સમાચાર

મેં પલ દો પલ કા શાયર હું! ~ સાહિર લુધિયાનવી

2021નું વર્ષ એ સાહિરનું જન્મસતાબ્દી વર્ષ છે. મૂળ નામ તો અબ્દુલ હાયી. જ્યારે સહિરનું નામ આવે ત્યારે તે બે રીતે નજર સામે ઉપસી આવે: એક તો ગીતકાર તરીકે અને બીજા અમૃતાજીનાં પ્રેમ તરીકે! ઉર્દૂ અને હિન્દી બન્ને ભાષા પર સાહિરની અદ્ભુત પકડ. ‘तल्ख़ियाँ’ વાંચતા સાહિરની ઉર્દૂ ભાષા પરની પકડ, અને ફિલ્મો માટે લખેલાં ગીતો વાંચતા સાંભળતા સાહિરની હિન્દી ભાષા પરની પકડનો આપણને ખ્યાલ આવે. સાહિરની નઝ્મ, ગઝલ કે ગીતોમાં પુષ્કળ વૈવિધ્ય રહેલું છે. તો સાહિરની જન્મશતાબ્દીએ આપણે દરિયા જેટલાં સર્જનમાંથી થોડીક ચમચી પીવા જેટલો આસ્વાદ માણીએ. સાહિર ‘तल्ख़ियाँ’ની પહેલી જ…

કોઈ સર્વશક્તિમાન ઈશ્વરના અસ્તિત્વમાં હું માનતો નથી: ભગતસિંહ

ભગતસિંહ નાસ્તિક હતાં. ભારતીય માનસિકતા મુજબ વિચાર કરતાં એક વાર લાગે કે દેશ માટે જાન કુરબાન કરી દેનાર માણસ નાસ્તિક હોય શકે? કારણ કે ભારતીય માનસિકતા મુજબ સામાજિક માળખામાં ટકી રહેવા માટે તમારું આસ્તિક હોવું ઘણે-ખરે અંશે જરૂરી છે, બાકી આજુબાજુનાં લોકો તમને અભિમાની, અહંકારી, આપખુદ કે તમારું વલણ ઠીક નથી એવું કહીને સાઇડલાઈન કરી દે તો નવાઈ નહિ! જેલવાસ દરમિયાન ભગતસિંહના એક સહ-કેદીએ ભગવાનના પૂજા પાઠ કરવા સલાહ આપી ત્યારે ભગતસિંહે ઇનકાર કર્યો. અને ભગતસિંહને ટોણો માર્યો કે કે તેમનો અંત નજીક આવશે ત્યારે તેમણે આપોઆપ ભગવાનનું નામ લેવું…

ડો.રાહી માસૂમ રઝા: પ્રયત્નપૂર્વક યાદ ના રાખવામાં આવેલું નામ!

ઘણાં બધાને આ નામ નવું લાગશે! હે ને? ઇસ. 1927 માં ઉત્તરપ્રદેશનાં ગાઝીપુર જિલ્લામાં ગંગોલી ગામમાં જન્મ. પ્રારંભિક શિક્ષણ પણ ત્યાં જ અગિયાર વર્ષની ઉંમરે ટીબી(ત્યારે ટીબીની કોઈ જ દવા ઉપલબ્ધ નહોતી). અને એની સાથે સાથે પોલિયોનો એટેક (જેના લીધે એને લંગડાઈને ચાલવું પડતું). અને એ ‘બીમારીમાં’ એણે ઘરમાં રહેલી બધી જ બુક વાંચી નાખી(ઉંમર કેટલી? અગિયાર બાર વર્ષ!) અને પછી ત્યાંથી ભણવા ગયાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અને ત્યાં હિન્દુસ્તાની સાહિત્યમાં ડોક્ટરેટ કર્યું. શરૂઆતમાં અલ્હાબાદમાં રહ્યા પહેલાં તેની શાયરી પ્રત્યે રુચિ વધુ હતી પછી તેનું ધ્યાન ઉપન્યાસ લખવા તરફ ગયું…

રાજસીતાપુરથી સરવાળ, માલવણ તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં, ગ્રામજનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયું

28 ઓગસ્ટના રોજ ખરાબ રસ્તાના નિકાલ અને રસ્તો ડબલ પટ્ટીનો કરવા બાબતે નાયબ કાર્યપાલક ઈજનેર ધ્રાંગધ્રા ખાતે અરજી કરેલી અગાઉ આપેલી અરજી પર યોગ્ય કામગીરી ન થતા, ખરાબ રસ્તાના નિરાકરણ બાબતે ગ્રામજનો દ્વારા રજૂઆત કરી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું ગુજરાત: રાજ્યમાં ઘણી બધી જગ્યાએ રોડ રસ્તા ખરાબ હોવાથી લોકોને ખુબજ મુશ્કેલીઓ ભોગવી પડતી હોય છે. કેટલીક જગ્યાએ રોડ રસ્તા એટલી હદે ખરાબ હાલતમાં જોવા મળે છે કે ત્યાંથી વાહનવ્યવહાર શક્ય ન બને! રોડ રસ્તાની ખરાબ હાલતને કારણે ઘણી વખત અકસ્માત થવાની શકયતા પણ રહે છે. ત્યારે રાજચરાડી ગ્રામપંચાયત દ્વારા રાજસીતાપુરથી…

આપણે સાચા અર્થમાં મહિલા દિવસની ઉજવણી કરી શક્યા છીએ ખરાં?

8, માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. વર્ષ 1908માં હજારો મહિલાઓએ ન્યુયોર્કમાં રેલીઓ કાઢી. માંગ હતી- કામનાં ઓછા કલાકો અને યોગ્ય વેતન, પુરુષ સમાન હકો અને મતાધિકાર! અને તેમાં સપોર્ટ કર્યો અમેરિકન સોશિયાલિસ્ટ પાર્ટીએ. અને વર્ષ 1909માં પ્રથમ વખત મહિલા દિવસ ઉજવાયો. અને આ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો વિચાર હતો ક્લૅરા ઝૅટકિનનો. કે જે જર્મની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના મહિલા વિભાગનાં અધ્યક્ષ હતાં. વર્ષ, 1910માં કૉપનહેગનમાં યોજાયેલી નોકરિયાત મહિલાઓની એક ઇન્ટરનેશનલ કૉન્ફરન્સમાં ક્લૅરાએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અને પ્રસ્તાવ રજૂ કરતી વખતે પ્રવચનમાં તેમણે કહ્યું કે , વર્ષમાં એક દિવસ એવો હોવો…

પોર્ન સાઇટ સર્ફિંગ/બ્લ્યુ ફિલ્મો જોવી એ બળાત્કારની ઘટના માટે કેટલી જવાબદાર?

તાજેતરમાં ઉત્તર પ્રદેશ પોલીસે ઈન્ટરનેટ પર અશ્લીલ સામગ્રી (Pornographic Content) સર્ફિંગ કરી રહેલા લોકો પર નજર રાખવા માટે એક કંપનીની નિમણુક કરી. ‘યુપી મહિલા પાવરલાઈન- 1090’ નામની એક નવી ટીમની સ્થાપના કરવામાં આવી છે કે જે – કોઈ વ્યક્તિ દ્વારા ઇન્ટરનેટ પર અશ્લીલ સામગ્રી કેટલી વખત જોવામાં આવે છે- તેના પર નજર રાખીને ચેતવણી આપવામાં આવશે. પોલીસ કોપના કહેવા અનુસાર- આ પહેલનું કારણ તમામ યુવાનોને મેસેજ આપવાનો છે કે તેઓ જે અશ્લીલ સામગ્રીને વારંવાર જુએ છે, તે મહિલાઓના અત્યાચાર સામે વધતા જતાં ગુનાઓ પાછળનું સંભવિત કારણ છે. ફરી એક વાર…

આતંકવાદની સમસ્યાનો કોઈ ઉકેલ નથી?

ભારતે અત્યાર સુધી લગભગ 34 દેશો સાથે આતંકવાદી પ્રવૃત્તિ અટકાવવા અંતર્ગત કાનૂની સંધી કરી છે. તાજેતરમાં જ ત્રણ-ચાર દિવસ પહેલાં જ શ્રીનગરમાં આંતકીઓએ નિઃશસ્ત્ર પોલીસ જવાનો પર હુમલો કર્યો અને તેમાં બે પોલીસ જવાનો શહીદ થયાં. અને જે જગ્યા પર હુમલો થયો તે જગ્યા હાઈ સિક્યુરિટી એરપોર્ટ રોડ પર આવેલી છે. ભારે સુરક્ષા વ્યવસ્થા, અગણિત સૈન્ય અભિયાનો દ્વારા આંતિકીઓનો ખાત્મો બલાવવાની ધરખમ કોશિશ બાદ ય આતંકી હુમલાની ઘટનાઓ બનતી જ રહે છે. આતંકવાદ એટલે મોટા ભાગે નિર્દોષ, નિઃશસ્ત્ર અને સરકાર વિરુદ્ધ આયોજનબદ્ધ રીતે ડર ફેલાવવા માટે પોતાનાં રાજકીય, સૈદ્ધાન્તિક અથવા…

બીબીસી સ્પૉટ્સ હેકાથોન : ગુજરાત યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગ, વિકિપીડિયાનાં સહયોગી

અમદાવાદ, દિલ્હી, મુંબઈ, અમૃતસર, સિકંદરાબાદ અને પુડુચેરીના વિદ્યાર્થીઓ સાથે લાઇવ થયા હતા. ગુજરાત: આજનાં આ ડિજિટલ યુગમાં સામાન્ય રીતે લોકો માહિતી મેળવવા માટે પણ વિકિપીડિયાનો ઉપયોગ કરતા હોય છે. ઘણી વાર વિકિપીડિયામાં માહિતી ન મળવાને કારણે વાંચકો નિરાશ થતાં હોય છે. અત્યારે વિકિપીડિયા પરનાં લેખોમાં મહિલાઓ પરનાં લેખ માત્ર 17 ટકા જ હોવાને કારણે બીબીસી દ્વારા ગુજરાત યુનિવર્સિટીનાં પત્રકારત્વ વિભાગ ખાતે બેઠક યોજાઇ હતી. આજ રોજ ‘બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર પ્રૉજેક્ટ’ હેઠળ 50 મહિલા ખેલાડીઓ વિશે માહિતી વિકિપીડિયામાં ઉમેરવામાં આવી હતી.જેમાં અગાઉ વિદ્યાર્થીઓને વિકિપીડિયા દ્વારા તાલીમ પણ આપવામાં…

“MAN VS WILD” ઇન સાસણ ગીર, ગ્રીલ્સ સાથે દેખાશે અમિતાભ બચ્ચન

ડિસ્કવરી ચેનલનાં પ્રખ્યાત શો ‘MAN VS WILD’નાં હોસ્ટ બેર ગ્રીલ્સ ફરી એકવાર ભારતનાં જંગલોમાં ટ્રેકિંગ કરતા જોવા મળી શકે તેમ છે. આ વખતે, તેમનું સ્થાન એશિયાઇ સિંહો માટે જાણીતા ગુજરાતનું ગીર જંગલ હોઈ શકે છે. ખાસ વાત એ છે કે અમિતાભ બચ્ચન આ એપિસોડમાં ગ્રીલ્સ સાથે જોવા મળી શકે છે. ભારતમાં ગ્રીલ્સે અત્યારસુધીનાં ત્રણ એપિસોડ ટાઈગર રિઝર્વમાં શૂટ કર્યા છે. અને જેમાં તેની સાથે પીએમ નરેન્દ્ર મોદી, રજનીકાંત અને અક્ષય કુમાર નજરે પડ્યા હતા. અને ચોથો એપિસોડ ગીરમાં અમિતાભ બચ્ચન સાથે પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે. ગ્રીલ્સનો આ શો વિશ્વભરમાં…

સાહસ અને શૌર્યની મશાલ છત્રપતિ શિવાજી મહારાજ!

19 ફેબ્રુઆરી એટલે શિવાજી જયંતિ. ઇતિહાસકારોમાં શિવાજીની જન્મતારીખ બાબતે મત-મતાંતરો છે. અમુક ઇતિહાસકારો 6, એપ્રિલ કે 10, એપ્રિલને શિવાજીની જન્મતારીખ તરીકે ઉજવે છે. પરંતુ મહારાષ્ટ્ર સરકાર 19, ફેબ્રુઆરીને શિવાજીની જન્મદિવસ તારીખ માને છે, એ જાણવું જરૂરી બને છે. પૂણેથી 60 કિ.મી. અને મુંબઇથી 100 કિ.મી. દુર સન 1627માં શિવનેરી કિલ્લામાં શિવાજીનો જન્મ. પિતા શહાજી અને માતા જીજાબાઇ. શિવાજીનાં પૂર્વજો મરાઠા જાતિનાં ભોંસલે વંશનાં હતા અને પુના જિલ્લાનાં હિંગાણી, બેરાડી અને દેવલગાંવ ગામોનાં મુખી હતા. તેઓ પાટીલ કે દેશમુખ તરીકે પણ ઓળખાતા. એ વખતે ઉત્તરમાં હતો ક્રૂર શાસક ઓરંગઝેબ અને દખ્ખણમાં…