અચ્છા ખાસા બૈઠે-બૈઠે ગુમ હો જાતા હૂં; અબ મેં અક્સર મેં નહીં રહતા,તુમ હો જાતા હૂં!

આ સરોવર કાંઇ તારી પ્રેયસી છે? તો તું ક્યારનો એને નિષ્પલક તાકી રહ્યો છે? અહીં આવીને,મને મુકીને- સરોવરની સામે તાક્યા કરવાનું અને મારો એક હાથ તારા હાથમાં લઇને એની ઉપર સતત આંગળી ફેરવ્યા કરે છે એનું કારણ મને આજ સુધી સમજાતું નથી’,તું મારી આંખ આગળ તારો હાથ ફેરવીને પુછે છે. પણ હું શું જવાબ આપું? તું જ કહે છે ને કે,’અમુક અનુભુતિને વર્ણવવાનું કૌશલ્ય ઇશ્વરે તને નથી આપ્યું.અને આ બાબત માટેની મારી શિકાયત હંમેશા રહેશે!’ પણ, મને ખબર છે હવે તું મને બોલાવીશ નહી. બેસવા દઇશ મને એમ જ. પણ…

ગુજરાત કેમીકલ પોર્ટ લિમિટેડ અને કલેક્ટરનાં સહિયારા પ્રયત્ને અમીરગઢ સિવિલ હોસ્પિટલમાં મળી ઓક્સિજન પ્લાન્ટની ભેટ

અમીરગઢ હોસ્પિટલને મળી પ્રાણવાયુની ભેટ ઓક્સિજન પ્લાન્ટની ભેટ અમીરગઢની જનતા માટે આશીર્વાદ રૂપ ગુજરાત: કોરોનાની બીજી લહેરમાં બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ઓક્સિજન પ્લાન્ટની ભારે અછત સર્જાઈ હતી જેના કારણે ઘણા ગરીબ પરિવાર ને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આપણે સૌ જાણીએ છીએકે ઓક્સિજનનાં બાટલા માટે સતત 2 બે -બે દિવસ સુધી ભયંકર ગરમીમાં પણ ઉભા રહી ને પોતાના સ્વજનો માટે ઓક્સિજન ભરાવતા નજરે જોયા હતા અને તેમ છતાં ઓક્સિજન મળવાપાત્ર ન હતા. ત્યારે ઘણા જિલ્લાઓ અને રાજયોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી પ્લાન્ટ સ્થપવામાં આવ્યા હતા ઘણી જગ્યાઓએ…

ગાંધીજી, સરદાર અને નહેરૂ : વિસમી સદીમાં ભારતનાં અને ભારતીય રાજકારણનાં ઘડતર અને ચણતરમાં મોખરે રહેલી ત્રિપુટી!

સ્વતંત્રતાની લડત લડેલા અને જેના વિશે સૌથી વધારે લખાયું છે, બોલાયું છે કે ચર્ચાયું છે એવા કોઇ ત્રણ નામો હોય તો ગાંધીજી, સરદાર અને નહેરૂ. ગાંધીજી, નહેરૂ અને સરદારને આપણી નજરથી આંકવામાં ક્યાંક ભુલ થાય જ. આ વિરાટ પુરુષોને સમજવા-જોવા માટે નજર નહી દ્રષ્ટિ જોઇએ, જે આપણી પાસે નથી. કોઇ એક-બેને નીચા બતાવીને કોઇ એકને ઉંચા બતાવવા એમાં આપણું પાપ છે. સરદારને ઉંચા બતાવવા માટે ગાંધીજી અને નહેરૂને નિચા બતાવવા કે આવી જ હરકત ગાંધીજી અને નેહરૂને ઉંચા બતાવવા માટે કરે તો આપણી અજ્ઞાનતા છતી કરે છે. ત્રણેય પ્રતિભાઓ એ…

સાધુઓની સાધુલીલા, લંપટલીલા, સેક્સલીલા અને પાપલીલા!

કહેવાતાં સાધુઓનાં સ્ત્રીઓ સાથેના શારીરિક અડપલા કે શારીરિક ચેષ્ટાથી લઈને સજાતીય સંબંધ સુધીનાં કિસ્સા હવે આપણાથી જરાય અજાણ્યાં નથી. આભાર આ સોશીયલ મીડિયાનો કે કહેવાતાં ઉચ્ચ પવિત્ર ભદ્ર વર્ગનાં આવા બધાં કાંડ આપણી સમક્ષ ખોલી નાખ્યાં. સોશીયલ મીડિયા નહોતું ત્યારે આવા કિસ્સાઓ નહોતાં બનતાં એવું નહોતું પણ એનાં આવ્યા પછી આં બધુંય જન સામાન્ય સુધી પહોંચવા લાગ્યું. હવે તો LGBTQ એ ગુનો પણ નથી. સેક્શન-૩૭૭ ને નાબૂદ કરીને વૈક્તિક સ્વતંત્રતા કહો કે અંગત સ્વતંત્રતા કહો કે જાતીય સ્વતંત્રતા કહો એ દિશામાં એક મહત્વનું પગલું ભર્યું છે. પણ..પણ કોઈની મરજી વિરુદ્ધ…

..તો કોરોનાની સેકન્ડ વેવ આવી, આવવાની જ હતી!

વૈજ્ઞાનિકો એ આગાહી કરી જ હતી. કોરોનાની સેકન્ડ વેવ આવશે. મોટાં ભાગનાં વાઇરસ મ્યુટેટ થાય. અને મ્યુટેટ થયેલા વાયરસ પર-જૂની દવાઓ વધું અસરકારક કામ કરી શકે નહિ, એટલે નવો મ્યુટેટ થયેલો વાયરસ વધું તારાજી સર્જી શકે, એવી સામાન્ય વૈજ્ઞાનિક સમજ આપણે ધ્યાને લીધી નહિ. સરકારે અને તંત્રએ પણ આંખ આડા કાન કર્યા. કોરોના જતો જ રહ્યો એવાં ભ્રમમાં લોકો રાચવા લાગ્યાં. ચૂંટણીઓ કરી. મેળાવડા કર્યા. જંગી બહુમતિઓ ય મેળવી. અને કોરોનાને સાઈડલાઈન કરી દીધો! પણ કોરોના આપણો બાપ નીકળ્યો. એ આવ્યો. બમણી તાકાત લઈને. ઘાયલ સિંહની જેમ. અને આપણને બધાને…

સ્ત્રી-મુક્તિ અને સ્ત્રી-સશક્તિકરણ

સ્ત્રી-મુક્તિ અને સ્ત્રી-સશક્તિકરણની વાતો પાન-માવાનાં ગલ્લાથી લઈને સંસદ સુધી ચર્ચાઈ છે. પણ તકલીફ એ પડી છે કે એમાનું ઘણું ખરું ચર્ચા કર્યા સુધી જ સીમિત રહ્યું છે. ઘણીવાર સ્ત્રી અને પુરુષને એકબીજાને સમજવા એ ઘણો અઘરો કોયડો બની જતો હોય છે. શારીરિક અને માનસિક એમ બંને સ્તરે. સ્ત્રી-મુક્તિ અને સ્ત્રી-સશક્તિકરણ અંગેના ઓશોનાં વિચારો જાણવા સમજવાં જેવાં છે. તો જોઈએ આ બાબતે રજનીશ શું કહે છે? સમાજે સ્ત્રીને પરાધીન બનાવી યાતનાઓમાં જકડીને નગણ્ય બનાવી છે. તે કુરૂપ બની છે. જ્યારે પણ સ્વભાવને તેની આંતરિક જરૂરિયાતો મુજબ વિકસવા દેવામાં આવતો નથી તો…

કોરોનાને અઠવાડિયા સુધી થપ્પો રમાડશે ગુજરાત ,18 મે સુધી રાત્રિ કરફ્યુ

તા.12 મે થી તા.18 મે સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ આવશ્યક ચીજ વસ્તુઓ માટેની દુકાનો ખુલ્લી રહેશે. તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસોના ઘટાડાની સફળતા મેળવી છે.તેમણે આ સંદર્ભમાં ઉમેર્યુ કે, 27 એપ્રિલે રાજ્યમાં 14,500…

આત્મહત્યા કરવાનાં વિચારો કરતાં ક્રાંતિકારી સુખદેવને ભગતસિંહનો પત્ર!

કોરોના આપણા માટે મહામુશ્કેલીઓ લઈને આવ્યો. શારીરિક, આર્થિકથી લઈને માનસિક મુશ્કેલીઓ આપણે સહન કરી અને હજું ય કરી રહ્યાં છીએ. હતાશા, તાણ, ચિંતા જેવી લાગણીઓ લગભગ આપણે બધાં અનુભવી રહ્યાં છીએ. રોજ એક જ વાત થઈ રહી છે: હવે ક્યારે પતશે આ બધું? જલ્દી પુરુ થાય તો સારું. આવાં વાક્યો ક્યાંક આપણે બધાં જ આનાથી થાકી ગયાં છીએ એવું દર્શાવે છે. ડોકટરો, મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ, અધિકારીઓ, રાજનેતાઓ, અને આપણે આમ જનતા બધાં જ થાકી ગયાં છીએ. માળખાકીય સુવિધાના અભાવે વેઠવી પડેલી મુશ્કેલીઓ અને તે અભાવનાં લીધે થયેલાં આપણા ઘણાં સ્વજનોના…

ગુજરાત યુનિવર્સિટીનાં પરીક્ષા પાસ વિધાર્થીઓને મળશે ડિગ્રી સર્ટિફિકેટ. ફોર્મ ભરવા માટેનાં નિયમો જાણી લો

એપ્રિલ/મે-2021 પાસ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાનું નથી. રૂ. 260 /- ફી ઓનલાઇન ભરવાની રહેશે. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 14 જૂન 2021 છે. ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીઓ કે જેઓએ 1950 થી 2020 સુધી નિયમિતરૂપે અભ્યાસ કર્યો છે અને જે-તે વિધાશાખામાંથી અભ્યાસ પૂર્ણ કરીને તેમણે છેલ્લા વર્ષની પરીક્ષાને પાસ કરેલ છે તેવા તમામ વિધાર્થીઓ ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ઓનલાઈન ભરી શકશે. ગુજરાત યુનિવર્સિટીના પરિપત્ર મુજબ, આવેદનપત્ર ભરવા અંગેની માર્ગદર્શક સૂચનાઓ નીચે પ્રમાણે છે. 1. એપ્રિલ/મે-2021 પાસ થયેલ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર માટે હાલમાં આવેદનપત્ર ભરવાનું રહેતું નથી. તેથી તેમણે હાલમાં અરજી કરવી નહિ. તેમ…

10-24 મે દરમિયાન લોકડાઉનની જાહેરાત : રાજસ્થાન સરકાર

લગ્નના કાર્યોને ૩૧ મે પછી જ મંજૂરી આપવામાં આવશે. મહત્તમ 11 લોકોની હાજરીમાં માત્ર અદાલતોમાં અથવા ઘરે જ લગ્નની મંજૂરી આપવામાં આવશે. મેરેજ ગાર્ડન, બેન્ડની  એડવાન્સ બુકિંગની રકમ પાછી આપવામાં આવશે અથવા એડજસ્ટ કરવામાં આવશે. કોરોનાવાયરસના કેસોમાં ઉછાળા વચ્ચે રાજસ્થાન સરકારે ગુરુવારે રાજ્યમાં 10થી 24 મે દરમિયાન કડક લોકડાઉનની જાહેરાત કરી છે , જે અંતર્ગત લગ્ન કાર્યો, રેલીઓ તેમજ અન્ય પ્રસંગો પણ સ્થગિત કરવામાં આવ્યા છે. લગ્નના કાર્યોને 31 મે પછી જ મંજૂરી આપવામાં આવશે. સરકારે જણાવ્યું હતું કે, મેરેજ ગાર્ડન, બેન્ડ વગેરેને આપવામાં આવેલી એડવાન્સ બુકિંગની રકમ કાં તો…