જૂનાગઢમાં AAP નેતા મહેશ સવાણી અને ઈસુદાન ગઢવી પર હુમલો, ગાડીઓનાં કાચ તોડ્યાં

ગુજરાત: AAPનાં નેતા મહેશ સવાણી અને ઈસુદાન ગઢવી પર કેટલાંક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. જૂનાગઢનાં લેરિયા ગામમાં આ હુમલો કરવામાં આવ્યો છે. હુમલા દરમિયાન તેમની ગાડીઓનાં કાચ પણ તોડી નાખવામાં આવ્યાં છે. આ હુમલામાં આમ આદમી પાર્ટીનાં નેતાઓ પણ ઈજાગ્રસ્ત થયા છે.

ઘટનાની વિગત એવી છે કે, જૂનાગઢનાં વિસાવદરમાં AAPનાં નેતાઓ પર પથ્થમારો કરવામાં આવ્યો હતો. પાર્ટીની સભા યોજાય તે પહેલાં જ આ હુમલો કરવામાં આવ્યો હતો. આપનાં નેતા મહેશ સવાણી અને ઈસુદાન ગઢવી પર હુમલાની સાથે તેમની કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા.

આ હુમલામાં બે લોકોને ઈજા પહોંચી છે. આશ્ચર્યની વાત છે કે પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આ હુમલો થયો છે. જેના પગલે આપ પાર્ટીનો કાર્યક્રમ પણ રદ કરી દેવામાં આવ્યો છે.

AAPએ આ હુમલાનો આરોપ ભાજપ પર લગાવ્યો છે. આપનાં નેતાઓએ કહ્યું કે, અમે ભાજપની ગુંડાગર્દીથી ડરીશું નહીં. આમ આદમી પાર્ટી ઈંટનો જવાબ પથ્થરથી આપશે.

આ અંગે દિલ્લીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાત કરી હતી આ બાબતે અરવિંદ કેજરીવાળે ટ્વીટ કરી માહિતી આપી હતી.

આજ રીતે થોડા દિવસ અગાઉ જ આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સોમનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યાં હતા. આ દરમિયાન તેઓને ધક્કે ચઢાવવામાં આવ્યાં હતાં. જે મામલે ગોપાલ ઈટાલિયાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. એ સમયે ગોપાલ ઈટાલિયાએ દાવો કરીઓ હતો કે આ કાવતરું ભાજપે ઘડ્યું હતું.

 

Related posts

Leave a Comment