાં એક મોટા ઠગ નટવરલાલનું નામ જરૂર આવે. એ માણસ જે કોઈને કોઈ નવી યુક્તિ કરી અને ઠગાઇ કરતો હતો. આવી જ એક ઘટના હૈદરાબાદમાં સામે આવી છે જ્યાં એક વ્યક્તિ વિચિત્ર ઠગાઇ કરતો. જેની ધરપકડ પોલીસે કરી છે. હૈદરાબાદ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જે પોતાને સેનાનો ઓફિસર બોલતો હતો અને મહિલાઓ સાથે લગ્નનું પ્રોમિસ કરી અને તેને ઠગતો હતો. આમ તે…

એક વ્યક્તિ જેને મલેરિયા બાદ થયો કોરોના અને હવે કોબ્રા કરડી ગયો!

“જેને રામ રાખે તેને કોણ ચાખે!” આવું બન્યું છે બ્રિટિશ નાગરિક ઇયાન જોનાસ સાથે. જોનાસ એક સોશિયલ વોર્કર છે. એ પોતાના સોશિયલ વર્ક માટે રાજસ્થાન આવ્યા હતા અને લોકડાઉન અને કોરોનાના કારણે અહી ફસાઈ ગયા હતા. અહી તેને પહેલા મલેરિયા થયો હતો અને બાદમાં તે ડેન્ગ્યુના શિકાર થયા હતા. તેને આ બન્ને બીમારીને હરાવી હતી. અને તેમાથી રિકવર થયા જ હતા કે તેને COVID-19 પોતાનો શિકાર બનાવ્યા હતા. તેને કોરોનાને પણ ટૂંક જ સમયમાં માત આપી હતી. પરંતુ હાલમાં તેને એક જેરી કોબ્રાએ કરડી લીધું હતું અને તેને પણ માત…

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય હવે આયુર્વેદિક ડોક્ટર પણ કરી શકશે સર્જરી

આયુર્વેદિક ડોક્ટર કરી શકશે સર્જરી દેશમાં સર્જનની અછત મહદઅંશે થશે દૂર માસ્ટર્સના અભ્યાસક્રમમાં કરાશે થોડો ફેરફાર નેશનલ: સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આયુર્વેદિક ડોક્ટરોને સર્જરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. અત્યાર સુધી આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓને સર્જરી અભ્યાસક્રમનો ભાગ હતી પરંતુ તે લોકો સર્જરી કરી શકે કે નહીં તે માટે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી ન હતી. પરંતુ સરકારના આ નિર્ણય બાદ સ્પષ્ટતા મળી છે કે કોણ સર્જરી કરી શકશે અને કોન નહીં. કેન્દ્ર સરકારે આયુર્વેદ ડોક્ટરને લઈને મોટો નિર્ણય લીધો છે. આયુર્વેદ…

NCC થી ARMY સુધીની સફર, NCC Day પર એક કેડેટની કહાની

NCC એટલે રાષ્ટ્રીય કેડેટ કોપ્સ જેની સ્થાપના ઈ.સ.1948 માં થઈ હતી અને તેનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. NCC નું આદર્શ વાક્ય “એકતા અને અનુશાસન” છે. શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે તેમાં જોડાયને તેનાથી અનુસાશન અને દેશભક્તિ માટે યુવાનોને પ્રેરીત કરી દેશ પ્રત્યે સદાવાન અને લાગણીશીલ રહે તેના માટે સ્થાપવામાં આવેલ. NCC માં ત્રણેય દળનો સમાવેશ કરવામાં આવેલ છે. આમ તેમાં આર્મી, નેવી અને એરફોર્સ લગતી વિવિધ ટ્રેનિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ કેમ્પો દ્વારા NCC કેડેટને ડિફેન્સ પ્રત્યે પ્રેરીત કરવામાં આવે છે. NCC ની…

CCIએ મુકેશ અંબાનીને બતાવી લીલી જંડી… રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની ડીલ ડન

રીલાયન્સ રિટેઈલ બન્યું હવે મજબૂત ફ્યુચર ગ્રુપ(Big Bazaar) સાથે કરી ડીલ ફ્યુચર ગ્રુપ અને રિલાયન્સ સાથે આવતા એમેઝોન માટે એક આંચકો નેશનલ: શુક્રવારે (20 નવેમ્બર) ભારતના કોમ્પિટિશન કમિશન (CCI) એ ફ્યુચર ગ્રુપ-રિલાયન્સ રિટેઇલ ડીલને મંજૂરી આપી હતી. એક ટૂંકા નિવેદનમાં સીસીઆઈએ જણાવ્યું હતું કે: “કમિશન રિલાયન્સ રીટેઇલ રીચર્સ વેન્ચર્સ લિમિટેડ (RRVL) અને રિલાયન્સ રિટેઇલ અને ફેશન જીવનશૈલી લિમિટેડ દ્વારા ફ્યુચર ગ્રુપના રિટેલ, જથ્થાબંધ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ વ્યવસાયોના સંપાદનને મંજૂરી આપે છે.” મુકેશ અંબાણીની આગેવાની હેઠળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ ઓગસ્ટમાં કિશોર બિયાનીના ફ્યુચર ગ્રૂપના વ્યવસાયોને ઝડપી વિકસિત કરતા છૂટક વ્યવસાયમાં ઉમેરો…

બિહારનાં શિક્ષણ પ્રધાન મેવાલાલ ચૌધરીએ શપથ લીધાનાં ત્રણ દિવસમાં રાજીનામું આપ્યું

બિહારમાં શિક્ષણ મંત્રીએ આપ્યું રાજીનામું શપથ લીધાનાં 3 દિવસમાં આપ્યું રાજીનામું નેશનલ: બિહાર નીતિશ કુમારની સરકારમાંથી એક મંત્રીનું મંત્રીપદ પરથી રાજીનામું. મંત્રી મંડળની રચના બાદ અનેક લોકો સરકારની ટીકા કરી રહ્યા હતા. કારણ હતું કે નીતિશની સરકારનાં મંત્રી મંડળમાં શિક્ષણ પ્રધાન પોતના પર લાગેલા ભ્રષ્ટાચારનાં આરોપોનો સામનો કરી રહ્યાં હતા. માટે શપથ લીધાના ત્રણ જ દિવસમાં નેતાએ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. બિહારમાં નીતિશ કુમારનાં શપથ ગ્રહણ કર્યા બાદ મંગળવારે કરી ખાતાઓની વહેંચણી જાણો કોને મળ્યું ક્યું ખાતું શપથ ગ્રહણ બાદ તરત જ નીતિશ કુમાર પ્રધાનમંડળ પસંદગીના કારણે ટીકાઓથી…

ફેક ન્યૂઝ બનાવવું યુટ્યુબરને પડ્યું ભારી : અક્ષય કુમારે કર્યો 500 કરોડનો માનહાનિ નો કેસ

ફેક ન્યૂઝ બનાવીને અક્ષય કુમારનું નામ ઢસડનાર યુટ્યૂબર ની થઈ ધરપકડ કોર્ટે આગોતરા જામીન મંજુર કર્યા અને તપાસમાં સહયોગ કરવાનો આદેશ આપ્યો. નેશનલ: બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમારે એક યુટ્યુબર સામે કરોડોનો માનહાનિ નો દાવો કર્યો છે, જેણે ફેક ન્યૂઝ(બનાવટી-ખોટા સમાચાર) ફેલાવ્યા હતા. અક્ષયે રાશીદ સિદ્દીકી નામના યુટ્યુબર સામે 500 કરોડનો માનહાનિ નો દાવો કર્યો છે જેણે સુશાંતસિંહ રાજપૂત કેસમાં તેમનું નામ ઢસડ્યું હતું. સિદ્દીકીએ અગાઉ આ બનાવમાં ફેક ન્યૂઝ ફેલાવવા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર મંત્રી આદિત્ય ઠાકરેનું નામ પણ ઢસડયું હતું, જેમાં તેની ધરપકડ કરવામાં આવી…

બિહારમાં નીતિશ કુમારનાં શપથ ગ્રહણ કર્યા બાદ મંગળવારે કરી ખાતાઓની વહેંચણી જાણો કોને મળ્યું ક્યું ખાતું

સોમવારે શપથવિધી બાદ મંગળવારે કરાઇ ખાતાની વહેંચણી નાયબ મુખ્ય પ્રધાન રેણુ દેવીને મહિલા વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી તારકિશોર પ્રસાદને શુશીલ મોદી વાળા દરેક ખાતા સોંપાયા બિહાર: બિહારમાં JDU પ્રમુખ નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ NDAની સરકાર બનાવવામાં આવી છે. નીતીશ કુમાર અને બે ઉપમુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ અને રેનુ દેવી સહીત અન્ય મંત્રીઓએ સોમવારે પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. શપથ ગ્રહણ બાદ મંગળવારે વિભાગો વહેંચવામાં આવ્યા હતા. ત્યારે જાણો ક્યાંને ક્યું ખાતું મળ્યું. કોને કયો વિભાગ મળ્યો તે જુઓ: નેતા વિભાગ મુખ્યમંત્રી નીતિશ કુમાર ગૃહ મંત્રાલય, સામાન્ય પ્રશાસન, કેબિનેટ, વિજિલેન્સ,…