સમાચાર

અમીરગઢમાં પ્રવેશદ્વાર જ કિચડથી સજ્જ

અમીરગઢમાં બનાવેલ રેલવે અંડરપાસની પેહલા ભરાયેલા પાણી અને કીચડથી રાહ દારીઓ પરેશાન મરુડ માટીથી દ્વિચક્રીય વાહનો સ્લીપ થવાનો અને પડવાનો ભય ગુજરાત: અમીરગઢમાં બનાવેલ રેલવે અંડરબ્રિજ ના એન્ટર થવાના રસ્તા આગળ જ વરસાદીથી થયેલ કીચડમાં બાઈક ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. અંડર બિજમાં પ્રવેશવાના રસ્તા પર રોડ અથવા હાલ પૂરતી કોઈ ઠોસ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અમીરગઢમાં બનાવેલ અંદર બ્રિજમાં એન્ટર થવાનો રસ્તો કાચો અને ચીકની માટી વાળો હોવાથી વરસાદના પાણીથી કીચડ છવાઈ જતા બાઈકો સ્લીપ થઇ જાય છે અને બાઈક ચાલકો પોતાના જોખમ અને મજબૂરી…

ગુજરાતી ગાયકનું ગીત ગાઈને બાળક બન્યો સોશિયલ મેડિય સ્ટાર

સહદેવ દીર્ડોની શાળાના શિક્ષકે 2019 માં તેમનો આ વીડિયો રેકોર્ડ કર્યો હતો. હવે આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. રેપર બાદશાહે આ ગીતનું રિમિક્સ વર્ઝન પણ શેર કર્યું છે. આ દિવસોમાં સહદેવ કુમાર નામનું એક બાળક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ બાળકે ‘બચપન કા પ્યાર’ ગીત ગાયું, જે લોકોને ખૂબ પસંદ આવ્યું. મોટા સ્ટાર્સ તે બાળકના અવાજ ગીતને મ્યુઝિકલ ટચ આપીને તેના પર રીલ્સ બનાવી રહ્યા છે. બાળકનો વીડિયો એટલો વાયરલ થયો કે છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બધેલએ બાળકને તે ગીત તેમની સામે ગવરાવ્યું. પરંતુ…

દેવભૂમિ દ્વારકા બન્યો ગુજરાતનો પ્રથમ COTPA Complaint જિલ્લો

ગુજરાત: દેવભૂમિ દ્વારકામાં વડોદરાના ફેઈથ ફાઉન્ડેશન દ્વારા સર્વે હાથ ધરવામાં આવેલો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા તમકુ નિયંત્રણ સેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા દ્વારા તમાકુ નિયંત્રણ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લામાં COTPA એક્ટ 2003નું અમલીકરણ વર્ષ 2015થી કરવામાં આવેલ છે. આ પ્રોગ્રામ અંતર્ગત થયેલી કામગીરી અંગેનો આ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે જિલ્લા વહીવટી તંત્ર અને ફેઈથ ફાઉન્ડેશન વડોદરાના સહભાગથી કરવામાં આવ્યો હતો જે સર્વેના અંતે દેવભૂમિ દ્વારકાને રાજ્યનું પહેલો COTPA Complaint જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. સર્વે કામગીરી ફેઈથ ફાઉન્ડેશનનાં ફિલ્ડ ઓફિસર અક્ષય અગ્નિહોત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલો હતો આ સર્વેના…

વસંત-રજબ : કોમી એકતાની મિશાલ

હિંદુઓનો પવિત્ર તહેવાર અષાઢી બીજ અને મુસ્લિમોનો પવિત્ર તહેવાર ઈદ-ઉલ-અજહા (બકરી ઈદ) હમણાં જ ગયો. અને ફરી હિંદુ-મુસ્લિમ એક્તા અને હિંદુ-મુસ્લિમ કટ્ટરતાની વાતો થઈ. શરમજનક સત્ય એ છે કે ધર્મ-ધર્મ કે જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે એક્તાની- સોહાર્દની વાતો એ ઘણે-ખરે અંશે વાતો જ રહી ગઈ છે. ધાર્મિક કટ્ટરતા કે જ્ઞાતિવાદ એ રાષ્ટ્રનાં શરીરની અંદર થયેલી કેન્સરની ગાંઠ સમાન છે, અગર તેને જલ્દીથી દૂર કરવામાં આવે નહીં તો આખા શરીરમાં ફેલાય જાય, અને છેવટે ભોગ લે. હિંદુસ્તાને જોયેલાં-અનુભવેલા કોમી હિંસા- હુલ્લડોથી એક પણ ભારતીય અપરિચિત નથી. આઝાદીથી લઈને આજ સુધી જ્ઞાતિ-કોમી હિંસાઓ છતી…

પતિએ પત્નીનાં જન્મદિવસ નિમિત્તે 400થી વધુ વૃક્ષોનું વિતરણ કર્યું

પતિએ પત્નીનાં જન્મદિવસ નિમિત્તે 400 થી વધુ વૃક્ષો વિતરણ કર્યા, રાજકોટથી મોકલ્યા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના રાજચરાડી ગામના યુવાનોને બગીચો બનાવવા વૃક્ષો અર્પણ કર્યા પત્નીના જન્મદિવસને યાદગાર બનાવવા પ્રકૃત્તિ પ્રેમી પતિનો અનોખો પ્રયાસ ગુજરાત: ધ્રાંગધ્રાના રાજચરાડી ગામના પ્રકૃત્તિ પ્રેમી યુવાનો દ્રારા ગામની તળાવની પાળ પર આવેલ લલુપીર દાદાની દરગાહ નજીક સુંદર બગીચો બનાવવાની પહેલ કરી છે. ત્યારે રાજકોટના રહેવાસી હિંમતભાઈ સવજીભાઈએ તેમના પત્નીના જન્મદિવસની ઉજવણી સ્વરૂપે રાજચરાડી ગામના યુવાનોને 400થી વધુ વૃક્ષો આપી પ્રકૃત્તિ પ્રેમીની નૈતિક જવાબદારી અદા કરી છે. ધ્રાંગધ્રાના રાજચરાડી ગામના હિતેશભાઈ ચાવડા, સંજયભાઈ ચાવડા (ઉર્ફે હપો) તથા અન્ય પ્રકૃત્તિ…

બનાસડેરી સાથે જોડાઈને ગામડાની આ મહિલાઓએ કરી એક કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી!, જાણો કઈ રીતે

બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં જિલ્લાના લોકોને પશુપાલન વ્યવસાય સાથે જોડવાનો પ્રયાસ દૂધ વેચીને કરોડપતિ બની આ મહિલાઓ, બનાસડેરીએ જાહેર કરી ટોપ-10 સફળ મહિલાઓની યાદી ગુુુજરાત: ઔદ્યોગિક ક્ષેત્રે પહેલાંથી જ સાવ પછાત અને અનેક અભાવો વચ્ચે ગુજરાતના એક ખૂણામાં વસેલ બનાસકાંઠાના પશુપાલકોએ દુધના વ્યવસાયમાં કરેલ ઝડપી પ્રગતિએ ભારત દેશ અને વિશ્વને વિચારમુગ્ધ કરી દૂધ ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર બન્યો છે. જિલ્લાની અભણ મહિલાઓ સાથે ડિગ્રી ધરાવતી મહિલાઓ પણ પશુપાલન ક્ષેત્રે પ્રગતિ કરી લાખોની કમાણી કરતી થઇ છે. ત્યાના પશુપાલકોનું જીવનધોરણ તેજીને…

દર્દ સે મેરા દામન ભર દે યા અલ્લાહ; ફિર ચાહે દિવાના કર દે યા અલ્લાહ!

અને ધીમે-ધીમે દર્દ/પીડા આપણા આખાય અસ્તિત્વ પર કબજો જમાવી લે છે. દર્દ થવું એ આપણું અસ્તિત્વ જાગૃત હોવાની નિશાની છે. ગઝલ સમ્રાટ મરીઝનો શેર છે ને: આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન; દે એક મહાન દર્દ અને પારાવાર દે! મરીઝ સામેથી પારાવાર દર્દ માંગવાની વાત કરે છે! અને મીરાંબાઈએ ગાયું છે: હે રી મૈં તો દરદ દીવાની, મેરો દરદ ન જાણૈ કોય; ઘાયલકી ગતિ ઘાયલ જાણૈ, જો કોઈ ઘાયલ હોય! સુખની શોધ આપણે હજારો-લાખો વર્ષોથી કરતાં આવ્યાં છીએ. યુ નો, પરસ્યુટ ઑફ હેપ્પીનેસ! આપણું હર એક કદમ સુખની…

જન્મ આપવો એ એકમાત્ર જ છે સત્યનું સર્જન!

તો આપણે કવિયિત્રીવિશ્વનાં પહેલાં અંકમાં ભારતની અલગ- અલગ કવયિત્રીઓની કવિતાઓનો આસ્વાદ માણ્યો. બીજા અંકમાં અલગ-અલગ દેશની કવયિત્રીઓની કવિતાઓનો આસ્વાદ માણ્યો. હવે ત્રીજા અને છેલ્લાં આ અંકમાં એને જ આગળ વધારીએ. ઉરુગ્વેની કવયિત્રી ડેલમિરા અગુસ્તીની લખે છે: વિરલ અંધકાર બનાવે મારા વિશ્વને અંધારિયું, તારક સમો આત્મા જેની સાથે ચડું ઊંચે, પડે નીચે; આપો મને તમારો પ્રકાશ આપો! વિશ્વને છુપાવી દો મારાથી! (અનુ: શશી મહેતા) એલિઝાબેથ રીડેલ નામની ઓસ્ટ્રેલિયન કવયિત્રી કહે છે: મને ક્યારેક એવું લાગે છે કે મારું હૃદય સૂઝી ગયું છે લોહી વહે છે તારા નામના લાવણ્યહીન અક્ષરો તરફ એ…

મુસ્લિમ યુવક સાથે હિંદુ યુવતીના લગ્નની કંકોત્રી થઈ વાઇરલ

સમાજના બીજાના લોકોએ લવ જેહાદ બતાવ્યું લગ્ન લોકલ કોર્ટમાં પહેલા જ થઈ ચૂક્યા હતા નેશનલ: મહારાષ્ટ્રના નાસિકમાં એક હિંદુ યુવતી અને એક મુસ્લિમ યુવક પોતાની મરજીથી લગ્ન કરવા માંગતા હતા. જેના માટે બન્ને પરિવારોની અનુમતિ પણ સામેલ હતી. પણ બે પ્રેમીઓની આ પ્રેમ કહાણીમાં વિઘ્ન ત્યારે પડ્યો જ્યારે આસપાસના અને સમાજના લોકોને આ સંબંધ ન ગમ્યો. લગ્નની કંકોત્રી વાઇરલ થતાં જ આસપાસના લોકો તેને લવ જેહાદ ગણાવી તેનો વિરોધ કરવા લાગ્યા. જેના કારણે યુવતીના પરિવારને આ લગ્નનો કાર્યક્રમ રોકવો પડ્યો. સમાજના દબાણ હેઠળ આ લગ્નના પ્રોગ્રામને સ્થગિત કરવામાં આવ્યો હોય…

હળવદમાં આવેલ કૃષ્ણનગર રામદેવપીર મંદિર ખાતે અષાઢી બીજના દિવસે ઉકળતા દૂધની ધરાઈ ડેગ..

અષાઢી બીજના દિવસે પૂરી અને અમદાવાદમાં નગરના નાથ જગન્નાથજીની રથયાત્રા નિકળે છે તો એજ દિવસે કચ્છીઓનું નવું વર્ષ પણ શરૂ થતું હોય છે. ગુજરાત: મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ રામદેવપીર મંદિર ઘણું પ્રખ્યાત છે. લોકવાયકાઓ મુજબ રામદેવપીરના અનેક પરચાઓની કથાઓ પ્રચલિત છે. શૂન્યમાંથી સર્જન કરતા હળવદના રામદેવપીર યુવક મંડળ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ઉકળતા દુધની 251 કિલોની ડેગ પ્રસાદી કરવામાં આવે છે. આશરે 30 વર્ષ પહેલાં 50 મિત્રો સાથે મળીને રામદેવપીર યુવક મંડળ બનાવવામાં આવ્યું, ત્યારબાદ 1999માં કૃષ્ણનગરમાં રામદેવપીર મંદિરની સ્થાપના કરવામાં આવી. આજે હજારોની સંખ્યામાં રામદેવપીર મંદિરના દર્શનાર્થીઓ દર્શનનો…