રિઝર્વ બેન્કે રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.5% સહિત વ્યાજદર યથાવત રાખ્યા

રેપો રેટ માટે ચાર ટકા વ્યાજદર રિવર્સ રેપો રેટ માટે સાડા ત્રણ ટકા વ્યાજદર નેશનલ: રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આજે મુંબઈમાં પત્રકારોને જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2023નું પહેલી નાણાંનીતિની સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, નાણાનીતિ સમિતિમાં છેલ્લી 10 બેઠકોમાં વ્યાજદર યથાવત રાખવામાં આવ્યા છે. શ્રી દાસે જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2023 માટે જીડીપીનો વિકાસદર અગાઉ 7.8 ટકા રહેવાનું અનુમાન હતું પણ નવા અંદાજ પ્રમાણે જીડીપીનો વિકાસદર 7.3 ટકા રહેશે. વિવિધ ભૌગોલિક અને રાજકીય તણાવના લીધે ભારતના વિકાસદર ઉપર અસર થવાની સંભાવના છે. RBIએ…

નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિની આજે પરાક્રમ દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે

નેશનલ: પ્રખર રાષ્ટ્રવાદી નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિની આજે પરાક્રમ દિવસ તરીકે ઉજવણી કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે આજે સાંજે યોજાનાર ખાસ સમારંભમાં નેતાજીના હોલોગ્રામ સ્ટેચ્યુનું અનાવરણ કરશે. નેતાજીની ગ્રેનાઈટની પ્રતિમાનું કામ ચાલી રહ્યું છે અને આ પ્રતિમા તૈયાર થતાં તેની સ્થાપના હોલોગ્રામ સ્ટેચ્યુના સ્થળે કરાશે. આ સાંજે યોજાનાર કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના હસ્તે વર્ષ 2019થી 2022 સુધીના નેતાજી સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર અર્પણ કરાશે. કુદરતી આપત્તિ વખતે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કરવામાં આવેલી નોંધપાત્ર સેવાને બિરદાવવા કેન્દ્ર સરકાર દ્વારા આ પુરસ્કારની રચના કરાઈ છે, જેમાં વિજેતા સંસ્થાને…

કોવિડના કેસ સતત વધતા,આ રાજ્યમાં રવિવારે સંપૂર્ણ લોકડાઉન જાહેર

નેશનલ: તમિલનાડુ સરકારે જાહેરાત કરી છે કે તામિલનાડુમાં કોરોનાનો ફેલાવો વધી રહ્યો હોવાથી 23મી તારીખે રવિવારે સંપૂર્ણ કર્ફ્યુ લાદવામાં આવશે. સમગ્ર કર્ફ્યુ દરમિયાન, મુસાફરોના લાભ માટે સેન્ટ્રલ, એગમોર રેલ્વે સ્ટેશનો અને કોઈમ્બતુર બસ સ્ટેન્ડ પર પ્રોસેસર દ્વારા ઓટો બુક કરવામાં આવશે અને સંચાલિત કરવામાં આવશે. ભાડાની કારને મુસાફરોને લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. લોકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે લેવાયેલા નિવારક પગલાં સાથે સરકારે સંપૂર્ણ સહકાર આપવો જોઈએ.

પ્રધાનમંત્રીએ “આઝાદીના અમૃત મહોત્સવથી સ્વર્ણિમ ભારત તરફ” નામના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો

નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લોકો અને દેશના સપના અલગ નથી અને દેશની પ્રગતિમાં જ આપણી પ્રગતિ રહેલી છે. આ લાગણી અને સમજણ નૂતન ભારતમાં લોકોની સૌથી મોટી તાકાત બની રહી છે. આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ થી સ્વર્ણિમ ભારત તરફ કાર્યક્રમના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશને દરેકના સહયોગ અને પ્રયાસોની જરૂર છે. એવી વ્યવસ્થા વિકસાવવાની જરૂર છે જેમાં ભેદભાવ માટે કોઈ સ્થાન ન હોય અને જે સમાનતા અને સામાજિક ન્યાયના પાયા પર હોય. તેમણે કહ્યું, દેશ એક નવા ભારતનો સાક્ષી છે…

એમેઝોન પ્રાઇમ વિડિયોએ તેના આગામી હિન્દી કૃતિસંગ્રહ, અનપોઝ્ડ: નયા સફરમાંથી એક નવું ગીત રજૂ કર્યું

મનોરંજન: એમેઝોન ઑરિજિનલ અનપોઝ્ડ: નયા સફરના ટ્રેલરને લોન્ચ કર્યા પછી સ્ટ્રીમિંગ સર્વિસે ચૂંટેલા કાવ્યસંગ્રહમાંથી એક મનભાવન અને સુખદ ટ્રેક નયા સફરનું આજે અનાવરણ કર્યું હતું. સંગીતકાર બેલડી સચિન-જીગર દ્વારા રચિત આ ગીત ફિલ્મની થીમની જેમ જ આશા અને સકારાત્મકતાનો સંદેશો રજૂ કરે છે. અમિત મિશ્રાએ તેને ગાયું છે અને જેમાં શેખસ્પિયરનું રેપ પણ છે. નયા સફરના ગીતો કૌસર મુનીરે લખ્યા છે. આ ગીત વિશે વાત કરતાં, સંગીતકાર જોડી સચિન સંઘવી અને જીગર સરૈયાએ જણાવ્યું હતું કે, “નયા સફર ગીત કૃતજ્ઞતા અને નવી શરૂઆતના વિષયની આસપાસ છે. આપણા જીવનમાં એવો સમય…

એક વર્ષથી ખરાબ રસ્તાની કરવામાં આવતી રજૂઆતને પગલે તંત્રએ માત્ર ખાડા જ પૂર્યા…!

રાજસીતાપુરથી ભારદ ગામ સુધીમાં ખાડા પુરાયા જ્યારે રાજચરાડી, સરવાળ ગામ તરફના રસ્તાની હાલત યથાવત “ફક્ત ખાડા જ પુરવામાં આવશે, પાકો રસ્તો બનાવામાં નહીં આવે??” સ્થાનિકોનો મોટો સવાલ ગુજરાત: રોડ રસ્તાની ખરાબ હાલતને કારણે ઘણી વખત અકસ્માત થવાનો ભય રહે છે. આમ ખરાબ રસ્તા બાબતે અનેક વખત રજૂઆત કર્યા બાદ જ તંત્રને એ ધ્યાને આવતું હોય છે. ત્યારે ધ્રાંગધ્રાના રાજસીતાપુરથી સરવાળ, માલવણ ગામડા તરફ જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવા અંગે તંત્રમાં એક વર્ષથી સ્થાનિકો રજૂઆત કરતાં હતાં. જ્યારે તંત્ર દ્વારા ગત મંગળવારે રાજસીતાપુરથી ભારદ સુધીમાં ખાડા પુરવામાં આવ્યાં છે અને…

માઉન્ટ આબુમાં બાઇક ચાલક પર 11KV જીવતો વીજ વાયર પડતા લાગી આગ

આગ લાગતા બન્ને બાઇક સવાર આગમાં લપેટાઈ મૃત્યુ પામ્યા હતા નેશનલ: રાજસ્થાનના મીની કાશ્મીર તરીકે જાણીતા પર્યટક શહેર માઉન્ટ આબુ માટે દુઃખદ સમાચાર છે. આજે સવારે લગભગ 4:15 વાગ્યે પ્રત્યક્ષદર્શીઓએ જાણ કરી હતી કે માઉન્ટ આબુ રસ્તા પર બાઇકમાં આગ લાગી છે. માહિતી મળતાની સાથે જ માઉન્ટ આબુ પોલીસ સ્થળ પર પોહચી તપાસ કરતા બાઈક ચાલકો પર વીજલાઇન ના 11kv લાઈટનો જીવિત વાયર પાડતા બનાવ બનેલ હતો. ત્યાર બાદ ફાયર બ્રિગેડને જાણ કરેલ હતી જેના આધારે નગરપાલિકાની ફાયરબ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને CRPF ચોકડી પર આ અકસ્માતમાં બાઇકમાં…

સુરેન્દ્રનગર-ફતેપુર રૂટની બસ વહેલી તકે શરૂ કરવાં ડેપો મેનેજરને કરાઈ રજૂઆત

રૂટમાં સમાવેશ ગામડાઓના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ પરેશાન જલ્દીથી બસ શરૂ થાય તેવી માંગ સાથે રાજચરાડી ગામના સરપંચે લેખિતમાં કરી રજૂઆત ગુજરાત: સુરેન્દ્રનગરથી ફતેપુર રૂટની એસ. ટી. બંધ હોવાનાં કારણે સુરેન્દ્રનગર ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રાજચરાડી ગામના સરપંચ દ્વારા સુરેન્દ્રનગર ડેપો મેનેજરને વહેલી તકે બસ શરૂ કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરી હતી. સુરેન્દ્રનગરથી ફતેપુર વાયા ભારદ, રાજચરાડી, મેથાણ રૂટની એસ.ટી. બસ છેલ્લા કેટલાય સમયથી બંધ છે. જેના કારણસર રૂટમાં સમાવેશ થતાં ગામડાઓના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓને ખૂબ જ હાલાકી ભોગવી પડી રહી છે. શાળા અને કોલેજમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય…

અમીરગઢ તાલુકાનાં તલાટીકમ મંત્રીઓનો ધરણા કાર્યક્રમ યોજાયો

અમીરગઢ તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા કર્યા માંગણીઓ નહીં સંતોષાયતો જિલ્લા કક્ષાએ અને ગાંધીનગર સુધી જવાની તૈયારી ગુજરાત: હાલમાં ગુજરાત રાજ્ય તલાટીકમ મંત્રી મહામંડળનાં આદેશ મુજબ જુદી જુદી જગ્યાએથી તલાટીકમ મંત્રી દ્વારા તેમની પડતર માંગણીઓ ન સ્વીકારતા ગુજરાત સરકાર વિરોધમાં ધારણા કરવામાં આવી રહ્યાં છે. આજરોજ અમીરગઢ તાલુકા પંચાયત ખાતે અમીરગઢ તલાટીકમ મંત્રીઓ દ્વારા તલાટીકમ મંત્રી મહામંડળનાં આદેશ મુજબ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમીરગઢ તાલુકાનાં તમામ તલાટીઓ મહાસીએલ મૂકીને તેમની પડતર માંગણીઓ રાજય સરકાર દ્રારા ન સ્વીકારવામાં આવતા ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો. તો જાણો શું છે પડતર માંગણીઓ: તમામ…

આયુષ્માન ભારત ડિજિટલ મિશન ભારતમાં આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવવાની શક્તિ ધરાવે છે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આયુષ્માન ભારત ડિજિટલ મિશન ભારતમાં આરોગ્ય સંભાળમાં ક્રાંતિ લાવવાની શક્તિ ધરાવે છે. તેમણે કહ્યું કે 21મી સદીમાં ભારત માટે આજનો દિવસ મહત્વનો છે કારણ કે આરોગ્ય ક્ષેત્ર એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે, જે દેશના આરોગ્યને બદલશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયુષ્માન ભારત ડિજિટલ મિશનનો પ્રારંભ કરતાં શ્રી મોદીએ કહ્યું કે, દેશના ગરીબ અને મધ્યમ વર્ગની સારવારમાં આવતી સમસ્યાઓને દૂર કરવામાં આયોજના મોટી ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક નાગરિકને હવે ડિજિટલ હેલ્થ આઈડી મળશે અને તેમનો આરોગ્ય રેકોર્ડ ડિજિટલ રીતે સુરક્ષિત રહેશે. પ્રધાનમંત્રી…