ભારતને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદમાં સ્થાયી/કાયમી સભ્ય પદ મળવું જોઈએ?

ઓપન વિન્ડો: યુરોપિયન રાષ્ટ્રોની સ્વાર્થી નીતિને લીધે થયેલાં વિશ્વ યુદ્ધોએ માનવતાથી લઈને સામાજિક-રાજકીય સુરક્ષાનો છેદ ઉડાડી દીધો. પરિણામે દ્વિતીય વિશ્વયુધ્ધ બાદ સામૂહિક સુરક્ષાની જરૂરિયાત અનુભવાયી. જેનાં પરિણામે વર્ષ,૧૯૪૫માં સંયુક્ત રાષ્ટ્ર સંઘનું નિર્માણ થયું અને તેનાં એક પ્રમુખ અંગ તરીકે સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (UNSC)ની સ્થાપના કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્રસંઘનું કાર્યાલય અને તેનાં કર્મચારીઓનાં નિવાસસ્થાન અમેરિકાની આર્થિક રાજધાની ગણાતાં ન્યુયોર્ક શહેરમાં આવેલા છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘનું બંધારણ ઘડાયું ત્યારે અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન આ પાંચ દેશો સુરક્ષા પરિષદનાં કાયમી સભાસદો બન્યાં. જ્યારે જર્મની, ઈટલી કે જાપાન દુશ્મન દેશો હોવાથી…

IIT મદ્રાસમાં કોવિડ-19નાં કેસ વધ્યા, તમિલનાડુએ તમામ કોલેજોમાં પરીક્ષણનાં આદેશ આપ્યા

IITમદ્રાસમાં કોરોના સંક્રમણમાં થયો વધારો ઉછાળાને કારણે વિભાગો, કેન્દ્રો, પ્રયોગશાળાઓ અને લાઇબ્રેરી બંધ કરી  અધિકારીઓ તેનો આરોપ છાત્રાલયનાં મેસ પર નાખ્યો છે નેશનલ: IIT-મદ્રાસનાં આઠ વધુ વિદ્યાર્થીઓનો કોરોના વાયરસ માટેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં પ્રીમિયર એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટનાં કુલ 191 કેસ જોવા મળ્યા છે. આ અઠવાડિયે સંસ્થામાં કોરોના વાયરસનાં કેસોમાં ઉછાળા વચ્ચે ગઈકાલે 141 લોકોની તપાસ થયા બાદ તાજેતરનાં નવા કેસો બહાર આવ્યા છે. અન્ના યુનિવર્સિટીમાં પણ છ વિદ્યાર્થીઓએ વાયરસ માટે પોઝિટિવ આવ્યા છે. તમિળનાડુનાં આરોગ્ય સચિવ જે. રાધાકૃષ્ણને કહ્યું કે વિદ્યાર્થીઓ સ્થિર સ્થિતિમાં હોવાનું જાણવા મળે છે. આઇડીઆઇટી-મદ્રાસે છાત્રાલયોમાં…

UKનાં વડાપ્રધાન, ગણતંત્ર દિવસે ભારતનાં મુખ્ય મહેમાન બનશે

પ્રજાસતાક દિવસ નિમિતે યોજાનાર કાર્યક્રમના મુખ્ય અતિથિ બોરિસ જોનસન હશે બ્રિટનનાં વિદેશ મંત્રી ડોમિનિક રાબે મંત્રી એસ જયશંકર સાથે મંગળવારે વાતચીતમાં આ માહિતી આપી નેશનલ: બ્રિટનનાં પ્રધાનમંત્રી બોરિસ જોનસન આ વર્ષે પ્રજાસતાક દિવસ નિમિતે યોજાનાર કાર્યક્રમના મુખ્ય અતિથિ હશે. તેમણે આ માટે ભારતના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. બ્રિટનનાં વિદેશ મંત્રી ડોમિનિક રાબે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મંગળવારે પ્રતિનિધિ સ્તરની વાતચીતમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મને ખુશી છે કે ભારત તરફથી ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લેવા મોકલવામાં આવેલા આમંત્રણને PM જોનસનને સ્વીકાર્યું છે. આ અમારા માટે…

AAP 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી લડશે

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે જાહેરાત કરી છે. AAP 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી લડશે. કેજરીવાલે કહ્યું છે કે, ઉત્તર પ્રદેશની જનતા ત્યાંની પાર્ટીઓથી હવે કંટાળી ગઈ છે અને હવે તેમને કોઈ અન્ય વિકલ્પની જરૂર છે. કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં અમને જનતાએ ત્રણ વખત મુખ્યમંત્રી બનાવ્યા. પંજાબમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી છે. ઉત્તર પ્રદેશનાં લોકો દિલ્હીમાં મોટી સંખ્યામાં રહે છે. તે લોકો અમારી પાસે આવીને આગ્રહ કરે છે કે, ઉત્તર પ્રદેશમાં પણ આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવી જોઈએ. ઉત્તર પ્રદેશનાં લોકોને એજ્યુકેશન અને હેલ્થ માટે દિલ્હી સુધી કેમ…

ભારતીય રીઝર્વ બેંકે RTGSની સુવિધા આજથી ચોવીસ કલાક માટે શરૂ કરી

નેશનલ: ભારતીય રીઝર્વ બેંકે RTGSની સુવિધા આજથી ચોવીસ કલાક માટે શરૂ કરી છે. રિઝર્વ બેંકનાં ગર્વનર શક્તિકાન્ત દાસે ટ્વિટર ઉપર જણાવ્યું છે કે, ગઈકાલે મધરાતથી RTGS સુવિધા શરૂ થતાં આવી સુવિધા આપનાર વિશ્વના થોડાક દેશોની યાદીમાં ભારત જોડાયું છે. આ ઉગાઉ આરટીજીએસ સુવિધા કામકાજના દિવસો દરમિયાન સવારનાં 7થી 6 વાગ્યા સુધી મળતી હતી. દેશમાં ડિજીટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવાયો છે અને તેનાથી વેપારક્ષેત્રની ચૂકવણીમાં સરળતા વધશે તથા ઈન્ડિયન ફાઈનાન્શીયલ માર્કેટને સરહદ પારની ચૂકવણીની સુવિધા વધશે. Sorry for the typo error. It’s 12.30 am tonight. — Shaktikanta Das…

અખબાર ઉદ્યોગે સરકાર પાસેથી માગ્યું પેકેજ

નેશનલ: ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (આઈએનએસ)નાં પ્રમુખ એલ. આદિમૂલમે કેન્દ્ર સરકાર સમક્ષ ન્યૂઝ પેપર ઇન્ડસ્ટ્રી માટે પ્રોત્સાહન પેકેજ આપવાની માંગ કરી છે. આઈએનએસ ઘણાં મહિનાથી આ પેકેજની આશા રાખી રહ્યું છે. INSનું કહેવું છે કે ન્યૂઝપેપર ઇન્ડસ્ટ્રીની આવક ઘટતાં અભૂતપૂર્વ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે કોવિડ-19ને કારણે જાહેરાત અને સર્ક્યુલેશનને બહુ જ ખરાબ અસર થઈ છે. આ કારણે અનેક પ્રકાશનો બંધ થઈ ગયાં છે અથવા કેટલીક આવૃત્તિ અનિશ્ર્ચિત સમયગાળા માટે સ્થગિત કરી દેવાઈ છે. જો આ સ્થિતિ રહેશે તો નજીકનાં ભવિષ્યમાં હજુ વધુ પ્રકાશનો બંધ થઈ જશે. 8…

બેંગ્લોરનાં આઇફોન પ્લાન્ટમાં પગાર બાબતે કર્મચારીઓએ કરી હિંસા

iPhone બનાવતી કંપનીમાં કર્મચારીઓએ કરી ધમલ પગાર બાબતે ચાલી રહેલી ચર્ચા હિંસક બની નેશનલ: બેંગ્લોર થી 60 km. દૂર આવેલા આઇફોનનાં પ્લાન્ટમાં આજે શનિવારે સવારે હિંસા ફાટી નિકળી હતી. પ્લાન્ટનાં કામદારોનાં પગારના મામલે મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. બેંગ્લોર નજીકનાં નરશાપૂરા ખાતે તાઇવાનની મહાકાઇ કંપની વિસ્ટ્રોન કોર્પોરેશનનો આઇફોનનો વિશાળ પ્લાન્ટ આવેલો છે. આ પ્લાન્ટમાં અંદાજે 2000થી વધુ કર્મચારીઓ કામ કરે છે. આ કર્મચારીઓએ પગાર અને સુવિધા મામલે આજે સવારે નાઇટ શિફટ પૂર્ણ કર્યા પછી ધમાલ શરૂ કરી હતી. પ્લાન્ટનાં ફર્નીચરનો ભૂકો બોલાવી દેવામાં આવ્યો અને કેટલાંક વાહનોને પ્લાન્ટની…

સંસદ ભવનનો શિલાન્યાસ, પીએમ મોદીએ ભૂમિપૂજન કર્યું; ભવન સાથે જોડાયેલી 5 મોટી વાત

નવા સંસદ ભવનના નિર્માણનો શિલાન્યાસ આજે પૂર્ણ થયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કાર્યક્રમમાં ભૂમિપૂજન કર્યું હતું. ઇન્ડિયા ગેટ નજીક સેન્ટ્રલ વિસ્ટા પ્રોગ્રામ અંતર્ગત બનાવવામાં આવી રહેલ નવી ઇમારતનો આ કાર્યક્રમ પ્રતીકાત્મક રૂપે શિલાન્યાસ કરશે. પરંતુ તેનું નિર્માણ હજી શરૂ થઈ શક્યું નથી કારણ કે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી ચાલી રહી છે. સંસદનું આ નવું મકાન 20,000 કરોડ રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના 13.4 કિલોમીટર લાંબા રાજપથ પર આવતા સરકારી ઇમારતોનું ર્નિર્માણ કરવામાં આવશે. ભવન સાથે જોડાયેલી 5 મોટી વાત…

દેશનાં ખૂણે-ખૂણામાં શરૂ થશે Wi-Fi ઝોન, મોદી સરકારે કરી જાહેરાત

PM-WANI યોજના અંતર્ગત દેશભરમાં શરૂ થશે Wi-Fi ઝોન આ Wi-Fi ઝોનને  પબ્લિક ડેટા ઓફિસ કહેવાશે નેશનલ: નરેન્દ્ર મોદી સરકારે કેબિનેટની બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લીધા છે. સરકારનાં વરિષ્ઠ પ્રધાનો રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર અને સંતોષ ગંગવારે પત્રકાર પરિષદમાં પોતાની માહિતી આપી હતી. આમાં બે મોટા નિર્ણયો લેવામાં આવે છે, એક ડિજિટલ ઇન્ડિયા સાથે અને બીજો આત્મનિર્ભર ભારત યોજનાથી સંબંધિત છે. દેશનાં દરેક ખૂણામાં Wi-Fi પહોચાડવાની પીએમ યોજનાને સરકારે મંજૂરી આપી દીધી છે. આવતા વર્ષે 5 જી લોન્ચ કરવાની તૈયારીઓ વચ્ચે સરકારની આ જાહેરાતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મંત્રીમંડળનાં મુખ્ય નિર્ણયો…

મહિલા સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યું મીડિયા ‘બે પૈસા’ની છે!

Mahua Moitra

‘મીડિયા બે પૈસાની છે’ મહુઆ મોઈત્રા આ નિવેદનથી પ્રેસ ક્લબ થયું નારાજ, માંગવી પડી માફી માફી માંગતા ટ્વિટરમાં શેર કર્યું મીમ નેશનલ: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનાં એક મહિલા સાંસદે મીડિયા અંગે નિવેદન આપ્યું હતું જેમાં મીડિયાને બે કોડીનું છે એવો શબ્દ પ્રયોગ કર્યો હતો. આ સાંસદની ચારે તરફ ટીકાઓ થઇ રહી છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીનાં પક્ષનાં લોકસભા સાંસદ મહુઆ મોઇત્રા(Mahua Moitra)એ મંગળવારે સાંજે બે મુખ્ય બંગાળી ટીવી ચેનલનો બહિષ્કાર કરતી વખતે કથીત રીતે મીડિયાને બે કોડીનું લેખાવ્યું હતું. મીડિયા તરફથી આ સાંસદની આકરી ટીકાઓ થઇ રહી છે. ગત…