PSI શારીરિક કસોટી મોકૂફ: પરીક્ષાર્થીઓને મળ્યો તૈયારી માટેનો વધુ સમય

એપ્રિલ 2021 માં લેવામાં આવનાર શારીરિક કસોટી સરકાર દ્વારા મોકૂફ રાખવામાં આવેલ છે. થોડા દિવસ પહેલા જ ટ્વીટ કરીને માહિતી આપાઈ હતી કે પરીક્ષા રાબેતા મુજબ જ લેવામાં આવશે.  જો કોઈ પરિક્ષાર્થીને કોરોના હશે તો તેના માટે ખાશ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. પરંતુ  ગઈ કાલે મુખ્યમંત્રીની જાહેરાત બાદ આજે ભરતી પ્રક્રિયાની વેબસાઇટ OJAS પર જાહેરાત કરવામાં આવી છે કે આ શારીરિક કસોટી આગમી સૂચના નાં મળે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવેલી છે.