અમદાવાદમાં 20મી નવેમ્બર રાત્રિના 9 થી સોમવાર સવારનાં 6 વાગ્યા સુધી કફર્યુ લાગુ

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં કરફ્યુ જાહેર રાત્રિ કરફ્યુની જાહેરતનાં થોડા સમય બાદ બે દિવસનાં કરફ્યુની કરી જાહેરાત ગુજરાત: અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નર ડોકટર રાજીવ કુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે, અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અમદાવાદ શહેરમાં આવતીકાલ 20મી નવેમ્બરથી દરરોજ રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારનાં 6 વાગ્યા સુધી કરફ્યુ લાગુ કરવામાંઆવ્યું છે. રાજીવ ગુપ્તાએ વધુમાં જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં સરકારી હોસ્પિટલોમાં કુલ 900વધુ પથારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં 400 થી વધુ પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હજુ પણ 2 હજાર 637 પથારીઓ ખાલી…

સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પીટલમાં લાગી આગ… ગુજરાતમાં ફરી એક હોસ્પીટલમાં આગ!

સુરત: શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી, જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દર્દીઓ અને ડોક્ટરોમાં નાસભાગ મચી ગઈ હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ત્રણ ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હોસ્પિટલમાં રહેલા દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ લાગી હોવાની જાણ થતાં નજીકમાં પોઈન્ટ પર ફરજ બજાવતા ટીઆરબી જવાન પણ દોડી આવ્યા હતા. આગની જાણ થતાં ફાયર કાફલો પણ પહોંચી ગયો હતો. પ્રથમ ફાયર વિભાગે દર્દીઓનું રેસ્કયૂ હાથ ધર્યું હતું, જેમાં ટીઆરબી જવાન, રાહદારીઓ, નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની મદદથી ફાયરના જવાનોએ દર્દીઓને બહાર…

ગુજરાતમાં એક જ દિવસમાં વડોદરા અને સુરેન્દ્રનગમાં અકસ્માત જેમાં 14 લોકો એ જીવ ગુમાવ્યાં..

રાજયમાં એક જ દિવસમાં 2 મોટા અકસ્માત વડોદરા અને સુરેન્દ્રનગરમાં બની ઘટના 14લોકોએ જીવ ગુમાવ્યા ગુજરાત: સામાન્ય રીતે લોકોનાં કાનમાં એક્સિડેંટ શબ્દ શંભળતા જ ચોંકી જાય છે. એમાં પણ રોડ અકસ્માત (એક્સિડેંટ) આપણાં દેશમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. વાત કરીએ આજનાં દિવસની તો આજનાં જ દિવસમાં ગુજરતમાં વડોદરા અને સુરેન્દ્રનગરમાં ભયંકર રોડ એક્સિડેંટ થયા છે જેમાં 14 જેટલા લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે. વડોદરા એક્સિડેંટ: આજે વહેલી સવારે વડોદરાનાં વાઘોડિયા નજીક એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પો અને ડમ્પર આથડયાં હતા, 10 લોકોના દૂ:ખદ મોત થયા છે.…

તહેવારોની વચ્ચે અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું

અમદાવાદમાં કોરોના કેસોમાં અચાનક આવ્યો ઉછાળો સરકાર એક્શનમાં કેસેમાં વધરો થતાં નિતિન પટેલે બોલાવી બેઠક ગુજરાત: દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદની અનેક બજરોમાં ભારે ભીડનાં નજરા જોવા મળ્યા હતા. આ ભીડમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો હતો. ત્યારે જ એંધાણ આવી ગયા હતા કે અમદાવાદમા કોરનાનાં કેસોમાં વધારો જોવા મળશે. ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી ફરી કેસ વધતાં સરકાર માટે ચિંતાનું કારણ બન્યું છે. કોરોના ફરી ફેલાઈ નહીં તે માટે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી એવા નિતિન પટેલે સિવિલ હોસ્પીટલમાં બેઠકનું આયોજન કરવા તેમજ જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં…

છેતરપિંડીનાં કેસ બાદ ભાજપનાં નેતાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો

શર્મા સામે પોલીસ કેસ નોંધાતા આ પગલું ભર્યાની આશંકા સુરત BJPના અગ્રણી શર્મા નિવૃત IT ઓફિસર છે સુરત: ગુજરાતનું સુરત અહીં ભાજપના જિલ્લા પૂર્વ ઉપ પ્રમુખ પી.વી.એસ. શર્મા વિરુદ્ધ છેતરપિંડી અને બનાવટીનો કેસ નોંધવામાં આવ્યો હતો. કેસ રજિસ્ટર થયાનાં બે દિવસ બાદ શર્માએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.  શર્માએ નવસારીમાં તેના મિત્રના ઘરે લટકીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર શર્માના ડ્રાઇવર વેંકટેશે તેને લટકાતા જોયા હતાં, અને તરત જ તેને હોસ્પિટલમાં લઈ ગયો. ડોકટરોના જણાવ્યા પ્રમાણે, શર્મા હાલ જોખમની બહાર છે.

ઈકબાલગઢ રેહાન ગાદલા ભંડારમાં લાગી આગ…..

દિવાળી સમયે ગાદલા ભંડારમાં આગ લાગતાં રહીશોમાં ભય.. આસપાસ ના લોકો એ એકત્ર થઈ આગ બુજવી ગુજરાત:અમીરગઢ તાલુકાના મુખ્ય વડુમથક ઈકબાલગઢ મેન બજાર માં મસ્જિદ પાસે આજે વહેલી સવારે રેહાન ગાદલા ભંડારમાં અચાનક્ સોક સર્કિટથી આગ લાગતા દુકાન માં પડેલા તમામ ગાદલા તથા અન્ય સાધન સામગ્રી બળીને ખાખ થઇ ગયા હતી. લાગેલ આગ ના કારણે ગરીબ પરિવાર પર મોટી આફત આવી પડી. સામી દિવાળી એ પરિવાર ને મોટું નુકશાન થતા ગરીબ પરિવારના સભ્યો ધ્રુસકાભેર રડી પડ્યા. ગાદલા ભંડારના માલિકને સવારે જાણ થતા તાત્કાલીક ઘટનાસ્થળે આવી ગયા હતા. અને આજુબાજુના લોકો…

અમીરગઢમાં ચોરોની પોલીસને હાથતાળી

અમીરગઢમાં ચોરોનો તરખાટ. એક માસમાં ત્રીજી વાર ચોરીનો નિષ્ફળ પ્રયાસ. ગુજરાત: શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે શિયાળામાં લોકો મધ્યરાત્રે મીઠી નિંદ્રા અવસ્થામાં સુતા હોય છે. પરંતુ લોકોની આ શિયાળાની મીઠી નિંદ્રા ઊડતી અને ચિંતા માં ફેરવતી જણાઇ રહી છે. અને સહીત અમીરગઢ પોલીસની રાત્રી દરમિયાન થતી પેટ્રોલિંગ પર સવાલો ઉઠવા લાગ્યા છે. અમીરગઢમાં એક બાદ એક ચોરીના પ્રયાસોમાં વધારો. છેલ્લા એક જ માસની અંદર અમીરગઢમાં ત્રીજી વાર ચોરીનો નિષ્ફળ પ્રયાસ. સૌ પ્રથમ અમીરગઢનાં જુના પોલીસસ્ટેશન નજીક આવેલા સત્યનારાયણનાં મંદિર માં ચોરી થઈ હતી. એના અંદાજીત પાંચ દિવસ બાદ સોની…

દેશના અનેક રાજ્યોમાં પેટા ચૂંટણી યોજાઇ હતી શું આવ્યા પરિણામો જાણો છો? ગુજરાતનાં વિજેતાઓનું લિસ્ટ

3 નવેમ્બરના રોજ દેશના અનેક રાજ્યોમાં પેટા ચૂંટણી યોજાઇ ગુજરાતની 8 માંથી 8 બેઠકો ઉપર BJPને ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે રાજનીતિ: 3 નવેમ્બરના રોજ યોજાયેલા 11 રાજ્યોની 56 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં કોવિડ -19નો રોગચાળો હોવા છતાં સારું મતદાન થયું હતું. પેટા-ચૂંટણીઓ છત્તીસગ, ગુજરાત,  હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં યોજાઇ હતી. તો જાણો ગુજરાતની દરેક વિધાસભાના વિજેતાઓનું લિસ્ટ. ગુજરાત: મતદાન ક્ષેત્ર પાર્ટી વિજેતા અબડાસા ભાજપ  જાડેજા પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ ડાંગ ભાજપ પેટલ વિજયભાઈ રમેશભાઈ ધારી ભાજપ કાકડિયા જે.વી ગઢડા ભાજપ આત્મારામ મકનભાઈ પરમાર કપરાડા ભાજપ…

અનેક વિવાદો બાદ ગિરનાર રોપ-વેના ભાવોમાં કરાયો ઘટાડો

24 ઓકટોબરના એસિયાના સૌથી મોટા રોપ-વેનું લકર્પણ કરાયું હતું ભવનાથ તળેટીથી અંબાજી સુધીનો લાંબો આ રોપ-વે બનાવવામાં આવ્યો છે જેના ટિકિટના ભાડાના કારણે અનેક વિવાદો સર્જાયા હતા ગુજરાત: એશિયાના સૌથી મોટા રોપ-વેના ભાડાને લઈને વિવાદ ઉભો થયો હતો. જોકે, ભારે વિવાદ બાદ ગિરનાર રોપ-વેના ભાડામાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ રોપ-વેનું ભાડું તો એટલું જ રહેશે પરંતુ ટિકિટ સાથે અલગથી લેવાતા GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. નવા ભાડાની જાહેરાત પ્રમાણે ટિકિટનનો ભાવ 700 જ રહેશે પરંતુ અલગથી જે 18 ટકા GST વસૂલ કરવામાં આવતો…

ગુજરાતી સિનેમા જગતમાં પોતાની આગવી છાપ ધરાવતા અભિનેતા અને લોકલાડીલા નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, યુ. એન. મહેતામાં લઈ રહ્યા છે સારવાર

નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ યુ. એન. મહેતા હોસ્પીટલમાં દાખલ ગુજરાત: ગુજરાતી સિનેમા જગતના દિગ્ગજ અભિનેતા અને ભાજપા નેતા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી આમદવાદની યુ. એન. હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારીની શરૂઆતમાં જાણતા કરફ્યુના દિવસે આ અભિનેતા ઢોલના નડે ગીત ગયું હતું ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ, ભાગ રે તારો બાપ ભગદે ભાગ કોરોનઆ ભાગ….. આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો. આ દિગ્ગજ કલાકારની તબિયત થોડી બગડી હતી માટે હાલમાં જ તેમના પુત્ર હિતું કનોડિય…