રાજચરાડી ગામે આર્થિક રીતે પછાતને 100 ચો. વારના પ્લોટ અને સાંથણીની જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત કરાઈ

અનુ. જાતિ, દેવીપૂજક અને અતિ પછાત વર્ગના લોકોને પ્લોટ અને સાંથણીની જમીન મળે તેવી રજૂઆત સુરેન્દ્રનગરના યુવા વકીલ હિતેશ ચાવડાએ જિલ્લા કલેક્ટર અને ડી.ડી.ઓ. ને આવેદનપત્ર આપી કરી રજૂઆત 30 દિવસમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચિમકી ગુજરાત: સુરેન્દ્રનગરના યુવા વકીલ હિતેશ ચાવડા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે અનુ. જાતિ, દેવીપૂજક અને અતિ પછાત વર્ગના લોકોને મફત 100 ચો. વારના પ્લોટ અને સાંથણીની ખેતીની જમીન ફાળવવામાં આવે તેવી રજૂઆત સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ધ્રાંગધ્રાના રાજચરાડી ગામે આર્થિક રીતે…

એક વર્ષથી ખરાબ રસ્તાની કરવામાં આવતી રજૂઆતને પગલે તંત્રએ માત્ર ખાડા જ પૂર્યા…!

રાજસીતાપુરથી ભારદ ગામ સુધીમાં ખાડા પુરાયા જ્યારે રાજચરાડી, સરવાળ ગામ તરફના રસ્તાની હાલત યથાવત “ફક્ત ખાડા જ પુરવામાં આવશે, પાકો રસ્તો બનાવામાં નહીં આવે??” સ્થાનિકોનો મોટો સવાલ ગુજરાત: રોડ રસ્તાની ખરાબ હાલતને કારણે ઘણી વખત અકસ્માત થવાનો ભય રહે છે. આમ ખરાબ રસ્તા બાબતે અનેક વખત રજૂઆત કર્યા બાદ જ તંત્રને એ ધ્યાને આવતું હોય છે. ત્યારે ધ્રાંગધ્રાના રાજસીતાપુરથી સરવાળ, માલવણ ગામડા તરફ જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવા અંગે તંત્રમાં એક વર્ષથી સ્થાનિકો રજૂઆત કરતાં હતાં. જ્યારે તંત્ર દ્વારા ગત મંગળવારે રાજસીતાપુરથી ભારદ સુધીમાં ખાડા પુરવામાં આવ્યાં છે અને…

સુરેન્દ્રનગર-ફતેપુર રૂટની બસ વહેલી તકે શરૂ કરવાં ડેપો મેનેજરને કરાઈ રજૂઆત

રૂટમાં સમાવેશ ગામડાઓના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ પરેશાન જલ્દીથી બસ શરૂ થાય તેવી માંગ સાથે રાજચરાડી ગામના સરપંચે લેખિતમાં કરી રજૂઆત ગુજરાત: સુરેન્દ્રનગરથી ફતેપુર રૂટની એસ. ટી. બંધ હોવાનાં કારણે સુરેન્દ્રનગર ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રાજચરાડી ગામના સરપંચ દ્વારા સુરેન્દ્રનગર ડેપો મેનેજરને વહેલી તકે બસ શરૂ કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરી હતી. સુરેન્દ્રનગરથી ફતેપુર વાયા ભારદ, રાજચરાડી, મેથાણ રૂટની એસ.ટી. બસ છેલ્લા કેટલાય સમયથી બંધ છે. જેના કારણસર રૂટમાં સમાવેશ થતાં ગામડાઓના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓને ખૂબ જ હાલાકી ભોગવી પડી રહી છે. શાળા અને કોલેજમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય…

ઉપલેટાની કટલેરી બજારમાં થયો ભેદી બ્લાસ્ટ

ઉપલેટની કટલેરી બજારનાં ગોડાઉનમાં થયો બ્લાસ્ટ બ્લાસ્ટમાં પિતા-પુત્રએ ગુમાવ્યો જીવ ગુજરાત: રાજકોટનાં ઉપલેટાના કટલેરી બજારમાં એક ગોડાઉનમાં ભેદી બ્લાસ્ટ થતાં પિતા-પુત્રનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. આ ઘટનાના કારણે આસપાસનાં લોકોમાં ભયા ફેલાયો હતો અને ઘટના સ્થળે પોલીસને બોલાવી હતી. બ્લાસ્ટ ક્યાં કારણોસર થયો તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાનાં ઉપલેટા શહેરની કટલેરી બજારમાં બ્લાસ્ટ થતાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ઉપલેટા કટલેરી બજારમાં ભંગારની દુકાનમાં કામ કરતા બે વ્યક્તિઓના મોત થયા છે. રહીશ રજાક કાણા (ઉ.વ. ૨૭), રજાક અજિત કાણા (ઉ.વ. ૬૦)નું…

દેવભૂમિ દ્વારકા બન્યો ગુજરાતનો પ્રથમ COTPA Complaint જિલ્લો

ગુજરાત: દેવભૂમિ દ્વારકામાં વડોદરાના ફેઈથ ફાઉન્ડેશન દ્વારા સર્વે હાથ ધરવામાં આવેલો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા તમકુ નિયંત્રણ સેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા દ્વારા તમાકુ નિયંત્રણ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લામાં COTPA એક્ટ 2003નું અમલીકરણ વર્ષ 2015થી કરવામાં આવેલ છે. આ પ્રોગ્રામ અંતર્ગત થયેલી કામગીરી અંગેનો આ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે જિલ્લા વહીવટી તંત્ર અને ફેઈથ ફાઉન્ડેશન વડોદરાના સહભાગથી કરવામાં આવ્યો હતો જે સર્વેના અંતે દેવભૂમિ દ્વારકાને રાજ્યનું પહેલો COTPA Complaint જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. સર્વે કામગીરી ફેઈથ ફાઉન્ડેશનનાં ફિલ્ડ ઓફિસર અક્ષય અગ્નિહોત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલો હતો આ સર્વેના…

પતિએ પત્નીનાં જન્મદિવસ નિમિત્તે 400થી વધુ વૃક્ષોનું વિતરણ કર્યું

પતિએ પત્નીનાં જન્મદિવસ નિમિત્તે 400 થી વધુ વૃક્ષો વિતરણ કર્યા, રાજકોટથી મોકલ્યા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના રાજચરાડી ગામના યુવાનોને બગીચો બનાવવા વૃક્ષો અર્પણ કર્યા પત્નીના જન્મદિવસને યાદગાર બનાવવા પ્રકૃત્તિ પ્રેમી પતિનો અનોખો પ્રયાસ ગુજરાત: ધ્રાંગધ્રાના રાજચરાડી ગામના પ્રકૃત્તિ પ્રેમી યુવાનો દ્રારા ગામની તળાવની પાળ પર આવેલ લલુપીર દાદાની દરગાહ નજીક સુંદર બગીચો બનાવવાની પહેલ કરી છે. ત્યારે રાજકોટના રહેવાસી હિંમતભાઈ સવજીભાઈએ તેમના પત્નીના જન્મદિવસની ઉજવણી સ્વરૂપે રાજચરાડી ગામના યુવાનોને 400થી વધુ વૃક્ષો આપી પ્રકૃત્તિ પ્રેમીની નૈતિક જવાબદારી અદા કરી છે. ધ્રાંગધ્રાના રાજચરાડી ગામના હિતેશભાઈ ચાવડા, સંજયભાઈ ચાવડા (ઉર્ફે હપો) તથા અન્ય પ્રકૃત્તિ…

હળવદમાં આવેલ કૃષ્ણનગર રામદેવપીર મંદિર ખાતે અષાઢી બીજના દિવસે ઉકળતા દૂધની ધરાઈ ડેગ..

અષાઢી બીજના દિવસે પૂરી અને અમદાવાદમાં નગરના નાથ જગન્નાથજીની રથયાત્રા નિકળે છે તો એજ દિવસે કચ્છીઓનું નવું વર્ષ પણ શરૂ થતું હોય છે. ગુજરાત: મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ રામદેવપીર મંદિર ઘણું પ્રખ્યાત છે. લોકવાયકાઓ મુજબ રામદેવપીરના અનેક પરચાઓની કથાઓ પ્રચલિત છે. શૂન્યમાંથી સર્જન કરતા હળવદના રામદેવપીર યુવક મંડળ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ઉકળતા દુધની 251 કિલોની ડેગ પ્રસાદી કરવામાં આવે છે. આશરે 30 વર્ષ પહેલાં 50 મિત્રો સાથે મળીને રામદેવપીર યુવક મંડળ બનાવવામાં આવ્યું, ત્યારબાદ 1999માં કૃષ્ણનગરમાં રામદેવપીર મંદિરની સ્થાપના કરવામાં આવી. આજે હજારોની સંખ્યામાં રામદેવપીર મંદિરના દર્શનાર્થીઓ દર્શનનો…

કલોલથી મુંદ્રા માલ ભરીને જતાં ટ્રકમાંથી રૂ. 96,939 કિંમતનો માલ ગાયબ

ડ્રાઈવર માલવણથી ધ્રાંગધ્રા-હળવદ હાઈવેથી જતાં રસ્તામાં સોલડી ટોલનાકા પાસેની કિટલીએ ચા પીવા રોકાયેલો સોલડી ટોલનાકાના સી.સી.ટી.વી કેમેરા ચકાસતાં ટ્રક પરની તાળપત્રી કાપેલી અને માલ ચોરી થયો હોવાનું જણાયેલું ગુજરાત: અંજારના શેઠનો ડ્રાઈવર કલોલથી ટ્રકમાં માલ ભરીને મુંદ્રા ખાતે ટ્રક ખાલી કરવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન હાઈવે પરના રસ્તામાં માલવણ ટોલનાકા બાદ ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પરના સોલડી ટોલનાકા વચ્ચે ચોરી થયાનું સી.સી.ટી.વી. તપાસમાં જણાયું હતું. ટ્રકમાં ભરેલાં માલ પર બાંધેલી તાળપત્રી કાપીને તેમાંથી રૂ. 96,939 કિંમતનો માલ કોઈ અજાણ્યા શખ્સે ચાલુ ગાડીમાંથી ચોરી કર્યાંની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં…

‘જો ન્યાય નહીં મળે તો છેક દિલ્હી જઈશ’, સાયકલ મારફતે ન્યાય મેળવવા નીકળેલા ખેડૂતની વેદના

ગીર સોમનાથના વાવડી ગામના ખેડૂતની જમીનનું બારોબાર વેંચાણ થયેલું, 20 વર્ષ થયાં છતાં ન્યાયનો છાંટો પણ નહીં! જો ન્યાય નહીં મળે તો સીધા દિલ્હી જશે સાયકલથી ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને આ બાબતે જાણ કરેલી ગુજરાત: ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના 66 વર્ષીય ખેડૂતની જમીન 20 વર્ષ પહેલાં અમુક શખ્સો મળીને નકલી(ડુપ્લિકેટ) સહી દ્વારા ખોટા દસ્તાવેજો તૈયાર કરીને અંબુજા સિમેન્ટ કંપનીને બારોબાર વેંચી દીધી હતી. જે બાબતે ખેડૂત દ્વારા અનેક વખત પોલીસમાં ધક્કા કર્યા બાદ પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ એક મહિનામાં જ આરોપીને આગોતરા જામીન મળી ગયેલાં.…

લખતર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનું ઈંટથી માથું ફોડી નાખતાં પતિ-પત્ની સામે નોંધાઈ ફરિયાદ

પોલીસ ફરજમાં રૂકાવટ કરનાર લખતરના રહેવાસી પતિ-પત્ની સામે નોંધી FIR ‘આજે તો તને જાનથી મારી નાખવો છે’ તેમ કહી આરોપીએ હેડ કોન્સ્ટેબલનું ગળું જાલ્યું આરોપીએ હેડ કોન્સ્ટેબલને માથાના ભાગે ઈંટ મારતાં બે ટાંકા આવ્યાં ગુજરાત: લખતર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને ફરજ દરમિયાન લખતરના રહેવાસી પતિ-પત્ની દ્વારા પોલીસ સ્ટેશનમાં આવીને હેડ કોન્સ્ટેબના કામમાં રૂકાવટ કરી અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. અપશબ્દો બોલવાની ના પાડતા, ‘આજે તો તને જાનથી મારી નાખવો છે’ તેમ કહી પતિ-પત્નીએ હેડ કોન્સ્ટેબલને માથાના ભાગે ઈંટ મારી માથું ફોડી નાખ્યું હતું. પોલીસે બંને પતિ-પત્ની સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ…