રાજચરાડી ગામમાં ચરમારીયા દાદાના સાનિધ્યમાં 275થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યાં

રાજચરાડીના ગ્રામજનોએ વૃક્ષા રોપણ કરી પ્રકૃતિ પ્રેમ જવાબદારી નિભાવી રાજકોટના રહેવાસી હિંમતભાઈ સવજીભાઈ દ્વારા ગ્રામજનોને વૃક્ષો અર્પણ કરવામાં આવ્યાં ગુજરાત: પ્રકૃતિનું જતન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. એક પ્રકૃતિ માત્રથી જ માનવ સૃષ્ટિને યોગ્ય કુદરતી વાતાવરણ મળી રહે છે. ત્યારે રાજચરાડી ગામના ગ્રામજનો દ્વારા 275 થી વધુ અલગ-અલગ વૃક્ષો રોપી સુંદર મજાનું વાતાવરણ ઉભું કર્યું છે. ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામમાં આવેલ ચરમારીયા દાદાના મંદિરની જગ્યાએ વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા ગામની શોભા અને કુદરતી વાતાવરણ મળી રહે તે હેતુથી વૃક્ષા રોપણ કરવામાં આવેલું. રાજકોટના રહેવાસી હિંમતભાઈ…

સૌરાષ્ટ્ર માટે સુવિધા, જામનગરમાં 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું ઈ-લોકાર્પણ

400 બેડની ક્ષમતા બાદ વધુ 600 બેડ ક્ષમતા-ઓક્સિજન સપ્લાય વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરાશે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાના લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર ખાતે રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું આજે ઈ-લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર વધુ વિકરાળ સાબિત થઈ રહી છે તેવા સંજોગોમાં રાજ્ય સરકાર સંક્રમણને રોકવા માટેના તમામ પગલાંઓ લઈ રહી છે. રાજ્ય સરકારે છેલ્લા દોઢ મહિનામાં બેડની સંખ્યામાં વધારો કરીને 41,000 થી 1 લાખ બેડ તેમજ 18000 થી…

RSS અને ભૂતનાથ ટ્રસ્ટના અંતિમ સંસ્કાર યજ્ઞમાં એક મુસ્લિમભાઈનો ફોન આવ્યો અને ભુજમાં જે બન્યું

મારી પાસે ઘણું વેસ્ટેજ લાકડું પડ્યું છે તમે અડધા રૂપિયા આપજો ને કટર મશીન પણ હું જ લાવીશ આ 3 રૂપિયા ઓછા લઈએ છીએ તે પણ માથેવાળા પાસે અમારા જમા જ થશે ને ? રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભૂતનાથ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા આ અંતિમ સંસ્કાર યજ્ઞમાં સહુ કોઈએ પોતાની શક્તિ મુજબ તન , મન કે ધનના યોગદાનની અંજલિ આપી રહ્યા છે એવામાં ભુજનું સ્મશાન એટલે ખારીનદીને જેમણે લગભગ ઘર બનાવી લીધું છે એવા ભૂતનાથ ટ્રસ્ટના અજીતભાઈએ છેલ્લા 10 દિવસના સ્વઅનુભવ વાગોળ્યા હતા, મારા પર એક મુસ્લિમ ભાઈ નો…

CMએ મુકેશ અંબાણી પાસે કોવિડ હોસ્પિટલ માટેની કરી માંગણી, જામનગરને મળશે કોવિડ હોસ્પિટલ

મુખ્યમંત્રીએ જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અનુરોધ કર્યો. મુકેશ અંબાણીએ ઓક્સિજન સુવિધાઓ સહિતની હોસ્પિટલ બનાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓને સૂચનાઓ આપી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે વાતચીત કરીને જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અનુરોધ કર્યો હતો. જેનો ત્વરિત પ્રતિસાદ આપતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સામાજિક ઉત્તરદાયિત્વ રૂપે જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથેની ઓક્સિજન સુવિધાઓ સહિતની હોસ્પિટલ બનાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓને સૂચનાઓ પણ આપી છે. મુકેશ અંબાણીએ મુખ્યમંત્રીશ્રીને એમ પણ…

કોરોના સંક્રમિત દર્દીઓના સગા- સંબંધીઓ સાથે મુખ્યમંત્રી જામનગરની હોસ્પિટલમાં

ગુજરાત: મુખ્યમંત્રીશ્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જામનગર શહેરમાં આવેલી ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત કરીને કોરોનાની દર્દીઓને અપાતી સારવારની જાત તપાસ કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીશ્રી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા- સંબંધીઓ સાથે રૂબરૂ વાત ચીત કરીને હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓનાં સગાઓને મળી ખબર-અંતર પૂછ્યા હતા. તેમના સ્વજનો જલ્દીથી સાજા થઇ ઘરે જાય તેવી શુભેચ્છાઓ આપીને આ માટે જરૂરી તમામ મદદ કરવાની રાજ્ય સરકાર વતી મુખ્યમંત્રીશ્રીએ દર્દીઓના સગાઓને ખાતરી પણ આપી હતી.…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવતીકાલે જામનગર અને ભુજ – કચ્છ ખાતે કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે

આવતીકાલે 17 એપ્રિલએ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં જામનગર અને ભૂજ- કચ્છ ખાતે કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે ગુજરાત: મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાની કોર કમિટીના સભ્યો આવતીકાલે 17 એપ્રિલે સવારે 11:00 કલાકે જામનગર તેમજ બપોર બાદ ભૂજ- કચ્છ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે. ઉલ્લેખનીય છે કે, કોરોના પ્રભાવિત ગુજરાતના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કોર ગ્રુપે…

કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના વતનમાં લાગશે સ્વૈચ્છિક લોકડાઉન

ગુજરાત: રાજ્યમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં અમદાવાદ અને સુરત ફરી એકવાર ડેથસ્પોટ બની રહ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આથી રાજકોટ તંત્ર સતર્ક થયું છે. રાજકોટમાં કોરોનાના વધતા કેસોને કારણે માર્કેટ યાર્ડના સત્તાધિશોએ અઠવાડિયાના શુક્ર, શનિ અને રવિવારે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સએ પણ સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરી છે. ચેમ્બરના આ નિર્ણયમાં સાથે 28 થી 30 એસોસિએશન જોડાશે. શનિવાર રવિવાર બે દિવસ બંધ રાખવામાં આવશે. તમામ વેપાર ઉદ્યોગ બે દિવસ બંધ રખાશે. તો બીજી તરફ,…

ખેતરમાં ઢોર ચરાવવા બદલ ભરવાડ અને પટેલ વચ્ચે મારામારી : ધ્રાંગધ્રાનાં મોટી માલવણ ગામની ઘટના

ગુજરાત: બુધવારનાં રોજ ધ્રાંગધ્રાનાં મોટી માલવણ ગામનાં પટેલ અને ભરવાડ સમુદાય વચ્ચે મારામારી થઈ હતી. ઘટના એમ હતી કે, મોટી માલવણનાં જીતેન્દ્રભાઈ પટેલે કૃષ્ણનગર ગામ ખાતે ભાડે રાખેલી જમીનને ફરતે કાંટાળા તારની ફેન્સિગ કરી હતી. જેને તોડી પાડી, જીતેન્દ્રભાઈને પૂછ્યા વગર તેમના જ ગામના મલાભાઈ ભરવાડ અને મુનાભાઈ ભરવાડ પોતાના ઢોરોને ખેતરમાં ચરાવતાં હતાં. જેથી જીતેન્દ્રભાઈએ ‘અમારા ખેતરમાં શું કામ ચરાવો છો’ તેમ પૂછતાં ભરવાડે ‘ ચરાવવાના જ છે, થાય તે કરી લેવું’ કહી માર માર્યો હતો અને ‘જો પોલીસ ફરીયાદ કરી છે તો જીવતા નહિ રહેવા દઈએ’ કહી જાનથી…

જામનગરમાં કોરોનાનાં કેસમાં અધધ…. વધારો

બિનજરૂરી રીતે ઘરની બહાર ન નિકળવા જિલ્લા કલેકટર દ્વારા અપીલ. કોરોનાના વધતાં સંક્રમણ ને ધ્યાને લઇ કલેકટરનો શહેરીજનો જોગ વધુ એક સંદેશ આપ્યો છે, આજે 03 વાગ્યા સુધીમાં 124 પોઝિટીવ કેસ નોંધાયા. જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા ટેસ્ટીંગ પ્રક્રિયા પણ વધારવામાં આવી છે. ગઈકાલે એક જ દિવસમાં શહેરી વિસ્તારમાં 1,470 અને ગ્રામ્ય વિસ્તારમાં 1,939  મળી કુલ 3,409  લોકોનાં કોરોનાલક્ષી ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતાં. જિલ્લામાં ગત્ સાંજ સુધીમાં કુલ 4,57,524 લોકોનાં કોરોનાનાં ટેસ્ટીંગ કરી લેવામાં આવ્યા છે, જ્યારે શહેરમાં ગઈકાલ સુધીમાં કુલ 8,625 અને ગ્રામ્ય વિસ્તારમાં 2,833  પોઝિટિવ કેસ નોંધાયા છે.

ચોટીલા ડુંગર ઉપર આવેલા ચામુંડા માતાજીનાં મંદિર સુધી બનશે ‘રોપ વે’ મુખ્યમંત્રીએ કરી જાહેરાત

ચામુંડા માતાજીનાં મંદિર સુધી ‘રોપ વે’ મોટી ઉંમરનાં લાખો ભક્તો માતાજીનાં દર્શન શક્ય બનશે ગુજરાત: ચોટીલા ડુંગર ઉપર આવેલા ચામુંડા માતાજીનાં મંદિર સુધી ‘રોપ વે’ નાંખવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કરી છે. આ ‘રોપ વે’ શરૂ થતાં મોટી ઉંમરનાં લાખો ભક્તો હવે ડુંગરની ટોચ ઉપર આવેલા મંદિરની યાત્રા કરી શકશે. અંબાજીમાં ગબ્બર અને પાવાગઢમાં રોપ-વે ઘણા સમયથી ચાલે છે હવે તેમાં ચોટીલા ડુંગરનો ઉમેરો થશે. ગિરનાર પર્વત ઉપર આવેલી અંબાજી સુધી હમણા જ રોપ વે સેવ શરૂ કરવામાં આવી છે. આમ ગુજરાતમાં ઊંચાઈએ આવેલા તમામ આરાધના અને ભક્તિનાં સ્થળની…