ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનનાં કર્મચારી રાજેશભાઇ શાહ કોરોના સામે હારી ગયા : યુનિવર્સિટી શોકાતુર

ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં કાર્યરત કર્મઠ, ઉત્સાહી અને મૃદુભાષી, પૂર્વ મંત્રી જનરલ એમ્પ્લોઈ યુનિયન, GUSSRC ના કારોબારી સદસ્ય એવા કર્મચારીશ્રી રાજેશભાઇ શાહ આજે સવારે 6.15 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓને 10 દિવસ પહેલા શરદી-ઉધરસ ની તકલીફ થઈ હતી.કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા શૈલયા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ઓક્સિજન ઓછો પડતા ગઈકાલે સાબરમતી – તપોવન સર્કલ વચ્ચે આવતી SMS હોસ્પિટલમાં સારવાર માટે જતા રસ્તામાં જ થોડી સમસ્યા થઇ. SMS હોસ્પિટલમાં પહોંચ્યા પછી વેન્ટિલેટર પર રાખ્યા હોવા છતાં પણ તેમનું શરીરે સાથ આપ્યું નહોતુ. તેમના પરિવારમાં તેમના પત્ની સોનલબેન દીકરી મૈત્રી (થોડા…

ગુજરાતમાં બાળકોને લાગી રહ્યો છે કોરોનાનો ચેપ

ગુજરાત: સમગ્ર રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. હવે બાળકોમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. રાજ્યમાં નાના બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. કોરોના સંક્રમણમાં બે વર્ષની બાળકી સહીત 3 બાળકોના મૃત્યુ થયાં છે. જયારે અમદાવાદ સિવિલમાં હાલ 11 બાળકો સારવાર લઈ રહ્યા છે. 11માંથી બે બાળકોની તબિયત નાજુક છે. સુરત શહેરમાં પણ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. સુરતમાં એક બાળકએ કોરોનામાં જીવ ગુમાવ્યો અને એક બાળક વેન્ટિલેટર પર છે. તો બીજી તરફ, રાજકોટ શહેરમાં 15 દિવસ થી રોજ 25 જેટલા બાળકોના ટેસ્ટ પોજિટિવ આવ્યા છે. જન્મની સાથે જ 2 થી 7 દિવસના…

ગુજરાતનાં 20 શહેરોમાં રાત્રે કોરોના રૂપી ભૂતને…. નહીં મળે શિકાર…. રાત્રે 8થી સવારનાં 6 સુધી કર્ફ્યૂ નું અમલીકરણ

રાત્રે 8 થી સવારનાં 6 સુધી રાત્રિ કર્ફ્યૂનું અમલીકરણ રાજ્યનાં મહાનગરો મળીને કુલ 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ગુજરાત: મુખ્યમંત્રી વિજય રૂપાણીની કોર કમિટી સાથેની બેઠક પૂર્ણ થયાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. તો મોટા મેળાવડાઓ પર આગામી 30 એપ્રિલ સુધી પ્રતિબંધ લાદ્યો હતો. લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા જાહેર કરવામાં આવી છે. આ 20 શહેરોમાં રહેશે રાત્રિ કર્ફ્યૂ, 1.      અમદાવાદ 2.      નડિયાદ 3.      રાજકોટ 4.    અમરેલી…

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ કરાઈ મોકૂફ

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ 12 એપ્રિલે અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ ગુજરાત: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આગામી 12 અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષાઓ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી છે. BA,BSC,BBA,BCA,B.ED, B.COM.ની પ્રથમ સેમની પરીક્ષાઓ 12 અને 23 એપ્રિલથી શરૂ થવાની હતી. પરંતુ રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાયરસનાં વધી રહેલા કેસને પગલે આ પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવાનો યુનિવર્સીટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. આગામી આદેશ ન મળે ત્યાં સુધી પરીક્ષાઓ રહેશે મોકૂફ યુનિવર્સિટીનાં તંત્ર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ…

ગુજરાતમાં ત્રણથી ચાર દિવસ લોકડાઉન કરો, હાઈકોર્ટનો સરકારને નિર્દેશ

ગુજરાતમાં 3 કે 4 દિવસનું લોકડાઉન કરવા ગુજરાત હાઇકોર્ટેનો નિર્દેશ સપ્તાહનાં અંતે કરફ્યુ નાખીને કોરોનાની વકરતી સ્થિતિ પર નિયંત્રણ કરો: ગુજરાત હાઈકોર્ટ ગુજરાત: ગુજરાતમાં કોરોનાનાં કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, ગુજરાતમાં 3-4 દિવસનુ લોકડાઉન કરો અને હાલમાં વધી રહેલા કેસ પર કાબૂ કરો. ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં રોજબરોજ કોરોનાનાં કેસની સંખ્યા વધતી જોઈને નિર્દેશ કર્યો છે. ગુજરાતમાં કોરોનાનાં કેસની સંખ્યાને નિયંત્રણમાં લેવા માટે લોકડાઉન જ એક ઉપાય હોવાથી, ગુજરાતમાં 3-4 દિવસનું મીની લોકડાઉન કરીને કેસને નિયંત્રણમાં લેવા કહ્યું છે. શક્ય હોય તો…

જામનગરમાં કોરોનાનાં કેસમાં અધધ…. વધારો

બિનજરૂરી રીતે ઘરની બહાર ન નિકળવા જિલ્લા કલેકટર દ્વારા અપીલ. કોરોનાના વધતાં સંક્રમણ ને ધ્યાને લઇ કલેકટરનો શહેરીજનો જોગ વધુ એક સંદેશ આપ્યો છે, આજે 03 વાગ્યા સુધીમાં 124 પોઝિટીવ કેસ નોંધાયા. જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા ટેસ્ટીંગ પ્રક્રિયા પણ વધારવામાં આવી છે. ગઈકાલે એક જ દિવસમાં શહેરી વિસ્તારમાં 1,470 અને ગ્રામ્ય વિસ્તારમાં 1,939  મળી કુલ 3,409  લોકોનાં કોરોનાલક્ષી ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતાં. જિલ્લામાં ગત્ સાંજ સુધીમાં કુલ 4,57,524 લોકોનાં કોરોનાનાં ટેસ્ટીંગ કરી લેવામાં આવ્યા છે, જ્યારે શહેરમાં ગઈકાલ સુધીમાં કુલ 8,625 અને ગ્રામ્ય વિસ્તારમાં 2,833  પોઝિટિવ કેસ નોંધાયા છે.

ચોટીલા ડુંગર ઉપર આવેલા ચામુંડા માતાજીનાં મંદિર સુધી બનશે ‘રોપ વે’ મુખ્યમંત્રીએ કરી જાહેરાત

ચામુંડા માતાજીનાં મંદિર સુધી ‘રોપ વે’ મોટી ઉંમરનાં લાખો ભક્તો માતાજીનાં દર્શન શક્ય બનશે ગુજરાત: ચોટીલા ડુંગર ઉપર આવેલા ચામુંડા માતાજીનાં મંદિર સુધી ‘રોપ વે’ નાંખવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કરી છે. આ ‘રોપ વે’ શરૂ થતાં મોટી ઉંમરનાં લાખો ભક્તો હવે ડુંગરની ટોચ ઉપર આવેલા મંદિરની યાત્રા કરી શકશે. અંબાજીમાં ગબ્બર અને પાવાગઢમાં રોપ-વે ઘણા સમયથી ચાલે છે હવે તેમાં ચોટીલા ડુંગરનો ઉમેરો થશે. ગિરનાર પર્વત ઉપર આવેલી અંબાજી સુધી હમણા જ રોપ વે સેવ શરૂ કરવામાં આવી છે. આમ ગુજરાતમાં ઊંચાઈએ આવેલા તમામ આરાધના અને ભક્તિનાં સ્થળની…

રાજસીતાપુરથી સરવાળ, માલવણ તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં, ગ્રામજનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયું

28 ઓગસ્ટના રોજ ખરાબ રસ્તાના નિકાલ અને રસ્તો ડબલ પટ્ટીનો કરવા બાબતે નાયબ કાર્યપાલક ઈજનેર ધ્રાંગધ્રા ખાતે અરજી કરેલી અગાઉ આપેલી અરજી પર યોગ્ય કામગીરી ન થતા, ખરાબ રસ્તાના નિરાકરણ બાબતે ગ્રામજનો દ્વારા રજૂઆત કરી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું ગુજરાત: રાજ્યમાં ઘણી બધી જગ્યાએ રોડ રસ્તા ખરાબ હોવાથી લોકોને ખુબજ મુશ્કેલીઓ ભોગવી પડતી હોય છે. કેટલીક જગ્યાએ રોડ રસ્તા એટલી હદે ખરાબ હાલતમાં જોવા મળે છે કે ત્યાંથી વાહનવ્યવહાર શક્ય ન બને! રોડ રસ્તાની ખરાબ હાલતને કારણે ઘણી વખત અકસ્માત થવાની શકયતા પણ રહે છે. ત્યારે રાજચરાડી ગ્રામપંચાયત દ્વારા રાજસીતાપુરથી…

બીબીસી સ્પૉટ્સ હેકાથોન : ગુજરાત યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગ, વિકિપીડિયાનાં સહયોગી

અમદાવાદ, દિલ્હી, મુંબઈ, અમૃતસર, સિકંદરાબાદ અને પુડુચેરીના વિદ્યાર્થીઓ સાથે લાઇવ થયા હતા. ગુજરાત: આજનાં આ ડિજિટલ યુગમાં સામાન્ય રીતે લોકો માહિતી મેળવવા માટે પણ વિકિપીડિયાનો ઉપયોગ કરતા હોય છે. ઘણી વાર વિકિપીડિયામાં માહિતી ન મળવાને કારણે વાંચકો નિરાશ થતાં હોય છે. અત્યારે વિકિપીડિયા પરનાં લેખોમાં મહિલાઓ પરનાં લેખ માત્ર 17 ટકા જ હોવાને કારણે બીબીસી દ્વારા ગુજરાત યુનિવર્સિટીનાં પત્રકારત્વ વિભાગ ખાતે બેઠક યોજાઇ હતી. આજ રોજ ‘બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર પ્રૉજેક્ટ’ હેઠળ 50 મહિલા ખેલાડીઓ વિશે માહિતી વિકિપીડિયામાં ઉમેરવામાં આવી હતી.જેમાં અગાઉ વિદ્યાર્થીઓને વિકિપીડિયા દ્વારા તાલીમ પણ આપવામાં…

“MAN VS WILD” ઇન સાસણ ગીર, ગ્રીલ્સ સાથે દેખાશે અમિતાભ બચ્ચન

ડિસ્કવરી ચેનલનાં પ્રખ્યાત શો ‘MAN VS WILD’નાં હોસ્ટ બેર ગ્રીલ્સ ફરી એકવાર ભારતનાં જંગલોમાં ટ્રેકિંગ કરતા જોવા મળી શકે તેમ છે. આ વખતે, તેમનું સ્થાન એશિયાઇ સિંહો માટે જાણીતા ગુજરાતનું ગીર જંગલ હોઈ શકે છે. ખાસ વાત એ છે કે અમિતાભ બચ્ચન આ એપિસોડમાં ગ્રીલ્સ સાથે જોવા મળી શકે છે. ભારતમાં ગ્રીલ્સે અત્યારસુધીનાં ત્રણ એપિસોડ ટાઈગર રિઝર્વમાં શૂટ કર્યા છે. અને જેમાં તેની સાથે પીએમ નરેન્દ્ર મોદી, રજનીકાંત અને અક્ષય કુમાર નજરે પડ્યા હતા. અને ચોથો એપિસોડ ગીરમાં અમિતાભ બચ્ચન સાથે પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે. ગ્રીલ્સનો આ શો વિશ્વભરમાં…