..તો કોરોનાની સેકન્ડ વેવ આવી, આવવાની જ હતી!

વૈજ્ઞાનિકો એ આગાહી કરી જ હતી. કોરોનાની સેકન્ડ વેવ આવશે. મોટાં ભાગનાં વાઇરસ મ્યુટેટ થાય. અને મ્યુટેટ થયેલા વાયરસ પર-જૂની દવાઓ વધું અસરકારક કામ કરી શકે નહિ, એટલે નવો મ્યુટેટ થયેલો વાયરસ વધું તારાજી સર્જી શકે, એવી સામાન્ય વૈજ્ઞાનિક સમજ આપણે ધ્યાને લીધી નહિ. સરકારે અને તંત્રએ પણ આંખ આડા કાન કર્યા. કોરોના જતો જ રહ્યો એવાં ભ્રમમાં લોકો રાચવા લાગ્યાં. ચૂંટણીઓ કરી. મેળાવડા કર્યા. જંગી બહુમતિઓ ય મેળવી. અને કોરોનાને સાઈડલાઈન કરી દીધો! પણ કોરોના આપણો બાપ નીકળ્યો. એ આવ્યો. બમણી તાકાત લઈને. ઘાયલ સિંહની જેમ. અને આપણને બધાને…

સ્ત્રી-મુક્તિ અને સ્ત્રી-સશક્તિકરણ

સ્ત્રી-મુક્તિ અને સ્ત્રી-સશક્તિકરણની વાતો પાન-માવાનાં ગલ્લાથી લઈને સંસદ સુધી ચર્ચાઈ છે. પણ તકલીફ એ પડી છે કે એમાનું ઘણું ખરું ચર્ચા કર્યા સુધી જ સીમિત રહ્યું છે. ઘણીવાર સ્ત્રી અને પુરુષને એકબીજાને સમજવા એ ઘણો અઘરો કોયડો બની જતો હોય છે. શારીરિક અને માનસિક એમ બંને સ્તરે. સ્ત્રી-મુક્તિ અને સ્ત્રી-સશક્તિકરણ અંગેના ઓશોનાં વિચારો જાણવા સમજવાં જેવાં છે. તો જોઈએ આ બાબતે રજનીશ શું કહે છે? સમાજે સ્ત્રીને પરાધીન બનાવી યાતનાઓમાં જકડીને નગણ્ય બનાવી છે. તે કુરૂપ બની છે. જ્યારે પણ સ્વભાવને તેની આંતરિક જરૂરિયાતો મુજબ વિકસવા દેવામાં આવતો નથી તો…

કોરોનાને અઠવાડિયા સુધી થપ્પો રમાડશે ગુજરાત ,18 મે સુધી રાત્રિ કરફ્યુ

તા.12 મે થી તા.18 મે સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ આવશ્યક ચીજ વસ્તુઓ માટેની દુકાનો ખુલ્લી રહેશે. તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસોના ઘટાડાની સફળતા મેળવી છે.તેમણે આ સંદર્ભમાં ઉમેર્યુ કે, 27 એપ્રિલે રાજ્યમાં 14,500…

આત્મહત્યા કરવાનાં વિચારો કરતાં ક્રાંતિકારી સુખદેવને ભગતસિંહનો પત્ર!

કોરોના આપણા માટે મહામુશ્કેલીઓ લઈને આવ્યો. શારીરિક, આર્થિકથી લઈને માનસિક મુશ્કેલીઓ આપણે સહન કરી અને હજું ય કરી રહ્યાં છીએ. હતાશા, તાણ, ચિંતા જેવી લાગણીઓ લગભગ આપણે બધાં અનુભવી રહ્યાં છીએ. રોજ એક જ વાત થઈ રહી છે: હવે ક્યારે પતશે આ બધું? જલ્દી પુરુ થાય તો સારું. આવાં વાક્યો ક્યાંક આપણે બધાં જ આનાથી થાકી ગયાં છીએ એવું દર્શાવે છે. ડોકટરો, મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ, અધિકારીઓ, રાજનેતાઓ, અને આપણે આમ જનતા બધાં જ થાકી ગયાં છીએ. માળખાકીય સુવિધાના અભાવે વેઠવી પડેલી મુશ્કેલીઓ અને તે અભાવનાં લીધે થયેલાં આપણા ઘણાં સ્વજનોના…

ગુજરાત યુનિવર્સિટીનાં પરીક્ષા પાસ વિધાર્થીઓને મળશે ડિગ્રી સર્ટિફિકેટ. ફોર્મ ભરવા માટેનાં નિયમો જાણી લો

એપ્રિલ/મે-2021 પાસ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાનું નથી. રૂ. 260 /- ફી ઓનલાઇન ભરવાની રહેશે. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 14 જૂન 2021 છે. ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીઓ કે જેઓએ 1950 થી 2020 સુધી નિયમિતરૂપે અભ્યાસ કર્યો છે અને જે-તે વિધાશાખામાંથી અભ્યાસ પૂર્ણ કરીને તેમણે છેલ્લા વર્ષની પરીક્ષાને પાસ કરેલ છે તેવા તમામ વિધાર્થીઓ ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ઓનલાઈન ભરી શકશે. ગુજરાત યુનિવર્સિટીના પરિપત્ર મુજબ, આવેદનપત્ર ભરવા અંગેની માર્ગદર્શક સૂચનાઓ નીચે પ્રમાણે છે. 1. એપ્રિલ/મે-2021 પાસ થયેલ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર માટે હાલમાં આવેદનપત્ર ભરવાનું રહેતું નથી. તેથી તેમણે હાલમાં અરજી કરવી નહિ. તેમ…

10-24 મે દરમિયાન લોકડાઉનની જાહેરાત : રાજસ્થાન સરકાર

લગ્નના કાર્યોને ૩૧ મે પછી જ મંજૂરી આપવામાં આવશે. મહત્તમ 11 લોકોની હાજરીમાં માત્ર અદાલતોમાં અથવા ઘરે જ લગ્નની મંજૂરી આપવામાં આવશે. મેરેજ ગાર્ડન, બેન્ડની  એડવાન્સ બુકિંગની રકમ પાછી આપવામાં આવશે અથવા એડજસ્ટ કરવામાં આવશે. કોરોનાવાયરસના કેસોમાં ઉછાળા વચ્ચે રાજસ્થાન સરકારે ગુરુવારે રાજ્યમાં 10થી 24 મે દરમિયાન કડક લોકડાઉનની જાહેરાત કરી છે , જે અંતર્ગત લગ્ન કાર્યો, રેલીઓ તેમજ અન્ય પ્રસંગો પણ સ્થગિત કરવામાં આવ્યા છે. લગ્નના કાર્યોને 31 મે પછી જ મંજૂરી આપવામાં આવશે. સરકારે જણાવ્યું હતું કે, મેરેજ ગાર્ડન, બેન્ડ વગેરેને આપવામાં આવેલી એડવાન્સ બુકિંગની રકમ કાં તો…

આલ્કોહોલ યુક્ત દવા પી લેતા એક જ પરિવારનાં 8 લોકોનાં મોત 5 સભ્ય સારવાર હેઠળ!

છત્તીસગઢનાં બિલાસપુરમાં પરિવારનાં આઠ લોકોનાં મૃત્યુ નીપજ્યા, જ્યારે પાંચની હાલત નાજુક “હોમીયોપેથીક દવા પીવાથી તમામના મૃત્યુ થયા હોય તેવું બની શકે છે” -ચીફ મેડિકલ ઓફિસર નેશનલ: આ લોકોએ હોમિયોપેથીક દવા ડ્રોસેરા 30 પી લીધી હતી. જેમાં ૯૧% આલ્કોહોલનું પ્રમાણ હોય છે. દવા આપનાર ડોક્ટર હજુ ફરાર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પરિવારે કોરોનાનાં સંક્રમણથી બચવા આલ્કોહોલ યુક્ત દવા લીધી હશે. CMOએ જણાવ્યું કે, આખા પરિવારે હોમિયોપેથીક દવા ડ્રોસેરા 30 લીધી હતી. તેમાં આલ્કોહોલનું પ્રમાણ 91 ટકા જેટલું હોય છે, જે દેશી દારૂ સાથે મિલાવવામાં આવે છે. આ લેવી…

નિરાધાર બનેલા બાળકોનો આધાર ચાઇલ્ડ હેલ્પ લાઇન નંબર 1098

આ હેલ્પલાઇન બાળકોના પ્રશ્નોને વાચા આપે છે. 1098 બાળ વિવાહ, બાળ મજૂરી , દુષ્કર્મ થતાં રોકે છે. નિરાધાર બનેલા બાળકોને આશ્રય સ્થાનો સુધી પહોંચાડે છે. ચાઇલ્ડ હેલ્પ લાઇન 1098 ઘણા સમયથી બાળકોને પડતી મુશ્કેલીઓ અંગે ઊભી રહે છે જેમાં બાળ વિવાહ થતાં રોકવા, બાળ મજૂરી અટકાવવી , રેલ્વે સ્ટેશને કે પછી ભૂલ પડેલા બાળકને સુરક્ષિત સ્થળે પહોંચાડવું , કોઈ બાળકને બળજબરી પૂર્વકનો કોઈપણ પ્રકારનો હઠાગ્રહ જે દુષ્કર્મમાં ન પરિણમે એ બાબતે પણ બાળકોને “સેક્સ એજ્યુકેશન’ પણ પૂરું પાડવાની ક્ષમતા ધરાવે છે , જેથી કોઈ બાળકને ” ગુડ ટચ અને બેડ…

અમદાવાદ સિવિલનાં કોરોના વૉરિયર્સને શૅફ સંજીવ કપૂર ભોજન પૂરું પાડશે

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માટે મદદ  સેવાભાવી દાતાના સહયોગથી કોરોના વૉરિયર્સ , તબીબો માટે સંજીવ કપૂરે કરી ત્રણ ટાઇમ ભોજનની વ્યવસ્થા કોરોના મહામારીમાં સેવાભાવી સંસ્થાઓ પ્રવર્તમાન સ્થિતિમાં મદદરૂપ થવા આગળ આવી રહી છે. નિ:સ્વાર્થપણે કોરોનાગ્રસ્ત દર્દીઓ, કોરોનાની સારવારમાં લાગેલા હોસ્પિટલ તંત્ર, કોરોના વૉરિયર્સને યથાશક્તિ મદદરૂપ બની રહી છે, ત્યારે દેશના પ્રતિષ્ઠિત શૅફ સંજીવ કપૂર પણ આ સેવાયજ્ઞમાં જોડાયા છે. તેમણે અન્ય સેવાભાવી દાતાના સહયોગથી એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભોજન પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે. સંજીવ કપૂરે અમદાવાદ શહેરમાં 12 શૅફની નિમણૂક કરી છે. તેમણે સિવિલ હોસ્પિટલના…

મુખ્યમંત્રીએ કરુણા દાખવી : ગુજરાતના 36 શહેરોમાં વધારાના નિયંત્રણો

અગાઉ જે 8 મહાનગરો સહિત ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુ હતો તે ઉપરાંત હવે વધુ 7 શહેરો ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો તા. 6 મે-2021 થી તા.12 મે-2021 સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે  અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે ખાનગી…