ગુજરાત: ઢગલા બંધ અફવાઓ વચ્ચે મુખ્યમંત્રીએ ગુજરાતની જનતા સમક્ષ જણાવવું પડ્યું કે “મારા પુત્રનાં લગ્નની વાત એક અફવા છે ” અને જો આ અફવા ન હોત તો મુખ્યમંત્રી એમની ગરિમા સાચવવા અથવા સમાજ કલ્યાણ હિતાર્થે એમનાં પુત્ર ઋષભ રૂપાણીનાં લગ્નને અટકાવી જ દેત કેમકે કોરોનાનાં રોજની ગંભીરતા એક મુખ્યમંત્રી નહીં સમજે તો કોણ સમજશે કેમ કે એમને એમનો એક પુત્ર સાચવવાનો નથી એમના પર ગુજરાતનાં લાખો પુત્રોની જવાબદારી છે. એટલા માટે જ એ મુખ્યમંત્રી છે.
છેલ્લા અઠવાડિયામાં ઢગલાબંધ પરીક્ષાઓ રદ થઇ છે અને આજે ASI PSI ની પરીક્ષા રદ કરવામાં આવી. હવે આ પરીક્ષા કેમ રદ થઈ! કેમકે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ છે. અને એને જ કારણે દાસા સાહેબે પરીક્ષા રદ કરી.
હવે આ તે એવી એક પરીક્ષા કેવી છે કે રદ ન કરી શકાય ? શું માહિતી ખાતાની પરીક્ષા આપનાર પરીક્ષાર્થી કે જે માસ કોમ્યુનિકેશન અને પત્રકારિતા સાથે સંકળાયેલ છે એને આ કોરોના રોગ ન થાય ! કદાચ માની લેવાય જે માહિતી ખાતા માં પ્રવેશનાર ને કદાચ જુદી જુદી જગ્યાએથી માહિતી કઢાવવાની હોય કે પછી મેળવવાની હોય તો તો એને રખડવું જ પડે એને કૈં ઓછુ ડરીને જીવવાનું હોય? પણ.. નીચેની ટ્વીટ અને પ્રશ્નોનાં ઉકેલ માટે પણ સરકારે વિચારવું પડે એવું છે..
આ બાબતે સોશિયલ મીડિયામાં એક લેટર પણ ફરતો થયો છે જેમાં પરીક્ષાને કોરોનાની પરિસ્થતિનાં કારણે હાલ પૂરતી રદ કરવામાં આવે. લોકો આ લેટરને પોસ્ટ કરી રહ્યા છે અને તેમ સરકારી સંસ્થા અને મુખ્યમંત્રીને ટેગ કરી રહ્યા છે.
Aspirants has sent an open letter to @vijayrupanibjp .Letter says, exams for class 1-2 in info.dept. Gujarat should be postponed. #coronavirus is rampant in Ahmedabad and govt.wants to conduct #offlineexam . @ANI @VtvGujarati @ishaniparikh @tv9gujarati @abpasmitatv pic.twitter.com/5n5ENR0Sdo
— Jeet Deepak Dholakia (@itsjeetofficial) April 6, 2021
પરીક્ષાર્થીઓ પૂરા ગુજરાતમાં છે અને પરીક્ષા કેન્દ્ર ફક્ત અમદાવાદમાં. કોરોનાનાં આંકડા વધતાંની સાથે કર્ફ્યૂ બાબતે પણ વિદ્યાર્થીઓ મુંઝવણમાં છે કે કરવું શું? આ બાબતે અનેક લોકો ટ્વીટર પર અનેક ટ્વીટ કરી, પરીક્ષાને હાલ પૂરતી મોકૂફ રાખવાની માંગ કરી રહ્યા છે અથવા તો જે તે જિલ્લામાં સેન્ટર આપવામાં આવે એવી પણ કદાચ માંગણી હોવાની.
બ્રેકિંગ ન્યુઝ
કોરોના વચ્ચે યોજાશે માહિતી નિયામકની પરીક્ષા ;રાત્રીના કરફયુના કારણે બસ નહિ મળતા પરીક્ષા સ્થળ પર સમયસર પહોંચી નહિ શકાય,ખાનગી વાહન સંચાલકોએ ભાડાની લૂંટ ચલાવશે ; પરીક્ષા મુલતવી રાખવા પરિક્ષાર્થીઓની માંગ ;ઘણી કોલેજો કન્ટેનમેંન ઝોનમાં આવતી હોવાથી પરિક્ષાર્થીઓ મુંઝાયા
— Jariya ashish R. (@jariya_ashish) April 7, 2021
કોરોનાના આ કપરા સમયમાં 10 એપ્રિલના રોજ માહિતી ખાતાની પરીક્ષા છે
આ પરીક્ષા હાલ મોકુફ થાય તે હિતાવહ છે
કેમ કે અલગ અલગ વિસ્તારમાંથી પરીક્ષાર્થીઓ એક સ્થાને ભેગા થશે
જેનાથી કોરોનાનો ફેલાવો વધી શકે છે@vijayrupanibjp @Nitinbhai_Patel @CMOGuj @InfoGujarat @rahulreports @narendramodi
— Krishna Chaudhary (@krishnachaudhr) April 7, 2021
I am positively looking forward to listen to thousands of candidates applying for exam of Information Department of Gujarat. 🙏🙏 A kind request to atleast think once about postponing the exams. @vijayrupanibjp @CMOGuj @PMOIndia @narendramodi @tv9gujarati @abpasmitatv pic.twitter.com/dE5WzoG6uL
— Ek Musafir (@devtrivedi94) April 7, 2021
@InfoGujarat માહિતી વિભાગની પરીક્ષા નિયત સમયે લેવાશે કે લંબાવવામાં આવશે..? કેટલાક શહેરોમાં રાત્રી કરફ્યુની સ્થિતિને કારણે દૂરથી આવતા પરિક્ષાર્થીઓને મુશ્કેલી ઉભી થશે.. યોગ્ય નિર્ણય કરવા વિનંતી. કેટલીક જગ્યાએ રાત્રે એસ.ટી. બંધ હોવાથી મુશ્કેલી પડી શકે છે. આભાર..
— Hitesh Mahyavanshi (@hitmahee) April 7, 2021
