બનાસકાંઠાનાં અમીરગઢમાં શ્રી રાજેશ્વરી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા નશાબંધીનો કાર્યક્રમ યોજાયો

અમીરગઢ ની પ્રાથમિક સ્કૂલ અને ખુણીયા ખાતે યોજાયો હતો નશાબંધી કાર્યક્રમ મહેંદી સહિત અન્ય અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી ગુજરાતી: 10 ડિસેમ્બરનાં રોજ ડીસાનાં શ્રી રાજેશ્વરી સેવા સમાજ ટ્રસ્ટ દ્રારા અમીરગઢની અમીરગઢ પ્રાઈમરી સ્કૂલ ખાતે નશાબંધી મહિલા સંમેલન યોજાયો હતો. રાજેશ્વરી સેવા સમાજ ટ્રસ્ટનાં પ્રમુખ જ્યોત્સનાબેન બારોટ, ગઢવી સાહેબ, શકુંતલા બેન ભાટિયા, મહેશભાઈ રજપુરિયા, છાયાબેન ગેહલોતર, પ્રાથમિક શાળાનાં આચાર્ય રાજુભાઇ તથા સ્ટાફ હાજર રહ્યા હતા. મહેંદી સહિત અન્ય અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ઇનામનાં વિજેતા શ્રીમાળી ક્રિષ્નાબેન તથા બીજા ઇનામનાં વિજેતા અગ્રવાલ પૂનમબેન બન્નેને ઈનામ આપવામાં…

બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીનાં પ્રથમ કુલપતિ તરીકે ડો.મધુકરભાઇ પાડવીની નિમણૂક

સુરતની એમ.ટી.બી આર્ટસ કોલેજનાં આચાર્ય તરીકે સેવા આપી છે ગુજરાતી તેમજ હિન્દી ભાષામાં અનેક પુસ્તકો પણ લખ્યા છે ગુજરાત: રાજય સરકારનાં આદિવાસી વિકાસ વિભાગ દ્વારા સંચાલિત નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટીનાં પ્રથમ કુલપતિ તરીકે એમ.ટી.બી. આર્ટસ કોલેજ, સુરતનાં આચાર્ય ડો.મધુકરભાઇ પાડવીની નિમણૂક કરવામાં આવી છે. ડો.મધુકર પાડવીનો જન્મ.03-03-1961નાં રોજ તાપી જિલ્લાનાં નિઝર અને કુકરમુંડા તાલુકાનાં મેણપુર ખાતે સામાન્ય આદિવાસી પરીવારમાં થયેલ છે. તેઓએ વીર નર્મદ યુનિવર્સિટી, સુરતમાં હિન્દી વિષય સાથે પ્રથમ વર્ગમાં યુનિ. પ્રથમ ક્રમે સ્નાતકની ડિગ્રી મેળવેલ છે. તેઓએ એમ.એ., એમ.ફીલ અને પી.એચ.ડી, સુધીનો અભ્યાસ નર્મદ યુનિવર્સિટી,…

સંસદ ભવનનો શિલાન્યાસ, પીએમ મોદીએ ભૂમિપૂજન કર્યું; ભવન સાથે જોડાયેલી 5 મોટી વાત

નવા સંસદ ભવનના નિર્માણનો શિલાન્યાસ આજે પૂર્ણ થયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કાર્યક્રમમાં ભૂમિપૂજન કર્યું હતું. ઇન્ડિયા ગેટ નજીક સેન્ટ્રલ વિસ્ટા પ્રોગ્રામ અંતર્ગત બનાવવામાં આવી રહેલ નવી ઇમારતનો આ કાર્યક્રમ પ્રતીકાત્મક રૂપે શિલાન્યાસ કરશે. પરંતુ તેનું નિર્માણ હજી શરૂ થઈ શક્યું નથી કારણ કે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી ચાલી રહી છે. સંસદનું આ નવું મકાન 20,000 કરોડ રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના 13.4 કિલોમીટર લાંબા રાજપથ પર આવતા સરકારી ઇમારતોનું ર્નિર્માણ કરવામાં આવશે. ભવન સાથે જોડાયેલી 5 મોટી વાત…

SpaceXનાં સ્ટારશીપ રોકેટમાં બ્લાસ્ટ, લેન્ડિંગ દરમિયાન રોકેટ બની ગયું ફાયરબોલ

SpaceX મંગળ પર જવાનાં પ્રયાસો કરી રહ્યું છે SpaceXએ સ્ટારશીપનું ટ્રાઇલ કર્યું હતું, લેંડિંગ સમયે થયો હતો બ્લાસ્ટ ઇન્ટરનેશનલ: મંગળ મિશન પર જવાની તૈયારી કરી રહેલા સ્પેસએક્સને આંચકો લાગ્યો જ્યારે તેના સ્ટારશીપ રોકેટ (Starship)નો પ્રોટોટાઇપ પરીક્ષણ દરમિયાન બ્લાસ્ટ કરી ગયો. ટેક્સાસના દરિયાકાંઠે એક પરીક્ષણ પ્રક્ષેપણ દરમિયાન બુધવારે SpaceXનો સ્ટારશીપ રોકેટમાં બ્લાસ્ટ થયો હતો. કંપનીને આશા છે કે આ રોકેટ તેને મંગળ પર લઈ જશે. જો કે રોકેટ વિસ્ફોટ છતાં કંપનીએ આ પરીક્ષણને સકસેસફૂલ ગણાવ્યું છે અને સ્ટારશીપ ટીમને અભિનંદન આપ્યા છે. સ્પેસએક્સનાં સ્થાપક એલોન મસ્કે લોંચની થોડી મિનિટો પછી ટ્વિટ…

દેશનાં ખૂણે-ખૂણામાં શરૂ થશે Wi-Fi ઝોન, મોદી સરકારે કરી જાહેરાત

PM-WANI યોજના અંતર્ગત દેશભરમાં શરૂ થશે Wi-Fi ઝોન આ Wi-Fi ઝોનને  પબ્લિક ડેટા ઓફિસ કહેવાશે નેશનલ: નરેન્દ્ર મોદી સરકારે કેબિનેટની બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લીધા છે. સરકારનાં વરિષ્ઠ પ્રધાનો રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર અને સંતોષ ગંગવારે પત્રકાર પરિષદમાં પોતાની માહિતી આપી હતી. આમાં બે મોટા નિર્ણયો લેવામાં આવે છે, એક ડિજિટલ ઇન્ડિયા સાથે અને બીજો આત્મનિર્ભર ભારત યોજનાથી સંબંધિત છે. દેશનાં દરેક ખૂણામાં Wi-Fi પહોચાડવાની પીએમ યોજનાને સરકારે મંજૂરી આપી દીધી છે. આવતા વર્ષે 5 જી લોન્ચ કરવાની તૈયારીઓ વચ્ચે સરકારની આ જાહેરાતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મંત્રીમંડળનાં મુખ્ય નિર્ણયો…

એસ.આર.મહેતા કોલેજે કર્યા હાથ ઉંચા કહ્યું: એડમિશન નહીં આપીએ : વિધાર્થી સંગઠન ABVP વિધાર્થીઓ સાથે

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન છે એસ.આર.મહેતા કોલેજ ABVP નાં કાર્યકરોએ કરી વાઈસ ચાન્સેલરને રજૂઆત ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન એડમિશન પ્રક્રિયા ચાલી રહ્યી છે અને વિધાર્થીઓ એડમિશન મેળવી રહ્યા છે.પરંતુ એસ. આર. મહેતા આર્ટસ કોલેજે વિધાર્થી સંગઠન ‘અખિલ ભારતીય વિધાર્થી પરીષદ’ને પરિપત્ર મોકલી આપ્યો હતો. જેમાં કોલેજનાં સત્તાધીશો દ્રારા કોલેજમાં ચાલતા રિનોવેશનને કારણે માત્ર 266 વિધાર્થીઓને જ પ્રવેશ આપ્યો છે અને બીજા વિધાર્થીઓને પ્રવેશ આપ્યો નથી. આપને જણાવી દઈએ કે કુલ સીટ 480 છે. એસ.આર.મહેતા કોલેજે ABVPને લખેલ પરિપત્ર “અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ, વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એસ.આર.મહેતા આર્ટસ કોલેજના પ્રથમ વર્ષ બી.એ.…

મહિલા સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યું મીડિયા ‘બે પૈસા’ની છે!

Mahua Moitra

‘મીડિયા બે પૈસાની છે’ મહુઆ મોઈત્રા આ નિવેદનથી પ્રેસ ક્લબ થયું નારાજ, માંગવી પડી માફી માફી માંગતા ટ્વિટરમાં શેર કર્યું મીમ નેશનલ: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનાં એક મહિલા સાંસદે મીડિયા અંગે નિવેદન આપ્યું હતું જેમાં મીડિયાને બે કોડીનું છે એવો શબ્દ પ્રયોગ કર્યો હતો. આ સાંસદની ચારે તરફ ટીકાઓ થઇ રહી છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીનાં પક્ષનાં લોકસભા સાંસદ મહુઆ મોઇત્રા(Mahua Moitra)એ મંગળવારે સાંજે બે મુખ્ય બંગાળી ટીવી ચેનલનો બહિષ્કાર કરતી વખતે કથીત રીતે મીડિયાને બે કોડીનું લેખાવ્યું હતું. મીડિયા તરફથી આ સાંસદની આકરી ટીકાઓ થઇ રહી છે. ગત…

ગુજરાત યુનિવર્સિટીનાં વિધાર્થીઓ માટે ખુશ ખબર : ઘરે બેઠા પરીક્ષા આપી શકાશે

ઓનલાઇન પરીક્ષા આપવા માંગતા વિધાર્થીઓ 15ડિસેમ્બર સુધી આપી શકશે પસંદગી પસંદગી ન આપનાર વિધાર્થીઓને ઓફલાઇન પરીક્ષા માટે મંજુર ગણવામાં આવશે ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા અંતર્ગત પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં નીચે મુજબ વિગતવાર જણાવેલ છે. ઓનલાઇન પરીક્ષા વિકલ્પ પસંદગી આપવા અંગે મહત્વની સૂચનાઓ પરીપત્ર તા. 08/12/2020 1. ગુજરાત યુનિવર્સિટી દ્વારા BSc Sem-3, B.Ed Sem-3, MA Sem-3, MSc Sem-3, M.Com Sem-3, B.Com Sem-5, BA Sem-5, BBA Sem-5, BCA Sem-5, ની લેવાનાર આગામી ઓફલાઈન પરીક્ષાનાં વિકલ્પમાં ઓનલાઇન પરીક્ષાઓ અંગે આ વિકલ્પ માંગવામાં આવે છે. 2. વિદ્યાર્થીને ઓનલાઇન પરીક્ષા આપવા અંગેનો આ વિકલ્પ પસંદ…

અમિત શાહ આજે સાંજે 7 વાગ્યે આંદોલનકારીઓ સાથે બેઠક કરશે

આજે ખેડૂત આંદોલનને ભારત બંધના એલાનને અનેક રાજયોમાં મળેલા ભારેથી મિશ્ર પ્રતિસાદ તથા આંદોલનકારીઓ પીછેહઠ કરવાનાં મુડમાં નહીં હોવાનો સંકેત મળતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકશનમાં આવી ગયા છે. આવતીકાલની છઠ્ઠા તબકકાની વાતચીત પૂર્વે જ આજે સાંજે 7 વાગ્યે ખેડૂત અગ્રણીઓને મળવા માટે આમંત્રણ આપ્યું છે. અમિત શાહ અગાઉ કિસાન આંદોલન મુદે દરમિયાનગીરી કરી ચુકયા હતા પરંતુ તેમાં સફળતા મળી ન હતી અને આવતીકાલે છઠ્ઠા તબકકાની વાતચીત થવાની હતી પરંતુ જે રીતે કિસાન આંદોલન વધુ ઉગ્ર બને અને વિપક્ષો પણ તેમાં તાકાત લગાવી રહ્યાના સંકેત મળ્યા હતા. અમિત શાહે…

ગુજરાત યુનિવર્સિટીની એડમિશન પ્રક્રિયામાં ગોટાળો, કે પછી કોલેજની ભૂલ? વિધાર્થીઓ ઉમટયા

ગુજરાત યુનિવર્સિટીની એડમિશન પ્રક્રિયામાં છબરડા યુનિવર્સિટીએ જાહેર કરી ઓનલાઈન પ્રક્રિયા, કોલેજે કરી ઓફલાઇન પ્રક્રિયા ગુજરાત યુનિવર્સિટીનાં એડમિશનની પ્રક્રિયાનો અંતિમ રાઉન્ડ (7મો રાઉન્ડ) ચાલી રહ્યો છે સાથે વિધાર્થીઓ એમને ફાળવેલી કોલેજમાં એડમિશન મેળવી રહ્યા છે. પરંતું અમુક કોલેજોએ એમને ઓનલાઇન પ્રક્રિયામાં ભાગ લીધેલ હોવા છતાં અને યુનિવર્સિટીએ ફાળવેલ ઓનલાઇન એડમિશનની જાણ હોવા છતા ઓફલાઇન એડમિશન આપ્યાની માહિતી બહાર આવી છે. આજ રોજ ભારત બંધનાં એલાન અને કોરોનાની મહામારી વચ્ચે સવારથી વિધાર્થીઓની લાંબી ભીડ જોવા મળી હતી. ઘણા વિધાર્થી ઓનલાઇન લેક્ચર પણ ભરી રહ્યાં હોવા છતાંય વિધાર્થીઓએ આજરોજ જાણ થઈ હતી કે…