ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ કરાઈ મોકૂફ

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ 12 એપ્રિલે અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ ગુજરાત: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આગામી 12 અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષાઓ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી છે. BA,BSC,BBA,BCA,B.ED, B.COM.ની પ્રથમ સેમની પરીક્ષાઓ 12 અને 23 એપ્રિલથી શરૂ થવાની હતી. પરંતુ રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાયરસનાં વધી રહેલા કેસને પગલે આ પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવાનો યુનિવર્સીટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. આગામી આદેશ ન મળે ત્યાં સુધી પરીક્ષાઓ રહેશે મોકૂફ યુનિવર્સિટીનાં તંત્ર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ…

ગુજરાતમાં ત્રણથી ચાર દિવસ લોકડાઉન કરો, હાઈકોર્ટનો સરકારને નિર્દેશ

ગુજરાતમાં 3 કે 4 દિવસનું લોકડાઉન કરવા ગુજરાત હાઇકોર્ટેનો નિર્દેશ સપ્તાહનાં અંતે કરફ્યુ નાખીને કોરોનાની વકરતી સ્થિતિ પર નિયંત્રણ કરો: ગુજરાત હાઈકોર્ટ ગુજરાત: ગુજરાતમાં કોરોનાનાં કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, ગુજરાતમાં 3-4 દિવસનુ લોકડાઉન કરો અને હાલમાં વધી રહેલા કેસ પર કાબૂ કરો. ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં રોજબરોજ કોરોનાનાં કેસની સંખ્યા વધતી જોઈને નિર્દેશ કર્યો છે. ગુજરાતમાં કોરોનાનાં કેસની સંખ્યાને નિયંત્રણમાં લેવા માટે લોકડાઉન જ એક ઉપાય હોવાથી, ગુજરાતમાં 3-4 દિવસનું મીની લોકડાઉન કરીને કેસને નિયંત્રણમાં લેવા કહ્યું છે. શક્ય હોય તો…

IPL 2021ની નેટ પ્રેક્ટિસમાં જોવા મળ્યા ધોનીનાં હેલીકોપ્ટર શોટ

આઈપીએલ 2021 નેટ પ્રેક્ટિસમાં જોવા મળ્યા ધોનીનાં હેલિકોપ્ટર શોટ સ્પૉર્ટસ: ચેન્નાઇ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આઈપીએલ શરૂ થયા પહેલા શાનદાર ફોર્મમાં જોવા મળ્યા. ધોની નેટ પ્રેક્ટિસમાં શાનદાર શોટ મારતા જોવા મળી રહ્યા છે, આ વીડિયો ચેન્નઇ સુપર કિંગ્સએ ઈન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ IPLની 14મી સીઝનની પહેલી મેચ 10મી એપ્રીલ એ દિલ્હી કેપિટલ સામે રમશે. ધોની તેનાં જૂના અંદાજમાં બેટિંગ કરતા જોવા મળ્યો. આ પ્રેક્ટિસમાં ધોનીએ હેલીકોપ્ટર શોટ પણ માર્યા હતા, ધોનીની આવી પ્રેક્ટિસ જોઇને ચેન્નઇ સુપરકિંગ્સ ને રાહત મળી રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સ છેલ્લા વર્ષે…

જામનગરમાં કોરોનાનાં કેસમાં અધધ…. વધારો

બિનજરૂરી રીતે ઘરની બહાર ન નિકળવા જિલ્લા કલેકટર દ્વારા અપીલ. કોરોનાના વધતાં સંક્રમણ ને ધ્યાને લઇ કલેકટરનો શહેરીજનો જોગ વધુ એક સંદેશ આપ્યો છે, આજે 03 વાગ્યા સુધીમાં 124 પોઝિટીવ કેસ નોંધાયા. જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા ટેસ્ટીંગ પ્રક્રિયા પણ વધારવામાં આવી છે. ગઈકાલે એક જ દિવસમાં શહેરી વિસ્તારમાં 1,470 અને ગ્રામ્ય વિસ્તારમાં 1,939  મળી કુલ 3,409  લોકોનાં કોરોનાલક્ષી ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતાં. જિલ્લામાં ગત્ સાંજ સુધીમાં કુલ 4,57,524 લોકોનાં કોરોનાનાં ટેસ્ટીંગ કરી લેવામાં આવ્યા છે, જ્યારે શહેરમાં ગઈકાલ સુધીમાં કુલ 8,625 અને ગ્રામ્ય વિસ્તારમાં 2,833  પોઝિટિવ કેસ નોંધાયા છે.

મહિલા ટીમે 22 વન-ડે જીતી બનાવ્યો ઇતિહાસ, તોડ્યો પુરુષ ટીમનો રેકોર્ડ

સળંગ 22 વન-ડે જીતવાનો રેકોર્ડ બનાવ્યો 2017 થી કોઈપણ વન-ડે ઇન્ટરનેશનલ મેચ હાર્યા નથી સ્પૉર્ટસ: ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે બનાવ્યો ઇતિહાસ. રવિવારે ન્યુઝીલેન્ડ ટીમને 6 વિકેટ થી હરાવી ને સળંગ 22 વન-ડે જીતવાનો રેકોર્ડ બનાવ્યો. ઓટ્રેલિયાની પુરુષ ટીમનો રેકોર્ડ તોડ્યો. 2017 થી કોઈપણ વન-ડે ઇન્ટરનેશનલ મેચ હાર્યા નથી. ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમે 2003માં બનાવેલ 21 વન-ડે ઇન્ટરનેશનલ મેચ જીતી ને તે રેકોર્ડ ને પાછળ છોડ્યો. ઓટ્રેલિયાના કેપ્ટન મેગ લેનિંગ એ ત્રણેય મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી અને ઓસ્ટ્રેલિયાનાં બોલર મેગાન શુટે 4 વિકેટ ની સાથે ન્યૂઝીલેન્ડ ને 212રન માં ઓલ આઉટ…

વર્ષ 2021નો રેકોર્ડ તૂટયો છેલ્લા 24 કલાકમાં કોરોના બેકાબૂ, 89,129 નવા કેસ નોંધાયા, 714 લોકો મૃત્યુ પામ્યા

નેશનલ: ભારતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. છેલ્લા 24 કલાકમાં COVID-19નાં 89,129 નવા કેસ નોંધાયા. દેશમાં સંક્રમણનો કુલ આંક વધીને 12,392,260 થઈ ગયો છે. છેલ્લા સાત મહિનામાં નોંધાયેલા આ સૌથી વધુ તાજેતરનાં કિસ્સા છે. આંકડા અનુસાર 20 સપ્ટેમ્બર 2020નાં એક દિવસમાં સંક્રમણના 92,605 થી વધુ નવા કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે સવારે આઠ વાગ્યે જારી કરેલા આંકડા અનુસાર સંક્રમણને લીધે વધુ 714 લોકોનાં મોત થયા હતા. મૃત્યુની સંખ્યા વધીને 1,64,110 થઈ ગઈ છે. આ પહેલા 21 ઓક્ટોબરે 24 કલાકમાં સંક્રમણને કારણે મૃત્યુનાં 717 કેસો નોંધાયા હતા. મળતી…

ચોટીલા ડુંગર ઉપર આવેલા ચામુંડા માતાજીનાં મંદિર સુધી બનશે ‘રોપ વે’ મુખ્યમંત્રીએ કરી જાહેરાત

ચામુંડા માતાજીનાં મંદિર સુધી ‘રોપ વે’ મોટી ઉંમરનાં લાખો ભક્તો માતાજીનાં દર્શન શક્ય બનશે ગુજરાત: ચોટીલા ડુંગર ઉપર આવેલા ચામુંડા માતાજીનાં મંદિર સુધી ‘રોપ વે’ નાંખવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કરી છે. આ ‘રોપ વે’ શરૂ થતાં મોટી ઉંમરનાં લાખો ભક્તો હવે ડુંગરની ટોચ ઉપર આવેલા મંદિરની યાત્રા કરી શકશે. અંબાજીમાં ગબ્બર અને પાવાગઢમાં રોપ-વે ઘણા સમયથી ચાલે છે હવે તેમાં ચોટીલા ડુંગરનો ઉમેરો થશે. ગિરનાર પર્વત ઉપર આવેલી અંબાજી સુધી હમણા જ રોપ વે સેવ શરૂ કરવામાં આવી છે. આમ ગુજરાતમાં ઊંચાઈએ આવેલા તમામ આરાધના અને ભક્તિનાં સ્થળની…

યુસુફ પઠાણ : કોરોના પોઝિટિવ, થયા હોમ કોરન્ટાઈન

સ્પૉર્ટસ: ભારતીય ટીમનાં પૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણને થયો કોરોના. યુસુફ પઠાણે આ માહિતી તેમનાં ટ્વીટરનાં માધ્યમથી જણાવી. તેઓ હોમ કોરન્ટાઇન થયા છે. તેમણે એ પણ અપીલ કરી કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવે. યુસુફ પઠાણ પહેલા, સચિન તેંડુલકર પણ કોરોનાની લપેટમાં આવી ચૂક્યા છે. તેમણે પણ આ જાણકારી ટ્વીટર દ્વારા જણાવેલી. જોકે તેઓ રોડ સેફ્ટી વર્લ્ડ કપ સિરીઝ ટુર્નામેન્ટ રમીને આવ્યા છે. આ બંને ખેલાડી ઇન્ડિયા લેજન્ટ ટીમમાં હતા. આ ટુર્નામેન્ટ માં યુસુફ પઠાણે ફાઇનલમાં 62 રન અને 2 વિકેટ લીધી હતી. તેમની…

NSI પટિયાલામાં 26 ખેલાડી કોરોનાનાં થયા શિકાર

સ્પોર્ટ્સ: પટિયાલામાં રાષ્ટ્રીય રમત સંસ્થા (NSI) માં વિવિધ રમત સ્પર્ધા માં ભાગ લેવા આવેલા 380 ખેલાડી અને અધિકારીઓ માંથી 26 જેટલા લોકો ને COVID-19 પરીક્ષણમાં કોરોના પોઝિટિવ આવ્યા. જોકે આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓ માંથી અમુક ખેલાડીઓ આવનારી ઓલમ્પિક માટે ટોક્યો જવાના છે. પરંતુ પોઝિટિવ આવેલા ખેલાડી કે અધિકારી માંથી ઓલમ્પિકમાં ભાગ લેનાર કોઈ નથી. ભારતીય પુરુષ બોકસીગના કોચ સીએ કુટપ્પા અને શોટ પૂટનાં કોચ મોહિન્દર સિંહ ઢિલ્લો નો પણ સમાવેશ થાય છે. સાથે સાથે એશિયા રજતચંદ્રક વિજેતા દીપક કુમાર અને સુવર્ણચંદ્રક વિજેતા સંજીતનો સમાવેશ થાય છે.

ડો.રાહી માસૂમ રઝા: પ્રયત્નપૂર્વક યાદ ના રાખવામાં આવેલું નામ!

ઘણાં બધાને આ નામ નવું લાગશે! હે ને? ઇસ. 1927 માં ઉત્તરપ્રદેશનાં ગાઝીપુર જિલ્લામાં ગંગોલી ગામમાં જન્મ. પ્રારંભિક શિક્ષણ પણ ત્યાં જ અગિયાર વર્ષની ઉંમરે ટીબી(ત્યારે ટીબીની કોઈ જ દવા ઉપલબ્ધ નહોતી). અને એની સાથે સાથે પોલિયોનો એટેક (જેના લીધે એને લંગડાઈને ચાલવું પડતું). અને એ ‘બીમારીમાં’ એણે ઘરમાં રહેલી બધી જ બુક વાંચી નાખી(ઉંમર કેટલી? અગિયાર બાર વર્ષ!) અને પછી ત્યાંથી ભણવા ગયાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અને ત્યાં હિન્દુસ્તાની સાહિત્યમાં ડોક્ટરેટ કર્યું. શરૂઆતમાં અલ્હાબાદમાં રહ્યા પહેલાં તેની શાયરી પ્રત્યે રુચિ વધુ હતી પછી તેનું ધ્યાન ઉપન્યાસ લખવા તરફ ગયું…