અમારા ધારાસભ્યોને પણ કામ આપો: હાર્દિક પટેલ

ગુજરાત: રાજ્યમાં ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં રોજ રેકોર્ડબ્રેક વધારો જોવા મળી રહ્યો છે. એવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 90999 02255 શરૂ કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત ચાવડાએ ઈન્જેક્શનોનું કોંગ્રેસ દ્વારા મફત વિતરણ કરવાની તથા સરકાર દ્વારા શ્વેતપત્ર જાહેર કરવામાં આવી એવી માગણી કરાઈ હતી. ત્યારે આજે કોંગ્રેસનેતા હાર્દિક પટેલે પણ સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રીને કોરોના મહામારીમાં કોંગ્રેસને પણ મદદ કરવા દેવાની વિનંતી કરી છે. હાર્દિક પટેલે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું…

કોરોના સંક્રમિત દર્દીઓના સગા- સંબંધીઓ સાથે મુખ્યમંત્રી જામનગરની હોસ્પિટલમાં

ગુજરાત: મુખ્યમંત્રીશ્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જામનગર શહેરમાં આવેલી ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત કરીને કોરોનાની દર્દીઓને અપાતી સારવારની જાત તપાસ કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીશ્રી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા- સંબંધીઓ સાથે રૂબરૂ વાત ચીત કરીને હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓનાં સગાઓને મળી ખબર-અંતર પૂછ્યા હતા. તેમના સ્વજનો જલ્દીથી સાજા થઇ ઘરે જાય તેવી શુભેચ્છાઓ આપીને આ માટે જરૂરી તમામ મદદ કરવાની રાજ્ય સરકાર વતી મુખ્યમંત્રીશ્રીએ દર્દીઓના સગાઓને ખાતરી પણ આપી હતી.…

લાલ કિલ્લાનાં કેસનાં આરોપી દીપ સિદ્ધુને દિલ્હી કોર્ટે આપ્યા જામીન

નેશનલ: પ્રજાસત્તાક દિન પર ખેડૂત ટ્રેક્ટર રેલીમાં થયેલી લાલ કિલ્લાના કેસ અને હિંસાના આરોપી દીપ સિદ્ધુને દિલ્હી કોર્ટે જામીન આપ્યા છે. તેઓ જરૂરી કાગળો કર્યા પછી ટૂંક સમયમાં જેલની બહાર આવશે. પ્રજાસત્તાક દિનની આ હિંસામાં કેટલાક વિરોધીઓ પર ધાર્મિક ધ્વજ લહેરાવવા ભારતીય ત્રિરંગો ઉંચકવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઘટનામાં દીપ સિદ્ધુ પરનો આરોપ એ છે કે તેમણે ભીડને ઉશકેરી હતી. તેમને જામીન મળી ગયા છે. દીપ સિદ્ધુને ત્રીસ-ત્રીસ હજાર રૂપિયાના બોન્ડ સાથેની બે બાંયધરીના આધારે જામીન મળ્યા છે. દીપ સિદ્ધુને જામીન આપતી વખતે કોર્ટે કેટલીક શરતો મુકી છે. કોર્ટે…

તમિલ અભિનેતા વિવેકે આપી વિશ્વને વિદાય

મનોરંજન: તમિલ અભિનેતા વિવેકનું ચેન્નઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તે 59 વર્ષનાં હતા. વિવેકને 16 એપ્રિલનાં રોજ હાર્ટ એટેક આવ્યા બાદ ચેન્નાઇની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે ડોકટરો પાસેથી ઇસીએમઓ સારવાર લઈ રહ્યા હતા. તે આઈસીયુમાં ડોકટરોની દેખરેખ હેઠળ હતા. જોકે, આજે સવારે 4.45 વાગ્યે તેમણે વિશ્વને વિદાય આપી. વિવેકે કોવિડ રસીનો પ્રથમ ડોઝ પણ લીધો, ત્યારબાદ તેમણે મીડિયાને કોવિડ રસી લેવાની જરૂરિયાત વિશે જણાવ્યું. 15 એપ્રિલે, વિવેકને કોરોના રસી લીધી. કોવિડ રસીનો પ્રથમ ડોઝ લેવા વિવેક તેના મિત્ર સાથે ઓમંડુરર સરકારી હોસ્પિટલમાં ગયા. આ પછી…

કુંભને પ્રતિકાત્મક રાખવાની સંતોને વડાપ્રધાનએ અપીલ કરી

નેશનલ: અત્યારે ચાલી રહેલા કુંભ સ્નાનમાં કોવિડ નિયમોની અવગણના કરવામાં આવી રહી છે. બીજી તરફ, કુંભમાં આવેલા ઘણા ભક્તો પણ કોરોનાની પકડમાં આવી ગયા છે. જેના કારણે તેને રોકવાની અપીલ કરવામાં આવી રહી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી છે. દેશમાં વધી રહેલા કોરોના પ્રકોપને પગલે પીએમ મોદીએ હવે કોવિડ સંક્રમણને કારણે પ્રતિકાત્મક કુંભ રાખવા અપીલ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર દ્વારા કુંભના ભક્તોને અપીલ કરી છે કે બે શાહી સ્નાન થઈ ચૂક્યા છે અને હવે કોરોના સંકટને કારણે કુંભને પ્રતિકાત્મક રાખવો જોઈએ. તેમણે…

દેશમાં કોરોનાની સ્થિતિ અંગે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

શુક્રવારે દેશમાં કોરોના વાયરસના 2,17,353 નવા કેસ નોંધાયા બાદ અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,42,91,917 થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોવિડ -19 રોગચાળો સામેલ કરવાની વ્યૂહરચના માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વિટ કર્યું, ‘કેન્દ્ર સરકારની કોવિડ વ્યૂહરચના – પ્રથમ પગલું – લોકડાઉન કરો. બીજું પગલું – ઘંટડી વગાડો. ત્રીજું પગલું – ભગવાનના ગુણ ગાઓ. બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકોને અપીલ કરી, ‘પ્રિય દેશવાસીઓ, આ આપણા બધા માટે ખૂબ જ મુશ્કેલીનો સમય છે. આપણા બધાના પરિવારના સભ્યો, આપણા પ્રિયજનો અને…

ભૂતપૂર્વ સીબીઆઈ ડિરેક્ટર રણજિતસિંહાનું નિધન, દિગ્વિજય સિંહ,હરસિમરત કૌર અને રણદીપસિંહ સુરજેવાલા કોરોનાગ્રસ્ત

નેશનલ: દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 2.17 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે, જે દિવસભરનો આંકડો છે. આ પહેલા 15 એપ્રિલના રોજ 2 લાખથી વધુ કેસ મળી આવ્યા હતા. દેશમાં કોરોનાગ્રસ્ત લોકોની કુલ સંખ્યા હવે 1,42,91,917 છે. તો બીજી તરફ, સક્રિય કેસ પણ 15 લાખને પાર કરી ગયા. છેલ્લા 24 કલાક દરમિયાન, 1185 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો.જેના પછી મૃત્યુની કુલ સંખ્યા વધીને 1,74,308 થઈ ગઈ. દેશમાં સતત 37 દિવસથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ભૂતપૂર્વ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ના ડિરેક્ટર રણજિત સિંહાનું…

આજનો ઇતિહાસ : ભારતની પ્રથમ રેલ્વે – મુંબઈથી ઉપડી હતી કે ચેન્નાઈથી?

16 એપ્રિલ 1853ના રોજ ભારતની પ્રથમ મુસાફર રેલયાત્રા શરૂ થઈ હતી. જેને મુંબઈના બોરીબંદરથી આ ત્રણ એન્જિન વાળી અને 14 ડબ્બાવાળી રેલને લીલી ઝંડી આપવામાં આવી હતી અને થાણે ખાતે જઈને રેલ્વે ઊભી રખાઇ હતી. આ રેલ્વે યાત્રામાં 400 મુસાફરોએ 34 કિ. મી ની સફર કરેલી. સાથે મહત્વની વાત એ પણ છે કે આ રેલ્વેને 34 કિ. મી નું અંતર કાપતા 57 મિનિટનો સમય લાગ્યો હતો. અમેરિકા, રુસ, ચીન પછી ભારતનું ટ્રેન નેટવર્ક ચોથા ક્રમે આવે છે. 1 લાખ 23 5 82 કિલોમીટર લાંબી રેલયાત્રા ભારતની છે. વિશ્વનું સૌથી વ્યસ્ત…

રાજસ્થાને દિલ્હી સામે હારેલી મેચ જીતી

મોરિસ તેની આક્રમક બેટિંગથી મેચનું પરિણામ બદલી નાખ્યું IPL: આઈપીએલ 14માં રાજસ્થાનને દિલ્હીને 3 વિકેટ થી હરાવ્યું. દિલ્હીમાં પંતની ફિફટીની મદદથી 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 147 રન કર્યા. રાજસ્થાને છેલ્લા 2 બોલ બાકી રાખી જીત મેળવી હતી. ક્રિસ મોરિસે 18 બોલમાં 4 છગ્ગા સાથે 36 રન કર્યા હતા. સાથે આ મેચમાં મિલરે સૌથી વધુ રન કર્યા હતા. તેણે 43 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 62 રન કર્યા હતા. રાજસ્થાનની શરૂઆત ની 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવી હતી પરંતુ ડેવિડ મિલર અને મોરિસ ની બેટિંગે મેચનું અલગ જ…

આજે દિલ્હી અને રાજસ્થાન સામસામે

આજે બેન સ્ટોક્સ મેચમાં જોવા નહિ મળે IPL: આઈપીએલ 14ની 7મી મેચમાં દિલ્હી કેપિટલ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સાંજે 7:30એ વાનખેડે સ્ટેડિયમમાં આમને સામને. રાજસ્થાન પહેલી મેચ હાર્યા બાદ જીતની નવી શરૂઆત કરવા દિલ્હી કેપિટલ સામે ઉતરશે. રાજસ્થાન ટીમને બેન સ્ટોક્સ ની ખલેલ પડશે. આ સેમસન માટે મુશ્કેલી લાવી શકે છે. દિલ્હી કેપિટલ્સએ તેમના નવા કેપ્ટન ઋષભ પંતના નેતૃત્વમાં શાનદાર શરૂઆત કરી છે, તેની પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ને 7 વિકેટે હરાવી, પરંતુ સોમવારે રાજસ્થાન રોયલ્સને પંજાબ કિંગ્સ (PBKS) એ 4 રન થી હરાવ્યું હતું. RR v/s DC…