થરાદના MLA ગુલાબસિંહ રાજપૂતે ઑક્સીજનની બોટલો માટે પોતાની ઈનોવા ગાડી આપી

સોસિયલ મીડિયામાં ગુલાબસિંહ રાજપૂતની ઈનોવા ગાડીનો ફોટો વાઇરલ ઈનોવા ગાડીમાં મુકેલ હતી ઑક્સીજનની બોટલો  ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને એમની ઈનોવા ગાડી કે જેમાં ઑક્સીજન સિલિન્ડર બોટલો પડી છે એ ફોટો લોકો સોસિયલ મીડિયામાં મૂકી રહ્યા છે.સાથે લોકો લખાણ પણ કરી રહ્યા છે. સાહેબ જયારે જનતા ને ઓક્સિજન ની જરૂર હતી અને ગાડી નોતી આવી તો થરાદ ના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત સાહેબે પોતાની ઇનોવા ગાડી આપી કે જાઓ તમે આ ગાડી માં બાટલા લઇ ને આવો પણ જનતા ને બચાવો સાહેબ આને પ્રજા પાલક કહેવાય આને સાચો લોક સેવક કહેવાય…

RSS અને ભૂતનાથ ટ્રસ્ટના અંતિમ સંસ્કાર યજ્ઞમાં એક મુસ્લિમભાઈનો ફોન આવ્યો અને ભુજમાં જે બન્યું

મારી પાસે ઘણું વેસ્ટેજ લાકડું પડ્યું છે તમે અડધા રૂપિયા આપજો ને કટર મશીન પણ હું જ લાવીશ આ 3 રૂપિયા ઓછા લઈએ છીએ તે પણ માથેવાળા પાસે અમારા જમા જ થશે ને ? રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભૂતનાથ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા આ અંતિમ સંસ્કાર યજ્ઞમાં સહુ કોઈએ પોતાની શક્તિ મુજબ તન , મન કે ધનના યોગદાનની અંજલિ આપી રહ્યા છે એવામાં ભુજનું સ્મશાન એટલે ખારીનદીને જેમણે લગભગ ઘર બનાવી લીધું છે એવા ભૂતનાથ ટ્રસ્ટના અજીતભાઈએ છેલ્લા 10 દિવસના સ્વઅનુભવ વાગોળ્યા હતા, મારા પર એક મુસ્લિમ ભાઈ નો…

CMએ મુકેશ અંબાણી પાસે કોવિડ હોસ્પિટલ માટેની કરી માંગણી, જામનગરને મળશે કોવિડ હોસ્પિટલ

મુખ્યમંત્રીએ જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અનુરોધ કર્યો. મુકેશ અંબાણીએ ઓક્સિજન સુવિધાઓ સહિતની હોસ્પિટલ બનાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓને સૂચનાઓ આપી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે વાતચીત કરીને જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અનુરોધ કર્યો હતો. જેનો ત્વરિત પ્રતિસાદ આપતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સામાજિક ઉત્તરદાયિત્વ રૂપે જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથેની ઓક્સિજન સુવિધાઓ સહિતની હોસ્પિટલ બનાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓને સૂચનાઓ પણ આપી છે. મુકેશ અંબાણીએ મુખ્યમંત્રીશ્રીને એમ પણ…

કોરોનાનાં કપરા કાળમાં RT-PCR ટેસ્ટ કિટનાં નિર્માણમાં 6 મહિલાઓ આપી રહી છે મહત્વનું યોગદાન

ગુજરાત: વિધાતાનાં નવ નિર્માણની કલાકૃતિ એ નારી: નવા યુગની મહિલાઓની નવી સાહસિકતા. એક એવી કંપની જે હાલનાં સમયે ખૂબ અગત્યની ગણાતી RT-PCR ટેસ્ટ કીટ બનાવે છે. અને તેના ઉત્પાદનનાં તમામ વિભાગોનું નેતૃત્વ મહિલાઓ કરે છે. આ 6 મહિલાઓનાં ઉચ્ચ શિક્ષણ વ્યવસાયિક પ્રવિણતા અનુભવ નારી સહજ કોઠાસૂઝ અને કુશળતાનાં સમન્વયથી કોરોના કાળમાં ઉપયોગી માસિક 3.5 લાખ કોરોના ટેસ્ટ કીટ બની રહી છે. વડોદરા જિલ્લામાં કાર્યશીલ કોસારા ડાઈગ્નોસીસમાં મહિલાઓ દ્વારા ઉત્તમ કામગીરી દર્શાવવામાં આવી છે. આ મહિલાઓ વિવિધ વિભાગોમાં અગ્રણી રહી RT-PCR ટેસ્ટ કીટનું મહત્તમ ઉત્પાદન અને પ્રમાણભૂતતાનું ધ્યાન રાખે છે. વર્ષોથી…

“एक कदम ईन्सानियत की ओर” ગ્રુપનાં યુવાનો દ્રારા અબોલ પશુ-પક્ષીઓ માટે કુંડા લગાવાયા

ગુજરાત: સેવાથી મોટું કોઈ મહાન કાર્ય નથી. એકબીજાની મદદ કરવી અને દરેક જીવ પ્રત્યે લાગણીઓ દાખવવી એ જ સાચા અર્થે માનવતા કહેવાય. જીવન નિર્વાહમાં દરેક જીવ એકમેક પર નિર્ભર રહેતા હોય છે. તેવામાં માનવ જાતિએ દરેક અબોલ પશુ-પક્ષી પ્રત્યે માનવતા દાખવી તેમની કાળજી રાખવી ખૂબ જ આવશ્યક છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર છવાયો છે. તેની સાથે લોકોને ઉનાળાની કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી અગન વર્ષા વર્ષાવતી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે દસાડા-પાટડી તાલુકાનાં વણોદ ગામનાં “एक कदम ईन्सानियत की ओर” ગ્રુપનાં યુવાનોએ માનવતા…

અમારા ધારાસભ્યોને પણ કામ આપો: હાર્દિક પટેલ

ગુજરાત: રાજ્યમાં ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં રોજ રેકોર્ડબ્રેક વધારો જોવા મળી રહ્યો છે. એવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 90999 02255 શરૂ કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત ચાવડાએ ઈન્જેક્શનોનું કોંગ્રેસ દ્વારા મફત વિતરણ કરવાની તથા સરકાર દ્વારા શ્વેતપત્ર જાહેર કરવામાં આવી એવી માગણી કરાઈ હતી. ત્યારે આજે કોંગ્રેસનેતા હાર્દિક પટેલે પણ સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રીને કોરોના મહામારીમાં કોંગ્રેસને પણ મદદ કરવા દેવાની વિનંતી કરી છે. હાર્દિક પટેલે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું…

કોરોના સંક્રમિત દર્દીઓના સગા- સંબંધીઓ સાથે મુખ્યમંત્રી જામનગરની હોસ્પિટલમાં

ગુજરાત: મુખ્યમંત્રીશ્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જામનગર શહેરમાં આવેલી ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત કરીને કોરોનાની દર્દીઓને અપાતી સારવારની જાત તપાસ કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીશ્રી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા- સંબંધીઓ સાથે રૂબરૂ વાત ચીત કરીને હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓનાં સગાઓને મળી ખબર-અંતર પૂછ્યા હતા. તેમના સ્વજનો જલ્દીથી સાજા થઇ ઘરે જાય તેવી શુભેચ્છાઓ આપીને આ માટે જરૂરી તમામ મદદ કરવાની રાજ્ય સરકાર વતી મુખ્યમંત્રીશ્રીએ દર્દીઓના સગાઓને ખાતરી પણ આપી હતી.…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવતીકાલે જામનગર અને ભુજ – કચ્છ ખાતે કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે

આવતીકાલે 17 એપ્રિલએ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં જામનગર અને ભૂજ- કચ્છ ખાતે કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે ગુજરાત: મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાની કોર કમિટીના સભ્યો આવતીકાલે 17 એપ્રિલે સવારે 11:00 કલાકે જામનગર તેમજ બપોર બાદ ભૂજ- કચ્છ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે. ઉલ્લેખનીય છે કે, કોરોના પ્રભાવિત ગુજરાતના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કોર ગ્રુપે…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે 4 વાગ્યે વિવિધ ધર્મ-સંપ્રદાયનાં સંતો-મહંતો સાથે સંવાદ યોજશે

કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રીશ્રી સંતસમાજ સાથે ચર્ચા-વિમર્શ કરશે સાંપ્રત સમયને અનુલક્ષી સરકાર, સમાજ અને સંતોએ સંયુક્ત રીતે કાર્ય કરવા સંવાદ-સેતુ : મુખ્યમંત્રીશ્રીની અનોખી પહેલ ગુજરાત: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજ રોજ સાંજે 4 વાગ્યે રાજ્યનાં સંતો-મહંતોઓ સાથે વીડિયો કોન્ફ્રરન્સનાં માધ્યમ દ્વારા કોરોનાની સાંપ્રત પરિસ્થિતિ અંગે સંવાદ-સેતુથી જોડાશે. આ સંવાદ-સેતુમાં શ્રી રત્નસુંદરજી મહારાજ સાહેબ, નમ્રમુની મહારાજ સાહેબ, વ્રજરાજકુમાર, દ્વારકેશલાલજી, બ્રહ્મવિહારીસ્વામી, સંત સ્વામી – વડતાલ, ત્યાગવલ્લસ્વામી, શેરનાથ બાપુ, અવિચલદાસજી મહારાજ, દિલીપદાસજી મહારાજ, શંભુપ્રસાદ ટૂંડિયા, મૌલાના લુકમાન તારાપુરી, રાઈટરેવ સિલ્વન વગેરે વિવિધ ધર્મ સંપ્રદાયનાં સંતો-મહંતો જોડાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજ્યમાં જ્યારે…

ગુજરાત યુનિવર્સિટી ક્ન્વેન્શન સેન્ટરમાં 900 બેડની કોવિડ હોસ્પીટલ ઉભી કરાશે

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાનાં કેસ વધી રહ્યા છે અને સરકાર પણ પોતાનાથી થતાં દરેક પ્રયત્નો કરી રહી છે. હેવ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને ડીઆરડીઓના સહયોગથી અમદાવાદમાં યુનિવર્સિટી ક્ન્વેન્શન સેન્ટરમાં 900 બેડની કોવિડ કેર હોસ્પીટલ ઉભી કરાશે. કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દર્દીઓને વધુ સારી સારવાર આપવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓના સહયોગથી આગામી બે સપ્તાહમાં આ હોસ્પીટલ કાર્યરત થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે ગાંધીનગરમાં કોર કમિટીની બેઠકમાં હોસ્પીટલના નિર્માણની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ 900 બેડની કોવિડ…