આતંકવાદની સમસ્યાનો કોઈ ઉકેલ નથી?

ભારતે અત્યાર સુધી લગભગ 34 દેશો સાથે આતંકવાદી પ્રવૃત્તિ અટકાવવા અંતર્ગત કાનૂની સંધી કરી છે. તાજેતરમાં જ ત્રણ-ચાર દિવસ પહેલાં જ શ્રીનગરમાં આંતકીઓએ નિઃશસ્ત્ર પોલીસ જવાનો પર હુમલો કર્યો અને તેમાં બે પોલીસ જવાનો શહીદ થયાં. અને જે જગ્યા પર હુમલો થયો તે જગ્યા હાઈ સિક્યુરિટી એરપોર્ટ રોડ પર આવેલી છે. ભારે સુરક્ષા વ્યવસ્થા, અગણિત સૈન્ય અભિયાનો દ્વારા આંતિકીઓનો ખાત્મો બલાવવાની ધરખમ કોશિશ બાદ ય આતંકી હુમલાની ઘટનાઓ બનતી જ રહે છે. આતંકવાદ એટલે મોટા ભાગે નિર્દોષ, નિઃશસ્ત્ર અને સરકાર વિરુદ્ધ આયોજનબદ્ધ રીતે ડર ફેલાવવા માટે પોતાનાં રાજકીય, સૈદ્ધાન્તિક અથવા…

બીબીસી સ્પૉટ્સ હેકાથોન : ગુજરાત યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગ, વિકિપીડિયાનાં સહયોગી

અમદાવાદ, દિલ્હી, મુંબઈ, અમૃતસર, સિકંદરાબાદ અને પુડુચેરીના વિદ્યાર્થીઓ સાથે લાઇવ થયા હતા. ગુજરાત: આજનાં આ ડિજિટલ યુગમાં સામાન્ય રીતે લોકો માહિતી મેળવવા માટે પણ વિકિપીડિયાનો ઉપયોગ કરતા હોય છે. ઘણી વાર વિકિપીડિયામાં માહિતી ન મળવાને કારણે વાંચકો નિરાશ થતાં હોય છે. અત્યારે વિકિપીડિયા પરનાં લેખોમાં મહિલાઓ પરનાં લેખ માત્ર 17 ટકા જ હોવાને કારણે બીબીસી દ્વારા ગુજરાત યુનિવર્સિટીનાં પત્રકારત્વ વિભાગ ખાતે બેઠક યોજાઇ હતી. આજ રોજ ‘બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર પ્રૉજેક્ટ’ હેઠળ 50 મહિલા ખેલાડીઓ વિશે માહિતી વિકિપીડિયામાં ઉમેરવામાં આવી હતી.જેમાં અગાઉ વિદ્યાર્થીઓને વિકિપીડિયા દ્વારા તાલીમ પણ આપવામાં…

“MAN VS WILD” ઇન સાસણ ગીર, ગ્રીલ્સ સાથે દેખાશે અમિતાભ બચ્ચન

ડિસ્કવરી ચેનલનાં પ્રખ્યાત શો ‘MAN VS WILD’નાં હોસ્ટ બેર ગ્રીલ્સ ફરી એકવાર ભારતનાં જંગલોમાં ટ્રેકિંગ કરતા જોવા મળી શકે તેમ છે. આ વખતે, તેમનું સ્થાન એશિયાઇ સિંહો માટે જાણીતા ગુજરાતનું ગીર જંગલ હોઈ શકે છે. ખાસ વાત એ છે કે અમિતાભ બચ્ચન આ એપિસોડમાં ગ્રીલ્સ સાથે જોવા મળી શકે છે. ભારતમાં ગ્રીલ્સે અત્યારસુધીનાં ત્રણ એપિસોડ ટાઈગર રિઝર્વમાં શૂટ કર્યા છે. અને જેમાં તેની સાથે પીએમ નરેન્દ્ર મોદી, રજનીકાંત અને અક્ષય કુમાર નજરે પડ્યા હતા. અને ચોથો એપિસોડ ગીરમાં અમિતાભ બચ્ચન સાથે પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે. ગ્રીલ્સનો આ શો વિશ્વભરમાં…

સાહસ અને શૌર્યની મશાલ છત્રપતિ શિવાજી મહારાજ!

19 ફેબ્રુઆરી એટલે શિવાજી જયંતિ. ઇતિહાસકારોમાં શિવાજીની જન્મતારીખ બાબતે મત-મતાંતરો છે. અમુક ઇતિહાસકારો 6, એપ્રિલ કે 10, એપ્રિલને શિવાજીની જન્મતારીખ તરીકે ઉજવે છે. પરંતુ મહારાષ્ટ્ર સરકાર 19, ફેબ્રુઆરીને શિવાજીની જન્મદિવસ તારીખ માને છે, એ જાણવું જરૂરી બને છે. પૂણેથી 60 કિ.મી. અને મુંબઇથી 100 કિ.મી. દુર સન 1627માં શિવનેરી કિલ્લામાં શિવાજીનો જન્મ. પિતા શહાજી અને માતા જીજાબાઇ. શિવાજીનાં પૂર્વજો મરાઠા જાતિનાં ભોંસલે વંશનાં હતા અને પુના જિલ્લાનાં હિંગાણી, બેરાડી અને દેવલગાંવ ગામોનાં મુખી હતા. તેઓ પાટીલ કે દેશમુખ તરીકે પણ ઓળખાતા. એ વખતે ઉત્તરમાં હતો ક્રૂર શાસક ઓરંગઝેબ અને દખ્ખણમાં…

રાજ્યનાં ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યું યથાવત, સમયમાં 1 કલાકની રાહત

કોરોના વાયરસની મહામારીને નિયંત્રણમાં લાવવા માટે રાજ્યનાં ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યુંની જહેરાત 15 ફેબ્રુઆરી સુધી કરવામાં આવી હતી. આ રાત્રી કર્ફ્યું હવે લંબાવવામાં આવ્યો છે. તા.28 ફેબ્રુઆરી સુધી ચારે મહાનગરોમાં રાત્રી કર્ફ્યું યથાવત રહેશે. રાજ્યનાં ચાર મહાનગરોમાં હાલ રાત્રે 11 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુનો આજે છેલ્લો દિવસ છે. જોકે રાજ્યનાં બાકીનાં નાના મોટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ કરફ્યૂ નથી. ત્યારે આજે આ ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યું લંબાવવામાં આવ્યો છે. તા.28 ફેબ્રુઆરી સુધી રાત્રીનાં 12થી સવારનાં 6 વાગ્યા સુધી કર્ફ્યું યથાવત રહેશે.…

ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામમાં સૌ પ્રથમ વખત બૌદ્ધ વિધિથી લગ્ન થયાં

ગુજરાત: 14 ફેબ્રુઆરીનાં રોજ ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામનાં રહીશ હિતેશકુમાર પુનાભાઈ ચાવડાનાં સુરેન્દ્રનગરનાં મુક્તાબહેન ભવાનભાઈ રાઠોડ સાથે બૌદ્ધ વિધિ મુજબ લગ્ન થયાં હતાં. લગ્નમાં સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર સ્થિત બૌદ્ધ વિહારનાં ભંતેજી પંથીક શ્રેસ્ટીજી અને સી. ડી. ડોરિયા ઉપસ્થિત રહ્યાં હતાં. ‘અમરબોધિ બુદ્ધ વિહાર’ સુરેન્દ્રનગર દ્વારા વિવાહમંગલ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. રાજચરાડી ગામમાં સૌપ્રથમ વખત બૌદ્ધ વિધિ અનુસાર લગ્ન કરવામાં આવ્યાં છે. ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામનાં હિતેશકુમાર પુનાભાઈ ચાવડાનાં ગત રવિવારનાં રોજ સુરેન્દ્રનગરનાં રહીશ મુક્તાબહેન ભવાનભાઈ રાઠોડ સાથે બૌદ્ધ વિધિ મુજબ લગ્ન કરવામાં આવ્યાં હતાં. લગ્નમાં સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર સ્થિત બૌદ્ધ…

લગ્ન પહેલા દિયા મિર્ઝાએ શેર કર્યા મહેંદીનાં ફોટો

મનોરંજન: બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા 15 ફેબ્રુઆરી સોમવારે વૈભવ રેખી સાથે લગ્ન કરવા જઈ રહી છે. તાજેતરમાં જ દીયાનાં લગ્નનાં સમાચાર આવ્યા છે, ત્યારથી તે અચાનક ચર્ચામાં આવી ગઈ છે. હવે લગ્ન પહેલા દીયાએ સોશિયલ મીડિયા પર પોતાની મહેંદીની એક સુંદર તસવીર શેર કરી છે. દીયાએ આ તસવીર પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે અને તેની સાથે ‘પ્યાર’ પણ લખ્યું છે. દીયા અને વૈભવનાં લગ્ન પહેલા લગ્ન પહેલાનાં ફંક્શન્સ ચાલી રહ્યા છે. આ લગ્નમાં ફક્ત દિયા અને વૈભવનાં પરિવારના જ નજીકનાં મિત્રો સામેલ થવા જઇ રહ્યા છે. લગ્ન પહેલાની પાર્ટીની…

અમીરગઢ પગાર કેન્દ્ર શાળા-1 દ્વરા ધોરણ 6થી 8નાં બાળકને શેરી શિક્ષણ આપવામાં આવ્યું

ગુજરાત: અત્યારે ચાલી રહેલી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્રારા બાળકોને શાળાએ ન બોલવી શેરી શિક્ષણ આપવાનું સૂચન કરાયું હાતું જેથી બાળકોને સ્વાસ્થ્ય અંગે કાળજી રાખી શકાય અને બાળકોનાં જીવ ન જોખમાય તે હેતુ ને ધ્યાનમાં રાખી અમીરગઢ તાલુકા પગાર કેન્દ્ર શાળા નં-1નાં તામામ શિક્ષકો દ્રારા બાળકો શેરી શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ શિક્ષકો દ્રારા જુદી જુદી શેરી અને ધો.8નાં બાળકો ને સોશિયલ ડિસ્ટન્સ અને ફરિજિયાત પણે માસ્ક પહેરીને શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેથી બાળકો નું વર્ષે ન બગડે અને લાંબા સમય થી સ્કૂલે ન જતા બાળકોનાં મન…

મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ!

વડોદરામાં શનિવારે રાત્રે જાહેર સભા દરમિયાન બ્લડ પ્રેસર લો થઈ જતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા. મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ECG,બ્લ્ડ ટેસ્ટ સહિતનાં રિપોર્ટ કરાયા હતા. જે નોર્મલ હતા. કોરોનાનો RTPCR  રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે આજે સવારે પોઝિટિવ આવ્યો છે. CM Vijay Rupani જાહેર સભાને સંબોધતા અચાનક ઢળી પડ્યા | Live Video હાલમાં તેઓને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. તેઓની પરિસ્થિતિ હાલ સ્થિર છે. યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં 18 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8નાં વર્ગખંડો શરૂ

18મી ફેબ્રુઆરી 2021થી ધોરણ 6 થી 8નાં વર્ગખંડોમાં પુનઃ શિક્ષણકાર્ય શરૂ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે વિદ્યાર્થીઓનાં વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે ગુજરાત: રાજ્યમાં આગામી ગુરૂવાર તારીખ 18મી ફેબ્રુઆરી 2021થી ધોરણ 6 થી 8ના વર્ગખંડોમાં પુનઃ શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગે આ અંગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલી તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓનાં ધોરણ 6થી 8 માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરવાનું રહેશે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓનાં વાલી પાસેથી શિક્ષણ…